Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 102 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ચારે રમણીઓને પિતાના અંત:પુરમાં લાવી શકાય નહિ.' રાજા પ્રજાને પાલક કહેવાઈ એજ પ્રજાનો ભક્ષક શી રીતે થઈ શકે ? કોઈ પણ કારણ વગર, વગર ગુહાએ નિર્દોષને શી રીતે દંડી શકે ? લેકોને જણાવવા પૂરતો પણ વિનયંધરને ગુન્હેગાર તો બનાવ જોઈએ. સત્તા, અિધુર્ય અને કામથી અંધ થયેલા રાજાઓની બુદ્ધિ જ્યારે વિકૃત થઈ જાય છે ત્યારે જ ન્યાય અન્યાય, પાપ પુણ્યને કે ભાવીને કંઇ પણ વિચાર કર્યા વગર પાપાંધકારમાં ડબી જઈ તે બધા જીવનક્રમને ફેરવી નાખે છે ને ઈતિહાસના ક્રમને ઊંધો વાળી નાખે છે. કારણ કે ભાવી જ એમનું અંધકારથી ભરેલું હોય ત્યાં બીજું થાય પણ શું? રાજાના કહેવાથી પુરોહિતે વિનયંધર સાથે કપટ મૈત્રી કરી, વિનયંધર સાથે ખાન, પાન, વાર્તાલાપના પ્રસંગ પાડીને સ્નેહની ગાંઠ મજબૂત બનાવી, એક દિવસે નિર્દોષ. વિનયંધર પાસે પુરહિતે ભેજપત્ર ઉપર કંઈક લખાવ્યું પણ નિર્માલ્ય ગણીને વિનયંધરે ફગાવી દીધું. એ નિર્મા-- લ્યગણાતા ભાજપત્રને આસ્તેથી વિનયંધરથી ગુપ્ત રીતે પુરોહિતે પોતાના ખીસ્સામાં ઠેરવી દીધું ને રાજાની પાસે આવીને તેમના હાથમાં ધરી દીધું. રાજસભામાં બેઠેલા રાજાએ વિદ્વાનોની સામે એ. ભેજપત્ર ધરી એમાંના લખાણને વાંચી સંભળાવવાની. આજ્ઞા કરી. પંડિતાએ વાંચી વિચારી રાજાને કહ્યું, મહારાજ ! આ વિનયંધરનું લખાણ છે, આ આપને ક્યાંથી. મહ્યું ? મારા અંત:પુરમાંથી આ કાગળ પકડાયો છે. શું વિનયંધરનામાં પણ કામરૂપી પિશાચ ભરાય છે? મને. કહો તો ખરા એમાં શું લખ્યું છે તે ?" રાજાએ કહ્યું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust