________________
વગર શી રીતે આવે ? મોટામાં મોટો પુણ્યશાળી એ કહેવાય કે જેને ઘેર છોકરાં ના હોય. કારણ કે ગયા ભવમાં ચોપડા ચોખ્ખા કરીને આવેલા હોય !
આ બાબા-બેબી ફેમિલીમાં જન્મે છે, તે પોતપોતાનું વાપરવાનું લઈને જ આવે છે. મા-બાપે તો ખાલી વહીવટ જ કરવાનો હોય છે. આ તો બાપા બોલે કે મેં આમ તમને ભણાવ્યા, આમ પરણાવ્યા, આમ ખર્ચા કર્યા, તે બધું ઈગોઈઝમ જ છે !
દાદાશ્રી કહેતા કે છોકરો આવે ને જાય. અમને હતા કે ગયા, મારે મન બન્ને સરખું જ હતું. જગતની વાસ્તવિકતા જાણતા નથી, તેથી હું બાપ છું, મારો છોકરો છે એવું લઈ બેઠા છે. ગીતામાંય ખુદ કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું જ છે ને કે “હે અર્જુન ! હું ને તું બને કેટલાય અવતારથી છીએ જ.” આ તો ઘણા અવતારથી ડેવલપ થતો થતો આવે ત્યારે આવું સરવૈયું સમજાય કે આ ઋણાનુબંધના હિસાબ છે બધા ! તો પછી મોહ ના થાય.
દાદાશ્રીનો હિસાબ હતો તે એક બાબો ને એક બેબી બે જ આવ્યા. હિસાબ ના હોય તો કોણ આવે ? એ પોતાના હિસાબ લઈ લે પછી કેસ પૂરો થઈ જાય. હિસાબ છે તેથી આવ્યા. તેથી લોક ઊંચકીને બાબાને રમાડે. કાં તો રાગ હોય તો છોકરો થઈને આવે ને કાં તો ષ હોય તો વેર વાળવા માટે આવે. ચોપડામાં કશું લેવાદેવા ના હોય તો આવે જ નહીં આપણે ત્યાં.
એટલે વીસ વર્ષની ઉંમરે દાદાશ્રીને એવું લાગતું હતું કે આ મહેમાન આવ્યા છે તે જાય છે, તો એનું દુઃખ શું કરવાનું હવે ? ને જો એ ના જવાના હોય તો આપણે સારી રીતે રાખીએ અને જવું હોય તો છટ ! આટલી નાની ઉંમરે મમતા નહોતી, માત્ર અહંકાર હતો ! કેટલાય ભવથી સિલક ભેગી કરતા કરતા આવેલા ! વાસ્તવિકતા શું છે એ જ્ઞાન પહેલેથી જ હતું.
પોતાના છોકરાં છે કે નહીં, તે કેટલીય રીતે જ્ઞાનની દૃષ્ટિએ સમજીને મુક્ત રહ્યા પોતે.
18