________________
જલદી લાવો. પેલાય કહે છે, “હા, હમણે લાવું છું. પણ સંજોગ ત્યાં બદલાયેલા, બહાર આમને ખબર નહીં.
પછી પેલા ભાઈ જવાની ઉતાવળ કરે. તેથી દાદાશ્રીએ રસોડામાં તપાસ કરી કે શું થયું ? ત્યારે ખબર પડી કે સ્ટવ પાડોશી લઈ ગયા છે. સગડી ઉપર દાળ થાય છે. ચાનું ઠેકાણું પડ્યું નથી. પછી દાદાશ્રી પોતે સમજી ગયા કે આ સંજોગ બધા બદલાઈ ગયા છે, મેં જ આ ડખો કર્યો છે.
પછી તો પોતે બહાર આવીને પેલા ભત્રીજા જમાઈને શું કહ્યું કે ‘તમને આ મોડું થઈ ગયું, એમાં કારણ એટલું જ છે કે હવે ઘરમાં મારું ચલણ રહ્યું નથી.” હવે આ શાથી કહ્યું કે એ ભત્રીજા જમાઈ, આમ સાધનવાળા, તોય શું કરે, પતિ-પત્ની બે જણ જમનારા હોય ને એમની પત્ની શાક લાવી હોય તો આ ભઈ ડખો કર્યા કરે, બાર આને રતલના ભીંડા લેવાય જ કેમ કરીને ? આવી પ્રકૃતિ તે એમને પાંસરા કરવા દાદાશ્રીએ સંભળાવ્યું કે “ઘરમાં અમારું ચલણ રહ્યું નથી.' હીરાબા સાંભળી ગયા, તે કહેવા માંડ્યા કે “આ શું બોલો છો ? મારી આબરૂ બગાડો છો ? આવું બોલો છો ?' તે પેલા ભત્રીજા જમાઈ બોલવા માંડ્યા કે “આવા દેવી જેવાને તમે આવું બોલો છો ?” ત્યારે દાદાશ્રીએ પેલા ભાઈને કહ્યું કે “આ આમની આબરૂ નથી લેતો, પણ મારું ચલણ નથી હવે.” પછી પાછળથી હીરાબાને કહ્યું કે “તમારો દોષ નથી, આમને સમજાવવા બોલ્યો હતો.” પેલા ભાઈ સમજી ગયા કે આવું ભગવાન સિવાય કોઈ બોલે નહીં. ત્યારે દાદાશ્રીએ કહ્યું, “બોલતા શીખો, ચલણવાળા આવ્યા ! તમે ઘરે જઈને બોલજો કે મારું ચલણ નથી.” આ તો ના ચલણી નાણું તેને લોકો ભગવાન પાસે મૂકે. તમારે ચલણી થવું છે કે ના ચલણી ? ત્યારે પેલા ભાઈ કહે છે, “મારાથી આવું ના બોલાય !” પણ પછી પેલાને પૂજ્યભાવ બેસી ગયો.
દાદાશ્રી કહે છે, અમે ઘરમાં રહીએ છીએ પણ હીરાબાના ગેસ્ટ ને ચલણેય અમારું નથી ઘરમાં. ઘરમાં મહેમાન આવે તો હીરાબા જમાડે, એમાં અમારે શું લેવાદેવા ? એ લાડુ ખવડાવે કે શીરો કે રોટલા. પોતાને કશું ભાંજગડ રહી નહીં. આવું સમજાય કે પોતાનું ચલણ રાખવા જેવું
27