Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪/૧૨
० पर्यायार्थिकनयो भेदविज्ञानोपयोगी
४८७ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - युगपत् सर्वनयाभिप्रायप्रवर्तने स्वानुभवैकगम्यशुद्धात्मगुण प -पर्यायाणाम् अवाच्यत्वेऽपि अनुभूयमानत्वम् अव्याहतमेव । अनुभूयमानगुण-पर्यायेभ्यो निजात्मस्वरूपं .. पृथगेव इति पर्यायार्थिकनयदृष्टिसमालम्बनेन भेदविज्ञानं सुदृढं कार्यम् । इत्थमेव “न जातिर्न । मृतिस्तत्र, न भयं न पराभवः। न जातु क्लेशलेशोऽपि, यत्र सिद्धाः प्रतिष्ठिताः ।।” (न.मा.२/१) इति म नमस्कारमाहात्म्ये सिद्धसेनसूरिप्रदर्शितं सिद्धस्वरूपं सत्वरम् आविर्भवेत् ।।४/१२।।
ભેદવિજ્ઞાનને દ્રઢ કરીએ આધ્યાત્મિક ઉપનય :- સર્વ નિયોના અભિપ્રાય યુગપતું પ્રવર્તમાન હોય ત્યારે સ્વાનુભૂતિગમ્ય આત્માના નિર્મળતમ ગુણ-પર્યાયો અકથ્ય બની જતા હોવા છતાં પણ તે અનુભવનો વિષય તો બની છે જ શકે છે. “અનુભૂયમાન તે સર્વ ગુણ-પર્યાયો કરતાં પોતાનું સ્વરૂપ જુદું છે. સ્વાત્મા તેનાથી ન્યારો તથા છે' - આવી પર્યાયાર્થિકનયની દૃષ્ટિને આત્મસાત્ કરી ભેદવિજ્ઞાનને દઢ કરવા સાધકે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ રીતે પ્રયત્ન કરવાથી જ નમસ્કારમાહાભ્યમાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટ સ થાય છે. ત્યાં શ્રીસિદ્ધસેનસૂરિજીએ જણાવેલ છે કે જ્યાં સિદ્ધ ભગવંતો પ્રતિષ્ઠિત થાય છે, ત્યાં ક્યારેય જન્મ નથી, મરણ નથી, ભય નથી, પરાભવ નથી તથા ક્લેશનો લેશ પણ નથી.' (૪/૧૨)
(લખી રાખો ડાયરીમાં.....)
• સાધનામાં વિચારધારા સુખત્યાગલક્ષી હોય છે.
દા.ત. શાલિભદ્ર. ઉપાસનામાં વિચારધારા દોષત્યાગલક્ષી હોય છે.
દા.ત. પુષ્પચૂલા સાધ્વી.
• વાસનાનો અતિરેક રોગની આમંત્રણપત્રિકા છે.
ઉપાસનાનો ઉછાળો યોગની આમંત્રણપત્રિકા છે.
• બુદ્ધિ પ્રદર્શનની ચીજ બની શકે છે.
-શ્રદ્ધા માત્ર અનુભવગમ્ય છે.
• વાસનાનો આવેગ ક્ષણજીવી છે,
વાસનાનું કટુ ળ દીર્ઘજીવી છે. ઉપાસનાની ધારા-ધોધ દીર્ઘકાલીન છે,
ઉપાસનાનું મધુર ફળ સર્વકાલીન છે.