________________
વ્યક્તિ શું કહે છે, કેવા આશયથી કહે છે, શું હેતુથી કહે છે, એ પોતે તરત સમજી લેતા અને એડજસ્ટ થઈ જતા. આ લોક તો કેવા કે ભીંત જોડે અથડાય ને કહે, ભીંત મને વાગી ! આ ઊંધી દૃષ્ટિ છે, તેના દુઃખ છે દુનિયામાં !
દાદાશ્રી કહે છે, અને બુદ્ધિના ડિવિઝનથી બધો મતભેદ બંધ કરી દીધેલો. છતાં હીરાબાની ઓળખાણ અમને સાઠ વર્ષે પડી. પિસ્તાળીસ વર્ષ નિરીક્ષણ કર કર કર્યું, ત્યારે એમને ઓળખ્યા કે આવા છે ! પ્રકૃતિ કેવી છે જોવાનો અભ્યાસ કરવા માંડ્યા. પ્રકૃતિ ઓળખાય ક્યારે કે એક તો સરખાપણાનો દાવ આપીએ ત્યારે. એ સવળું-અવળું બોલે તોય સરખા છીએ, બરોબરીનો દાવ આપીએ, દબાણ ના લાવીએ. સામાની પ્રકતિ ઓળખી લેવાની કે આવી પ્રકૃતિ છે. પછી એડજસ્ટમેન્ટ લેવાના. સામા જોડે કામ લેવાની નવી રીતો શોધી કાઢવાની પણ મતભેદ નહીં પડવા દેવાનો.
[૪] ઘી પીરસવામાં.. લગ્નના થોડા વર્ષોમાં અથડામણ થઈ હતી, તે કેવા પ્રકારે તેની વિગત અહીં મળે છે. ઘરે મહેમાનો આવેલા ને જમવામાં ચૂરમું બનાવેલું. પાંચ-સાત મિત્રો સાથે જમવા બેઠેલા. હીરાબા પીરસવા આવ્યા. તે ઘી આમ ધીમે ધીમે રેડે. દાદાશ્રીની પ્રકૃતિમાં એમ કે ઘી સારી રીતે રેડો ને ! અને હીરાબાની પ્રકૃતિમાં કે એમને જરૂર હશે એટલું રેડી આપીશ. પણ પેલી ક્ષત્રિય પ્રકૃતિ તે દાદાશ્રીનો મિજાજ ખસી જતો કે આ શું, આવી રીતે ઘી પીરસાતું હશે ? થોડી થોડી ડિગ્રીએ ઘી રેડવાનું નહીં, આમ સીધું નાઈન્ટી ડિગ્રીએ ઘી રેડી દેવાનું. આવું ઓછું ઘી મૂકતા દેખીને દાદાશ્રીને અકળામણ થાય કે આ મારું ખોટું દેખાશે ! ભાઈબંધ આગળ પોતાની આબરૂ જતી રહેશે, એવું લાગે ! પોતાને એ ફાવે નહીં. બાકી ખાનારા ટેવાયેલા હતા કે હીરાબા જરૂરિયાત પ્રમાણે ઘી મૂકશે અને હીરાબા જરૂરિયાત પ્રમાણે ઘી મૂકતાય ખરા પણ પોતાને રીસ ચઢી. પછી રીસમાં જ હીરાબા આમ ઘી રેડતા હતા તે દાદાશ્રીએ ઘીનું પાટિયું આમ ઊંચું કર્યું કે આમ ધાર પાડો. તે પછી હીરાબાને ખોટું લાગી ગયું. બધા મહેમાન ગયા પછી હીરાબાને વઢ્યા કે આવું ના ચાલે. ઘીનું પાટિયું
25