Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 120 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સૌંદર્યમાં આશક થયે, એના રૂપથી પરવશ બનેલો રાજા મંત્રી પત્નીને પિતાની પત્ની બનાવવાની અભિલાષા કરવા લાગ્યા. “આહ! જગતને આશ્ચર્યકારી શું એનું સ્વરૂપ ! ) રાજા સુકીર્તિ મનમાં અનેક તર્કવિતર્ક કરતો રાજમહેલમાં આવ્યો પણ એને કયાંય ચેન પડયું નહિ, નિશાને સમયે હીયાર દાસીને બુદ્ધિસુંદરી પાસે મોકલી, દાસીએ બુદ્ધિસુંદરી પાસે આવી અનેક પ્રકારે વાત કરીને બુદ્ધિને સમજાવવાના અનેક પ્રયત્ન કરી જોયા, બુદ્ધિસુંદરીએ તો દાસીની નિર્ભર્ચના કરીને કાઢી મૂકી. અપમાનિત દાસીની વાત સાંભળી ગુસ્સે થયેલા રાજાએ મંત્રી ઉપર આરોપ મૂકી સ્ત્રી સહિત પકડી મંગાવ્યો. કેમ પિશાચથી જકડાયેલ મનુષ્યને હિતાહિતનું ભાન હોતું નથી. એક સામાન્ય માણસ પણ પરસ્ત્રીમાં લબ્ધ થયે છતો અનેક પ્રકારનાં કાર્ય કરવા અચકાતે નથી તો પછી આ તો રાજા, રાજાએ મંત્રીને કારાગ્રહમાં પૂર્યો ને બુદ્ધિસુંદરીને અંત:પુરમાં મોકલી દીધી. રાત્રિને સમયે રાજા જ્યારે પોતાની અભિલાષા પૂર્ણ કરવાને બુદ્ધિસુંદરી પાસે આવ્યો ત્યારે શિયલ ભંગથી ભય પામેલી બુદ્ધિ આ નરરાક્ષસ થકી શીલરક્ષણને ઉપાય ચિંતવતી વિચારમાં પડી ગઈ કેમ! દાસીની નિર્ભના ને મારી આજ્ઞાનો ભંગ કરી તું સતીઓમાં શિરોમણિ બની કે શું ? દાસીનું વચન માન્ય કર્યું હોત તો આ આપદા કયાંથી હોત ? કારણ કે સમજાવવાથી કામ થતું હોય તો કેઈ બળજબરી કરે નહિ.” અને તેથી તમે અમારા કુટુંબની પાયમાલી કરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust