Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૨ • अवक्तव्यभङ्गमीमांसा
५७७ स्याद्वादकल्पलतोक्तदिशा अवसेयम् । ___ अयमत्राभिप्रायः - यथा सप्तभङ्ग्याः प्रथमभङ्गेन सापेक्षं सत्त्वं द्वितीयभङ्गेन च सापेक्षम् असत्त्वं बुध्यते तथैकेनैव पदेन सापेक्षे सत्त्वाऽसत्त्वे युगपद न बुध्येते, ‘सकृदुच्चरितः...' इत्यादिन्यायेन श्रोतुः एकपदात् एकपदार्थप्रतीतेः। किञ्चात्र श्रोत्रा वस्तुगते स्व-परद्रव्यादिसापेक्षे सत्त्वा- म ऽसत्त्वे प्रातिस्विकरूपेण युगपद् जिज्ञासिते । वक्त्रा श्रोतृजिज्ञासाद्यनुसारतो वस्तुस्वरूपप्रतिपादने एव श श्रोतृजिज्ञासादिशमनसम्भवाद् अवक्तव्यत्वलक्षणतृतीयभङ्गाऽऽवश्यकता, तेनैव तत्प्रतिपादनात् । ततश्च के युगपद् वृत्तिद्वयप्रवृत्त्यभ्युपगमेऽपि प्रातिस्विकरूपेण वस्तुगतसापेक्षसत्त्वाऽसत्त्वयोरवक्तव्यता त्वनाविलैवेत्यवधेयम् । ___ तदुक्तं यशोविजयवाचकैः अष्टसहस्रीतात्पर्यविवरणे अपि “एतेनैव ‘गङ्गायां मत्स्य-घोषौ' इत्यत्रेव का બોધ કરાવે છે' - આ પ્રમાણેનો નિયમ બાધક બને છે. તેથી જ વ્યાખ્યામાં ‘ર્તાર્ટ' શબ્દ દ્વારા બીજો વિકલ્પ અમે દર્શાવેલ જ છે. વળી, શક્તિની તથા લક્ષણાની પ્રવૃત્તિને યુગપત્ સ્વીકારીને સત્ત્વ-અસત્ત્વ ઉભયમાં સાધારણ = અનુગત કોઈક સ્વરૂપે સત્ત્વ-અસત્ત્વનું કોઈ એક પદ દ્વારા યુગપતું પ્રતિપાદન માન્ય કરવામાં આવે તો પણ પ્રાતિસ્વિકસ્વરૂપે અર્થાત્ સત્ત્વમાત્રવૃત્તિગુણધર્મરૂપે અને અસત્ત્વમાત્રવૃત્તિગુણધર્મરૂપે તો સત્ત્વ-અસત્ત્વના યુગપતું પ્રતિપાદનની વિવક્ષા કરવાથી અવક્તવ્યત્વ તો અબાધિત જ રહેશે. આમ ક્રમશઃ પ્રવૃત્ત પ્રથમ અને દ્વિતીય ભાંગાથી થતી પ્રતીતિની અપેક્ષાએ, સત્ત્વ-અસત્ત્વની યુગપતુ અર્પણા દ્વારા, અવક્તવ્ય_પ્રકારક પ્રતીતિને અલગ માનવી વ્યાજબી છે. તેથી સપ્તભંગીના અવક્તવ્યત્વ નામના ભાંગાને પણ અવકાશ રહે છે. આમ પ્રસ્તુત વિચાર-વિમર્શમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરે સ્યાદ્વાદકલ્પલતાના સાતમા સ્તબકમાં કરેલ દિગ્દર્શન મુજબ આગળ વધવું.
છે અવક્તવ્ય ભંગ નિરાબાધ છે (યન) પ્રસ્તુતમાં આશય એ છે કે જેમ સપ્તભંગીના પ્રથમ ભંગ અને દ્વિતીય ભંગ દ્વારા ક્રમશઃ a સાપેક્ષ સત્ત્વનો અને અસત્ત્વનો બોધ થાય છે તેમ એક જ પદથી સાપેક્ષ સત્ત્વ-અસત્ત્વનો યુગપત્ બોધ થઈ શકતો નથી. કારણ કે “એક વાર બોલાયેલ શબ્દ એક જ અર્થનો બોધ કરાવે છે' - આ સ નિયમ મુજબ શબ્દ શ્રોતાને શાબ્દબોધ કરાવે છે. વળી, પ્રસ્તુતમાં શ્રોતાને તો વસ્તુગત સ્વ-પરદ્રવ્યાદિસાપેક્ષ સત્ત્વ-અસત્ત્વ ઉભયની પ્રાતિસ્વિકસ્વરૂપે યુગપત્ જિજ્ઞાસા છે. વક્તા શ્રોતાની જિજ્ઞાસા કે પ્રશ્ન અનુસાર વસ્તુના સ્વરૂપનો બોધ કરાવે તો જ શ્રોતાની જિજ્ઞાસાનું કે પ્રશ્નનું શમન થઈ શકે. માટે જ સપ્તભંગીમાં અવક્તવ્ય ભાંગાની આવશ્યકતા રહે છે. વસ્તુગત સાપેક્ષ સત્ત્વ-અસત્ત્વની પ્રાતિસ્વિકરૂપે યુગપદ્ અવક્તવ્યતા જ ત્રીજા ભાંગા દ્વારા બતાવવામાં આવે છે. માટે યુગપત્ શક્તિ-લક્ષણાની પ્રવૃત્તિ માનવામાં આવે તો પણ પ્રાતિસ્વિકરૂપે વસ્તુગત સાપેક્ષ સત્ત્વ-અસત્ત્વની અવક્તવ્યતા તો અબાધિત જ રહે છે.
(તકુ.) આમીમાંસા ઉપર અષ્ટસહસ્ત્રી નામની વ્યાખ્યા દિગંબર વિદ્યાનંદસૂરિએ બનાવેલ છે. તેના ઉપર શ્વેતાંબરશિરોમણિ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરે “અષ્ટસહસ્રી તાત્પર્ય' નામનું વિસ્તૃત વિવરણ રચેલ છે. તેમાં પણ તેઓશ્રીએ પ્રસ્તુત બાબત અંગે શંકા-સમાધાનને બતાવતાં જણાવેલ છે