Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રોજ ત્રણવાર સ્નાન કરતો ને ઈશુનું ભક્ષણ કરી સંધ્યા કરતો હતો. કેટલાક દિવસ જતાં રોજ ઈક્ષનું ભક્ષણ કરવાથી પિતાના દાંતથી છેલ્ફ-શેરડીને છોલવા જતાં એના અને હોઠ ફાટી જવા લાગ્યા, જેથી અચાનક કપિલના મનમાં વિચાર . “આ સૃષ્ટિને રચનાર પ્રજાપતિબ્રહ્મા બુદ્ધિ વગરને તો ખરો જ. દરેક નાના મોટા વૃક્ષોને ફળ સરજ્યાં તેમ શેરડીને ફલ બનાવ્યાં હોત તો કેવું સારું ? જે કે આપણા દેશમાં તો શેરડીને ફલ આવતાં નથી પણ અહીંયાં આ દ્વીપના મહિમાથી કદાચ ફળ આવતાં હશે ખરાં! એમ વિચારતે કપિલ ચારે કેર ભ્રમણ કરતો શેરડીનાં ફલ શેાધવા લાગ્યો. ન પૂર્વે વહાણના ભાંગવાથી ત્યાં આવી ચડેલા કેઈક વણીકની સર્યની ગરમીથી સુકાઈ ગયેલી વિષ્ટાને જોઈ તે કપીલ શેરડીના ફલની ભ્રાંતિથી ચાખવા લાગ્યો, બેસ્વાદ છતાં તે આંખ બંધ કરી પરાણે પરાણે ખાઈ ગયો, અને પછી તે સુકાઈ ગયેલી પિતાની વિષ્ટા પણ સેરડીના ફલની ભ્રમણાએ ખાઈ જવા લાગ્યો. શૌચમાં પવિત્રતા માનનાર અશુચિની ગર્તામાં ગબડી પડ્યો. એને ભાન પણ ન રહ્યું કે પોતે શું કરી રહ્યો હતો. બ્રહ્માની ભૂલે શેધનારાને લાગ્યું કે પોતે વ્યાજબી કરી રહ્યો છે. - એક દિવસે પેલો વણીક અચાનક કપિલને ભેટી ગયો, મનુષ્યના સહવાસથી દૂર રહેલાને ઘણા દિવસે આ દ્વીપમાં મનુષ્યને જોવાથી સ્નેહ થયો. અરે ભાઈ ! તમે શરીરનો નિભાવ શી રીતે કરે છે? કપિલે પૂછયું “સુખી તો છે ને ? મઝા છે ને ? * “શેરડીનું ભક્ષણ કરીને પેલા વણી કે ઉત્તર આપ્યો. “શેરડીનાં ફલ તમે ખાતા નથી? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust