________________
કે તમે આમ વાપરો છો, તમે વધારે પડતું આમ કરો છો. તમને આ ફાવતું નથી, તમે એટિકેટમાં રહેતા નથી. તેઓશ્રી કહેતા કે સિનેમા જોઈને એટિકેટવાળું થઈ ગયેલું અમારે, તેથી એમની એટિકેટ ખોળું. પણ પછી પોતાની ભૂલ સમજાઈ. અણસમજણ કાઢી નાખી, એટલે પછી બધી ભાંજગડ મટી ગઈ. પચ્ચીસમે વર્ષે ડખોડખલ વધારે હતી, તે ધીમે ધીમે ઓછી થતા થતા તેત્રીસમે વર્ષે ખલાસ થઈ ગઈ.
ડખોડખલનું કારણ પોતાની અણસમજણ, પોતે બૈરીના ધણી થઈ બેઠેલા. પછી ભૂલ સમજાઈ કે પોતે ધણી નથી, આ તો પાર્ટનર છીએ. પછી રસોડાનું કામ, ઘરનું કામ એમણે સંભાળવાનું, બહારનું કમાવવાનું કામ મારે સંભાળવાનું. મારા કામમાં તમારે ડખલ નહીં કરવાની અને તમારામાં મારે ડખલ નહીં કરવાની. એમ પોતપોતાના ડિવિઝનની વહેંચણી કરી નાખેલી પછી મતભેદ વગરનું જીવન થઈ ગયું.
લોકો તો સત્સંગમાં કંઈ વાતો નીકળે તેના કનેક્શનમાં દાદાશ્રીને પૂછી કાઢે, તમે તમારી વાઈફ રિસાયેલી હોય તો મનાવી શકો ? ત્યારે દાદાશ્રી કહે છે કે અમારે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી મતભેદ જ નથી. બાકી ગમે તેવી પરિસ્થિતિ હોય તો અમે રિસાયેલાને મનાવી શકીએ.
બીજા લોકો ધણીપણું બજાવે ને તમે બજાવો એમાં ફેર ? ત્યારે દાદાશ્રી કહે છે, ધણીપણું બજાવવું એટલે ગાંડપણ. પછી અંધારામાં કેટલા ભેદ હોય ? છતાં કહે છે કે અમે ધણીપણું બંધ કર્યા પછી ફરી મતભેદ પડવા દીધો નથી. પડ્યો હોય તો વાળી લેતા આવડે અમને. કારણ કે અમારી દાનત ખોરી નથી, વાળી લેવામાં કદી સંસારી ચીજ આપણે એમની પાસેથી પડાવી લેવી હોય તો ખોટું. આપણે તો એમનું મન સ્વચ્છ કરવા માટે વાળી લઈએ છીએ.
પરણ્યાના શરૂઆતના વર્ષોમાં બહુ રોફ મારેલા. તેથી હીરાબાને બહુ સહન કરવું પડેલું. તે દહાડે કડકાઈ બહુ તેથી હીરાબા કહેતા કે દાદા તો તીખા ભમરા જેવા છે. પછી સમજણ આવી તે પછી એ ભૂલો ફરી થવા દીધી નથી.
અણસમજણથી હીરાબાને લઢેલા ખરા. નાની નાની બાબતમાં, કઢી ખારી થઈ હોય તો ભાંજગડ થાય. ક્યારેક સાણસી લઈને ફેંકેલી
21