Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪/૬ ० युक्तिमद्वचनम् उपादेयम् ।
४३९ ननु किमर्थमिह पौनःपुन्येन अन्यदर्शनसंवादा दर्श्यन्ते ?
श्रुणु, सम्यग्दृष्टिग्रहणे मिथ्याश्रुतमपि सम्यक् श्रुतमेव भवतीति बोधनार्थम् । तदुक्तं विशेषावश्यकभाष्ये '“सम्मत्तपरिग्गहियं सम्मसुयं, मिच्छमियरं ति” (वि.आ.भा.८७९) इति । इत्थमेव ।
“मिच्छत्तसमयसमूहं सम्मत्तं” (वि.आ.भा.९५४) इति विशेषावश्यकभाष्यवचनम् उपपद्येत। अन्यदर्शनिनां म यथार्थवचनविद्वेषस्याऽन्याय्यत्वमिति बोधनार्थञ्च। तदुक्तं श्रीहरिभद्रसूरिभिः षोडशके “तत्राऽपि च न श द्वेषः कार्यः, विषयस्तु यत्नतो मृग्यः। तस्याऽपि न सद्वचनं सर्वं यत् प्रवचनादन्यद् ।।” (षो.१६/१३) के इत्युक्तम् । “आत्मीयः परकीयो वा कः सिद्धान्तो विपश्चिताम् ? दृष्टेष्टाऽबाधितो यस्तु युक्तः तस्य . परिग्रहः ।।” (यो.बि.५२५) इति योगबिन्दुवचनमप्यत्र स्मर्तव्यम् । तदुक्तं लोकतत्त्वनिर्णयेऽपि “पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु। युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ।।” (लो.त.नि.१/३८) इति । यथा ચોરી ન કરી હોવાથી અકૃતના ફળનું આગમન થવાથી “અકૃતાગમ' નામનો દોષ લાગુ પડે.
શંકા :- (ના) હમણાં તમે મીમાંસાશ્લોકવાર્તિકનો સંવાદ દર્શાવ્યો. પરંતુ તે તો અન્યદર્શનનો ગ્રંથ છે. પૂર્વે પણ આ ગ્રંથમાં વારંવાર અન્યદર્શનના સંવાદો સાક્ષીરૂપે ટાંકવામાં આવેલ છે. અમને એ ખ્યાલ નથી આવતો કે શા માટે વારંવાર અન્યદર્શનના સંવાદો અહીં ટાંકવામાં આવે છે ?
છે પરદર્શનની સત્ય વાત આદરણીય છે સમાધાન :- (કૃg) ભાગ્યશાળી ! સાંભળો. (૧) “સમ્યગ્દષ્ટિએ ગ્રહણ કરેલ મિથ્યા શ્રત પણ સમ્યફ શ્રુત જ થાય છે' - આવું જણાવવા માટે અહીં પરદર્શનસંબંધી સંવાદોને સાક્ષીરૂપે ટાંકેલા છે. વિશેષાવશ્યકભાષ્યમાં આ અંગે જણાવેલ છે કે “સમ્યત્વ સાથે ગ્રહણ કરેલ તમામ શ્રત સમ્યફ બને છે. તથા મિથ્યાત્વની સાથે ગ્રહણ કરેલ બધું શ્રુત મિથ્યા બને છે. તેમજ જો આવું બને તો જ ‘મિથ્યાત્વમતોનો સમૂહ = સમ્યક્ત' - આ મુજબ વિશેષાવશ્યકભાષ્યમાં જે જણાવેલ છે, તે સંગત છે થઈ શકે. મિથ્યા મતોનો સમ્યફ સમન્વય કરવા સ્વરૂપ સમ્યગ્દર્શન તો સમકિતી પાસે જ હોય ને! વા (૨) તથા અન્યદર્શનીઓના જે જે સત્ય વચનો હોય તેના ઉપર દ્વેષ કરવો તે સમકિતી માટે યોગ્ય પણ નથી – આવું શ્રોતાવર્ગને જણાવવું એ પરદર્શનસંવાદપ્રદર્શનનું બીજું પ્રયોજન છે. શ્રીહરિભદ્રસૂરિજીએ સ આ જ આશયથી ષોડશકમાં જણાવેલ છે કે “અન્યદર્શનમાં પણ દ્વેષ ન કરવો. પરંતુ તેનો તાત્પર્યાર્થ પ્રયત્નપૂર્વક શોધવો. કારણ કે વિધર્મીઓના પણ જે જે સત્યવચનો છે તે તમામ જિનાગમથી ભિન્ન નથી.' મતલબ કે પરદર્શનના સત્યવચન પ્રત્યેનો દ્વેષ જિનાગમ પ્રત્યેના દ્વેષરૂપે ફલિત થઈ જાય. માટે જ યોગબિંદુ ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ એક વાત અહીં અવશ્ય યાદ કરવા યોગ્ય છે. ત્યાં તેમણે જણાવેલ છે કે વિદ્વાનો માટે કયો સિદ્ધાન્ત પોતાનો હોય અને કયો સિદ્ધાન્ત પારકો હોય ? જે સિદ્ધાન્ત પ્રત્યક્ષથી અને શાસ્ત્રથી બાધિત ન હોય તે સિદ્ધાન્તનો સ્વીકાર કરવો યોગ્ય છે.” તેથી જ લોકતત્ત્વનિર્ણયમાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “મને મહાવીરસ્વામી ભગવાન પ્રત્યે પક્ષપાત નથી. તથા કપિલ (સાંખ્યદર્શનપ્રવર્તક) વગેરે પ્રત્યે મને દ્વેષ નથી. જેનું વચન યુક્તિસંગત 1. સર્વપરિગૃહીત સીક્યુત સ્થિતરહિતિ 2, મિથ્યાત્વસમયસમૂહ: સત્ત્વમ્