Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪/૨ ० निर्विचिकित्सत्वोपदर्शनम् ।
३७५ = प्राप्तः आत्मा यस्य स तथा । तेन = विचिकित्सासमापन्नेनाऽऽत्मना नोपलभते समाधिं = चित्तस्वास्थ्यम् । ज्ञान-दर्शन-चारित्रात्मको वा समाधिः, तं न लभते । विचिकित्साकलुषिताऽन्तःकरणो हि कथयतोऽप्याचार्यस्य प સચસ્વાગડથાં વધે નાગવાનોતિ” (કાવી. નોવસર ઉચ્ચ.૩.તૂ.૪૨ વૃત્તિ) રૂઢિા
यच्च प्रकृतग्रन्थे 'विशिष्टश्रुतपरिशीलनं विना चारित्रिणोऽपि परवादिपर्यनुयोगाऽऽहितशङ्काव्याकुलीभवनदशायां समाधिलाभाऽयोगादि'त्युक्तं तदाचाराङ्गवृत्तिकृदुपदर्शितार्थद्वितयमध्यात् प्रथमा- म र्थलभ्यमित्यवधेयम् । ___ एवं विशिष्टश्रुतपरिशीलनम् ऋते फलशङ्काराहित्यलक्षणमपि निर्विचिकित्सत्वं न सम्भवति । प्रकृते “विचिकित्सा = मतिविभ्रमः, फलं प्रति संशय इति यावत् । निर्गता विचिकित्सा यस्माद् असौ निर्विचिकित्सः। 'साधु एवं जिनशासनम्, किन्तु प्रवृत्तस्य सतो मम अस्मात् फलं भविष्यति न वा ? पण क्रियायाः कृषिवलादिषु उभयथाऽप्युपलब्धेः' इति विकल्परहितः। न हि अविकल उपाय उपेयवस्तुप्रापको न भवतीति सञ्जातनिश्चयः = निर्विचिकित्सः” (प्र.सू.१/३७ वृ.पृ.६१) इति प्रज्ञापनासूत्रवृत्तिकृदुक्तिः अनुसन्धेया। અથવા ‘વિદ્વજુગુપ્સા' તરીકે માન્ય છે. જેનો આત્મા આવી નિંદાથી પૂરેપૂરો ઘેરાયેલો હોય તે સમાધિને પ્રાપ્ત કરી શકતો નથી. અહીં “સમાધિ' શબ્દનો અર્થ ચિત્તની સ્વસ્થતા સમજવો. અથવા સમાધિ એટલે સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્ર. આવી સમાધિને સાધુનિંદક મેળવતો નથી. આચાર્ય ભગવંત ગમે એટલું સમજાવે તો પણ જેનું અંતઃકરણ સાધુનિંદાથી કલુષિત થયેલું છે તે સમ્યક્ત્વસ્વરૂપ બોધિની પ્રાપ્તિ કરી શકતો નથી.” આચારાડસૂત્રવ્યાખ્યામાં શ્રીશીલાંકાચાર્યજીએ ઉપર મુજબ છણાવટ કરેલ છે.
(વ્ય.) “વિશિષ્ટ શ્રુતજ્ઞાનના ઊહાપોહ વિના સાધુને પણ પ્રતિવાદીએ કરેલા પ્રશ્નના લીધે જિનવચનમાં શંકા પડે તો તેવી દશામાં સમાધિ મળતી નથી' - આ પ્રમાણે ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત શ્લોકની વ્યાખ્યામાં જે જણાવેલ છે તેનું સમર્થન શ્રીશીલાંકાચાર્યવૃત આચારાંગવૃત્તિગત ઉપરોક્ત બે અર્થ (મતિવિભ્રમ અને સાધુનિંદા)માંથી પ્રથમ અર્થ દ્વારા થાય છે. આ વાત વિજ્ઞ વાચકવર્ગે ખ્યાલમાં રાખવી.
ઇ ફલશંકાનિવારણ વિશિષ્ટ બોધ વિના અશક્ય છે (વં.) આ જ રીતે વિચિત્સાનો ત્રીજો અર્થ છે ફલમાં શંકા. એક વખત સાધનાના ફળમાં શંકા પડી જાય તો તેનું નિવારણ વિશિષ્ટ પ્રકારના શ્રુતપરિશીલન વિના સંભવી ન જ શકે. તેથી ફલશંકાશૂન્યતાસ્વરૂપ નિર્વિચિકિત્સત્વને મેળવવા માટે વિશિષ્ટ શ્રુતપરિશીલન જરૂરી છે. આ અંગે પન્નવણાસૂત્રવ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિજીએ જે વાત કહી છે તેનું અહીં અનુસંધાન કરવા જેવું છે.
ત્યાં તેઓશ્રીએ જણાવેલ છે કે “વિચિકિત્સા = મતિવિભ્રમ. ફળ પ્રત્યે સંશય કરવા સ્વરૂપ મતિવિભ્રમ વિચિકિત્સા તરીકે અહીં સમજવા યોગ્ય છે. તે જેમાંથી નીકળી ગયેલ હોય તે સાધક નિર્વિચિકિત્સા કહેવાય. મતલબ કે “આમ તો જિનશાસન સારું છે. પણ સાધનામાર્ગે પ્રવૃત્ત થયેલા મને આ આચારપાલનથી ફળ મળશે કે નહિ ? કારણ કે ખેડૂત વગેરેની ક્રિયા સફળ અને નિષ્ફળ બન્ને પ્રકારની જોવા મળે છે' - આવા પ્રકારના વિકલ્પથી રહિત હોય તે નિર્વિચિકિત્સ કહેવાય. “સંપૂર્ણ સાધનસામગ્રી હાજર હોય તો કાર્યવસ્તુને તે પ્રાપ્ત ન કરાવે તેવું નથી જ બનતું' - આ પ્રમાણેનો નિશ્ચય શાસ્ત્રપરિશીલનથી