________________
છોકરાં હોય તો રમાડે, હાથમાં ઝાલે પણ મહીં મમતા નહીં. મારા છોકરાં એવું રાખેલું નહીં, છોકરાં હીરાબાના. આ તો કોણ આવ્યા, કોણ ગયા ? ફરી પાછા ક્યાં મળશે ? ભેગા થયાય હોય, આમ બીજા રૂપે આવે. પોતે કેટલાયના છોકરા થયા હોય, અને પોતાને આવા કેટલાય છોકરા થયા હશે ! બાકી કંઈ લેવાય નહીં ને દેવાય નહીં. જાગૃતિમાં એવું દેખાય કે મને ટાઢ વાય તો એ ઓઢે તો મારે ચાલે ? ના, મારે ઓઢવું પડે. તો પછી એ મારે શું કામનો ? પછી મમતા જ ના રહે ને ! આવું બધું જ્ઞાન એમને પ્રગટ રહ્યા જ કરે ! પહેલેથી વર્તન જ્ઞાની જેવું જ હતું મોહ જ નહીં કોઈ જાતનો !
જગતના લોકોના મોહ-મમતા એમને દેખાય. છોકરો મરી ગયો ત્યારે રડે. જો તું રડીને બંધ ના થવાનો હોય તો રડ્યા કર. પણ આ તો પાછો હસે થોડીવાર પછી ! સંસારના લોકોનો રાગ દેખાયા કરે એમને !
હીરાબા રૂપાળા હતા, તેથી બાળકો જન્મ્યા તે પણ રૂપાળા હતા. છોકરા-છોકરીને ઊંચકવાનું મન થાય પણ મહીં મોહ નહીં બિલકુલેય ! મોહ તો હીરાબા ઉપરેય નહીં ! ફક્ત મધરના સુંદર ગુણોને લઈને મધર પ્રત્યે જરા મોહ ઉત્પન્ન થયો હતો !
જો છોકરો પોતાનો હોય તો એને કલાક ટૈડકાવો, તો પોતાનો થશે કે નહીં એ ખબર પડી જશે.
બુદ્ધિના આશયમાં જેવું લાવેલા તેવું જ છોકરા માટે થયું. આ વળી જંજાળ શી તે ? છોકરામાંય સુખ માનેલું નહીં.
હીરાબાને છોકરો-છોકરી મૃત્યુ પામ્યા ત્યારે દુઃખ રહેલું. દાદાશ્રી સમજી ગયેલા કે આ નાનપણમાં જાય છે તે હિત થાય છે. મોટા થયા પછી તો હિસાબ હોય તે ચૂકવવા પડશે. કારણ કે કળિયુગમાં ઘરના માણસો પૂર્વના વેરથી ભેગા થશે. હીરાબાને પૂછેલું કે “એ મોટો થઈને દારૂ પીને આવશે, એ તમને ગમશે ?” ત્યારે કહે, “એ તો ના ગમે.” પછી હીરાબા અનુભવથી સમજી ગયેલા કે બધાના છોકરાં બહુ દુ:ખ
જ્ઞાન થતા પહેલા હીરાબા કહેતા કે છોકરો છે નહીં, પૈડપણમાં
19