Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 107 કરતો તે દેવ આયુરક્ષયે ત્યાંથી ચ્યવીને આ ચંપાનગરીના રસાર શ્રેષ્ઠીને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયો. માતાપિતાએ એનું વિનયંધર નામ પાડ્યું. તે જ વિનયંધર આ પિતે. * જીનેશ્વરને દાન દેવાના પ્રભાવથી વિનયંધર આવું અપૂર્વ સૌભાગ્ય પામ્યો છે. જેના સૌભાગ્યની તારા. જેવાને પણ ઈર્ષ્યા થાય છે. એના પ્રબળ ભાગ્યના યોગે તુ રાજા છતાં એનું અપ્રિય કરવાને શક્તિવાન નથી. એ બધોય ભગવાનને દાન આપ્યાન મહિમા છે. અરે આ ફલ તો એક પ્રાસંગિક ફલ છે દેવતા અને મનુષ્યનાં ભેગ. સુખો એ તો મુકિત જનારા આત્માને માટે સંસારના એક . વિસામા છે બાકી તો દાનનું ખરેખરૂ ફલ તો શીવ વધુની. વરમાળ ધારણ કરવી એજ છે. એ ઉત્તમદાનના પ્રભાવથી સૌભાગ્ય, આદિ અનેક ગુણે વિનયંધરને પ્રાપ્ત થયેલા છે. એક દિવજ જેની ચિંતા કરે છે એવા વિનયંધરનાં વિશેષ તે શું વખાણ કરીયે ?" સૂરિએ વિનયંધરનું કથાનક પૂર્ણ કર્યું. એની ચમત્કારિક કથા સાંભળી બધા આનંદ પામ્યા. રાજા પણ વિનયંઘરનું ચરિત્ર સાંભળી ખુશી થયો. હવે વિનયંધરની ચારે. પત્નીઓની પૂર્વભવની કથા ગુરૂએ કહેવી શરૂ કરો. રતિસુંદરી. “થાય પ્રલય પૃથ્વીત, સિંહ કદિ ખડ ખાય પશ્ચિમ સૂર્ય ઉગે કદિ, સતી શરણ ન થાય; આ ભરતક્ષેત્રમાં સાકેતપુર નામે નગર હતું. ત્યાં. શત્રુઓની લક્ષ્મીને પિતાના ચરણે તળે દબાવનાર નરકરી રાજા હતો, તેને કમલસુંદરી નામે રાણ થકી રતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust