Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - હે રાજન ! તમે તો શરીર છે માટે સારા કાર્યમાં ઢીલ ન કરવી. ગુરૂમહારાજે અનુમતિ આપી. પૂર્ણકલશ રાજાએ દીક્ષા મહોત્સવ કરેલ છે એવા શંખરાજ અને કલાવતીએ ગુરૂમહારાજની પાસે શુભમુહૂર્ત - દીક્ષા ગ્રહણ કરી. ગુરૂમહારાજ સાથે ત્યાંથી વિહાર કરી ગયો. ગ્રહણ અને આસેવન શિક્ષાથી શિક્ષિત રાજર્ષિએ સારી રીતે મૃતનો અભ્યાસ કર્યો ને શાસ્ત્રના પારગામી થયા, ક્રોધનો ત્યાગ કરી ક્ષમા ગુણને ધારણ કરતા પરિપહને સહન કરવા લાગ્યા. ઉપસર્ગને સમયે પણ ઉદ્વેગને નહિ પામતાં પોતાના સાધુપણામાં અપ્રમત્તપણે રહેવા લાગ્યા. પરભવની સંયમ વિરાધનાને યાદ કરતા તે આ ભવમાં સાવધાનપૂર્વક ચારિત્રની આરાધના કરવા લાગ્યા. જીવદયાની રક્ષા માટે ગમનાગમન પણ યત્ના પૂર્વક કરતા હતા. યત્ના પૂર્વક બેલતા હતા, યતના પૂર્વક બેસતા હતા. આહાર વિહાર પણ યતના પૂર્વક કરતા હતા. સાધુપણામાં સર્વ કંઇ તેઓ યતનાપૂર્વક કરતા હતા. એવી રીતે રૂડીપેરે સાધુપણાની સમાચારીનું આરાધન કરતાં શંખરાજર્ષિનો કેટલોક કાલ ચાલ્યો ગયો. દીર્ઘકાલ પર્યંત ચારિત્રની આરાધના કરીને અંત સમયે શંખરાજર્ષિએ દ્રવ્ય અને ભાવ સંલેખના પૂર્વક અનશન અંગીકાર કર્યું. પિતાના પાપકર્મોની નિંદા કરતા ને શુભકરણીને અનુમેહતા ખરાજર્ષિએ પંચપરમેષ્ટિના ધ્યાનમાં કાળ કરીને પહેલા સૌધર્મ દેવલોકમાં પદ્મ વિમા નને વિષે પાંચ પાપમના આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થયા. કલાવતી સાધ્વી પણ સંયમનું નિરતિચાર૫ણે આરાધન કરી અંતે અનશન અંગીકાર કરી કોલ કરીને સૌધર્મ દેવલેકને વિષે પદ્મ વિમાનમાં ઉત્પન્ન થયેલા એજ શંખ મને કાળ કરતા શાકની ના પૂર્વક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust