Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ - ૭ર - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તેજ અશુચિ કાયાવાળા સમજવો. માટે એ પ્રમાણે શુચિ . અશુચિને સમજ, હવે ચાલ આપણે દેશમાં જઈએ ત્યાં જ્ઞાનીને સમાગમ પ્રાપ્ત કરી હે કપિલ ! તું તારા પાપનું - પ્રાર્યાશ્ચત કરીને શુદ્ધ થા ? : પ્રાયશ્ચિત લેવાની ઇચ્છાવાળે કપિલ વણીકની સાથે - યથાસમયે વહાણનો સંગ પ્રાપ્ત થતાં સ્વદેશમાં આવ્યો, બન્ને પોતપોતાના કુટુંબીજનોને મલ્યા. કપિલ પણ એ મિથ્યાદાગ્રહનો ત્યાગ કરી પંડિતોએ આપેલું પ્રાયશ્ચિત આચરીને શુદ્ધ થયો ને સર્વ દર્શન સામાન્ય ધર્મને યથાશક્તિએ આચરવા લાગ્યો.' - અમિતતેજ ગુરૂરાજ કપિલનું આખ્યાન સંભળાવતા રાજાને સમજાવવા લાગ્યા કે “હે રાજન! જેવી રીતે આ કપિલ બ્રાહ્મણ જરા પણ અશુચિના સ્પર્શ માત્રથી ભય પામનારે છતાં અશુચિનું ભક્ષણ કરવા લાગી ગયો તેમ તું પણ દુ:ખના ભયથી જે અપમૃત્યુ અંગીકાર કરીશઆત્મઘાત કરીશ તો મોટા દુ:ખના ભારને પામીશ. જરા તે વિચાર કર, દુ:ખ શા કારણે આવે છે ? પૂર્વે મહાન પાપ કરેલું હોય એ પાપથીજ દુ:ખ આવે છે, પ્રાણીવધ આદિ મહાન અકાર્યથી મહાન પાપ ઉપાજિત થાય છે. એ પરપ્રાણીવધ કરતાંય આત્મઘાતને અધિક પાપનું કારણ કહેલું છે. માટે મૃત્યુને વિચાર છેડીને દુ:ખનો નાશ કરનાર ધર્મનું તું આરાધન કર . . " ગુરૂના ઉપદેશથી રાજાના હૃદયમાં કંઇક શાંતિ થઈ અને પૂછ્યું કે “ભગવાન ! એ ત્યાગ કરેલી અને કપાયેલા હાથવાળી મારી પત્ની અત્યારે ક્યાં હશે? એ મને હવે મલશે કે! અને મલશે તો કયારે ? . “રાજન ! ધીરજ ધર, એક દિવસ પછી તે સંપૂર્ણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust