Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪/ ૨
* प्रमाणेऽप्रामाण्यापादनम्
नाम विवक्षितार्थेऽविवक्षितक्रियाकारिरूपमुपलभमानो निःशङ्कं प्रवर्तेत १ । ।१२ । ।
किञ्च, सर्वस्य अनेकान्तात्मकत्वे प्रमाणमप्रमाणम्, अप्रमाणं वा प्रमाणं भवेत् । तथा च सर्वजन
सिद्धव्यवहारविलोपो भवेत् ।।१३।।
३६९
तथाहि जलेऽनलत्वसत्त्वे जलम् अनलस्वरूपं दाहकारि स्यात्, अनले च जलत्वसत्त्वेऽनलो प जलात्मकः दाहशामकः स्यात् । तथा च जलकामोऽनलमानयेद् अनलकामश्च जलम्। तथा च महद् असमञ्जसं प्रसज्येत । ततश्च जलकामो 'जलमेवाऽऽनयेदिति नियमः भज्येत । कोहि नाम विवक्षितार्थेऽविवक्षितक्रियाकारिरूपमुपलभमानो निःशङ्कं प्रवर्तेत ? ।।१२।।
किञ्च, सर्वस्य अनेकान्तात्मकत्वे प्रमाणमपि भ्रम - संशयाऽनध्यवसायवदप्रमाणम्, प्रमाणं भवेत्। तथा च सर्वजनसिद्धप्रमाणादिव्यवहारविलोपो भवेत् ।।१३। વિરુદ્ધગુણધર્મમય) માનવામાં આવે તો તેનો અર્થ એ થશે કે પાણી વગેરેમાં અગ્નિત્વ વગેરે ગુણધર્મો પણ રહી જશે. તથા અગ્નિ વગેરેમાં જલત્વ વગેરે ગુણધર્મો પણ રહી જશે. અર્થાત્ પાણી અગ્નિસ્વરૂપ બાળનાર બનશે અને અગ્નિ પાણીસ્વરૂપ બનશે, ઠારનાર બનશે. તેથી આગ લાગી હોય ત્યારે જલકામનાવાળો માણસ જેમ પાણીને લેવા માટે નીકળે તેમ અગ્નિને લેવા માટે પણ તે નીકળશે. કારણ કે પાણીની જેમ અગ્નિમાં પણ જલત્વ નામનો ગુણધર્મ અનેકાંતવાદીના મત મુજબ રહેલો હશે. તથા નિભાડો સળગાવવા માટે અગ્નિની કામના કરનાર કુંભાર અગ્નિની જેમ જલને પણ લાવવાની પ્રવૃત્તિ કરશે. કેમ કે અગ્નિની જેમ પાણીમાં પણ અગ્નિત્વ નામનો ગુણધર્મ અનેકાંતવાદીના મત મુજબ રહેલો હશે. આમ, પાણી લેવા માટે નીકળેલ વ્યક્તિ પાણીની જેમ અગ્નિને લાવવાની ચેષ્ટા કરશે.
તથા અગ્નિને લેવા માટે નીકળેલ વ્યક્તિ અગ્નિની જેમ પાણીને લાવવાની ચેષ્ટા કરશે. આવી મોટી ગરબડ અનેકાન્તવાદીના મતમાં સર્જાશે. તેથી ‘જલકામનાવાળો માણસ પાણીને જ લાવે' - તેવો પ્રસિદ્ધ નિયમ જૈનમતે રહેશે નહિ. કારણ કે ચોક્કસ પ્રકારની વસ્તુમાં જે ક્રિયા કરવા માટે પ્રવૃત્તિ કરવાની હોય તેના બદલે બીજી જ કોઈ વિલક્ષણ ક્રિયા કરવાનું સ્વરૂપ જોઈને તે વસ્તુમાં વ્યક્તિ કઈ રીતે નિઃશંકપણે પ્રવૃત્તિ કરી શકે ? જેમ કે પાણીમાં જલત્વની જેમ અગ્નિત્વ ગુણધર્મ રહેલો હોય તો પાણીમાં ઠારવાની ક્રિયાની જેમ બાળવાની ક્રિયા કરવાનું સ્વરૂપ જાણીને સળગતા મકાનને ઠારવા માટે પાણીને લેવા નીકળેલ માણસ કઈ રીતે પાણીને જ લાવવાની નિઃશંકપણે પ્રવૃત્તિ કરી શકે ? આમ સર્વ વસ્તુને અનેકધર્માત્મક માનવામાં નિયત પ્રવૃત્તિનો ઉચ્છેદ થવાની આપત્તિ જૈનમતમાં દુર્વાર બનશે. * પ્રમાણ પણ અનેકાંતમાં અપ્રમાણ : આક્ષેપ
अप्रमाणं वा र्श
Priv[ hi[ j&ly?
(૧૩) પ્રમાણ વ્યવહારનો ઉચ્છેદ :- (ગ્નિ,) વળી, સર્વ વસ્તુને અનેકાંતાત્મક માનવામાં આવે તો ભ્રમ, સંશય અને અનધ્યવસાયની જેમ પ્રત્યક્ષ આદિ પ્રમાણમાં પણ અપ્રમાણત્વ રહી જશે. તથા અપ્રમાણમાં ભ્રમ, સંશય વગેરેમાં) પણ પ્રમાણત્વ રહી જશે. આથી અનેકાંતવાદમાં પ્રમાણ પણ અપ્રમાણસ્વરૂપ બનશે. તથા અપ્રમાણ પણ પ્રમાણસ્વરૂપ બનશે. તેથી પ્રમાણનો અપ્રમાણ તરીકે અને અપ્રમાણનો પ્રમાણ તરીકે જો કોઈ માણસ વ્યવહાર કરે તો તેને પણ સાચો માનવો પડશે. તેથી ‘અવિસંવાદી પ્રવૃત્તિ કરાવનાર જ્ઞાનને જ પ્રમાણ કહેવાય' આ પ્રમાણે સર્વ લોકોમાં જે વ્યવહાર