Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવન નેહસંબંધ 145 નથી શું ! આ ગુણિયલ ગુણસુંદરી આવા નરરત્નને છોડીને ને મારા જેવા અધમ નર સાથે રમે ખરી? રાજહંસી તો માનસરોવરમાં રહેલા કમલનેજ સેવે લીંબડાને નહિ, કુડા ઉપાયે કરીને પણ એણે પોતાનું શીલ પાવું ને મારા આત્માને નરકમાંથી ઉદ્ધાર કર્યો. હવે આજથી આ મહાસતીના શીલને સંભારતો કદાપિ હું આ અપરાધ કરીશ નહિ.” * ઉપકારના ભારથી નમ્ર થયેલા વેદરૂચિને અવસરે અત્યંગ, ઉદ્વર્તનથી સ્નાન વગેરે કરાવી ખાનપાનથી તૃપ્ત કર્યો. નિશા સમયે સારી રૂપાળી સુંવાળી મખમલની સુખ શયામાં પઢાડયો. શરમ અને લજજાથી નાશી જવાની ઇચ્છાવાળે વેદરૂચિ મધ્યરાત્રીને સમયે શયામાંથી ઉઠી ગુપચુપ ચાલવાની તૈયારી કરવા લાગ્યો છતાં નશીબ આગળનું આગળ ! - અકસ્માત એક સાપે એને દંશ દીધો ને પિકાર કરતો ત્યાં ઢગલો થઈ પડ્યો, પુણ્યશર્મા વગેરે પરિવાર એકઠા થઈ ગયો. દીપકના પ્રકાશમાં સપને નાશી જતાં પુણ્યશર્માએ જે, તરતજ નગરમાંથી અનેક મંત્ર તંત્રના જાણકારોને બોલાવ્યા. ગારૂડીઓને લાવ્યા પણ એમની મહેનત વ્યર્થ ગઈ ને વેદરૂચિની વાચા પણ બંધ થઈ ગઈ ને બેભાન થઈ ગયે. આખરે બધા નાસીપાસ થઈ ચાલ્યા ગયા, “શુ કરીયે એનું મોત આવ્યું એ બહાને હવે વેદરૂચિ મૃત્યુની રાહ જોઈ રહ્યો હતો, ને પુયસામાં નિરાશ હતાશ થઈ ગયો, પ્રાત:કાળના સૂર્યો પિતાને થ હવે છોડી મુક્યો હતો, બેભાન વેદરૂચિ આ જગતની ઉલ્લામાં છેલ્લી હવા ખાઈ રહ્યો હતો વિષના તીવ્ર આકજેથી તેના છેલ્લા શ્વાસોશ્વાસ ચાલી રહ્યા હતાપોતાના 9.P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust