Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
નાના
३७०
* सर्वज्ञस्याऽसर्वज्ञतापत्तिः
ગ્નિ, સર્વજ્ઞોઽસર્વજ્ઞ: સ્થાત્ ||૧૪||
ગ્નિ, સિદ્ધોઽસિદ્ધઃ સ્વાત્ ||૧||
४/१
अपि च, येन प्रमाणेन सर्वस्य अनेकान्तरूपता साध्यते तस्य कुतोऽनेकान्तरूपतासिद्धि: ? यदि स्वतः, तर्हि सर्वस्यापि तथा भविष्यति, किं प्रमाणकल्पनया ? अथ परतस्तदाऽनवस्था । । १६ ।।
प
किञ्च, स्याद्वादस्वीकारे सर्वज्ञोऽप्यसर्वज्ञः स्यात्, असर्वज्ञश्च सर्वज्ञः । ततश्चाऽसर्वज्ञे सर्वज्ञव्यवहारस्य सर्वज्ञे चाऽसर्वज्ञव्यवहारस्याऽविगानेन प्रामाणिकता प्रसज्येत । । १४ । ।
किञ्च, एवं सिद्धोऽप्यसिद्धः स्यात् । तथा च सिद्धेऽप्यसिद्धव्यवहारप्रामाण्यापत्तिः ।। १५ ।। अपि च, अनेकान्तमते प्रमेयवत् प्रमाणस्याऽपि अनेकान्तात्मकत्वाद् येन प्रमाणेन सर्वस्य शे अनेकान्तरूपता साध्यते तस्य प्रमाणस्य कुतोऽनेकान्तरूपतासिद्धिः ? यदि स्वतः तर्हि सर्वस्यापि
'
પ્રસિદ્ધ છે, તેનો ઉચ્છેદ થવાની આપત્તિ અનેકાંતવાદીઓના પક્ષમાં દુર્વાર બનશે.
- સ્યાદ્વાદમાં સર્વજ્ઞ પણ અસર્વજ્ઞ : આક્ષેપ
(૧૪) સર્વજ્ઞ પણ અસર્વજ્ઞ :- વળી, અનેકાંતનો સ્વીકાર કરવામાં નવી એક સમસ્યા એ આવશે કે સર્વજ્ઞમાં જેમ સર્વજ્ઞત્વ નામનો ગુણધર્મ રહે છે તેમ અસર્વજ્ઞત્વ નામનો ગુણધર્મ પણ તેમાં રહેશે. તથા અસર્વજ્ઞમાં જેમ અસર્વજ્ઞત્વ નામનો ગુણધર્મ રહે છે તેમ સર્વજ્ઞત્વ નામનો ગુણધર્મ પણ રહેશે. આમ અનેકાંતમતમાં સર્વજ્ઞ પણ અસર્વજ્ઞ થશે અને અસર્વજ્ઞ પણ સર્વજ્ઞ થશે. તેથી અનેકાંતવાદીના મતે, સર્વજ્ઞને ઉદ્દેશીને અસર્વજ્ઞ તરીકેનો વ્યવહાર કોઈ કરે તો તેને નિઃશંકપણે સાચો માનવો પડશે. તથા અસર્વજ્ઞમાં સર્વજ્ઞત્વ નામનો ગુણધર્મ રહેવાથી, અસર્વજ્ઞને ઉદ્દેશીને સર્વજ્ઞ તરીકેનો વ્યવહાર કોઈ કરે તો તેને પણ નિઃશંકપણે સાચો માનવો પડશે.
/ જૈન મતમાં સિદ્ધ પણ અસિદ્ધ : આક્ષેપ /
(૧૫) સિદ્ધ પણ અસિદ્ધ :- વળી, વસ્તુને અનેકધર્માત્મક માનવામાં નવો દોષ એ આવશે કે કર્મમુક્ત થયેલા સિદ્ધ ભગવંતોમાં જેમ સિદ્ધત્વ નામનો ધર્મ રહે છે તેમ અસિદ્ધત્વ નામનો ગુણધર્મ
પણ રહેશે. તેથી સિદ્ધ ભગવંત પણ અસિદ્ધ (= સંસારી) થવાની આપત્તિ આવશે. તથા સિદ્ધ ભગવંતને ઉદ્દેશીને સંસારી તરીકેનો કોઈ વ્યવહાર કરે તો તેને પણ સાચો માનવાની આપત્તિ અનેકાંતવાદમાં આવશે.
* અનેકાંતમાં પ્રમાણની નિષ્ફળતા ઃ આક્ષેપ ક
(૧૬) પ્રમાણવૈયર્થા :- (પ.) વળી, અનેકાંતવાદમાં સર્વ વસ્તુઓને અનેકાંતાત્મક માનવામાં આવે છે. તેથી પ્રમેયની જેમ પ્રમાણ પણ અનેકાંતાત્મક બનશે. તેથી જે પ્રમાણ દ્વારા તમામ પ્રમેયને અનેકાંતસ્વરૂપ (= પરસ્પર વિરુદ્ધ અનંત ગુણધર્મમય) સાધવામાં આવે છે તે પ્રમાણ પણ જૈન મતે અનેકાંતસ્વરૂપ છે. પરંતુ પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ‘તે પ્રમાણ અનેકાંતસ્વરૂપ છે' તે બાબત કઈ રીતે સિદ્ધ થશે ? જો ‘પ્રમાણ અનેકાંત સ્વરૂપ છે' - તેવું સ્વતઃ સિદ્ધ થઈ શકતું હોય તો પ્રમાણની જેમ તમામ પ્રમેય પણ સ્વતઃ અનેકાંતસ્વરૂપ સિદ્ધ થઈ જશે. તેથી સર્વ પ્રમેયને અનેકાંતસ્વરૂપ સિદ્ધ