________________
હોવું ઘટે ને શું નહીં? જેથી કરીને આ મતભેદ ના થાય. ઘરના માણસોને લડે એ બાયલો કહેવાય. ઘરના માણસો આશ્રિત છે, ખીલે બાંધેલા છે, એને લડે એનો અર્થ જ શું ? હીરાબાને લગ્ન પછી લડેલા, તે પચ્ચીસઅઠ્યાવીસ વર્ષની ઉંમરે સમજણ આવી ત્યારે અરેરાટી છૂટી ગઈ. તેના પ્રતિક્રમણો કરેલા પોતાની ગરજે, કારણ કે પોતે મોક્ષે જવું છે !
વાત સાંભળી કે “નબળો ધણી બાયડી ઉપર શૂરો.” તે પોતાને થયું કે હું નબળો ! મેં આમની ઉપર આવી શૂરવીરતા કરી ! પોતાની જાતને તપાસી જોવાની કે પોતે નબળો છે કે નહીં ? પછી અમારે મતભેદ પડ્યા નથી. અમે કોઈને કચડેલું જ નહીં, એ સિદ્ધાંતને માનતા આવેલા ઘણા કાળથી. પોતાની સત્તામાં આવ્યો, હાથ નીચે આવ્યો તેનું રક્ષણ કરવું.
પુરુષે મોટું મન રાખવું પડે. સ્ત્રીઓને મોટું મન ક્યારે થાય? કે આપણે બહુ મોટું મન કરીએ ત્યારે એય પછી મોટું મન કરે. તે વળી આપણા કરતા વધારે વિશાળ કરે ! જો આપણે મન સંચિત કરીએ તો એ તાળા જ વાસી દે. એમને દેવી તરીકે જોશો તો આપણે દેવ થઈશું.
એક બેને દાદાશ્રીને પૂછેલું કે પુરુષ પ્રભુત્વવાળો સમાજનો અંત ક્યારે આવશે ? દાદાશ્રીએ કહ્યું કે કાં તો બહેનો તમે ડહાપણવાળી થાવ અથવા કાં તો ભાઈઓ ડહાપણવાળા થાય. બેમાંથી એક ડહાપણવાળો થાય તો અંત આવે. હીરાબા ડહાપણવાળા જ હતા, જેમ તેમ ટૈડકાવીને અમે એમને બગાડેલા. કારણ કડકાઈ ખરી ને ! પાછું હું એમને, એ પોતે કર્તા છે એવું જાણું ને હું પોતાની જાતને સંપૂર્ણ કર્તા માનું એટલે મને એમની ભૂલ જ દેખાય. એ તો પછી જ્ઞાનના આધારે સમજાયું કે આ તો પોલું છે !
પચ્ચીસ-ત્રીસ વર્ષ સુધી ભૂલ થયેલી, તે પછી અમારે બેને મતભેદ થયા નથી. એમને એમ ના લાગે કે આમણે મને દુઃખ આપ્યું. અમનેય એમ ના લાગે કે એમણે દુઃખ દીધું છે ! આપણે મનુષ્યમાં છીએ તો સુધારી શકાય તેવું છે ! મેં ત્રીસ-બત્રીસ વર્ષીય સુધાર્યું ને ! જેની જોડે એક ઘરમાં રહેવાનું તેની જોડે ઝઘડા કરાતા હશે ? શું
23