Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૪
० गङ्गापदसङ्केतद्वितयप्रदर्शनम् । ધારઈ, મુખ્ય-અમુખ્ય પ્રકારઈ = સાક્ષાત્ સંકેતઈ તથા વ્યવહિત સંકેતઇ તે અનુસાર (તાસ=) તે ગ નયની વૃત્તિ, અનઇં તે નયનો ઉપચાર કલ્પિથઈ. - જિમ ગંગાપદનો સાક્ષાત્ સંકેત પ્રવાહરૂપ અર્થનઈ વિષયઈ છઈ. તે માટઇ પ્રવાહઈ શક્તિ. રી ततश्च यो हि द्रव्यार्थिकाभिधानः पर्यायार्थिकाभिधानो वा नयो मुख्याऽमुख्यतया = साक्षात्सङ्केतव्यवहितसङ्केतभावेन भेदाऽभेदादिकम् आददद् = ऊहाख्यपरोक्षप्रमाणतो गृह्णन् दृश्यते तदनुसारेण = मुख्याऽमुख्यत्वप्रकारकग्रहणानुरोधेन तन्नयशक्ति-लक्षणे = तस्य द्रव्यार्थिकनयस्य पर्यायार्थिकनयस्य रा वा तत्तदर्थप्रत्यायनशक्ति-लक्षणे कल्प्ये = अनुमेये ।
यस्य शब्दस्य यत्र अर्थे साक्षात्सङ्केतः तस्य शब्दस्य तत्र अर्थे शक्तिः, यस्य च यत्र । व्यवहितसङ्केतः तस्य तत्र लक्षणेत्यभिप्रायः। साक्षात् सङ्केतितमर्थं प्रतिपादयन् शब्दः वाचक उच्यते । तदुक्तं मम्मटेन काव्यप्रकाशे “साक्षात् सङ्केतितं योऽर्थमभिधत्ते स वाचकः” (का.प्र.२/७) इति।। साक्षात् सङ्केतितः अर्थः वाच्य उच्यते, व्यवहितसङ्केतितश्च प्रतीयमानः । इदमेवाऽभिप्रेत्य आनन्द-णि वर्धनेन ध्वन्यालोके “वाच्य-प्रतीयमानाख्यौ तस्य भेदावुभौ स्मृतौ” (ध्व.२) इत्युक्तम् । 'तस्य = अर्थस्य'। का
__ अथ प्रकृतमुच्यते यथा गङ्गापदस्य जलप्रवाहविशेषे साक्षात्सङ्केतो वर्तते इति गङ्गापदस्य તેને તર્ક કહેવાય છે. તથા તર્ક નામના પ્રમાણનું બીજું નામ ઊહ છે.” તેથી અર્થ એવો પ્રાપ્ત થાય છે કે દ્રવ્યાર્થિક કે પર્યાયાર્થિક નય દ્રવ્યાદિમાં ભેદ-અભેદ, સત્ત્વ-અસત્ત્વ, નિત્યત્વ-અનિત્યત્વ વગેરે ગુણધર્મને મુખ્યરૂપે = સાક્ષાત્ સંકેતરૂપે કે અમુખ્યરૂપે = ગૌણરૂપે = વ્યવહિતસંકેતરૂપે “ઊહ' નામના પરોક્ષ પ્રમાણથી ગ્રહણ કરતો દેખાય છે. જે નય ભેદાભેદ વગેરેનું મુખ્યત્વ-અમુખ્યત્વપ્રકારક ગ્રહણ = જ્ઞાન કરે તે મુજબ તે દ્રવ્યાર્થિકનયની કે પર્યાયાર્થિકનયની તે તે ભેદ-અભેદ વગેરે અર્થને જણાવનારી શક્તિની કે લક્ષણાની કલ્પના કરવામાં આવે છે.
જ કાવ્યપ્રકાશકારની દ્રષ્ટિમાં શબ્દગત વાચકતા જ (વસ્થ.) મતલબ એ છે કે જે શબ્દનો જે અર્થમાં સાક્ષાત્ સંકેત હોય તે શબ્દની તે અર્થમાં શક્તિ માનવામાં આવે છે. તથા જે શબ્દનો જે અર્થમાં વ્યવહિત સંકેત હોય તે શબ્દની તે અર્થમાં લક્ષણા ઘી માનવામાં આવે છે. સાક્ષાત સંકેત જેમાં કરવામાં આવેલ હોય તે અર્થનું પ્રતિપાદન કરનાર શબ્દ વાચક કહેવાય છે. કાવ્યપ્રકાશ ગ્રંથમાં મંમટ કવિએ આ અંગે જણાવેલ છે કે “સાક્ષાત્ સંકેતિક અર્થને ન જે કહે તે શબ્દ વાચક કહેવાય છે. સાક્ષાત્ સંકેતિત અર્થ વાચ્ય કહેવાય છે. તથા વ્યવહિત સંકેતિત અર્થ પ્રતીયમાન કહેવાય છે. આ જ અભિપ્રાયથી કવિ આનંદવર્ધને ધ્વન્યાલોકમાં જણાવેલ છે કે ‘(૧) વાચ્ય અને (૨) પ્રતીયમાન - આમ અર્થના બે ભેદ કહેવાય છે.” આ પ્રાસંગિક વાત કરી.
(થ.) હવે મૂળ વાત ઉપર આવીએ. જે રીતે વિશિષ્ટજલપ્રવાહ સ્વરૂપ અર્થમાં “ગંગા” શબ્દનો સાક્ષાત્ સંકેત વર્તે છે. તેથી તેમાં “ગંગા' શબ્દની શક્તિ નામની મુખ્ય વૃત્તિ રહેલી છે - તેમ જાણવું. '... ચિતદ્વયવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.(૯) +સિ.લી.(૨+૩)+ P(૨)+કો.(૧૨+૧૩)+પા.+મો.(૨) માં છે.