Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
५४० ० पर्यायार्थिकसम्मतभेदवृत्तिप्राधान्यविमर्श: ०
४/१४ (२) प्रत्येकं गुणानां स्वरूपं विभिन्नं भवति । न हि गुणा अन्योन्यस्वरूपेऽवतिष्ठन्ते अपि तु स्वस्वरूपे। तस्मात् स्वरूपदृष्ट्याऽपि वस्तुनः गुणेषु अभेदो नास्ति। प (३) गुणानामाधारेऽपि अभेदो नास्ति। गुणाऽऽधारभूतस्य वस्तुनः अभिन्नत्वे विभिन्नगुणाऽऽरा धारत्वमपि न सम्भवति ।
(४) सम्बन्धिभेदे सम्बन्धोऽपि भिद्यते। ततश्च नानासम्बन्धिनाम् एकत्र एकः सम्बन्धः न सम्भवति। तस्माद् गुणसम्बन्धमूला ऐक्यरूपा अभेदवृत्तिरपि न युक्ता । २ (५) प्रत्येकं गुणाः प्रतिनियतरूपेणैव गुणिनमुपकरोति। ततश्च नानागुणा नानारूपेण वस्तूपक करोति । तस्माद् नानोपकारिभ्यः एक एव उपकारः सम्पद्यते इत्यभ्युपगमः विरोधाऽऽक्रान्तः। णि (६) प्रत्येकं गुणानां देशः विभिन्नः, अन्यथा नानाद्रव्यगतानामपि गुणानां क्षेत्रैक्याऽऽपत्तेः ।
(७) संसर्गिभेदे संसर्गोऽपि भिद्यते एव, अन्यथा घट-पट-मठानामपि एकसंसर्गापत्तेः ।
(८) नानार्थवाचका विभिन्ना एव शब्दाः, अन्यथा घट-पट-मठादिविभिन्नार्थाणाम् एकशब्दवाच्यताऽऽपत्तेः शब्दान्तरवैफल्याऽऽपत्तेश्च । (૨) દરેક ગુણધર્મોનું સ્વરૂપ (= આત્મરૂપ) પરસ્પર વિભિન્ન હોય છે. કારણ કે ગુણો એકબીજાના
સ્વરૂપમાં નથી રહેતા પણ પોતપોતાના સ્વરૂપમાં જ રહે છે. માટે સ્વરૂપની દૃષ્ટિએ પણ વસ્તુના
ગુણોમાં અભેદ નથી. (૩) ગુણોના આધારમાં પણ અભેદ નથી. જો ગુણોના આધારભૂત અર્થને ભિન્ન ન માનો તો તે ભિન્ન
ભિન્ન ગુણોનો આધાર બની ના શકે. (૪) સંબંધી બદલાય એટલે સંબંધ પણ બદલાય છે. તેથી અનેક સંબંધીઓનો (= ગુણોનો) એક એ સ્થળે એક સંબંધ સંભવી શકતો નથી. માટે ગુણોનાં સંબંધમૂલક એકતાસ્વરૂપ અભેદવૃત્તિ પણ
વ્યાજબી નથી. LY (૫) દરેક ગુણો પ્રતિનિયતરૂપે જ ગુણીમાં = વસ્તુમાં ઉપકાર કરે છે. તેથી જુદા-જુદા ગુણોથી જુદા
જુદા સ્વરૂપે વસ્તુમાં ઉપકાર થાય છે. તેથી અનેક વિભિન્ન ઉપકારીઓથી થતો ઉપકાર એક
જ હોય' – તેવું માનવામાં વિરોધ આવે છે. (૬) દરેક ગુણોનો દેશ = ક્ષેત્ર અલગ-અલગ હોય છે. જો જુદા-જુદા ગુણોના ક્ષેત્રને જુદું-જુદું માનવામાં
ન આવે તો અલગ-અલગ દ્રવ્યના પણ ગુણોનું ક્ષેત્ર એક બનવાની આપત્તિ આવશે. (૭) સંસર્ગી એવા ગુણ બદલાય તો સંસર્ગ પણ બદલાઈ જ જાય. જો સંસર્ગી બદલાવા છતાં સંસર્ગ
ન બદલાય તો ઘટ-પટ-મઠ વગેરેમાં પણ એક સંસર્ગ માનવાની આપત્તિ આવશે. (૮) જુદા-જુદા અર્થના વાચક શબ્દો જુદા-જુદા જ હોય છે. જો તેવું માનવામાં ન આવે તો ઘટ
પટ-મઠ-પર્વત વગેરે વિભિન્ન અર્થોને એક જ શબ્દથી વાચ્ય માનવાની આપત્તિ આવશે. તથા બાકીના શબ્દો નિષ્ફળ થવાની આપત્તિ આવશે.