Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
४३०
* अवच्छेदकभेदादेकत्र भेदाभेदोभयसिद्धिः
४/४
| (નવિ ભિન્ન=) અભિન્ન જ જણાઈ છઇં. શ્યામ રક્ત અવસ્થાભેદઈ ઘટ એક જ છઈં તો ઇહાં વિરોધની
વાત સી કહવી? ||૪/૪||
रक्तः घटः स एवेत्येवमेककालावच्छेदेनैव रक्ते श्यामभेदघटाऽभेदोभयप्रतीतेः ।
प
न च 'श्यामाद् भिन्नो रक्तः न श्यामाद् अभिन्नः किन्तु घटाद् अभिन्न' इति प्रतीतेः नैकत्रैकदा एकस्माद् भेदाभेदोभयसिद्धिरिति शङ्कनीयम्,
‘श्यामत्वेन श्यामाद् भिन्नो रक्तो घटो घटत्वेन रूपेण श्यामाद् अभिन्न एवेति प्रत्ययाद् अधिकरण-काल-प्रतियोगिभेदविनिर्मोकेणैव एकत्र एकदा एकस्माद् अवच्छेदकभेदेन भेदाऽभेदोभयसमावेशसिद्धेः। तस्माद् एकत्र एकदा एकस्माद् भेदाभेदयोः विरोधस्य तु का कथा ? अत्र तु पक्षान्तरदर्शकः, “पक्षान्तरे तु ” (क.दु.३/३/१६- पृ.४५९) इति कल्पद्रुकोशे केशववचनात् । इत्थमेकस्मिन् णि घटादौ पुद्गलद्रव्ये एकदा गुणभेदाऽभेदसिद्धिः प्रत्यक्षप्रमाणात् कृताऽत्र ।
का यथोक्तं महोपाध्यायैः स्याद्वादकल्पलतायां “नील-घटयोरभेदः - इत्यादिप्रयोग एव भेदाऽभेदाऽभ्युपगमं
म
એક જ સમયે નહિ.' પરંતુ આવો એકાન્તગર્ભિત અભિનિવેશ ઉપરોક્ત પ્રતીતિ દ્વારા નિરસ્ત થઈ જાય છે. ‘શ્યામ ઘડાથી ભિન્ન રક્ત ઘડો તે જ ઘડો છે’ - આમ એકકાલઅવચ્છેદેન રક્ત ઘડામાં શ્યામનો ભેદ અને ઘડાનો અભેદ બન્ને જણાય છે. તેથી અહીં કાળભેદનું અનુસરણ આવશ્યક નથી.
શંકા :- (। ૬.) ‘શ્યામથી ભિન્ન રક્ત ઘડો શ્યામથી અભિન્ન નથી. પરંતુ ઘડાથી અભિન્ન છે' આવી પ્રતીતિ થાય છે. તેથી એકત્ર એક સમયે એક જ વ્યક્તિની અપેક્ષાએ ભેદ-અભેદઉભયના સમાવેશની સિદ્ધિ થઈ ન શકે. અલગ વ્યક્તિની અપેક્ષાએ તેવું માનવામાં અમારો વિરોધ નથી. અવચ્છેદકભેદથી એક જ ગુણનો દ્રવ્યમાં ભેદાભેદ
સમાધાન :- (‘શ્યામર્ત્યન.) તમારી શંકા વ્યાજબી નથી. કારણ કે એક જ વ્યક્તિમાં એક જ સમયે એક જ વ્યક્તિના ભેદ અને અભેદ બન્નેનો સમાવેશ પણ સાર્વલૌકિક અનુભવના આધારે કરી શકાય છે. તે અનુભવ આ પ્રમાણે છે. “શ્યામત્વરૂપે શ્યામથી ભિન્ન એવો લાલ ઘડો ઘટત્વરૂપે શ્યામથી અભિન્ન જ છે.” આ પ્રમાણે શિષ્ટ લોકોને થતી પ્રતીતિ દ્વારા એકત્ર, એક સમયે, એક જ વ્યક્તિની અપેક્ષાએ અવચ્છેદભેદથી ભેદ અને અભેદ ઉભયનો સમાવેશ સિદ્ધ થાય છે. આમ ભેદાભેદના સમાવેશ માટે અધિકરણભેદની કે કાળભેદની કે પ્રતિયોગીભેદની આવશ્યકતા રહેતી નથી. તેથી એકત્ર, એકદા, એક જ વ્યક્તિની અપેક્ષાએ ભેદ અને અભેદ બન્નેના સમાવેશમાં વિરોધની તો વાત શી રીતે થઈ શકે? મૂળ શ્લોકમાં રહેલ ‘તુ’ બીજો (વિરોધાભાવસાધક) પક્ષ જણાવવા માટે છે. ‘પક્ષાન્તરને ‘તુ’ શબ્દ જણાવે છે' - આવું કલ્પદ્રુકોશમાં કેશવે કહેલ છે. આ રીતે ઘટ વગેરે એક જ પુદ્ગલ દ્રવ્યમાં યુગપત્ ગુણના ભેદની અને અભેદની સિદ્ધિ પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા અહીં કરેલ છે.
→ અભેદવિષયક દ્વન્દ્વસમાસ દ્વારા ભેદાભેદ સિદ્ધિ કે
-
(યોŕ.) સ્યાદ્વાદકલ્પલતાના સાતમા સ્તંબકમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે “લોકોમાં ‘નીલ-ઘટયોરમેવ' ઈત્યાદિ પ્રયોગ થાય છે. જો ગુણ અને ગુણી વચ્ચે ભેદાભેદનો સ્વીકાર