________________
નથી તો આ સંસારથી છૂટાય. જ્ઞાની પુરુષના એક-એક અભિપ્રાય જો સમજમાં લેવામાં આવે તો જ છૂટકો છે ! જ્ઞાની પુરુષના શબ્દો પ્રમાણે ચાલ્યો તો કામ થઈ જાય !
ઘરમાં ગેસ્ટ તરીકે રહો. ગેસ્ટે રાગ-દ્વેષ કરવાના હોય ? ગેસ્ટ તો ઘરના લોકો કહે કે અહીં સૂવાનું, તો તેમ. આ જમવાનું, તો તેવું. ગેસ્ટના કાયદા પાળવાના. જેને ત્યાં ગેસ્ટ તરીકે રહ્યા હોય એમને હેરાન નહીં કરવાના, આમેય કુદરતના ગેસ્ટ જ છીએ ને ! ગેસ્ટ કઢી હલાવવા ના જાય. ગેસ્ટ તો રૂમમાં બેસી રહે. માટે ગેસ્ટ જેવું વર્તન રાખો.
[9] દાદાનું એડજસ્ટમેન્ટ - કઢીમાં પાણી. દાદાશ્રી જમતી વખતે ખાવા-પીવાની બાબતમાં કેવી રીતે એડજસ્ટમેન્ટ લેતા, તેમની કેવી સમજણ હતી, શા માટે એડજસ્ટમેન્ટ લેવાનું, કેવી જાગૃતિ રહેલી તે બહુ સમજવા જેવું છે.
હીરાબાથી કોઈ ફેરો રસોઈ બરોબર ના બને તો કોઈ દહાડો ભૂલ કાઢતા નહીં. એક ફેરો કઢી ખારી થઈ હતી. આમ તો કોઈ દહાડો ના થાય ને તે દહાડો કઢી ખારી થઈ ગયેલી. દાદાશ્રી ના બનાવનારને વગોવે, કે ના કઢીને વગોવે. કઢી કે જેની જોડે રોજની ઓળખાણ તેને કેમ વગોવાય ? પણ પછી કંઈક ઉપાય ખોળી કાઢે. તે દહાડે પછી ધીમે રહીને કઢીમાં પાણી રેડી દીધું થોડું. એ હીરાબાએ જોઈ લીધું તે કહેવા માંડ્યા કે આ કઢીમાં પાણી કેમ રેડ્યું ? ત્યાં દાદાશ્રીનું એડજસ્ટમેન્ટ એવું હતું કે કઢી સ્ટવ ઉપર હોય તો પાણી રેડાય, તો અમે અહીંયા રેડ્યું. અમારે તો મનનું સમાધાન જ છે ! ચૂલા ઉપર રેડે તો પાકી ને આ કાચી ! મનની માન્યતા જ છે ને ! પાંચ તત્ત્વોની બનેલી ચીજો, આમાં કશું બગડવા જેવું હોય નહીં. આ તો ખાવા સાથે કામ છે. મહીં પાણી રેડીને ખાવા લાયક બનાવીને ખાઈ લે પોતે !
મહીં મોઢામાં પેસવું જોઈએ. એટલે અમે જીભને અનુકૂળ આવે તેમ કરી નાખીએ. શોખ માટે નથી ખાતા, પૂરણ માટે ખાઈએ છીએ. જેનાથી ભૂખ મટે.
28