Book Title: Surat Chaitya Paripati
Author(s): Kesharichand Hirachand Zaveri
Publisher: Jivanchand Sakerchand Zaveri
Catalog link: https://jainqq.org/explore/035280/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શેઠ, હીરાચ', ખૂબચંદ જૈન પુસ્તક સીરીઝ. : પુસ્તક બીજું. :: ચૈત્ય પરિપાટી. સુરત : સચયકાર : કેશરીચંદ હીરાચંદ ઝવેરી. પ્રકાશક : જીવણચંદ સાકેરચંદ ઝવેરી. વીરાત ૨૪૫૯ ] વિ. સ. ૧૯૮૯ [ ઇ. સ. ૧૯૩૩ મૂલ્ય. રૂા. ૧-૦-૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ શેઠ હીરાચંદ ખૂબચંદ જૈન પુસ્તક સીરીઝ. :પુષ્પો : નંબર, નામ મલ્ય સુરતની જૈન ડીરેકટરી સર ચેત્ય પરિપાટી ૨. રૂ. ૧૨-૦ રૂા. ૧-૮-૦ પ્રાપ્તસ્થાન. શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધાર ફંડ ઓફીસ, ગેપીપુરા, બડેખાને ચકલે સુરત, મુદ્દકઃ શાહ રતિલાલ કેશવલાલ મુકણસ્થલઃ શ્રી વીરસમાજનું શ્રી વીરશાસન પ્રીન્ટીંગ પ્રેસ, રતનપેળ, : અમદાવાદ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ શેઠ હીરાચંદ ખુબચંદ ઝવેરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ મકાશકનું પ્ર ક્શન શેઠ હીરાચંદ ખૂબચંદ જૈન પુસ્તક સીરીઝ” તરફથી પ્રથમ પુત્ર તરીકે “સુરતની જૈન ડીરેકટરી” બહાર પડ્યા બાદ “સુરત ચિસ્ય પરિપાટી” શિર્ષક આ બીજું પુષ્પ પ્રકાશિત કરી જનસેવામાં રજુ કરતાં આહૂલાદ થાય છે. સુરતનાં ભવ્ય જિનાલયને પૂરાતન ઇતિહાસ આ પુસ્તકમાં છે. સુરતના જિનપ્રસાદે વિષે જાણવા જેવું ઘણુંખરું આમાં છે. પ્રાચિન ચિસ, પરિપાટીઓ, શિલાલેખ તેમજ એને લગતું વિવેચન વિગેરે આમાં સંચય કરેલ હોઈ આ પુસ્તક વધુ ઉપયોગી બન્યું છે. ખંભાત અને પાટણની ચિત્ય પરિપાટીઓ પ્રકાશિત થઈ ચુકી છે. આ સુરતની છે. ઘણાં એવાં શહેર છે, કે જેની આવી અથવા તે આથીય વધુ બાબતથી ભરેલી પરિપાટીઓ તૈયાર થવી ઘટે છે. આમ કરતાં આપણે પૂર્વાચાર્યો તેમજ પૂર્વકાળના ધર્મિજનને ઈતિહાસ મેળવી શકીશું ઇચ્છું છું કે-આના સચયકાર ભાઈ કેશરીચંદ ઝવેરીને પ્રયત્ન સફળ નિવડે અને તેઓ આવી રીતે સુરતના અને અન્યત્રના સમાજની સેવામાં વધુ રસપૂર્વક ભાગ લેતા થાય. અસ્તુ ચિત્ર શુકલા પંચમી છે વિ. સં. ૧૮૯. જે વણચંદ સાકરચંદ ઝવેરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ ૪ આચાર્ય ભગવાન શ્રીમદ્ વિજયાનંદ - સૂરીશ્વરજીની સ્તુતિ. 1 (પ્રોજકઃ શાહ ભીખાભાઈ છગનલાલ.) * શાર્દૂલવિક્રીડિત-છંદ." . . ! આત્મારામ સૂરીશ ગણું સ્તવવા, સામર્થ્ય છે લેશ ના, , તોયે એ જ સૂરીશ ભક્તિ કૃપયા, ગાઉં જરા છંદમાં, મારું સાચું નહિ જ સત્ય મમ છે, એ ધ્યેયમાં ડોલતા, કીધે સત્ય સ્વીકાર “પાર અબ તો, સાધુ ભયે બોલતાં–૧. : 'x ' ' X “મન્દાક્રાન્તા-છંદ” . આત્મારામે, જગત ભરમાં ધર્મ કે વગાડે, જેના નાદે, વર અમરિકા, પ્રેમ ધમેં જગાડ; તો વાવ્યાં વીર વચનનાં, દેવી “પા” તનુજે, દીવ્યાકાશે, રવિ બ્રમણતા, આ રવિ દર્શનાર્થે-ર . “દેહરા.” મૃત્યુ લોક ભૂપાળમાં, ગળા પશ્ચિમ પૂર્વ પૂર્વ કીર્તિ ડંકા વડે, પશ્ચિમ લાભ અભૂર્વ-૩. નારી પૂછે નાથને, ગગને નિશાકર માંહ્ય છિદ્ર સદા દેખાય છે, કારણ કુણ કલ્પાય–૪. શ્રાવક કહે સુણ શ્રાવિકા આત્મારામ સુયશ; ભેદીને એ ચંદ્રને, પ્રસર્યું સ્વર્ગ દિગંત-- પ. પાતાલે પણ તાલથી, નાગ કરે ગુણગાન; સાક્ષી સાગર પૂરતે, નિરખી ચંદ્ર નિશાન.--- ૬. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ “હરિગીત છંદ 9 ત્રણ લોકમાં ગુરૂદેવના, ગુણગાન હેજે થઈ રહ્યા, પાવન થયા તે સર્વ, જે વિના શરણે ગઇ: * ગુરૂદેવ ચરણે સેવતાં, નિજ આત્મ-લબ્ધિ લાભીએ, ગુરૂદેવ કેરું નામ, “ આમારામ ” દે આરામને-૭. પંજાબી ક્ષત્રીય વિર એ, શાસન ધુરંધર શ્રી સૂરિ; તમારને પ્રતિબદ્ધતા, પરઆઈ જીવ ય સૂરિ, તપમૂર્તિ ત્યાગ વિરાગમય, શું શાંત રસ અવતાર એ ? તસ્વનિર્ણય બંધના, ગ્રંથ ર ઉપકાર એ-૮. ચારિત્ર્યના ચૂડામણિ, સમ્રાટુ શાસનના અહે! બુ પંચાવન પ્રભુ, કરૂણા તણું મૂર્તિ કહે: પરના વેરા, કુતીર્થિવાદી ગજ મદ કેશરી, વરશાસન નભ દિવાકર, વંદના હો ભૂરિ ભૂરિ– ૯. પૂજ્ય સાધુ વર્ગની, જે આજ સંખ્યા દેખીએ, ગુરૂદેવને ઉપકાર એ, ત્યાં તત્ત્વ દીક્ષા પેખીએ; જ્યાં જ્યાં ગુરૂજી વિચર્યા, ઉપદેશ દીક્ષા ત્યાગને, મહાવીર કેરા શાસને, યે વાયદે વૈરાગ્યને–૧૦. શાસનેતિ અતિ કરી, સૂરિ બાલ બ્રહ્મચારી હતા. ઉપસર્ગ પરિષહ સહન વહને, અડગમૂર્તિ એ હતા; અગણિત ગુણ ગુરુદેવના, સંક્ષિપ્ત છંદ પ્રબંધમાં, શાસનપ્રભાવક શ્રી સરિઝ, ચરણ ભિક્ષુક વંદના-૧૧ ' ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ [ ឡូវ ៧យូរពេក = સ મ પણ I Is L NINE, TAtiluRamap Puriya / પંજાબને પુનરૂદ્ધાર કરનાર, અનેક કુમતનું ખડન કરનાર, પ્રોઢ પ્રતાપી, સમર્થ વિદ્વાન, ન્યાયામ્બેનિધિ સ્વ. આચાર્યવર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ (શ્રી આત્મારામજી મ. )ના પવિત્ર કરકમલમાં આ નાનકડું પુષ્પ સમાપીર - કૃતાર્થતા અનુભવતાં વિરમું છું. ' – પ્રકાશક. - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂ. પાંચાલદેશાદ્ધારક પરમ શાસનપ્રભાવક સ્વનામધન્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજ, નાણાવટ-વડાચાટામાં શ્રી ગોડીજી પાર્શ્વનાથના દેરાસરના ગોખલાની ગુરૂમૃતિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ કાંઈક આવશ્યક ‘સુરત ચૈત્ય પરિપાટી’ શિષૅક આ પુસ્તક શ્રી વીરશાસન’ ના ગ્રાહકેાને બારમા વર્ષોમાં વધારાની ભેટ તરીકે અપાઇ રહ્યું છે. તેને વાસ્તવિક યશ શ્રીયુત કેશરીચ ંદ હીરાચંદ ઝવેરીને ધટે છે, ૬ જેએએ પેાતાના પિતા તરફના પૂજ્યભાવને કારણે શેઠ હીરાચંદ ખુબચંદ ઝવેરી જૈન પુસ્તક સીરીઝ શરૂ કરી છે. આ એનું બીજાં પુષ્પ છે. માનવું સકારણ લેખાશે કે-આ પુસ્તક દરેકને સંગ્રહ કરવા યોગ્ય બન્યું છે. ઐતિહાસિક વસ્તુઓ દ્વારા સુરતનાં ભવ્ય જિનમ દિાનું જ્ઞાન મેળવવા માટે આ એક મ્હાટું સાધન છે. આ પુસ્તકના આખાય સંચય મહત્ત્વને છે. ચાલુ વર્ષની ભેટ ઉપરાન્તને આ લાલ ગ્રાહકાને અમે આઠમા વર્ષમાં આપવાના હતા, પરન્તુ સકારણુ તેમ બની શક્યું નહિ. આ વધારાને લાભ શ્રી વીરશાસન' પ્રતિની ગ્રાહકોની અભિરૂચીને ઉત્તેજિત કરશે, એવી આશા રખાય તે તે વધુ પડતી નહિ ગણાય. ઇચ્છીએ છીએ કે-વાંચકે આ પુસ્તકનેા યાગ્ય લાલ ઉડાવે. આના સંચયકાર શ્રી કેશરીચાંદ ઝવેરીને અને પ્રકાશક શ્રી જીવણચંદ ઝવેરીના આભાર માનવા પણ સ્થાને ગણાશે. ચીમનલાલ નાથાલાલ શાહ. વ્ય : શ્રી વીરશાસન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ == અનુક્રમણિકા - થી ૬૯ ચેત્ય સંબંધી વિચારણ-ભાગ ૧ લો. મૂર્તિપૂજા વિધ્યાર • • • • • ૮ થી , દેવવિચાર • • • • • ૧૪ થી ૧૯ ત્યના અર્થનું સમર્થન . . ૨૦ થી ૨૪ મૃતિપૂજનની સિદ્ધિ અને તેના લાભ'. . ૨૫ થી ૩૫ ર્તિપૂજન તથા તીર્થનને પ્રભવ . ૩૬ શ્રી જિનેશ્વરવતી ભક્તિ અને જમાનાવાદ . ૪૦ થી ૪૬ જિર્ણોદ્ધાર . . . . . ૪૭ થી ૫૩ તીર્થરક્ષા • • • • • ૫૪ થી ૫૭ જૈનેતર પૂજારીઓથી આવતાં પરિણામે • • • • • ૭૦ થી ૭૭ કંડાની જરૂરીયાત • • • • ૭૮ થી ૦૯ દેવદ્રવ્ય અને ચત્યદ્રવ્ય . . . . ૧ થી ૪૫ ચિત્ય પરિપાટીની વિચારણા . . . ૧ થી ૯ સુરત-ચૈત્ય પરિપાટી–ભાગ ૨ છે. ' સુરતના શ્રી જૈન ચ . . . ૧ થી ૪૬ શેઠ ધરમચંદ ઉદયચંદ જૈન જિર્ણોદ્ધાર પંડ. ૪૭ થી ૪૯ શેઠ ઘેલાભાઈ લાલભાઈ કેસર-બહાસ ફંડ . ૫૦ થી ૫૧ સુરત-ગ્રાચિન ચૈત્ય પરિપાટી–ભાગ ૩ જે. ૧ થી ૨૩ સુરતનતિમા લેખેને સંગ્રહ ભાગ ૪ થે. ર૭ થી ૮૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રતાવના: સુરત સેનાની મૂરત કહેવાય છે. સેનાની કહે કે મોતીની કહે, . પાનાની કહે કે માણેકની કહે, હીરાની કહે કે નીલમની કહે પણ સદૈવ સુરત એ સૂર્યપુર યાને સુરતની સુરત અને ભૂરત કંઈ જુદાંજ છે. એ સુરતને ઓળખાવવા શબ્દ સુરતનું શું સામર્થ્ય ! - : શ્રમણ ભગવન મહાવીર સ્વામીના નિવણના અઢસો વર્ષ પછીબી મળી આવતા ઉલ્લેખ પરથી સુરતની પ્રાચીનત અને તત્સમયથીજ તત્ર જેનેનું ગૌરવ સિદ્ધ થાય છે. . ગુજરાત સર્વ સંગ્રહના પાને ર૫ માં તેના લેખક જણાવે છે-“ભગવાન મહાવીરના નિર્વાણના ૨૭૧ વર્ષ બાદ સંપ્રતિ રાજા હતા, તેમના વખતમાં રાંદેરમાં ચાર દહેરાસરે બંધાવ્યાં હતાં.” * આર્થ રાંદેરની પ્રાચીનતા સિદ્ધ થાય છે, તેમજ જૈન ઇતિહાસ પ્રસિદ્ધ સંપ રાજા જ્યાં ચાર ચાર દેરાસર બંધાવે, તે પરથી ત્યાંની જાહોજલાલી પણ તેટલી જ સિદ્ધ થાય છે. જરૂર સુરત પણ તેથી પહેલાનું અગર તેટલા સમયનું તો છે જ એમ માની શકાય. વસ્તુપાલ તેજપાલના રાસના કર્તા પણ એ મંત્રીશ્વરેએ આ સુરતમાં ઋષભપ્રભુનું ચૈત્ય કરાવ્યાનું જણાવે છે. • રડતા આવેલા વેપારીઓને રાજા બનાવનાર એ સુરતના ઈતિહાસને વાણીવિલાસ માત્રથી કેમ ન્યાય આપી શકાય ! જગતના મેટા ભાગ પર સામ્રાજ્ય જમાવનાર હિંદની બ્રીટન શહેનશાહતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસનું નિરીક્ષણ સ્પષ્ટતા કયાએ મૂળ આભાર આ સુરતને. સુરતથી જ મુહૂર્ત કરી એ રૈયતે રાજ્ય મેળવ્યું. ઋસિક સાંક, સત્કાર, સુદાન, સખાવત, સાપ, કર્તવ્ય, રબા , સાહસ, સાહિત્ય, શોથે અમે સમત્વાદ્ધિા સહકાર રાણા એ સુંદર સ્વીય ચલમ મુકતક કે પ્રશંસા, ભવસાશ નિરંતર વહન થતી માન્યાનંદદાયિની સરિતા તાપી નિતર ગાઈ રહી છે. | તાપીીી રીતે વાંચે તે તાપ, વિપરીત્ત રીત્યા પિતા. યતઃ વિહામાં આનંજય એ પી પણ ચમત કેમ ન ધરાવે ! ચમત્કારક સ્થલ-સંસર્ગથી એ ઉન્નત તદિની, પરમાર્થ પસયિણ પદ કેમ ન ધરાવે ! પદ ત્યાં ગુણને સંગ સ્વાભાવિક 1 સુરતને આંગણે વસંત છે, સદૈવ વસંત છે અને માટે તે તે સુ-રત કહેવાય છે. અનેક સદ્દભા-સદ્ધ–સુગંધિઓના સદૈવ સુવાસથી સદૈવ વસંત છે. ઋતુ વસંતરાજ ખીલી અન્ય ખીલાવે, સ્વર્ગ સંપિત્તને પૃથ્વી માંહી મીલાવે. " સ્મૃદ્ધિ-સુરતના શ્રેષ્ઠીવર્યોને વ્યાપારજ ઝવેરાતને છે. રાજા મહારાજાએ, અમીર ઉમરાવોને શૃંગારનાર સાહિત્ય પૂરા પાડનાર સિ ઝવેરીએજ મારી, માણેક, પાના, પખરાજ, નીલમ, ગોમેદ, લિસનીયા, હીરા, શનિ વિગેરે અંગેનું પણ, જે અન્ય વયેવલ અને વિજ્ઞાનીઓ પણ પારખવામાં પાછી પડે તે પાણીદાર સુરતીઓનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ઓછા પણ પાર પતિએ સુરજ કદિ ઋક્ટિ જાહેર વિતe અને ગિત છે. કેમ ન હોય ? અહગતઃ - સ્મૃદ્ધિ મળે છે પુણ્યથી જે પુરક્ષરો વાપર, સ્કૃદ્ધિ સદા સન્માનિત ઉલ્લાસથી ચડી છાપરે; ફરકે વજા જિનમીર ફરકે ધ્વજા નિજ મેંદો માર્જન કરે રવિ તેણું એ પુણ્યની સિદ્ધિ ખરે. માત્ર લાખ લાખ માણસની વસ્તી ધરાવતા આ શહેરમાં જેનેની સંખ્યા તે માત્ર ચાર પાંચ હજારની જ. છતાંએ તેમાં ચાલીસ ચાલીસ દેરાસરો તેમજ ઉપાશ્રયે –ધર્મશાળાઓ વિગેરે પણ સારી સંખ્યામાં અર્ને પણ આજનાજ એમ નહિ પણ દાણુ પુરાણ. ગુજરાત સર્વ સંગ્રહના લેખક ૫૩૨ માં પાનામાં લખે છે કે શ્રાવકના બેતાલીસ દહેરાસરે છે. તેમાં મહાવીરસ્વામીનું અને આદીશ્વર ભગવાનનું એ બે દેરાસરે મેટા છે, તે બને ગોપીપુરામાં છે ને દેજો બસે વર્ષના છે. ત્રીજુ શાહપુરમાં ચિંતામણી પરેસનાથનું છે.' શાહપુરમાં આવેલા શ્રી દેરાસરછમાંની શ્રી ચિન્તામણી પાર્શ્વ નાથ પ્રભુની ચમત્કારી મૂર્તિ વિષે વૃદ્ધ પુરૂષ (સુરતના) જણાવે છે કે અત્યારે મેરઝા સામે મેસજીદ છે, તે પ્રથમ જૈન દેરાસર હતું, જ્યાં આ મૂર્તિ હતી. મુસલમાનો જ્યારે દેરાસર તોડવા આવ્યા, ત્યારે એકદમ દરવાજા બંધ થઈ ગયા. એક ગરીબ શ્રાવકને રાત્રે એવું સ્પષ્ન આવ્યું કે “ચિન્તામણી પાર્શ્વનાથની મૂતિ કુવામાં છે ૧. જિન મંદિરે ધ્વજ ફરકાવનાર ને નિજ મંદિરે ધ્વજ ફરકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ત્યાંથી બહાર કાઢી દેરાસર બંધાવી તેમાં પધરાવે તેણે સુરતમાં વિદ્યામાન યતિજીને તે વાત કરી. જરૂર યતિજી પણ ચમકારાદિ વિદ્યાસંપન્ન જ હોવા જોઈએ. તેમણે તે શ્રાવકને એક કોથળી આપી કહ્યું કે “તારે જોઇતા તમામ રૂપીયા આમાંથી મળશે, દેરાસર અિંધાવ, પણ કદી કોથળી ઉંધી વાળીશ નહિ.” તરતજ કુવામાં તપાસ કરી, મૂર્તિ મળી. દેરાસર બંધાવ્યું. આજે એ કુ દેરાસરજીમાં મૌજુદ છે. કહે છે કે પેલી કોથળી અને કેડી કે જે વાણીયા પાસે પ્રથમ ધનમાં હતું તે પણ ત્યાં મૌજુદ છે. ગુજરાત સર્વ સંગ્રહના લેખક પાના પ૩૧માં લખે છે કે-. મેરઝા સામેની મસજીદની કબર ૧૪૫૦ માં ખુદાવિંદખાને અંધાવી છે. કબરની પાસેની લાકડાની મસજીદ છે, તે શાહપુર મેહલ્લામાં જૈનનું દેવળ હતું. તે તેડીને તેમાંના સામાને બંધાવી.' - આ ઉપરથી સાબીત થાય છે કે આ દહેરાસર પન્નરમા સૈકાનું તો જરૂર હોયજ. . 1 સુરતના લતાના નામ અને તેને ઇતિહાસ પણ પ્રાચીન સ્મૃદ્ધિને સિદ્ધ કરે છે. નાણાવટીઓ કે જેઓ મોટા ભાગે જેનો જ હતા, તેઓ જયાં વસતા તે નાણાવટ. સુરતના ગોપીપુરા અને નાણુંવટ નામના ભિવાન્વિત લતાઓના અસ્તિત્વ વિગેરે સંબંધમાં ગુજરાત સર્વ સંગ્રહના કર્તા પાના ૨૭૭–૭૮ માં દર્શાવે છે કે “નાગર જમીનદારની વિધવા પિતાની નાની વયના દિકરા ગેપીને લઈને માછલીપીઠની આસપાસ રહી હતી, તેવામાં કંચની. સુરજ દરના નવાયતાની ઇતરાજથી હજ કરવાના વિચારથી ઝાઝ ઉપડતાં સુધી ત્યાં રહી હતી. કંચની સુરજ જતી વખતે લાખેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ઝવાહીર ગોપીની માને સોંપી ગઈ હતી. કંચનીપાછી આવ્યા બાદ ગોપીની માએ તે જવાહર પાછુ સેપ્યું પણ તેણે તે લીધું નહિ. સુરજે મરતી વખતે પિતાની તમામ મીલકત ગોપીની માને બક્ષીસ કીધી અને કહ્યું જે “મારી નામદારી વધે તેવું કંઈકરજે' ગોપીના ઘરની આસપાસની વસ્તીનું નામ ગોપીપુ પડયું અને નાણાવટી વસ્યા તે નાણાવટ.’ ઉપરના ઉલ્લેખને દઢીભૂત કરતી એવી પણ કથા ઉપલબ્ધ થાય છે કે–ગોપીએ સૂર્યપુરના તે સમયના બાદશાહને સુરજનું નામ કાયમ રાખવા વિનવવાથી બાદશાહે તે કબુલ્યું. સૂર્યપુરનું યું સુરજ, જે અપભ્રંશ થતાં છેવટે થયું સુરત. અસ્તુ. પ્રાચીન સમયથી જ સુરત મ્યુદ્ધિમાન છે, દિનપ્રતિદિન તેનો વૈભવ વધતો જતો છે, સાથે સાથે સુરતને પરમાર્થ પણ તેજ છે. - સૈદ–રૂ૫, લાવણ્ય અને સૃષ્ટિ સૌંદર્ય માટે સારાય ભારતવર્ષમાં કાશ્મીર વખણાય છે-નંદનવન ગણાય છે અને ગુજરાતગુજરાત તો એથીએ વધે. ઉપરના બાહ્ય સાદ સાથે આંતર–સૌંદર્ય સંયુક્ત સુવર્ણ—સુગંધ–સંાગવાળા ગુજરાતના ગૌરવની શી વાત ! . એક કવિ ગુજરાતના ગૌરવને નીચે મુજબ ગાઈ કૃતાર્થ થાય છે– છે કલ્પતરૂ દુનિયાતણું ને કામદુર્ગા દેશની, . ગુજરાત બીજી જાણજે અમરાપુરી છે દેવની. ' તથા દેવતરૂ ગુજરાત જગતનું, ભાન કરાવે બ્રહ્મ કમનું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ગ્રેસના પ્લેગ્સ, જીવનસૂત્ર છે. એક કવિ જ્ઞાતાાલ બળદે પ્રિય વાંચક ક્ષમા કરજે ગુજરાતનું નામ આવે ! ગુજરતી તેના ગૌરવનું સ્મરણ કરાવ્યા વિના આમૂળ તેજ વધી શકે. એજ કવિશ્રી ગાય છે — કોના પ્રાને તે પ્રખા ‘અહિંસા રમે નર્મ' આપણુ ગુજરાત રનની ખાતુ છે, વળી ખાણુ એ ઊંડી પણ વિના ઝવેરી આજીવ, નથી એ બામની સહી. અને એ ગુજરાતનું પંદનવન સુરત છે. સુણા સુરત સૌંદર્યની વાત જઇ પૂછો, સુરત સર્વાંગ યાત્રિક જનને, સુરત રહેલાણીઓ સાક્ષીને મૂતિ, સિદ્ધ કરતા સન્ન એ ચનને. સત્કાર—સુરતના સત્કાર માટે વિશેષ વર્ગુનની આવશ્યકતાજ નથી. ‘સુરતનું જમણું વખણાય છે. શાથી? સત્કારની સુંદર કલાથી. પરસ્પરના અને અતિથી પ્રત્યેના સત્કારમાં એ કદી પશ્ચાત્ નથી. અને આજની સજસત્તાની આ પ્રભૂતાના મૂળમાંએ સુરતનાજ સત્કાર. કાયમ ભાજનશાળા જેવી સંસ્થા, એ ત્યાંના સત્કારનેજ આભારી. સામાન્યતઃ સત્કારના એ સસ્કારીના સાધુ, સતા, સજ્જતા પ્રત્યેના સત્કારનુ તા મધ્વજ શું? સુદાન—દાનની પ્રવૃત્તિ તા સુરતની પોતાની અને કાયમનીજ. આંગણે અને બહાર. જ્યાં જાએ ત્યાં. સમાજમાં અને ભેદભાવ વગર સત્ર. સુપાત્રે અને અનક પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ અન્યત્ર—સપ્તક્ષેત્રને પાષવાનુ તા સુરતનુ ં સદૈવ આવશ્યક. સખાવત——દાનપ્રવાહ તા કાયમજ. છતાં વિશિષ્ટ પ્રસગે અઁનારણપૂર્વક વ્યવસ્થા કરવાને નિયત કરી આપવામાં આવતી રકમને સખાવત કહેવાય છે. જીવતાંએ સખાવતા થાય છે, મરતી વખતે પણ કહેવાય એ સખાવત એ સ્મારક રૂપમાં પણ હાઈ શકે છે. સુરતે નાની માઠી, ખાનગી અને જાહેર, આંગણે અને બહાર બધેસખાવતામાં પણ મોટા દળેા આપ્યા છે. સુરતના દાન તથા સખાવતા તરફ જોતાં સુરતે માત્ર મધમી વાત્સલ્યજ નથી કયું` કિન્તુ વિશ્વવાસલ્યમાં પણ એ અડગ ઉભું રહી સર્વવ્યાપક બન્યું છે. પહેલાં પણ સુરતની એજ પરિસ્થિતિ હતી અને આજે પણ એ એવુજ અડગ છે. ગુજરાત સર્વ સંગ્રહના લેખક પાને ૨૯૦ માં લખે છે—સતે ૧૮૦૪ માં મોટા દુકાળ પડયા. ચેામાસું આવતાં સુધી એ દુકાળમાં ત્રિવાડી શ્રીકૃષ્ણ, અર્જુનજી, ભણશાલીજી અને ન્યાલચાય વિગેરે શાહુકારીએ ઘણા ધ કરી ગરીબોને જીવાડયા ! મતલબ દરેક પ્રસંગે સુરત કપરાયણજ રહે છે. સત્તાષ—છતાંએ સ તાષના પાષણમાં એ સમજી શકયું છે. માત્ર કામથીજ કામ. નામ અને વાહવા કહેવરાવવાના વલખાં મારવામાં માથું નહિં મારતાં મુંગે મોઢે કામ કરવામાંજ સાપ માને છે. સત્કૃત્ત વ્ય—-સુરતમાં ચાલતી સંસ્થાએ ( કેળવણીની, સત્યારતી, આરાગ્ય વિગેરેની ) એજ પ્રત્યક્ષ પ્રમાણુ. સત્કર્તવ્યમાં સત્ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિ એજ માનવજીવનની મહત્તા અને લક્ષ્મી મંળા એ પ્રમાણ. જૈનસાક્ષર ડાહ્યાભાઈ ધોળશાજી કહે છે – મળ્યું બહુ ધન, રૂપાળું બદન, કે વિદ્યા પ્રસન્ન; કર્યો પરમાર્થ તે તે જાણું મળ્યું એ પ્રમાણ : મધુ સંચય કરી કરી રહ્યો, મદમાં ભ્રમર અજાણ; ના દીધું ના ભગવ્યું, નાહક પ્રાણ ગાર્યું વાદળ જળ ભર્યું, વરસ્યું ન ચાલ્યું ચૂપ; પવન ઝપાટે કડીયું, ભાંગી ન કેઈની ભૂખ. લક્ષ્મીની ગતિજ ત્રણ છે. દાન-ભોગ અને છેવટે નાશ. સહિષ્ણુતા–જલપ્રલય, અનલપ્રલય, ધાડ, લૂંટફાટ વિગેરે સામે સુરતનું સ્થય એની સહિષ્ણુતાને આભારી છે, તેવી જ રીતે શ્રેયાંસિ બહુ વખાનિ' એ ન્યાયે સતત શ્રેય પ્રવૃતિમાં પણ વિન પરંપરાની સામે પણ સહિષ્ણુતા ગુણવડેજ સુરત શોભે છે અને વિજય મેળવે છે. સાહસ–સુસ્ત સહિષ્ણુ છે માટે કાયર છે એમ નહિ, સાહસ તે સુરતીઓનું જ. ઝવેરાતને વેપાર સાહસિકેજ કરી શકે છે, ખીલવી શકે છે, જીરવી શકે છે. સુરત અને મુંબઈ ઉભયસ્થલે સરખી રીતે નિવાસ કરવો, એ સાહસ વિના કેમ બને ! જલપ્રલયથી ટેવાયેલી એ સાહસિક પ્રજા અરબસ્તાન, ઈગ્લાંડ અને પારિસ પર્યત પહોંચી છે. પારિસ પણ યુરોપમાં સૌંદર્યસ્થળ ગણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ :. સૌ સૌને શેાધે સતે સ્વસૌને સાચવે, અથાય તે વધારે એ સાહસથીજ અને. સાહસથીજ લક્ષ્મી મેળવે અને સાહસથીજ વિવેકતાપૂર્વક વાપરે. પુણ્યક્ષેત્રા સતત પાષે. સાહસનાજ એ શુભ પરિણામ. શ્રદ્ધા, સાહસ, સંતાય અને સદ્વ્યય એજ શ્રી (લક્ષ્મી) સંપત્તિને સંપ્રાપ્ત કરવાના, સ્થિર રાખવાના, અને સદૈવ વધારનારા સચોટ સાધને છે. સાહિત્ય--સુરતમાં ચાલતી શાળાઓ, ધાર્મિક કેળવણી માટેની પાઠશાળાઓ, કેળવણીના પ્રચાર માટેની ત્યાંની યાજના, ખેઢીંગા, વાંચનાલયા, પુસ્તકાલયેા, જ્ઞાનભંડારા આ બધું સુરતના સાહિત્યપ્રેમને પ્રત્યક્ષ કરે છે. સાહિત્ય સેવા કરનાર સુરત એટલેજ સાહિત્ય મૂરત. બાહેામ કરીને પડી ફત્તેહ છે આગે' એ કાવ્યથી ઓળખાતા શૌય રસપ્રેરક પ્રસિદ્ધ કવિ નર્મદ પણ આ સુરતનાજ. શાય ઈતિહાસ પ્રસિદ્ધ સુરતનું શૌય તે સર્વને વિદિતજ છે. ધ્યેય:પ્રવૃત્તિમાં સતત સ્થિરતા, વિઘ્ન પર પરાઓ સામે અચૂક વિજય આ બધું કાંઈ શૌય વિના થાડુંકજ બને છે. સુરતના કવિરાજ નમ તે પણ શૌય રસજ વિશેષ પસંદ પડયા છે ને ! સમ્યકત્વ—સુરત અને સમ્યકત્વ જાણે કે અભિન્નજ ન હેાય તેમ ત્યાંની સતત ધ્યેયઃપ્રવૃત્તિ સૂચન કરે છે. સાધુ સત્કાર, સજ્જન સત્કાર, શ્રુત સત્કાર, કાંઈ સમ્યકત્વ વિના સંભવે ! શાસનરાગ, શાસનધગરા-સતત શાસન સેવામાં અપનાવવામાં સુરત પશ્ચાત્ નથી. આ બધાનેા સહકાર-સહકારફળના આસ્વાદને ચખાડે એમાં આશ્ચર્યજનક શું1 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ સુરતની સતત પ્રવૃત્તિઓનું સંસ્થાઓ . . સંક્ષિપ્ત વર્ણન . . . . . . . : : ૧. શ્રી રતનસાગછ જૈન વિદ્યાશાળા તઝા જૈન ઓડિંગ પીયુસ : ૨. ઝવેરી નગીનચંદ ઘેલાભાઈ જેન હાઈસ્કૂલ, ગોપીપુરા, ૩. શ્રી જૈન વિદ્યાથી ભાશ્રમ, વડાયોટા. ૪. શઠ ધરમચંદ ઉષચંદ જૈન એજયુકેશન ફંડ. ૫. શેઠ. ગુલાબચંદ રાયચંદ ઓલરશીપ ફ. ૬. શેઠ કલ્યાણચંદ નવલચંદ જૈન પ્રાઈઝ ફંડ. , ૭. વડાચોટા જૈન વિદ્યાશાલા. ૮. શ્રી મેહનલાલજી જૈન પાઠશાળા. ૯. શેઠ ભુરાભાઈ નવલચંદ જૈન પાઠશાલા. ૧૦. છાપરીયા શેરી જૈન પાઠશાળા. ૧૧. સગરામપુરા શ્રી સિદ્ધિવિજય જૈન પાઠશાળા. ૧૨. નવાપુરા શ્રી જૈન પાઠશાળા. ૧૩. શ્રી જૈન વનિતાવિશ્રામ. ૧૪. ઝરી બાલુભાઈ અમચંદ જૈન કન્યાશાળા ૧૫. શ્રી મ તવધ પાઠશાળા. ૧૬. શ્રી જયકાર જ્ઞાન ઉઘોગશાળા. ૧૭. શ્રી દેમંદ લાલભાઈ પુસ્તહાર વંડ અને શ્રી આન- મા સમિતિ. ૧૮. શેઠ નગીનચંદ મલ્લુભાઈ જૈન સાહિત્યદ્વાર દંડ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૯. શ્રી વિજભકસલરી ચિન હસ્તલિખિત પુસ્તકે ૨૦. શ્રી જૈન સાહિબાક્કા . ૨૧. શ્રી જૈન આdદ પુસ્તાક્ષમ. ૨૨. શ્રી માલાલજી જનભાર. ૨૩. શ્રી છનદત્તસૂરિ જ્ઞાનભંડાર. ૨૪. શ્રી હુકમમુનિજીનો જ્ઞાન ભંડાર ૨૫. શ્રી દેવસુર ગચ્છને સંગ્રહ ૨૬. શ્રી આનસુર પુસ્તક સંગ્રહ. ૨૭. શ્રી સીમંધર સ્વામીને ભડા. ૨૮. શ્રી વડાચૌટા જ્ઞાન ભંડાર. ર૮. શ્રી મગનભાઈ પ્રતશ્મચંદ લાયબ્રેરી અને વાંચનાલય. ૩૦. શેઠ ઘેલાભાઈ લાલભાઈ ઝવેરી કેસર અાસ ફંડ. ૩૧. શ્રી સુરત, ધરમચંદ ઉદયચંદ જૈન જીર્ણોદ્ધાર પંડ. ૩૨. શેઠ બીનચંદ મંછુભાઈ વ્યાયામશાળા ૩૩. શેઠ ગીનચંદ મંછુભાઈ નાંબર આરેગ્યભુવન,સુરત. ૩૪. શેઠ મંછુભાઈ જીવણચંદ જૈનવેતાંબર આરોગ્યભૂવન, કે માડમુંબાઈ પાસે. ૩૫. શેઠ સૌભાગ્યચંદ માણેકચંદ જૈન શ્વેતાંબર અગ્રભુવન અગાસી. ૩૬. શ્રી સુરત જૈન ભોજનશાળા. ૩૭. શ્રી જૈન સહાયક ફડ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ## ૩૮. મરહુમ શેઠ નગીનભાઈ ઘેલાભાઈ તરફથી વાસુપૂજ્ય સ્વામીના દેરાસરની વરસગાંઠના દિવસે વૈશાંક શુદી ના રાજ થતા સાધમીવાત્સલ્યનું સ્ટી ફૂડ, ૩૯. શેઠે પુલ કલ્યાણંદ તરફથી લાઈન્સમાં દેરાસરની પ્રતિષ્ઠાની વરસગાંઠને દીવસે વૈશાખ શુ. ૧૦ ના ગુજ સાધમી વાત્સલ્ય. . I ૪૦. શેઠ રૂપચંદ લલ્લુભાઇ તરફથી કતારગામની પ્રતિષ્ઠાને દિવસે વૈશાક સુદી ૧૩ ના રાજનું સાધમી વાત્સલ્યનું ટ્રસ્ટડીડ ક્રૂડ, ૪૧. શેઠ નેમચંદ મેલાપ તરફથી તેમના બંધાવેલા શ્રી અન તનાથજીના દેરાસરજીની વરસગાંઠને દીવસે જેઠ સુદી હું ને દીવસે થતું સાધી વાત્સલ્ય. જાહેર જનસેવા ૪૨. શેઠ રાયચંદ દીપચંદ કન્યાશાળા, ૪૩. શેઠ પ્રેમચંદ રાયચંદ ધમ શાળા. ૪૪. ઝવેરી નગીનચંદ ઝવેરચંદ ઇન્સ્ટીટયુટ. ૪૫. શેઠ. તેમચંદ મેલાપચ નસીંગ હામ. ૪૬, શેઠ મગનલાલ ધનજીભાઈ હાસ્પીટાલ. ૪૭. ઝવેરી નવલચંદ હેમચંદ દેશી ઔષધાલય. ૪૮. શ્રી સુરત પાંજરાપોળ. ૪૯. શ્રી જીવયા ફંડ. વિગેરે- સિવાય અશકતાશ્રમ અને રકતપિત્તિયા આશ્રમને પણુ જૈન શ્રેષ્ઠીવર્યાં આગેવાનીભર્યા ભાગ લઈ મદદ કરી રહ્યા છે. આ સિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ વાય બીજું તે ઘણુંએ હશે. સુસ્ત બહારના લેખકના હાથે ન્યૂનતા રહેજ અને તે ક્ષેતવ્ય. * ** : સુરતમાં ર૬ ઉપાશ્રય, આશરે ૯-૧૦ ધર્મશાળાને ૪૬ જિનેશ્વર ભગવાનના ચૈત્ય છે. પ્રિય વાચકવૃંદ ! આ ઉપરથી જોઈ શકાય છે કે સુરતની પરમાર્થ પ્રવૃત્તિ કેટલી વિસ્તૃત છે. હજારો અને લાખોની રકમના ફડે તે ત્યાં સહજ હોય છે. જેને જેનેતરના ભેદભાવ વગરની ત્યાં સર્વવ્યાપક પરમાર્થ પરાયણતા અનુકરણીય છે. . માત્ર સુરતમાં એમ નહિ પણ શ્રી સિદ્ધાચળ, ગીરનારજી, સમેતશીખરજી, આબુજી, કેશરીયાજી વિગેરે તીર્થસ્થલેએ પણ એમને દાનપ્રવાહ ચાલુજ. સુરત બહારના ગુરૂકુલે, બેડીંગ, પાંજરાપિળો. ઉપાશ્રયે, ચો વિગેરેને સુરતની સહાય હેય. સુરતને આંગણે તે આશાજ એ અભંગ હારવાળા સુરત ક્ષેત્રની બલીહારી. સુરત એ કાંઈ મુંબઈ કલકત્તા કે અમદાવાદ જેટલી વસ્તીવાલું મોટું શહેર નથી. તાપી નદીના તીરે આવેલું એ સુરત બંદર પ્રથમ જણાવવામાં આવ્યું છે કે માત્ર લાખ દોઢ લાખની વસ્તી ધરાવે છે, જેમાં જૈનો તે નામનાજ, માત્ર ચાર પાંચ હજાર છતાં આ બધી સતત શ્રેયપ્રવૃત્તિઓની પરંપરા ખરેખર આશ્ચર્ય પમાડે છે; પણ કાર્યસિદ્ધિ કાંઇ સામગ્રીની વિશાળતામાં નથી પણ પુરૂષાર્થમાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ – શિખરિણા છેદ – विजेतव्या लका चरणतरणीयो जलनिधि विपक्षः पौलस्त्यो रकमुक्सिहावाश्चकपचः तथाप्येकोरामः सकल मजयं द्राक्षसकुल કિસિંદિરને વતિમાં રોપ . ભાવાર્થજતાની લંકા જેવી નગરી છે. આ વી રહેલો રાક પગવો, તરવા છે, શત્રુ દશામુખાધર વણ છે, સમભૂમિમાં સહાય કરનાર સૈન્યમ વદરાએ છે તે પણ એક બે આખા રાક્ષસ કુલને જીત્યું. એટલે રહસ્ય એ છે કે મહાપુરૂષને માટે કાર્યસિદ્ધિ ઉપકરણોમાં–સામગ્રીમાં કે તેની વિશાલતામાં નથી પણ સત્ત્વમાં છે. શ્રી રામચંદ્રના એ યોગાન લટકાળા કવિ મેહનવિજયજીએ પણ સતી નર્મદાનો રાસમાં ગાયેલ છે કે દાનવરાય અટંકી વંકા, સૂર પણ ધરતા શંકા; - દણએ કા કા કવિ પંકા. અએવ કાર્યસિદ્ધિ પુરૂષાર્થમાં છે. સુરતની આ બધી વૈભવવાડીનું વિશેષતઃ કયાં દર્શન થાય? કયા વિભાગમાં દ્રષ્ટિગોચર થાય છે જેને આપણે સુરતનું પણ નંદનવ કહી શકીએ. વનમાં વન ને વનમાં વનની વાતમાં કાંઈ વિય થવા જેવું નથી. - એક હિંદી કવિ કહે છે કે- તત્ત્વ વિનેલી બાતમેં, બત બતમે બાત; *જયું કેલે કે પાત, પાત પામેં પાત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ - પીપુરા અને નાણાવટ (જેના સંબંધમાં જે કાયા ઉપલબ્ધ એમ છે તે પ્રથમ જણાવવામાં આવેલ છે એ સજ એ છે સ્થલનું અર્થ રહસ્ય આપી રહ્યા છે, અને એ સ્થાને સુરતના નનનનની ઉપજ આપી શકાય. ત્યાર પણ છેસરખર વૈભકાન્વિત મકાનો સ્વષ્ટિની કામ કરે છેસાધવાડીના એ પુસ્માલી માલીઓ સાત સિંચન વડે વાડીને વિકરાર કરે છે. જાણે ગુનદર્શનાર્થજ લાની તેમ ત્યાં મામાના નામ પશુ એવાંજ. ક્ષત્રીમના વંશજો છીએ એવું સતત સ્મરણ રાખવાજ હાયની તેમ એસવાલ મોહલ્લો વિગેરે નામ છે. આજજ આવી દિરમૃદ્ધિ છે એમ નથી. અસલથી જ છે. પરમપૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રીમદ્દ વિનયવિજયજી જૈન મેધદૂત (ઈન્દુદત) માં સુરતના ગોપીપુરાના વૈભવને નીચે મુજબ વર્ણવે છે – ગોપીપુરામાં શ્રાવકને એક મેટો. ઉપાશ્રય છે તેમાં વસતા શ્રાવના લક્ષ્મીના ભંડારો કૈલાસ પર્વતની તુલ્ય છે. દેવગુર ધર્મની અભિરૂચીવાળા તે શ્રાવકે વિપુલ વૈભવશાળી છે. જગતને માનનીય છે. આકાશમાં ચંદ્રની જેમ ગોપીપુરામાં આ ઉપાશ્રય શોભે છે કે જેની ભીતિમાં ફાટીક જડેલાં છે, જેને પ્રકાશ કેટરીમાં પડે છે. તે ઉપાશ્રયના દરવાજા આગળ શ્રાવકેના અનેક રથ-હાથી-ઘેલા વિગેરે હાજર હોય છે કે જે ઠાઠમાઠથી તેઓ વ્યાખ્યાન સાંભળવા આવે છે વિગેરે...' અએવ સદૈવ ઋદ્ધિમાન એ લાઓને સુરતના નંદનવન ગણી શકાય. જિનેશ્વર ભગવાનના સુંદર ચિત્યે પણ આ લતામાં જ વિશેષતઃ આવેલા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૬. શ્રી સુરત ચૈણ પરિપાટી નામના આ ન્હાનકડા ગ્રંથના પ્રવેશ દ્વારમાં સુરત ક્ષેત્ર સંબંધે આટલી સંક્ષિપ્ત વિચારણા અસ્થાને નહિજ ગણુાય. જે જિજ્ઞાસુઓને તત્સંબંધે વિસ્તારથી જાણવા વૃત્તિ હોય; ઉપરની શ્રેય-પ્રવૃત્તિએક કાના ઉપદેશથી શરૂ થઇ, કાણે સ્થાપી, કારે ચાલુ થઈ, કેટલાક ડથી, તેના કાય વાહા કાણુ, વ્યવસ્થા યાજના વિગેરે સંબંધે માહિતી મેળવવી હાય, તેમજ સુરતના પ્રાયીનત્વ વિષે, વસ્તી વિષે તેમજ ખીજી કેટલીક ખીના વિષે સવિસ્તર જાણવુ હાય, તેઓને, “સુરતની જૈન ડીરેકટરી ” સાદ્યંત અવલેાકન કરવાની ખાસ ભલામણ છે. એ ગ્રંથ આ સીરીઝનો પુષ્પ ૧ લા તરીકે પ્રગટ થયેલ છે. પુષ્પ નામ યથાય છે. પરિમલ પ્રસરાવે તે પુષ્પ અને પરિમલ જીનાસંતે ક્રમશ:પુષ્પોની જરૂર છે. ‘પુષ્પ ૧ લું' એ શબ્દોજ પુષ્પમા લાની પ્રતિતી આપે છે જે પરિણામ ભવિષ્યમાં સુદૈવયેાગાત્ જોઇ શકાશે. આ પ્રવેશદ્વારને સમેટતાં કવિ ન્હાનાલાલ બળદેવના શબ્દમાં નીચેની શુભેચ્છા મગ્ન રહી આગળ ગ્રંથ-વિષય-પરત્વે યથામતિ યથાશકિત લખું છું. અમર રહે। અમ · અમરપુરી સમ— નંદનવન વાડીઆ ગુજરાતની વાડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ચૈત્ય સંબંધી વિચારણા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ श्री शंखेश्वर पार्श्वनाथाय नमः શ્રી સુરત–ચૈત્ય પરિપાટી. મંગલાચરણ, मंगलं भगवान वीरो, मंगलं गौतम प्रभु मंगलं स्थूलभद्राया जैन धर्मोस्तु मंगल. ત્રિશલાનŁન વીરને, નમી સદૃગુરૂ આનંદ, નીં નીં શારદ ચરણમાં, લખુ સ્વપર આનંદ શ્રી મંગલકારી સદા, શ્રી માટે શ્રી હા! શ્રી પતિ શ્રીથી ચેતજો, શ્રીતિ સાચા હૈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુરત ચૈત્ય પરિધાટી. :: પ્રકરણ ૧ લું :: —સુરત ચાર્યાશી તાલુકાનું તાપી નદીને તીરે આવેલું મુખ્ય શહેર સુરત ( સુરત અંદર ) છે. મુંબઇથી વીરમગામ સુધીની શ્રી. ખી. એન્ડ. સી. આઈ રેલ્વે દ્વારા સુરત મુંબઇથી ૧૬૭ માઈલના અંતરે છે. કુદરતની અનેક આા તેમજ ચારી, લુંટફાટ, ધાડ વિગેરેની સામે અડગ ઉભું રહેલું એ સુરત ઇતિહાસ પ્રસિદ્ધ છે. જગતના મોટા ભાગ પર રાજ્ય કરતી બ્રીટીશ સલ્તનતનું વ્યાપાર મુહૂર્ત પણ આ સુરતથીજ થયું હતું. ઇ. સ. ૧૬૨૨માં ઇસ્ટ ઇંડીયા કંપનીએ પ્રથમ કાઢી આ સુરતમાં નાખી, જે વખતે હિંદમાં મેાગલ શહેનશાહત હતી. જેમ સુરતનું અસ્તિત્વ પુરાણા સમયથી છે. તેમજ સુરતના જૈનાની જાહેાજલાલી અને જાહેર જનસેવા પણ પુરાણા સમયથી અદ્યાપિ પર્યંત અડગ રીત્યા છે. જે સુરતનુ અસ્તિત્વ સંપ્રતિ મહારાજાના સમયમાં હાય અગર તેથી પણ પ્રાચીન હેાય તે સુરતની તથા ત્યાંના જૈનાની જાહાજલાલી કંપની સરકારના શરૂઆતના અમલ સમયે પણ ડાયજ. નગરશેઠ લાલદાસભાઈ કંપની સરકારના દલાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ નીમાયા જેમના પુત્ર નગરશેઠ જગન્નાથભાઇને કંપની સ કારે સેાનાના ચાંદ અને ત્રણ હજાર ઘેાડેસ્વારની સુબેદારી આપી હતી. એ સમયે દીલ્લીના બાદશાહ તરફથી નીમા ચેલા સુખએ સુરતમાં રાજ્ય કારભાર કરતા પણ જો તે નાલાયક હાય તેા તેને ખરતરફ કરવાની સત્તા સુરતના ચાર આગેવાનાને આપવામાં આવી હતી જેમાં નગરશેઠ જગન્નાથભાઇ અને ભણશાલીજી મૂખ્ય હતા. જેએ ઉભય શ્વેત હતા. આ ઉપરથી નગરશેઠાઇ જૈનોની અને રાજ્ય હિવટમાં જૈનોની સત્તા હતી એ સિદ્ધ થાય છે. તેમનાજ વંશમાં આજ પણ નગરશેઠાઈ છે. શ્રીયુત ખાખુભાઈ ગુલા→ અભાઈ આજના ( હાલના ) નગરશેઠ છે. જેમ સ્મૃદ્ધિ માટે તેમજ દાન અને સખાવતા માટે પણ સુરત મશહૂર છે. સુરતની સખાવતા સર્વત્ર છે. દાનવીર શેઠ પ્રેમચંદ રાયચંદના નામથી આખાએ દેશ સારી રીતે જાણીતા છે. એ સખાવતે બહાદુર શેડ સુરતનાજ, ગુજરાતના પાટનગર–રાજનગર-અમદાવાદમાં પણ શેઠ પ્રેમચંદ રાયચંદ ટ્રેનીંગ કોલેજ છે. તે શિવાય મુંખઇ તેમજ અન્ય તીર્થરથળામાં તેમની સખાવતા તેમની દાનપ્રિયતાના સાદર નમુનાઓ મેાજીદ હાય તે! સુરતમાં તે વિશેષત: હાય તેમાં આશ્ચર્યજ શું ! તેમના જીવનમાં એક કરોડ જેટલી ગંજાવર કમની સખાવત કરનાર એ શ્રેષ્ઠીવર્યની માતૃભૂમિ આ સુરતજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ૐ એશક! સુરત કાંઈ બહુ માટું શહેર નથી. સુરતની વસ્તી માત્ર લાખ દાઢલાખની તેમાં જૈને તેા જીજ, એટલે ચાર-પાંચ કે મહુ તેા છ હજારની. એટલી નુજ વસ્તીના જૈન મહિકાના પુણ્ય વૈભવ એજ તેમની વિશાલ સ વ્યાપી પરમાર્થ પ્રવૃત્તિ ઉભય અન્યાન્ય કારણ છે. મળે છે પુણ્યથી લક્ષ્મી, ટકે છે પુણ્યથી લક્ષ્મી; વધે છે પુણ્યથી લક્ષ્મી, સળ એવી સદા લક્ષ્મી. દેરાસરો (૪૬) ઉપાશ્રયા (૩૫) ધર્મશાળાઓ (૧૦–૧૨) ઓડી'ગેા (૨) પાઠશાળાઓ (૮–૧૦) ભાજનશાળા, નિતા વિશ્રામ, વાંચનાલય, પુસ્તકાલયા, સદાવ્રતાલયા, ઔષધાલચા, સ્કોલરશીપ ફ્રેન્ડા, પાંજરાપાળ વિગેરે સર્વના ઉપકારક એવી અનેક શ્રેય: પ્રવૃત્તિને સુરતના જૈના નીભાવે છે. સુરતના જૈને માટે ભાગે સાહસિક ઝવેરીઓ છે, અને શ્રદ્ધાન્વિત તે જરૂર પાતાની લક્ષ્મીનેા સદુપયોગ કરી રહ્યા છે. જે સુરતમાં અનેક પ્રકારની પરમાર્થ પ્રવૃત્તિએ સતત ચાલુ છે તે સુરતમાં મુકિતનગર લઇ જવાના જામીન તુલ્ય, શ્રી જિનેશ્વર ભગવાનના ૪૬ ચૈત્યેા છે. ઘર દેરાસર જુદાં કે જેને ગણતાં કુલ ૧૦૦ થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ દેવ વિમાનને પણ ભૂલાવે તેવા, આરાધકની ઉર્ધ્વગતિની ખુશાલીમાં નૃત્ય કરતી રવિરથનું પ્રમાર્જન કરતી ધજાઓથી અને ગગન ચુંબિત સુવર્ણ કળશેથી સુશોભિત શ્રી જિનચેથી સ્વર્ગભૂમિ સમાન શ્રી સુરત સદૈવ જ્યવંત વર્તે છે. પ્રભુશાસનના વિજયનાદના ઘટે નિરંતર એ ચૈત્યમાં વાગી રહ્યા છે. ભવસાગરમાં પ્રવહણ સમાન શ્રી જિન ચૈત્યોની નિરંતર પૂજા ભક્તિ વડે દેવમહેન્સની મૃદ્ધિની પ્રતિસ્પર્ધા કરતું સુરત સદેવ જયવંત વતે છે. વંદન હો એ ચિને. વંદન હો તીર્થભૂમિ તુલ્ય એ ક્ષેત્રને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ :: પ્રકરણ ૨ જી : : ચૈત્ય-( મૂર્તિ પૂજા વિચાર ) ચૈત્ય એટલે શ્રી જિનેશ્વર ભગવાનની પ્રતિમા ( જિનમિખ ) તેમજ શ્રી જિનાલય થાય છે. જેઓ મૂત્તિને નથી માનતા તેઓ ચૈત્ય શબ્દને ાવતા અર્થમાં ફેરવ્યા કરે છે. ચાલુ સમયમાં તમામ સંપ્રદાયેા તરફ એક સામટી નજર નાંખતા દેખાય છે કે પ્રભુપૂજાને અગે એ વર્ગ છે. એક મૂર્ત્તિ તથા મૂર્ત્તિપૂજાને માનનારા ( Idolator ) તથા ખીજો તેને નહિ માનનારો ( Non-idolator ) જો કે તે નહિ માનનારા વર્ગ પણ જુદા જુદા આકારનું આલેખન તા ધરાવે છેજ. આલંબન વિના તેા કાર્યસિદ્ધિ ઇંજ નહિ જેની વિચારણા આ સાથે થાય છે. મૂર્ત્તિને નહિ માનનારેશ વર્ગ માત્ર નહિ માનીનેજ શાંતિ ધારણ કરી શકતા નથી પણ જોઈએ છીયે કે તેના સતત વિધમાંજ તે પ્રભુ પૂજ માને છે. અસ્તુ. આપણે સામાન્યતઃ કેટલીક દલીલેશની યુક્તિ યુક્ત વિચારણા કરીયે. એમ કહેવામાં આવે છે કે પ્રભુ પૂજા હાય–પરમાત્મ પૂજા હાય, એનાથી પરમાત્મપદ મલી શકે પણ મૂર્ત્તિપૂજાથી શું ? મૂર્તિપૂજાથી શું એટલે મૂર્તિનીપૂજાથી શું વળે ? પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજાને વાસ્તવિક આ અર્થ જ નથી. સંસ્કૃત વ્યાકરણના નિયમાનુસાર સમાત્પન્ન આ “મૂર્તિપૂજા” શબ્દનો અર્થ પામવા ત્રણ પ્રકારે પ્રથક્કરણ કરી શકીયે અને પછી રહસ્ય મેળવવા જીજ્ઞાસા હોય તે જરૂર મેળવી શકીયે. મૂર્તિથી પૂજા, મૂર્તિની પૂજા અને મૂર્તિમાં પૂજા આ ત્રણું પ્રકારના અર્થ મૂર્તિપૂજાન થઈ શકે. મૂર્તિથી પૂજા એટલે મૂર્તિના સાધન વડે પરમાત્માની પૂજા પરમાત્માની પૂજાનું મૂર્તિ એ અસાધારણ કારણુ-પરમ ઉપકારી સાધન. અએવ પરમાત્માની પૂજાને માટે-મૂર્તિથી પરમાત્માની પૂજાને માટે મૂર્તિ પૂજા–મૂર્તિની પૂજા કરાય છે, અથવા મૂર્તિમાં પરમાત્માની જ પૂજા કરીયે છીયે. મૂર્તિમાંજ પરમાત્માનું આપણું કરીને મૂર્તિપૂજા કરાય છે. અગર જે મૂર્તિની પૂજા થતી હિત–પાષાણને જ પૂજવામાં આવતો હેત તો તેની આગળ થતા ચિત્યવંદને –સ્તવન-સ્તુતિઓ આદિ વિધિપૂર્વકની પ્રાર્થનાઓમાં એમજ બલાત કે “ હે મૂર્તિ ! તું સુંદર છે, સારા કારીગરના હાથે ઘડાયેલી છે, મનહર આકારવાળી છે, મુલાયમ પાષાણની બનેલી છે, અગર કિંમતી ધાતુની છે કિંવાસ્ફટિકાદિક રત્નની પ્રકાશમય છે વિગેરે– પણ ત્યાં તો રાષભદેવથી લઈ ભગવાન મહાવીર વિગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર દે–જિનેશ્વર દેવાની જ સ્તુતિ થાય છે, અથવા તો જેઓ જે દેવને માનતા હોય તેની તેની પ્રાર્થનાઓ અગર સ્તુતિઓ થાય છે, એટલે એ સિદ્ધ થાય છે કે વાસ્તવિક રીત્યા પરમાત્મ પૂજા થાય છે અને એ પરમાત્મપૂજાનું મૂર્તિપૂજા એ અસાધારણ સાધન છે. જેઓ વ્યાકરણ વિચાર સૃષ્ટિમાં વિચારી શકે તેઓજ તત્ત્વ-નિર્ણયાનંદ ક્ષેત્રમાં વિહરી શકે છે. અએવ મૂર્તિપૂજાથીજ પ્રભુની પૂજા, ધ્યાન, લય, વિગેરે થઈ શકે છે. એમ શંકા કરવામાં આવે છે કે અમૂત્તિમાન અશરીરી-નિરાકાર પ્રભુનું ધ્યાન સાકાર મૂર્તિથી કેમ થઈ શકે ? તેઓનેજ એ પ્રશ્ન કરવામાં આવે કે ત્યારે ભલા બતાવે તો ખરા કે એ નિરાકાર પરમાત્માનું ધ્યાનસ્તુતિ વિગેરે કેમ-કેવી રીતે કરો છો ? “હે પ્રભુ ! તું નિરાકાર છે, નિરંજન છે, અચિંત્ય છે, અનંત દયાળુ છે, ” વિગેરે. આ શબ્દ એ શું છે ? નિરાકાર પરમાત્મા સાકાર શબ્દથી પામવામાં વાંધો ન હોય તે મૂર્તિમાંજ વાંધો કેમ ? હૃદયમાં ધ્યાન ધરો ત્યાં પણ જરૂર કોઈ પણ પ્રકારનો આકાર તે ખડે થવાનો જ. આકાર માન્યા વિના છુટકે જ નથી. “ ડેક્કાર ” નું ધ્યાન ધરાય અને તેમાંએ પરમાત્મત્વની ભાવના રહે તો “હષ્કાર ” એ શું છે ? અક્ષરમૂર્તિ કે કોઈ બીજું ? સાકાર કે નિરાકાર? જડ કે ચેતન ? પ્રભુના નામની માળા ફેરવવામાં આવે છે ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ તેમાં પ્રભુના ગુણોની સ્થાપના થાય છે. માળાના મણુકા એ શું છે ? અગર જો એ મણકામાં ગુણાપણ થઈ શકે તો મૂર્તિમાં કેમ નહિ? એકસો આઠ મણકાના સંબંધે જેને દર્શન એમ માને છે કે અરિહંતના બારગુણ, સિદ્ધ ભગવાનના આઠ ગુણ, આચાર્યના છત્રીસ ગુણ, વાચક વરના ( ઉપાધ્યાયના ) પચીસ ગુણને મુનિના ( સાધુના) સત્તાવીસ ગુણએ એકસો આઠ ગુણની સ્થાપના વડે ૧૦૮ મણકાની માળા છે. મૂર્તિને નહિ પૂજનાર જૈન બંધુઓએ અત્રે વિચારવું ઘટે છે કે ૧૦૮ ગુણ જો માળાના મણકામાં આરોપી શકાય તો મૂર્તિમાં કેમ નહિ? વલી કેઇ એમ કહે છે કે સર્વ—વ્યાપી પરમાત્માને મૂર્તિ માત્રમાં સ્થાપન કરવો એ ઠીક નથી પણ એમ કહેનારાઓ પણ અમુક “ઈશ્વર “God ઝાડ” “ખુદા' વિગેરેમાં સમાવે છે અને “ ૩%કારમાં સકેચાવે છે તે માત્ર મૂર્તિની સાથેજ વધે એ કેવળ વિરેાધવૃત્તિને આભારી છે. જેઓ મૂત્તિને નથી માનતા તેઓ જુદા જુદા આકારને તે આશ્રય લે જ છે. પ્રાર્થનાનું મકાન, બંદગીનું દેવલ, અગર મસજીદ અગર સ્થાનક વિગેરે આકારને આશ્રય લીધા વિના તે કેઈનું ચાલતું જ નથી. અરે જે મૂર્તિ મતનું ખંડન કરનારા અક્ષર-પુસ્તકે એ પણ આકાર નહિ તે બીજું શું આકારના ખંડન માટે આશ્રય પણ આકારનેજ લેવાને તો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ પછી મૂર્તિ માનવામાં વાંધે ? વિશ્વને વ્યવહાર માત્ર આકારથી જ ચાલે છે. મૂર્તિને નહિ માનનારાઓ પણ તેમના ઉપદેશકના ફેટા તે રાખેજ છે. એ ફેટા (છબી ) ને આદરસત્કાર પણ કરે છે. એ ફેટાના અપમાનમાં અપમાન પણ મનાય છે તે ફેટે એ ચિત્ર મૂર્તિ છે. ત્યારે આ મૂર્તિને માનવામાં શું વાંધે ? અરે સારા આગેવાન પુરૂષનાં અમલદારનાં, રાજકીય કટુંબીકેના, રાજા વિગેરેના તથા રાષ્ટ્રીય પુરૂષનાં, તેમના સ્મરણાર્થે બાવલાં ખુલ્લા મુકાય છે એ મૂર્તિ પૂજા નહિ તે બીજું શું ? એ ફેટા, એ મૂત્તિ તેમના જીવનનું સ્મરણ કરાવે છે તો પછી પ્રભુની મૂત્તિથી પ્રભુના ગુણનું સ્મરણ ન થાય એમ માનવામાં કદાગ્રહની પરાકાષ્ઠા કે બીજું કાંઈ ! એ બાવલાઓનું યથાવિધ રક્ષણ થાય છે, બાવલાંઓને અગાડનાર ગુન્હેગાર ગણાય એ બધું તટસ્થ બુદ્ધિથી વિચારાય તે મૂર્તિપૂજા વિના સિદ્ધિજ નથી એમ પૂરવાર કરે છે. ઈતિહાસ ભણનારને પૂછે તે જણાવશે કે તે રાજાઓના ચિત્રોથી ભરેલાજ હોય છે અને તે ચિત્રોજ ગુણદોષ તથા તે તે સમયના રીતરિવાજોનું ભાન કરાવે છે. તે તે રાજાના વખતના પહેરવેશ, રહેણી કહેણી વિગેરે તે ચિત્રોજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ સમજાવે છે. ભૂગોળ માટે પણ તેમજ ખંડ, દેશ, પ્રાંત શહેર, નદી, પર્વત વિગેરેનું ભાન નકશાથી જ થાય છે. ભૂમિતિના ભણતરનું ચણતર બિન્દુ તથા લીટીઓમાંજ છે. આકૃતિઓ-કપાસ વિગેરે તમામ તેમાં આવશ્યક છે. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને પછી દકભાજક-લઘુતમ અપૂર્ણ ક–ત્રિરાશી-બહુરાશી-વિગેરે અનેક આકારેવાલું ગણિત પણ આંકડા અને અક્ષરેનેજ આભારી છે. જગતને વિસ્મય કરનારી અનેક શેધો પણ આકારને જ આભારી છે તથા ઉપરનું બધું એ જડ છે કે કોઈ બીજું? જડ દૂરબીનથી લાંબે દૂરના પદાર્થો પણ નજીક દેખાય છે. માનવજાતિએ પોતાની સગવડ માટે જે જે શોધ કરી છે તે બધા લાભ જડને જ આભારી છે અને એ શેાધના મૂળમાં એ આભાર તે જડને જ છે. અતએવ-મૂત્તિ–પ્રતિમાને સીધી રીતે નહિતે પ્રકાર તરે પણ વ્યક્તિમાત્ર માની રહેલ છે. હા ! માત્ર અમુક આકારવાલી મંદિર સ્થિત મૂર્તિને માનવા તથા પૂજવામાં વાંધો હોય ત્યાં નિરૂપાય અસ્તુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ : : પ્રકરણ ૩ જું : : ચૈ” વિષે વિશેષ વિચાર (દેવવિચાર) પ્રકરણ બીજાના પ્રારંભમાંજ જણાવવામાં આવ્યું છે કે ચૈત્ય શબ્દનો અર્થ “શ્રી જિનેશ્વર ભગવાનની પ્રતિમા” અથવા “જિનાલય " એટલે હવે એ વિષે વિચારીયે. ચૈત્ય એટલે શ્રી જિનેશ્વર ભગવાનની પ્રતિમા સંબંધી વિચાર. પ્રતિમા યા મૂર્તિ કેની પૂજવી ? જેનો જે અથી હોય તેણે તેની મૂર્તિ પૂજવી એજ વાસ્તવિક ઉત્તર. મુમુક્ષુપ્રાણુઓ (મોક્ષને ઈચ્છનાર) પ્રાણુંઓ કેની મૂર્તિને માને? કેની મૂર્તિને પૂજે ? જેઓ મેક્ષે ગયા હોય તેમની જ. તે પરમાત્માની જ. તે શ્રી જિનેશ્વર દેવની જ. મોક્ષને અર્થજ બ્રમણથી–ભવભ્રમણથી-જન્મજરા મરણાદિ સંકટથી સદાને માટે છુટકારો. એવા મેક્ષને મેળવનારજ દેવ કહેવાય–બાકી દેવયોનિમાત્રથી કહેવાતા દેવે તે સંસારાટવીમાં રખડ્યાજ કરે. રખડનાર બીજાને તારી શકે નહિ. મેક્ષને મેળવનાર દેવને ફરી અવતરવાનું હોયજ નહિ. જેમણે કર્મરૂપી બીજને સદંતર બાળી નાંખી આત્માનું સાદિ અનંત સ્વરૂપ સંપ્રાપ્ત કર્યું છે તે પરમાત્માને ફરી અવતાર વિગેરેની લીલાનો સ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ભવજ ન હોય. કર્મરૂપી બીજ સદંતર બળે ક્યારે? રાગદ્વેષના સર્વથા ક્ષયથી. રાગદ્વેષને સર્વથા જીતનાર તે શ્રી જિન અને એજ જગતના સાચા દેવ હોઈ શકે. જે દેવ પોતેજ ભટકતા હોય, વાસનાઓથી ઘેરાયેલા હેય, કામદેવથી કદર્શિત હેય, વિષય કષાયેથી ચકચૂર હય, તે દેવ માત્ર નામથી જ દેવપણું ધરાવે છે. તેવા દેવો કાંઈ મેક્ષ આપી શકે નહિ. મોક્ષ મેળવનાર દેવજ મેક્ષ આપી શકે. પ્રસંગે દેવસ્વરૂપની આટલી સંક્ષિપ્ત વ્યાખ્યા કરી છે. જીજ્ઞાસુએ શ્રી સભ્યત્વને લગતા ગ્રે જેવા. અઢાર દૂષણથી રહિત, રાગદ્વેષને સર્વથા જતી કર્મક્ષય વડે કેવળજ્ઞાન કેવળદર્શન સંપ્રાપ્ત કરી શિવપદાધિકારી થયા તજ દેવ–અને એજ દેવ આરાધ્ય અને એજ દેવની પ્રતિમા એટલે શ્રી જિનેશ્વર દેવેની પ્રતિમાજ આરાધ્ય. પ્રતિમા ઉપરથી પણ તે તે દેવની પરિક્ષા થઈ શકે છે. કેટલાક દેવની પ્રતિમાઓના હાથમાં હથીયાર હોય છે, કેટલાકના હાથમાં માળા હોય છે, કેટલાક ઉસંગમાં અગર પાસે સ્ત્રી સાથે હોય છે, કેટલીક મૂર્તિઓના તે દેખાજ કુર હોય છે અને આ બધું તે તે દેવેની પરિસ્થિતિ સૂચવે છે. જ્યારે શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા યાને મૂર્તિ કેવળ વીતરાગપણનેજ સૂચવે છે. એ પ્રશમરસભરી મૂર્તિ જ પૂજવા ગ્ય છે. એજ દેવ અહં (પૂજવા ગ્યો છે. બીજા દેવેની પરિસ્થિતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૬ એસ ખતાવે છે કે તે અધુરા છે, અગર કાઇથી ભયભીત ૐ અગર વિલાસ અને સહારાદિ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત છે. વિથયામાં આસક્ત છે જ્યારે શ્રી જિનેશ્વર દેવાની પ્રતિમા તે કેવળ શાંતરસના સામ્રાજ્યનેજ છાઈ દે છે, અને હાયજ કારણ કે તેઓનું જીવનજ શાંત-વિશુદ્ધ કેવળ વિશુદ્ધ. વિશુદ્ધ આત્મસ્વરૂપ-દર્શન માટે શ્રી જિનેશ્વરદેવની પ્રતિમાજ અસાધારણુ સાધન છે. ?? કાઈ એક વખતે એક ધર્મદ્વેષી અને વિઘ્નસ તાષી બ્રાહ્મણે આવી ભેાજરાજાને જણાવ્યું કે “ મહારાજા ! પુરાહિત ધનપાલ તા જરૂર જૈન થઈ ગયેલ છે અને તે શ્રી જિનદેવ સિવાય બીજા કાઈને નમતા પણ નથી. આ વાતની પરિક્ષા કરવા એક વખત ભાજરાજાએ પૂજાની તમામ સામગ્રી આપી ધનપાલને દેવપૂજા કરી આવવા ક્રમાવ્યું અને તેની પાછળ ગુપ્તચરા રાખ્યા કે જેઓ છુપી રીતે તપાસ રાખે અને આવીને સત્ય હકીકત જણાવે. પ્રથમ ધનપાલ કાઇ દેવીના મંદિરમાં ગયા, ત્યાંથી ભયભીત થઈ બહાર નીકળી શિવાલયમાં ગયા ત્યાં પણ આસપાસ ફ્રી વિષ્ણુમંદિરે ગયા ત્યાં ઉત્તરીયવસ્ત્રથી દેવનુ રૂપ ઢાંકી ત્યાંથી આગળ ચાલ્યા પછી મરૂદેવાનંદન પ્રથમ જિનેશ્વર શ્રી ઋષભદેવ સ્વામિના માંદેરમાં જઈ ત્યાં પૂજા કરી. રાજાના ગુપ્તચરાએ આ સર્વ વ્રત્તાંત રાજાને અગાઉથી જઇ પહોંચી સારી રીતે જાણ્યેા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ શાંતચિત્તે પૂજન કર્યા બાદ ધનપાલ જ્યારે રાજદ્વારે આવ્યો ત્યારે રાજાજે તેને પૂછયું કેમ ધનપાલ, તમે દેવપૂજા કરી?” ધનપાલે જણાવ્યું “સ્વામી! મેં પરમ આહલાદથી દેવપૂજા કરી.” પછી રાજાએ પૂછયું, તમે દેવીના મંદિરમાંથી ભયભીત થઈને કેમ નાઠા? ધનપાલે ઉત્તર આપે “સ્વામી! તે ભવાનીના હાથમાં ત્રિશૂળ ધારણ કરેલ હતું, લલાટ પ્રદેશે ભ્રકુટી ચડાવેલી હતી અને વળી પાડાનું મર્દન કરતી હતી. તેથી આ દેખાવથી જ હું ભય પામી ગયો. મેં વિચાર કર્યો કે અત્યારે દેવીને યુદ્ધાવસર છે. પૂજાને સમય નથી. ફરી રાજાએ પૂછ્યું કે વારૂ! તમે શ્રી વિષ્ણુદેવની પૂજા કેમ ન કરી? કવિશ્વર ધનપાલે જણાવ્યું, “રાજે ! વિષ્ણુ પિતાની સ્ત્રીને સાથે રાખી રહેલા હતા તેથી મેં વિચાર કર્યો કે આ વખતે વિષ્ણુજી અંત:પુરમાં એકાંત છે માટે હમણા પૂજાના વખત નથી.” આમ વિચારી પાછા ફર્યો અને તેમની એ એકાંત બીજાઓ જોઈ ન જાય તે માટે મેં તેમનું રૂપ (તે અવસ્થા) ઉત્તરીયવસ્ત્રથી ઢાંક્યું. ફરી રાજાએ પૂછ્યું કે “ત્યારે પાર્વતિપતિ ભેળાનાથ શ્રી શંકર દેવની પૂજા કેમ ન કરી?” ધનપાલે તરતજ ઉત્તર આપે કે – अकंठस्य कंठे कथं पुष्पमाला, विना नासिकायाः कथं धूपगंधः Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ अकर्णस्य कर्णे कथं गीतनादः .. अपादस्य पादे कथं मे प्रणामः અર્થ–જેને કંઠ ન હોય તેને પુષ્પમાલા પહેરાવવી કયાં? નાસિકા વિના ધુપ-ગંધ સમય શી રીતે ? કાન વગર ગીત-સંગીત સંભળાવાય છેને ? ચરણ વગર પ્રણામ (વંદન) ક કરવા ? ત્યારે ભેજરાજાએ પૂછયું—“ ત્યારે મારી આજ્ઞા વિના તમે ઋષભદેવની પૂજા કેમ કરી ?” ધનપાલે તરતજ સ્પષ્ટત્યાં સંભળાવી દીધું કે “આપે મને દેવની પૂજા કરવાની આજ્ઞા કરી હતી અને તે દેવપણું તો મેં શ્રી રાષભદેવભગવાનમાં જોયું. એ મૂર્તિ દ્વારા અનુભવ્યું. તેથી મે તેમની પૂજા કરી. ” માલિની प्रशमरस निमग्नं, दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमंकः कामिनि संग शुन्यः। करयुगमपियत्ते शस्त्र संबंध वंध्यं, तदसि जगति देवो वीतराग स्त्वमेव ॥ અર્થ–જેમનાં બે નેત્રો સમતારસમાં નિમગ્ન છે, જેમનું વદનકમલ પ્રસન્ન છે, જેમને ઉત્સગ (ળ) રીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સંગથી રહિત છે, અને જે માટે શસ્ત્રોના સંબંધથી રહિત એવા તમાસ એ હાથે તે માટે તમેજ એક વીતરાગ દેવ છે. “ એવા ત્યાગી વીતરાગ દેવ શ્રી ઋષભદેવ સ્વામીની મે પરમભક્તિ પૂર્વક પૂજા કરી. ” અને એવા વીતરાગદેવની મૂર્ત્તિજ માનવા પૂજવા ચેાગ્ય છે. A6IN ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ : : પ્રકરણ ૪ શું : : ચિત્યના અર્થનું સમર્થન. હવે ચિત્ય એટલે શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા-શ્રી જિનાલય-એ અર્થના સમર્થનમાં થોડુંક વિચારવું આવશ્યક છે. જેઓ ચૈત્ય શબ્દને ફાવતા અર્થમાં ફેરવે છે તેમને માટે જરૂર કાંઈક પ્રયાસ હિતાવહ છે. આજ્ઞામાં ધર્મ છે, બાકી. કુતર્કો વડે ઉન્માર્ગ ગમનમાં ધર્મ નથીજ. સારું તે મારૂં” એ સૂત્ર ઉપાદેય હોવું જોઈએ. મારું એજ સારૂં” એ તો કદાગ્રહ. કદાગ્રહમાં ધર્મ ન હોઈ શકે. શ્રી સમવાયાંગ નામના ચેથા અંગસૂત્રમાં સમવસરણનું વર્ણન કરતાં લખે છે કે – જપરા નોકર ને ઘઉં.” टीका-"कल्पभाष्य क्रमेण समवसरणवक्तव्यताज्ञेया." સમવસરણની વક્તવ્યતા (સ્વરૂપ) શ્રી બૃહત્ કલ્પભાષ્યમાં કહેલ કમથી જાણવી. જ્યારે શ્રી સૂત્રકાર પોતે જ શ્રી બૃહત્ કલ્પભાષ્યની ભલામણ કરે એટલે શ્રી બૃહત કલ્પભાષ્યને માન્યા વિના ટકોજ નથી અને તેમાં નીચે મુજbe જણાવે છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ તિવિત્તિ વિદા ગણાવે સેવા” टीका-" यासु च दिक्षु भगवतो मुखं न भवति तासु तिसवपि तीर्थकराकार धारकाणि सिंहासन-छत्र-चामरधर्मचक्रालंकृतानि प्रतिरूपकाणि देवकृतानि भवन्ति. અર્થ–જે દિશાઓમાં ભગવાનનું મુખ ન હોય તે ત્રણે દિશામાં સિંહાસન, છત્ર, ચામર અને ધર્મચક્રથી અલંકૃત શ્રી તીર્થકરના આકારને ધરનાર પ્રતિમાઓ દેવોએ કરેલાં હોય છે. તેમજ શ્રી આવશ્યકસૂત્રમાં કહે છે કે – તિવિહં દિવો સેવાય” टीका-" शेषासु तिसृषु दिनु प्रतिरूपकाणि तु तीर्थकराकदीनि सिंहासनादि युक्तानि देवकृतानि भवन्ति. અર્થ–બાકીની ત્રણ દિશાઓમાં તીર્થર સમાન આકૃતિવાલાં અને સિંહાસનાદિકે કરીને સમન્વિત પ્રતિબિંબ (પ્રતિમાઓ) દેવોએ કરેલાં હોય છે. ૧. જુઓ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્દ વિજયદાન સુરીશ્વર વિર'ચિત્ર જ વિવિધ જૈનપ્રશ્નોતર ” ગ્રંથ ભાગ ૧ લે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના સમવસરણમાં જ પ્રતિમા (મૂર્તિ) ની સ્થાપના દર્શાવનારા આ સૂત્રપાઠાજ શ્રદ્ધાન્વિત મુમુક્ષુ માટે પૂરતા કલ્યાણ પ્રદ છે. પ્રશ્ન—ચૈત્ય શબ્દને અર્થ જિનપ્રતિમા કહે છે એ વાતનું પ્રમાણ ક્યાં ? આ બધું તમે કહ્યું તેમાં તે રિહર શબ્દ છે. ઉત્તર–ઠીકજ છે. પ્રતિમા યાને મૂર્તિ નથીજ માનવી એમ કહીને એટલે બસ છે, છતાંએ સાંભળે, ચૈત્યની વાત પણ આવે છે. ધીરજ રાખે. જે કે અમારે તો ચૈત્યવંદન કરવાનું એટલે વારંવાર ચિત્ય શબ્દ આવે અને પ્રતિમાને વંદન કરીએ પણ જેને માનવી ન હોય તે ત્યાં પ્રતિમા અર્થ હોય ત્યાં પણ ભલે ગમે તે અર્થ કરે. અમે તે “જાવંતિ ચેઈઆઈ માં, “અરિહંત ચેઈયાણું, માં આવતા પાઠથી સમજી જ રહ્યા છીયે. જગચિંતામણિના ચૈત્યવંદનમાં પણ છેલ્લે “તિ એ વિશેષ જાસુએ “વિવિધ જૈન પ્રશ્નોતર” ગ્રંથ ભા. ૧૯ જે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ ચેઈએ વંદેમાં પણ એજ અર્થ અમે તે કરીયે છીયે-વિગેરે અમારે તો ડગલે ડગલે ચૈત્ય સાથે જ વાત છે. ચિત્ય એટલે તે અમારા આત્મજીવનને પરમ આધાર. પણ અલબત્ત તમારા માટે પણ કંઈક બીજું બતાવાય તે ઠીક પપાતિક સૂત્રમાં કેણિક રાજાની ચંપાનગરીનાં * વર્ણનમાં સૂત્રકાર મહર્ષિ લખે છે કે – વફૂત્ર સહિંત વેરા” અનેકાર્થસંગ્રહમાં પણ કહ્યું છે કે– चैत्यं जिनौकदिवं चैत्यो जिनसभा तरु इत्य नेकार्थ દે. હા, જે તમને અર્થની જરૂર હોય તે અનેકાથેસંગ્રહમાં પણ ઉપર મુજબ છે. શ્રી આવશ્યક સૂત્રમાં પણ કહ્યું છે કે"सब्बलोइ सिद्धाई अरिहंत चेइयाइंतेसि चेव पडिमाओचिति संज्ञाने संज्ञान समुदते काष्ठ कर्मादिषुमतं दृष्टा इति જે ચિત્યને અજ્ઞાન મનાય તો એક વચન છે જ્યારે ક્યારૂ એ તે દ્વિતીયાનું બહુવચન છે. હા, પણ વ્યાકરણને • જુઓ વિવિધ પ્રશ્નોત્તર ગ્રંથ ભા. ૧ લે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ આશ્રય તે લેવોજ પડે. વ્યાકરણનેજ વ્યાધિકરણ મનાય તે તે હૃદયને લાગેલી વ્યાધિ ખસી શકે નહિ. શ્રી રાયપણ સૂત્રમાં સૂર્યદેવના અધિકારમાં ૯ ડું હૂ ઉનાવા જિનેશ્વરોને ધુપ કરને” જિનમૂર્તિઓને જિણવરાણું શબ્દ સંદેવા છે એજ સિદ્ધ કરે છે કે જિન પડિમા જનસારિખી, અસ્તુ. ચિત્ય એટલે શ્રી જિનાલય-શ્રી જિનપ્રતિમા એ સિદ્ધજ છે. પાને પાને ચિંત્યજ અને ય એટલે શ્રી જિન બિંબજ–સર્વથા સિદ્ધ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ર૫ :: પ્રકરણ ૫ મું. :: મૂર્તિપૂજનની સિદ્ધિ અને તેના લાભ. પ્રશ્ન–ઠીક, પણ પ્રતિમાજીને પૂજવાથી લાભ શું? તેના ઈતિહાસિક પ્રમાણે શ્યાં? ઉત્તર–પ્રથમ કહેવાઈ ગયું છે કે પરમાત્માની પૂજામાં પ્રતિમાજીની (મૂર્તિની) પૂજા એ અસાધારણ સાધન છે. લાભાલાભનો સંબંધ તો આત્મા ધ્યાનની એકાગ્રતા ઉપર છે અને સાથે સાથે જ એ એકાગ્રતાનું પરમ સાધન એ મંગલ મૃજિ છે. એના દષ્ટાંતે તો જગે જગે મળે છે. પણ હા, જો ખપ હોય તે– મુગલ સમ્રાટ દીલ્લી પતિ અકબર બાદશાહના વખતમાં ડતા નગરીનો રાજા વીર જયમલ તથા કેલવાર પતિ ફતેસિહ-એ ઉભય શૂરવીર ક્ષત્રીય રાજાઓ મિત્ર હતા. ન્યાયી સ્વધર્મનીષ્ટ અને ટેકીલા તેઓ સદેવ પ્રજાવત્સલ હતા છતાં ગૃહકલહના પરિણામે જેમ બધા ક્ષત્રિના સંબંધમાં બન્યું તેમ તેના સંબંધમાં પણ બન્યું. યુદ્ધમાં તે બન્ને વીરે દગાથી મરાયા અને તે પણ બાદશાહ અકબરના હાથે. બાદશાહે જ્યારે જાણ્યું કે આ બંને વરનરોને દગાથીજ મરાવાયા છે. તેઓ જરૂર વીરનર હતા અને તેમના મૃત્યુમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ હું નિમિત્ત થયો છું તથા આવા ન્યાયી વીર ક્ષત્રિયે એ મારા શૂરા દાના દુશ્મને આ ફાની જહાંનમાંથી અલગ થયા છે, ત્યારે તે ભારતવર્ષના સમ્રાટ ઘણેજ પસ્તાય એટલું જ નહિ પણ લાયકને લાયક માન આપવા તેમજ જગતને બોધપાઠ આપવા શાહાનાશાહ એ દાના અકબર પાદશાહે એ ઉભય વિરક્ષત્રિની પ્રતિમા–મૂર્તિઓ કરી પ્રજા સમક્ષ પિતે તેનું પૂજન કરી જગતને “વીર–પૂજન અને પાઠ વીરની પ્રતિમા પૂજનથી શીખવ્યું. - જે લૈકિક વીર પુરૂષની પ્રતિમાનું આ રીતે પૂજન થાય તો પછી લોકેત્તર વીર પુરૂષોની પ્રતિમા પૂજનમાં શંકાને સ્થાન જ કયાં છે? આ તે માત્ર સાંસારિક દ્રષ્ટિએ વિર, પણ પ્રભુ કે જે મહાવીર-વીરોના વીર–કર્મને સર્વથા ક્ષય કરનાર, જેમના ચરણમાં ત્રણે જગત નમે, ચક્રીઓ અને ઇંદ્રો આળેટે તેની પ્રતિમાના પૂજનમાં વાંધાજ કેમ હોય? - એક વખત પ્રસન્ન થયે સતે ગુરૂ દ્રોણાચાર્યે પરમવિનીત વીર અર્જુનને વચન આપ્યું હતું કે ધનુર્વિદ્યા સંપૂર્ણતયા તારા સિવાય કોઈને પણ હું શીખવીશ નહિ. કેટલાક સમય બાદ એ બાણાવળી વીર અર્જુન કોઈ એક વનમાં જાય છે. ત્યાં કેટલાક ઝાડે પર નજર કરતાં પાંદડે પાંદડું કેઈની અપૂર્વ ધનુર્વિદ્યાની સાક્ષી પૂરે છે. એ ધનુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ વિદાધરની તપાસ કરતાં તે એક ભીલ્લા નીકળે છે. અર્જુન ખેદ પામે છે. વિનીત એવો અર્જુન પણ ગુરૂના વચનમાં શંકા ધરવાની ઉતાવલ કરી ખેદ પામે છે. એનું કારણું આગ્રહથી ગુરૂ દ્રોણાચાર્ય પૂછે છે. વિનીત વીર અર્જુન સવિનય ઉપરની વાત રજુ કરે છે. ગુરૂ પણ આશ્ચર્ય પામે છે. ગુરૂ અજુનને ખાત્રી આપે છે કે હે કોઈને વિદ્યા શીખવી જ નથી તેમજ એ ભીલને હું જાણતો પણ નથી અરે મેં તેને જોયો પણ નથી. ફરી દ્રોણાચાર્ય ગુરૂ તથા વિનીત શિષ્ય વીર અર્જુન ઉભય ત્યાં જાય છે. વિશેષતઃ તપાસ કરતાં જણાય છે કે તે ભલે ગુરૂ દ્રોણાચાર્યની માટીની મૂર્તિ બનાવી હતી અને તેની ગુરૂભાવે અપ્રતિમપણે તે પૂજા કરતો હતો અને એ જ કારણે તે ભીલ વિના શિક્ષકે તે વિદ્યા સોપાંગ મેળવી શકો હતો. અરે અર્જુન પણું વિસ્મય પામે તેવી રીતે એ વિદ્યાને તે કેળવી શક હતો. રીતસરની તાલીમ આપનાર કઈ હતું નહિ. માત્ર વિદ્યાને જ પ્રધાન હેતુ છતાં ગુરૂ મૂર્તિ પ્રતિ તેને ભક્તિભાવ અનન્યજ હતો. મૂર્તિજ સાધન બને છે, તો પછી વીતરાગત્વ મેળવવા પૂજ્ય વીતરાગદેવની પ્રતિમાનું પૂજન એજ પ્રબળ સાધન હોય એમાં આશ્ચર્ય શું? શ્રી દશવૈકાલિક સૂત્રમાં જણાવે છે કે સ્ત્રીના ચિત્રામણ સામે જોવાથી પણ કામ વિકાર ઉપજે છે અને માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ તો ત્યાં દેષ બતાવ્યું છે. આ વાત સામાન્ય છે. વિશ્વાસુભવવાળી છે. જે સ્ત્રીનું ચિત્ર દેષ પ્રેરી શકે તે વીતરાગદેવની પ્રશમરસભરી અભૂત-અપૂર્વ પ્રશમરસ-અમર વીતરાગ– જરૂર પ્રેરી શકેજ-અપ કેજ-એમ માનવામાં વાં સ્પે. બેશક-તેના આરાધકને-ગ્રાહકને યત: ગ્રાહક ચાહક હોય તે, વાહન વાહક થાય. સૂત્રમાં જંઘાચારણ વિદ્યાચારણ મુનિએની તીર્થયાત્રાની તથા ચૈત્ય વંદનાની વાતે વારંવાર આવે છે. સૂર્યાભ દેવતા ઉત્પન્ન થતી વખતે પોતાના સમાન દેને તે પૂછે છે કે આ વિમાનમાં મને પૂર્વ અને પશ્ચાત હિતકારી કેણુ છે? દેવતાઓ જણાવે છે કે શ્રી જિનપ્રતિમા તથા જિનઅસ્તિઓ. આ વાત શ્રી રાયપણું સૂત્રમાં છે. દેવલોક પણ શ્રી જિનપ્રતિમાઓથી ભરેલ છે અને અહર્નિશ વિવેકી દેવતાઓ પૂજન કર્યા કરે છે એમ શાસ્ત્ર કહે છે. તીર્થ વંદન છંદમાં તેના રચનાર એનું વર્ણન નીચે મુજબ જણાવે છે– સકળ તીર્થ વંદૂ કરજેડ, જિનવર નામે મંગલ કોડ; પહેલે સ્વર્ગે લાખ બત્રીશ, જિનવર ચૈત્ય નમું નિશદિશ. ૧ બીજે લાખ અઠ્ઠાવીસ કહ્યાં, ત્રીજે બાર લાખ સહ્યાં; ચોથે સ્વર્ગ અડલખ ધાર, પાંચમે વંદુ લાખજ ચાર. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ છઠું સ્વર્ગે સહસ પચાસ, સાતમે ચાલીસ સહસ પ્રાસાદ, આઠમે સ્વર્ગ છ હજાર, નવ દશમે વંદુ શત ચાર. ૩ અગીયાર બારમે ત્રણસે સાર, નવ ઐય કે ત્રણસેં અઢાર પાંચ અનુત્તર સર્વે મળી, લાખ ચોરાશી અધિકાં વળી. ૪ સહસ સત્તાણુ વીસ સાર, જિનવર ભુવન તણો અધિકાર; લાંબા સો જે જન વિસ્તાર, પચાસ ઉંચા બહોતેર ધાર. ૫ એકસે એંસી બિબ પ્રમાણ, સભા સહિત એક ચેત્યે જાણ; સો કોડ બાવન કોડ સંભાળ, લાખ ચોરાણું સહસ ઐઆળ. ૬ સાતસે ઉપર આઠ વિશાળી, સ્વી બિંબ પ્રણમું ત્રણ કાળ; સાત કોડને બોતેર લાખ, ભુવન પતિમાં દેવલ ભાખ. ૭ એકસો એંશી બિંબ પ્રમાણ, એક એક ચૈત્ય સંખ્યા જાણ; તેરસે કોડ નવ્યાશી કોડ સાઠ લાખ વંદુ કર જોડ. ૮ બત્રી ને ઓગણસાઠ, તિછો લોકમાં ચયનો પાઠ રણ લાખ એકાણું હાર, ત્રણવીસ તે બિંબ જુહાર. ૯ બંતર જ્યોતિષિમાં વળી જેહ, શાશ્વતજિન વંદુ તહ; રિષભ ચંદ્રાન નવારિખેણ, વર્ધમાન નામે ગુણશેણુ. ૧૦ સમેતશિખર વંદુ જિન વીસ, અષ્ટાપદ વંદુ વાસ; વિમલાચલને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જુહાર. ૧૨ સંખેશ્વર કેસરિયો સાર, તારગે શ્રી અજિત જુહાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ અંતરિક વરટાણે પાસ, જીરાવલેને થંભણ પાસ. ૧૨ -ગામ નગર પુર પાટણ જેહ, જિનવર ચૈત્ય નમું ગુણગેહ; વિહરમાન વંદુ જિન વીસ, સિદ્ધ અનંત નમું નિશદીસ. ૧૩ અઢીદ્વીપમાં જે અણુગાર, અઢાર સહસ સિલાંગના ધાર; પંચ મહાવત સમિતિ સાર, પાળે પળાવે પંચાચાર. ૧૪ બાહ્ય અત્યંતર તપ ઉજમાળ, તે મુનિ વંદુ ગુણ મણિમાળ; નિવનિત્ય ઉઠી કીર્તિ કરું, જીવ કહે ભવસાયર ત. ૧૫ સ્વર્ગ મૃત્યુ પાતાળ ત્રણે લોકમાં રહેલ જિનાલયજિનબિંબને વંદન ઉપરના છંદમાં કરેલ છે જેમાં જિનાલય અને જિનબિંબની વાતો લાખો કરોડેથીજ છે. જગચિંતામણિ ચિત્ય વંદનમાં પણ જણાવેલ છે. સત્તાણુવઈ સહસ્સા, લખા છપ્પન અડિઓ, બત્તીસય બાસિ આઈ, તિઅલએ ચેઈએ વંદે. પનરસ કેડિસયાઈ કેડિબાયાલ લખ અડવન્ના; છત્તીસ સહસ અસિઆઈ. સાસય બિંબાઈ પણમાસ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ :: પ્રકરણ ૬ ઠું. :: મૃતિપૂજનની સિદ્ધિ સમયાદિની વિચારણું અને તેના લાભ. (ચાલુ) મંત્રીશ્વર અભયકુમારે આર્કક દેશના આદ્રક કુમારને મૈત્રી ભેટમાં શ્રી જિનપ્રતિમાજ મોકલી હતી અને એ પ્રતિમાજ-એ મૂર્તિજ એ આદ્રક કુમારના જીવન પલટાનુંજીવને દ્વારનું પરમ સાધન બને છે એ સુપ્રસિદ્ધ છે. પ્રતિ વાસુદેવ રાવણે પણ ચૈત્યમાં પ્રભુની મૂર્તિ સામે નૃત્ય કરતાં જ તીર્થર નામ કર્મ ઉપાર્જન કર્યું છે. મહાસતી દમયંતી (ભીમકતનયા–નલપત્નિ) એ પાછલા ભવમાં–સંગર ગામે મમણ રાજાની વીરમતિ નામની રાણીના ભાવમાં અષ્ટાપદે જઈ ચોવીસે પ્રભુની (બિંબની-મૂર્તિની) પૂજા કરી હતી અને એ મૂર્તિને રત્નજડિત સુવર્ણ તિલક ચઢાવ્યા હતા અને ત્યાં ભાત્પન્ન પુણ્યદયે દમયંતીના ભાવમાં સૂર્યસમાન પ્રકાશવાળું સ્વાભાવિક ભાલ તિલક તેણીને સાંપડે છે. પછી એ ભવમાં તો તે પૂજનાદિ કરે એમાં તે આશ્ચર્યજ શું? પ્રમાણે તે પગલે પગલે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩ર - શ્રી સુધર્મા સ્વામિ વિરચિત શ્રી જ્ઞાતા સૂત્રમાં સતિ દ્વપદીએ કરેલી જિનપૂજાનું વિસ્તૃત વર્ણન છે. આ પદીજી (પાંડવ પત્નિ) શ્રી શ્રેણિક રાજાથી ચેર્યાશી હજાર વર્ષ પૂર્વે શ્રી નેમિનાથ ભગવાનના સમયમાં થયેલ છે. અને દેવી દમયંતી તે દેવી દ્રપદીથી પણ ઘણું સમય પહેલાં થયેલ છે. વગુર નામના શ્રાવકે શ્રી મલ્લીનાથ સ્વામીનું મંદિર બંધાવ્યાની વાત શ્રી આવશ્યક સૂત્રમાં આવે છે. આ અવસર્પિણીમાં આ ભરતક્ષેત્રના પ્રથમ તીર્થકર યુગલ ધર્મ નિવાર શ્રી નાય (શ્રી નાભિ રાજાના પુત્ર શ્રી આદિનાથ યાને શ્રી બાબભદેવ ભગવાન) સ્વામીના પ્રથમ પુત્ર–આ અવસર્પિણમાં આ ભરતક્ષેત્રના પ્રથમ ચક્રવત્તિ (ધર્મચકી પિતાના પુત્ર જેમણે આરીસા સામે લાવના ભાવતાં કેવળજ્ઞાન મેળવ્યું હતું. વંદન) ભરત મહારાજાએ. અષ્ટાપદ તીર્થ પર શ્રી જિનમંદિર કરાવ્યું, ને તેમાં ચોવીસે તીર્થ પતિઓના શરીર પ્રમાણ મૂર્તિઓ પધરાવી જેની યાત્રા છેલ્લે લબ્ધિબળે ત્રિશલાનંદન ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ ગણધરદેવ શ્રી ગૌતમસ્વામિ (જેમના દીક્ષિત દરેકે દરેક સાધુને કેવળજ્ઞાન થયેલ છે) એ ક્યનું વૃત્તાંત સુપ્રસિદ્ધ છે. શ્રી સંખેશ્વરજી તીર્થની-શ્રી સંખેશ્વરજી પાર્શ્વનાથની પ્રતિમાના ઈતિહાસ તરફ અવલોકન કરો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ એ દિવ્ય ચમત્કારી ભવ્ય મૂર્તિ ગઈ ચોવીશીમાં આષાઢી શ્રાવકે ભરાવી અને તેની પિતે ઘણુ કાળ પર્યંત ભક્તિભાવે પૂજા કરી. ત્યાર બાદ માનએ, દેએ, ઈદ્રોએ પૂજેલી એ પ્રતિમાની વાત જૈન સમાજમાં સુવિદિત છે. કૃષ્ણ જરાસંઘના યુદ્ધ પ્રસંગે એ પ્રતિમાનું પ્રાગટય વૃત્તાંત જાણીતું છે. શ્રી કૃષ્ણનો વિજય-વિજય શંખાનુસાર શ્રી સંખેશ્વર ગ્રામે શ્રી સંખેશ્વર તીથે થયું. સ્તંભન પાર્શ્વનાથ અને ચાર તીર્થની પાર્શ્વનાથની પ્રતિમાજીને ઈતિહાસ પુરા અને ચમત્કારિક છે. સિદ્ધ થાય છે કે મૂર્તિ–મૂર્સિ પૂજન ઘણા પ્રાચિન સમયથી છે એમ કહેવું એ પણ બરાબર નથી પણ અનાદિ કાલથી છે એમ કહેવું એજ વાસ્તવિક છે. જમીનમાંથી ખોદતાં એ ઘણી વખત પ્રાચીન મૂર્તિઓ નીકળે છે. હિંદુસ્તાનમાં તે નીકળે એમાં શું નવાઈ પણ હજારો વર્ષોથી જ્યાં જેનોની વસ્તી પણ નથી એવા યૂરોપાદિ સ્થળે પણ નીકળે છે. યૂરોપમાં હંગારીના મુખ્ય શહેર બુદાપેસ્ટ શહેરમાં એક અંગ્રેજને મહીરની પ્રતિમા જમીનમાંથી મળી છે જે તેણે પિતાના બાગમાં રાખી છે જેને ફેટે પંજાબમાં જસવંતરાય જેની પાસે છે. (જુઓ વિવિધ પ્રશ્નોત્તર ગ્રંથ ૧ લો). અસ્તુ. અનાદિકાલથી મૂર્તિપૂજન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સિદ્ધજ છે. જે જમાના આખાએ મૃત્તિ –આકાર સાથે લીલા કરી રહ્યો છે, આકાર મળે તા આકારોના દુરૂપયોગ કરી રહ્યો છે, એમાંજ જગત આગળ વધી રહ્યું છે એમ માને છે, તે જમાનામાં એ મૂર્તિ માનવાની ના કહેવી એ કેવળ કદાહજ છે—મૂર્તિની ભલે ના કહેવાય પણ ચિત્ર-ફેટે તે પ્રમાણાતીત ને તેના ઉત્કર્ષ માટે તે કેમેરાદિ અનેક ઢળાએ કાને ગ્રાફ અને સીનેમેટાગ્રામાં તે જગત ઘેલુ આ બધું શું છે ? મૂર્તિની ના પાડનાર પાકીટમાં–લાકીટમાં કે કાટ જાકીટમાં-જરૂર એકાદ ફાટા તા ખરોજ. ત્યાં પ્રેમઆદર મળ્યુંએ— .. 2 પરમકૃપાળુ પરમાત્માની પ્રતિમા ( મૂત્તિ ) માંજ વાંધા એજ મહેદાશ્ચર્ય અગર મહદ્ દુર્ભાગ્ય-કિમહુના મૂર્તિ આરાષ્યજ છે. શ્રી જિનપ્રતિમા શ્રી જિનસટશ છે. દલીલેામાં નિર્ત્તર થતાં કેટલાક કુતર્કવાદીએ હિંસા વિગેરેની વાતા લાવે છે. હિંસા અહિંસાનું વાસ્તવિક સ્વરૂપ સમજ્યા વગર અગર સમજ્યા છતાં કદાગ્રહ ખાતરના એ અધા ફાંફાં છે. એવા વિશધ દર્શાવનારાએ મૂર્તિપૂજા શિવાયની તેવાજ વિરાધવાલી તમામ પ્રવૃત્તિ આચરી રહેલ હાય છે જેની સિસાંસા લખતાં તે ખાસ એ વિષયના આ ગ્રંથ ખની જાય. એ વિષય પરત્વે ઘણું લખાયું છે. જિજ્ઞાસુઓએ તે તે ગ્રંથા જોવા જેવા કે—ઉપાધ્યાયજી શ્રીમદ્ યશેાવિજયજી કૃત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમાશતક, તથા આચાર્યદેવ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વર કૃત શ્રી સમકિત શલ્યા દ્વાર–તત્વનિર્ણય પ્રાસાદાદિ. વિગેરે ગ્રંશ જોવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૬ :: પ્રકરણ ૭ મુ પ્રૂત્તિ પૂજન-તી પૂજન-પ્રભાવ. મૂર્ત્તિ એ મેાક્ષમાર્ગનું પરમ આલખન છે. મૂર્ત્તિ જિનાલય અને તીથ એજ સ્થાવર તીર્થ. તારે તેને તી કહીયે. પ્રભુ–વિહરમાન પ્રભુએ જંગમતી અને મૂર્ત્તિતીય એ સ્થાવર તી-ચૈત્ય એટલે શ્રી જિનેશ્વરદેવની મૂર્ત્તિ અને તે શ્રી જિન સરખીજ. શાર્દૂલવિક્રીડિત—— पापं लुम्पतिदुर्गतिं दलयति व्यापादय त्यापद, पुण्यं संचिनुते श्रियं वितनुते पुष्णातिनीरोगताम् । सौभाग्यं विदधाति पल्लव यतिप्रीतिं प्रसूते यशः, स्वर्गच्छति निर्वृतिं च स्व यत्य चर्हितां निर्मिता ॥ શાતકિ શ્રી સામપ્રભસૂરિ અ—જિન ભગવાનની પૂજા પાપને લેાપે છે, દુર્ગતિને નિવારે છે, આપત્તિના નાશ કરે છે, પુણ્યને એકઠું કરે છે, લક્ષ્મીને વિસ્તારે છે, આરાગ્યને પોષે છે, સૈાભાગ્યને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૭ કરે છે, પ્રીતિને ઉપજાવે છે, કીર્તિને ફેલાવે છે, અને સ્વર્ગ અને મેક્ષ પણ આપે છે. पुत्रप्रसूते कमलांकरोति, राज्यविधत्ते तनुतेचरुपं, प्रमाठिं दुःखं दुरितं चहन्ति जिनेंद्र पूजाकुल कामधेनु । અર્થ-જિદ્ર પૂજા કુળમાં કામધેનુ (ઈચ્છિત આપનારી દિવ્ય ગાય) જેવી છે. તે પુત્ર આપે છે, લક્ષમીવાન કરે છે, રાજ્ય આપે છે, રૂપ પ્રસારે છે, દુ:ખ દૂર કરે છે અને દુરિતને હણે છે. प्रातःप्रपूजये बासै मध्यान्हे कुसुमैजिनम्, संध्यायां धूपनैर्दीपै त्रिधा देवप्रपूजयेत् । પ્રાતઃકાલે જિનેશ્વરદેવને વાસક્ષેપથી પૂજવા, મધ્યાન્હ પુપથી પૂજવા (મધ્યાન્હ પૂજામાં કેસર, ચંદન-પુષ્પાદિ અનેક પ્રકાર) અને સંધ્યાકાળે ધુપ-દીપથી પૂજવા એમ ત્રિકાલ પૂજવા– न चैत्य साधर्मिक साधुयोगो, यत्रास्ति तद्ग्राम पुरादिकेषु; युतेष्वपि प्राज्यगुणैः परैश्च, कदापि न श्राद्ध जना वसंति. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ જ્યાં ચિત્ય, સાધર્મિક જેને અને સાધુઓનો વેગ હિતે નથી તેવા ગામ તથા નગર ક્કી બીજા ગુણોથી યુક્ત હોય તે પણ તેમાં શ્રાવક લકે વસતા નથી. : श्री तीर्थपाथ रजसा विरजी भवंति, तीर्थेषु बंभ्रणतो न भवे भ्रमंति; द्रव्य व्ययादि नराः स्थिरसंपदास्यु: पूज्या भवंति जगदीशमथार्चयंतः અર્થભવ્ય પ્રાણીઓ તીર્થના માર્ગની રજા વડે વિરજ-પાપરહિતે થાય છે. તીર્થમાં ભ્રમણ કરનારાઓ આ સંસારમાં ભ્રમણ કરતા નથી. તીર્થ ક્ષેત્રમાં જે દ્રવ્યને વ્યય કરે છે તેઓ સ્થિર સંપત્તિવાળા થાય છે અને ત્યાં જગતપતિને પૂજનારાઓ બીજાઓને પૂજવાયેગ્ય થાય છે. एकैकस्मिन् पदेदत्ते शत्रुजय गिरिप्रति, भवकोटि सहस्त्रेभ्यः पातकभ्यो विमुच्तेय. અર્થ-શેત્રુંજય પર્વત (તીથીધિરાજ) પ્રત્યે એક એક એક પગલું ભરવાથી પ્રાણી કોડ હજાર ભવનાં પાપમાંથી મુકાય છે. અકેકું ડગલું ભરે, શેત્રુજા સામું જેહ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩ રીખવ કહે ભવ ફાડના, કર્યાં ખપાવે તેહુ. पुष्याद्यच तदाज्ञाच, तद् द्रव्य परिरक्षणम्, उत्सवा तीर्थयात्राच भक्तिः पंचविवाजिने, પુષ્પાદિકથી પૂજા કરવી, જિનેશ્વરની આજ્ઞા માનવી, દેવદ્રવ્યનું રક્ષણ કરવુ, ઉત્સવેા કરવા અને તી યાત્રા કરવી એ પાંચ પ્રકારની શ્રી જિનેશ્વરની ભક્તિ કહેવાય છે, વધારે શું— શા: લવિક્રીડિત નેત્રના ઉપયાગ—— નેત્રાના યુગલે રસિક નજરે, જોને ફરીને ફ્રી, શ્રી ત્રૈલેાકય પ્રકાશ આશ પૂરતા, વ્હાલા હરિના રિ; જેની શાંત પ્રશાંત મૂર્ત્તિ મધુરી, શ્રી વીતરાગ પ્રભુ, વ્હાલા વીર જીણુંદ ઈંદ્રગણુથી, શ્રી સેવ્ય શમ્ભુ વિભુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ 0. :: પ્રકરણ ૮ મું. :: શ્રી જિનેશ્વરદેવની ભક્તિ અને જમાનાવાદ. पुष्पाचर्चा तदाज्ञाच, तद्रव्यपरि रक्षणम्, उत्सवास्तीर्थयात्राच भक्तिः पंचविधाजिने.. પુષ્પાદિથી પુજા કરવી, આજ્ઞાને માનવી, દેવદ્રવ્યનું રક્ષણ કરવું, ઉત્સવો કરવા અને તીર્થયાત્રા કરવી એ પાંચ પ્રકારની શ્રી જિનેશ્વરની ભક્તિ કહેવાય છે. ૧. પુષ્પાદિકથી (કેસર-ચંદન–ધુપ-દીપ-નૈવેદ્ય-પુષ્પાદિ સર્વ પ્રકારે) શ્રી જિનેશ્વરદેવની ત્રિકાળ પૂજા કરનાર ભવ્યાત્મા સંસાર સમુદ્રને સહજમાં તરી જાય છે. ૨. દ્રવ્ય પૂજન કરવા છતાં જે તેમની આજ્ઞાને ન મનાય (ભલે આરાધનમાં સામર્થ્યને અભાવ પણ હોય તો પણ આજ્ઞાનું બહુમાન તો જોઈયેજ)-આજ્ઞાનું ઉલ્લંઘન થાય એ ભવના વિસ્તાર માટે થાય છે. ધર્મત કરવામાં નથી, કદાગ્રહમાં નથી, સગવડીયો પંથ શેધવામાં નથી, જમાને જમાને કહી વૃત્તિઓને પોષવામાં નથી (જમાને જ્ઞાનીઓના ધ્યાન બહાર હજ નહિ), શાસ્ત્રને શસ્ત્ર બનાવવામાં નથી, કે પ્રપંચની ચોપાટ ખેલવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ચતુરાઈ વાપરવામાં નથી. ધર્મ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાંજ છે. એ આજ્ઞા શિરોમાન્યજ હોય. શ્રેણિક રાજાની અવિરતિ છતાં-બીલકુલ ત્રતારાધન નહિ છતાં–પ્રભુવીરની આજ્ઞામાંજ દઢ હાઈ વીરવાણી શ્રદ્ધાસાધને તીર્થકર થશે. જેને સર્વજ્ઞ માન્ય ત્યાં પછી બોલવું એ બકવાદ છે. વીસમી સદીની પરિસ્થિતિ જુદી છે. આજ તો સર્વજ્ઞની ભૂલો શાધનાર પડયા છે, તેને શયતાન કહેનાર શયતાને પિતાને સુધારકમાં મનાવે છે. આજ્ઞાનું ઉલ્લંઘન એ અધર્મ છે–સગવડ ભલે હોય–આજ્ઞાનું આરાધન–બહુમાન એ ધર્મ છે–અગવડ ભલે હેય. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાંજ ધર્મ. તમામ આજ્ઞાનું પરિપાલન-ચથાશકર્યો પરિપાલન, અસામર્થ્ય માટે પ્રશ્ચાતાપ, યુરિપાલન કરનારાઓનું અનમેદન, પૂર્ણ સામનું ધ્યેય, આજ્ઞામાં શ્રદ્ધા બહુમાન અને જે જે ગે આત્મા નિર્મળ થાય, જે જે વેગે પરમાત્મા મહાવીરદેવના શાસનને વિશ્વમાં પ્રભાવ વિસ્તરે તે તે સર્વ માં આત્મા પ્રફલ બન્યો રહે એજ આરાધન. એથી જ ભવ નિઃસ્તાર, નહિ તે વિસ્તાર તો છેજ. ૩. દેવદ્રવ્યનું રક્ષણ કરવું. વૃદ્ધિ કરવી વિગેરે-એ પણ એક પ્રકારની ભક્તિ છે. દેવદ્રવ્ય સંબંધી તે પ્રશ્ન હોયજ શાને? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ४२ દેવને સમર્પેલ દ્રવ્ય તે દેવનું જ તેનું તે રક્ષણજ હોય. તેની વૃદ્ધિ જ કરવાની હોય. પ્રભુની આજ્ઞામાં ધર્મ છે. અતએ દેવદ્રવ્યનું રક્ષણ અને ગ્ય રીત્યા વૃદ્ધિ એજ કર્તવ્ય. ૪. ઉત્સ–ઉત્સવ–મહેન્સ કરવા એ પરમભક્તિ છે. ન્યા; ચોત્પન્ન લક્ષ્મીને સવ્યય છે. ભક્તિની વૃદ્ધિ છે કર્મની નિર્જરા છે અને શાસનને પ્રભાવ છે. દેવતાઓ પણ પૂર કે કઠમાઠથી ઉત્સવ કરે છે. ૫. તીર્થયાત્રા અવશ્યમેવ કર્તવ્ય છે. જ્યાં જ્યાં શ્રી જિનેશ્વર ભગવાનના કલ્યાણક છે તે તે ભૂમિ વિગેરે જે જે તીર્થ સ્થળે હોય ત્યાંના પવિત્ર વાતાવરણમાં નિવૃત્તિપૂર્વક તીર્થ યાત્રા કરતાં પણ લાભ છે. ભાગ્યશાલી આત્માઓ શ્રી સંઘ કાઢીને પણ તીર્થયાત્રા કરે છે. જમાનાના નામે વ્યર્થ કેલાહિલ મચાવનારાઓ સમાજની સ્થિતિ વિશેષ કઢંગી કરી મૂકે છે. આગમેદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીએ એ વિષયમાં નીચે મુજબ સ્પષ્ટતયા ઉપદેર્યું છે જે મનન કરવા ગ્ય છે. વેતાંબર જૈન સમાજની એજ પરિસ્થિતિ છે. - “મહાનુભાવો! કહેવું જોઈશે કે દેશકાળને પામીને તમે હતશ્રદ્ધા થાઓ છો પણ જરા દ્રષ્ટિ ખોલીને જુએ કે તમારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ એજ દેશકાળમાં અન્ય લેક કેવા રહે છે? રાગદ્વેષાદિથી ભરેલાં ચરિત્રોવાળા દેવામાં એમની શ્રદ્ધા, જ્યાં મલીનતા રહેલી હોય તેવા મંદિરમાં એમની શ્રદ્ધા, અને તમને વીત રાગ અને એનાં મંદિરો કે જ્યાં કેવળ વૈરાગ્યભાવના આત્મકલ્યાણ અને ત્યાગની છોળો ઉછળે છે તેમાં શ્રદ્ધા નહિ. એ લોકે રંગરોગ અને તમાસામાં ધન ખરચીને સફળતા માને અને તમે આત્મકલ્યાણને અંગે, ત્યાગને અંગે, વીતરાગભાવને અંગે ખર્ચવામાં ધુમાડે અને પાણું માને. બીજાઓ પિતાના દારૂ માંસ વાપરનારા અને કંચનકામીની રાખનારા ગુરૂઓને ગુરૂ તરીકે માને અને તમે તમારા નિગ્રંથ ત્યાગી ગુરૂઓને પણ ન માને. એક પાદરીના ખુનથી ખ્રીસ્તીઓએ આખા ચીનદેશની ખરાબી કરી અને તમે તે ચાહીને તમારા ગુરૂઓનું અપમાન કરે અને કરાવે. તમારે જ્યારે દેશકાળ જેવા છે ત્યારે તે શાસ્ત્રકારોએ કહેલા જેશે કે તમે માની લીધેલા જોશે? કેવળ જ્ઞાનાદિમાં, પંચમહાત્રતાદિમાં, ધર્મના મૂળ સિદ્ધાંતમાં દેશકાળ નહિ ચાલે. દિગંઅર લેકે ભગવાનના વચનને વિચ્છેદ થયેલું માને છે અને શાસ્ત્ર જે છે તે આચાર્યોએ નવું કરેલું માને છે. ભગવાનની મૂર્તિને યુક્તિ વિરૂદ્ધ ચક્ષુ વિકલ અને ગુદા ભાગને પ્રગટ દેખાડતી માને છે છતાં તેની શ્રદ્ધા એટલી બધી કે તેમનામાં ઘણાએ શિક્ષિત અને બારીસ્ટર થયા છતાં એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ પણ તેમના શાસ્ત્રો વિરૂદ્ધ બેલનાર કે લખનાર ન નીકળે અને તમારામાં એક સાર ન નીકળે. કલિકાળ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિ, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી રત્નશેખરસૂરિ ઈત્યાદિ ચિરંજીવ મહર્ષિઓ માટે મનગમતું લખનારા બીજ બળ્યા દેખાય છે. દીગમ્બરે તીથીને માટે અનેક પ્રયત્ન દ્વારા અંકુશ મેળવવા નિરંતર કટિબદ્ધ રહે છે અને તમે રક્ષણ કરવા પણ કાયર બને છે અને કહે છે કે હવે એ પૂજા કરે તેયે શું અને આપણે કરીયે તોયે શું? એમનામાં એક વિરૂદ્ધ નહિ, તમારામાં એકે અનુકુળ નહિ. દેવ, ગુરૂ અને ધર્મમાં મરજી મુજબ ફેરફાર કરવા એ દેશકાળને અર્થ નથી. અપવાદને નિયમ પણ લાગુ પડે નહિ. અપવાદ છે પણ અપવાદ પણ શા માટે હોય છે? જે ઉત્સર્ગને પુષ્ટિ કરે. શેઠનો મુનિમ હાય, લાખેનો વહીવટ કરતે હાય, શેઠની સહીની પણ જરૂરત ન હોય પણ એ બધું કયાં સુધી ? જ્યાં સુધી મુનિમના વહીવટ અને છુટથી પેઢીના અંગનું કાર્ય થતું હોય ત્યાં સુધી જ. મુનિમ પિતાના ઘરને માટે પાંચ રૂપીયાનીજ ચીજ લાવીને પેઢીના ચોપડે ખર્ચ ખાતે ઉધારે તે તે મુનીમ શેઠની છુટોને લાભ લઈ શક્ત નથી. ત્યારે સમજે કે જે છુટ હતી તે પણ પેઢીના લાભ માટે, વ્યક્તિના સ્વાર્થ માટે નહિ જ. એવી જ રીતે અપવાદ, ઉત્સર્ગ કંઈ અને અપવાદ કંઈ એ ન ચાલે વિગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ ભવભીરૂ પ્રાણુઓ તે ડગલે ડગલે ભગવાનની વાણીનું બહુમાનજ ભાવે. પાપથી ડરે, ઉસૂત્રથી ત્રાસે, જ્યાં પોતાને જ્ઞાનાદિ ક્ષેપશમ ન્યુન હોય ત્યાં તે તે કર્મને પશ્ચાતાપ કરે. વિશુદ્ધ બ્રહ્મચર્ય, તપશ્ચર્યા, વિરતિથી કર્મની નિર્જરા કરે. મનુષ્ય જન્મજ અતિશ્ય દુર્લભ છે, તે પછી આર્યક્ષેત્ર, આર્યકુલ, સુદેવ, સુગુરૂ, સુધર્મને સાનકૂળ સંગ એ બધાની દુર્લભતા તો જરૂર અધિકાધિકજ છે. એ બધું પ્રાપ્ત કરી જડવાદમાં જકડાઈ જઈ વ્યર્થ ગુમાવવું વિવેકી પ્રાણીઓ માટે ઉચિત નથી. जिनेन्द्र पूजागुरु पर्युपास्ति, सत्त्वानुकम्पा शुभपात्रदानम् । गुणानुरागः श्रुतिराग मस्य, नृजन्मवृक्षस्य पालान्यमूनि ॥ અર્થ–જિતેંદ્રની પૂજા, ગુરૂની ઉપાસના, પ્રાણિમાત્ર પર દયાભાવ, શુભપાત્રમાં દાન, ગુણ જનપર પ્રીતિ અને આગમનું શ્રવણ આ સર્વ મનુષ્ય જન્મરૂપ વૃક્ષનાં ફળો છે. વધારે શું કહેવું, વીરવાણીમાં આત્મકલ્યાણ છે, જડવાદની જમાનાવાદની વ્યર્થ વાણુંમાં નહિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ E ——વિજય છ દ વીર વિષ્ણુ વચને વસી વૃત્તિ વહાણુ સમાન ભાધિ તારે, ધીર બની ક્ષયલન બની વરતાય ચંદ ક્ષણુ તે અનુસારે; કલ્પતરૂ યદિ પ્રાપ્ત થયા પછી ક્રાણુ ગમાર રહેજ વિચારે, નાચ અનાય તણા, શિવસાયની ખાથ, પછી નહિ ઢીલ લગારે. ૧ આદર આદર આચર સાદર ભાદરવા પછી તેણુ ન ખીલે, વીર વિભુ વીર, વીર વિભુ વીર, શ્વાસ પળે પળ જાય જપી લે; જન્મ જરા મરણાદિક કારણુ કંટકના ઢગ આ જગ ચીલે, મારગ માળસ્વરૂપ ભયંકર ત્યાગ કરી વળ. મારગ ચાલે. ર -pate એકાન્ત, શ્રી વીરવાણીમાં, યુ વ્ય વાણીમાં; હેય સમ્યકત્વને ભયું" અમૃત મહેા શાને લટકવાનું અભિલાષી ઉષ્યના હા બધા બામાહી છેડી વિના સમ્યકત્વ સિદ્ધિની ન જરૂર સમ્યક્ત્વ થી સિદ્ધ હૃદય સતી સુલસા અને શ્રેણિક કરે છે સિદ્ધ કે સમ્યકત્વ પ્રભુ ભ્રમિત વીરાના મસ્તકે આશા સ્વપ્નમાં પટ પર લખી તણા સમ્યકત્વ સિદ્ધિ ખીજથી ભવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ધરજો, ધરજો. ૧ રાખા, રાખેા; દ્રષ્ટાંત, અંત. 2 www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૭ : : પ્રકરણ ૯ મું : : જર્ણોદ્ધાર શ્રી ચૈત્ય અટલે શ્રી જિનેશ્વર દેવની પ્રતિમા તથા શ્રી જિનાલય અને એજ અનાદિકાલથી ભવસાગરમાં ભમતા ભવ્ય પ્રાણીઓને તારનાર અનન્ય અપ્રવણુ સમાન છે, માટેજ ચૈત્યાની જગતના કલ્યાણ માટે પુરુષ આવશ્યકતા છે. એવા ચૈત્ય આજે કેટલાય અે જણૢ દશામાં આવી પડયા હાય છે. તેના ઉદ્ધાર કરવા એ આવશ્યક કર્ત્તવ્ય છે. અને કલિકાળ સર્વજ્ઞ ભગવાન શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય સૂરીશ્વરજી ક્રમાવે છે કે નવીન જિનાલય કરવા કરતાં જણું જિનાલયના ઉદ્ધાર કરવામાં આઠગણું પુણ્ય છે. એવા છઠ્ઠું જિનાલયેાના ઉદ્ધાર કરવામાં ઉપેક્ષા જરા પણ હાવી જોઈએ નહિ. એવું પણ જોઇએ છીએ કે કેટલાક દેરાસરામાં અઢળક દ્રવ્ય હાય છે કેટલાક તીર્થોમાં અઢળક દ્રવ્ય હોય છે અને ખીજે સ્થળે જીર્ણ જિનાલયેા તેવીજ સ્થિતિમાં રહે છે. આ સ્થિતિ જરાપણ નભાવી શકાય તેવી નથી. જિનાલયનું દ્રવ્ય જિનાલયને જરૂર કામ લાગે અને જો તેમ ન કરવામાં આવે તે ત્યાં પણ એક પ્રકારના વ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ૪૮ મહ ગણાય માટે વહીવટ કરનારાઓએ વિવેકપૂર્વક એ દ્રવ્યને તથા પ્રકારે વ્યય કરી જીર્ણ જિનાલયને ઉદ્ધાર કરે જોઈએ. જે જે ગામમાં જ જિનાલ્ય હોય ત્યાંના જેને પાસે પૈસાની પૂરતી સગવડ હોય ને તેના ઉદ્ધારનું કામ ઉપાડાય તથા ગમે તેટલો ખર્ચ કરી જિનાલયની શોભા વધારાય તેમાં વાધો નથી પણ કેટલીક વખત એવું પણ બને છે કે કામ ઉપાડનાર પાસે પૈસાની સગવડ ન હોય. કામને અનુભવ ન હોય. બહાર ગામની ટીપ ઉપર આધાર હેય. પૂરી લાગવગ ન હોય તે પ્રસંગે આદરેલ ઉદ્ધારનું કામ અધવચ રહે છે. તેવી પરિસ્થિતિ ધરાવનારાઓએ જીર્ણોદ્ધારને અર્થ સમજવું જોઈએ. જરૂર સામર્થ્ય હોય તે જિનાલયને દેવ વિમાન બનાવે પણ એના અભાવે શક્તિના પ્રમાણમાં જ કામ ઉપાડી જીર્ણ પુરતું જ કામ કરવું. તા ર૭–૧૯૨૮ના વીરશાસન પત્રમાં મણીલાલ ખુશાલચંદ પાલણપુરવાળાને નીચેનો લેખ ઉપયોગી ધારી અક્ષરશઃ નીચે મૂકવામાં આવેલ છે. વાંચો અને વિચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ દેરાસરના ઉદ્ધાર કરનારાઓને સૂચના ( લેખક-મણીલાલ ખુશાલચ મુ. પાલણપુર) જીર્ણ દહેરાસરને ઉદ્ધાર કરે એટલે જે જગ્યાએ ભાગ્યું તૂટયું હોય વિગેરે દુરસ્ત કરાવવું એવો અર્થ છે તેને બદલે આજકાલ ઘણા ભાઈઓ દહેરાસરનું જુનું કામ મજબુત હોવા છતાં ભપકાદાર દેખાવ, હરીફાઈ અથવા સફાઈને માટે જીર્ણોદ્ધારને નામે મેટા ખર્ચા કરી મૂળથી નવા બનાવે છે તેમાં પણ જે ભાઈઓ જાણકાર તથા વગવાળા હોય છે તે તે ગમે તેમ કરી તેને પહોંચી વળે છે પણ ઘણું ભાઈઓને તો તે કામને અનુભવ ન હોવાથી વિચાર કર્યા વગર અથવા જાણીતાની સલાહ લીધા વિના ફકત સલાટેની સલાહ મુજબ જ કામ શરૂ કરે છે ને પછી ધાર્યા કરતાં વધુ ખર્ચો થઈ જાય છે અને પૈસા પોતાની પાસે ન હોવાથી ટીપ કરવા છતાં પુરા પૈસા ન થવાથી ઘણું ઠેકાણે અધુરા રહી ગયેલ કામ બગડતાં જવાય છે, સંભળાય છે. ઘણાં પ્રકારના માંગણું વધવાથી ટી ભરવા તરફ લોકની શ્રદ્ધા ન રહેવાથી ટીપે ઘણી જ મુશીબત અને મહેનત વેઠવા છતાં પણ પુરી થતી નથી. તે અંગે નીચે મુજબ સુધારા થવાની ખાસ જરૂરત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જે જે ગામમાં વસ્તી ઓછી થઈ હોય અથવા થતી હોય ત્યાં દેરાસરો વધારે હેય ને સચવાતાં ન હોય તે જે મૂખ્ય દેરાસર સારી રીતે સચવાતું હોય તેમાં બીજા દેરાસરોના પ્રતિમાજી વિગેરે પધરાવી દઈ ઓછામાં સમાસ કરે. જેવી રીતે ખંભાત વિગેરે ગામમાં થએલ છે અને ગામડાવાળાઓએ પિતાની જોડેના મોટા ગામના દેરાસરમાં પ્રતિમાજી પધરાવી દેવા. આમ કરવામાં કેટલાક ભાઈએ પિતાની આબરૂ જતી સમજી તે પ્રમાણે કરતાં અચકાય છે પણ પોતાથી ન પહોંચાય તો તે ખોટે આગ્રહ પકડી આશાતનાના દેશના ભેગ થવું એ કઈરીતે ઉચિત નથી. સમય બળવાન છે. સ્થિતિના ફેરફારો થયા કરે છે, તેને આધીન રહેવું એ વ્યાજબી , છત પણ જે તેમ ન કરવું હોય તે પિતાના ગામની સ્થિતિના પ્રમાણમાં ખર્ચ કરી સુધારી લેવું પણ ટીપ ઉપર આધાર રાખી ખરાબ થવું કઈ રીતે ઈષ્ટ નથી. આજકાલ મુંબાઈ લગભગ આખા હિંદુસ્તાનનું કેદ્ર ગણાતું હોવાથી ત્યાંથી ટપ સારી થાય છે અને તેમાં ખાસ કરીને ગેડીજીના દેરાસરથી શરૂ થાય છે એટલે ટીપ આગળ ચાલે તો ગેડીજીના દેરાસરના ટ્રસ્ટીઓ, કેન્ફરન્સ, શેઠ આણંદજી કલ્યાણજીના અથવા અન્ય જીર્ણોદ્ધાર ખાતાઓએ અથવા તેમાંથી ગમે તે એક ખાતાએ નીચેની વ્યવસ્થા કરવા ખાસ જરૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ પા છે. જે તેવી થશે તે નકામા ગેરવ્યાજબી ખર્ચ અટકશે ને કામ સારું થશે. એક સારે પગારદાર એજીનીયર રાખવો અને તે સંબંધીના ખબર હિંદુસ્તાનના સકળ સંઘોને આપી દેવા. જે કેઈને જીર્ણોદ્ધાર કરાવવા હોય અથવા નવું દેરાસર બંધાવવું હોય તેમણે સંસ્થાને ખબર આપવી. તે પછી જેના જેના તરફથી તેવી ખબર મળે ત્યાં ત્યાં પ્રથમ એજીનીયરને મોકલે. તે દેરાસરની સ્થિતિ જોઈ તેમાં શું શું કામ, કેટલું અને કેવી રીતે કરાવવા જરૂર, તેના નકશા તથા ખર્ચના અડસટા કરે અને તે કરાવનારની આર્થિક સ્થિતિ કેવી છે અને તેટલામાં કામ માટે કેવી રીતે પહોંચી શકાય. તે ઉપરથી નવું કામ કરવાની સ્કીમ નકકી કરી સદર સંસ્થાને મેકલી તેમની સલાહ મંગાવી છેવટ નિર્ણય કરી તે અનુસાર કામ કરાવવા. કારીગશે વિગેરે બંદોબસ્ત કરાવી આપી અથવા કેન્ટ્રાકટ અપાવી પાછા પોતાની ઓફીસે આવે અને કામ તે પ્રમાણે છે કે નહિ તેની વખતોવખત ખબર લીધા કરે અને છેવટે કામ પુરૂં થયાથી તપાસ કરી મંજુર કરી પૈસા વિગેરે ચુકાવી આપી રીપોર્ટ ઓફીસે લાવે, આમ કરવામાં એજીનીયરનું ખર્ચ જે સંસ્થા ઉપાડી શકે તે ઠીક, નહિતે કરાવનારના ખર્ચે તેમને તેટલી ગોઠવણ -સગવડ કરી આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ કામ કરાવનારાઓએ નકશા તથા એન્જીનીયરના ખર્ચને નકામે ન ગણવે. તે ખર્ચથી કામમાં ઘણું ફાયદો થાય છે. નહિતે કંઈ નિર્ણય કર્યા વગર જેમ તેમ કામ શરૂ કવાથી ખર્ચ વધુ થાય છે એટલું જ નહિ પણ કામ બરાબર થતું નથી એટલે તે હિસાબે એ ખર્ચ વધુ પડતું નથી. છેવટે આવો બંદોબસ્ત કઈ તરક્કી થાય ત્યાં સુધી જીર્ણોદ્ધાર કરાવનાર તથા નવા દેરાસર બનાવનારાઓએ પોતાના ગામના અથવા બાજુના ગામના તે કામના જણકાર ભાઈઓથી સલાહ કરી કામની જરૂરત પ્રમાણે ખર્ચ કરવું જરૂરત ન હોય તે વધુ કામ નહિ કરાવવું પણ તે પૈસા બીજા કેટલાંક ગામ કે જ્યાં તેવાં કામો અથવા પૂજાની. સામગ્રી વિગેરેની જોગવાઈ ન હોય ત્ય તેવાં સાધન કરાવી આપી તેમને સહાય કરવી એ ઉચિત છે કારણ કે દરેક દેરાસર ઉપર જેનને સરખો હક છે માટે મારું તારું નહિ ગણું બધા તરફ સરખી નજર રાખી કામ લેવા. વિનંતિ છે.” ઉપરનો લેખ ધ્યાન આપવા જેવો છે. તેમણે બતાવેલી જના થાય તે જરૂર સુગમ થઈ પડે. શેઠ આણંદજી કલ્યાભુજની પેઢી અગર શ્રીમતી જેન શ્વેતાંબર કેન્ફરન્સ ધારે તો. તે કામ ખુશીથી થઈ શકે. લગભગ દશ પર વર્ષ ઉપર કેન્ફરન્સ જરૂર ઘણા કાર્યો હાથ ધરતી હતી અને તે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ કાર્યોમાં બની શક્તા લાભ થતા હતા. જેવા કે દ્ધાર, દેરાસરોના હિસાબે તપાસવા વિગેરે કાર્યો થતાં અને તેના રિપોર્ટ પણ પ્રગટ થતા. નિયમિત કોન્ફરન્સ ભરાતી, ઉત્સાહ કાયમ ટકી રહેતા અને તે વખતે ઉપદેશકે સામાજિક સુધારણા ઉપર સારી રીતે ઉપદેશ આપતા, જેનું પરિણામ પણ ઠીક આવતું. કેન્ફરન્સ દેવી આજે અસ્તિત્વમાં જરૂર છે. મુંબાઈ જેવા કેંદ્રમાં તેની ઓફીસ અને શ્રીમંત તથા કેળવાયેલાઓનું કરતા કારવતાપણું હાઈ ધાય કાર્ય તે કરી શકે છતાં દેવગે અફશેષ આજે પરિસ્થિતિ એ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ :: પ્રકરણ ૧૦મું :: –તીર્થ રક્ષાઆજ્ઞાનું પરિપાલન માત્ર સામગ્રી પૂજનમાં પૂર્ણ જ થાય છે એમ નથી. સામગ્રીપૂજન-દ્રવ્યપૂજન એ આજ્ઞામય છે, ભાવપૂજનનું જ કારણ છે. રહસ્ય એ છે કે પૂજન અર્થને. વિસ્તાર એથી એ વિશાળ છે. શ્રી ચૈત્યાદિની રક્ષા, વૃદ્ધિ, જીર્ણોદ્ધાર, તીર્થરક્ષા આ બધું પૂજનમાંજ સમાય છે. એ બધાના વહિવટની શુદ્ધિ એ તો વિશેષાવશ્યક છે. પૂજનના આ બધા પ્રકારમાં શાસનને પ્રભાવ છે. એમાં જેટલી બેદરકારી–ખામી–દેષ એ બધું જરૂર આપણને જવાબદાર બનાવે છે. છતાં આજે બધું એવુંજ દેખાય છે કે આપણું એકપણ તીર્થ લેશમુક્ત નથી. જે તીર્થો ચૈત્યની શોભાથી સ્વર્ગ સૃષ્ટિને પણ ભૂલાવે છે, જમાનાના જડવાદપ્રિય મુસાફરોને પણ માત્ર કારીગીરી માટેજ એમ નહિ પણ ચૈતન્યવાદની ભાવના માટે પણ ડેલાવે છે “કંકર કંકર શંકરની ભાવના જ્યાંના વાતાવરણમાંજ ઓતપ્રેત બની રહે છે તે તીર્થોની આજની પરિસ્થિતિ વિષમ અને ફ્લેશમય હાઈ દુ:ખદ છે. “આંગળી આપતાં પેચો જાય” એ ન્યાયે આજ આપણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧૫ તમામ તીર્થોની પરિસ્થિતિ છે. તીર્થ રક્ષાના વ્યવસ્થિત પ્રબંધ વિના એવી પરિસ્થિતિમાં સુધારો થતા નથી અને ફ્લેશ કાયમ રહે છે. વિઘ્ન પરપરાની ગણુના કરતાં તીર્થંરક્ષા કરનાર મહાનુભાવાને ધન્ય છે ! તીર્થરક્ષા એજ આત્મરક્ષા. તીર્થોના વહિવટ શુદ્ધ અને વ્યવસ્થિત રહે, આપણા હુક્કો આવ્યાબાધ રહે અને યાત્રા-પ્રવાહ સાધ્યસાધક મન્યા રહે એજ ધ્યેયમય તીથરક્ષા એ આપણું પરમ વ્ય છે. જ્યાં જ્યાં પાલું હાય ત્યાં દુનિયા ઘુસે એ સમાન્ય નિયમ છે. એવી પેાલાણુ આજે શ્વેતાંબર જૈન સમાજમાંજ વિશેષત: દેખાય છે. તીથો માટે દરેક તીર્થો કંઇને કંઇ કનડગત હાય તા જેનાનેજ ! માત્ર તીનીજ વાત શા માટે ? પવિત્ર અને પૂજ્ય ધર્મોચાયા-બ્રહ્મચાર મહર્ષિઓને યથારૂપ ચિતરાતા હાય તેા તે જૈને નાજ. જૈનેતરોથી તે વધુ દુ:ખદ ખીના તા એ કે કેટલાક કહેવાતા જૈનેાથી–જૈનાભાસાથી એ મહુષિએ તે જંગમ તીર્થ. ટુંકામાં તી પરત્વે આક્ત જૈનનેજ કારણ કે ત્યાં નિર્માલ્યતારૂપી પેાલા છે. તએવ એવી નિર્માલ્યતાને ત્યાગ કરી તી રક્ષાને માટે ટિમદ્ધ થવું જોઈએ રહેવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ ૫ જ્યારે જ્યારે અનુકુલતા હૈાય ત્યારે ત્યારે જુદા જુદા તીર્થોની તી યાત્રા કરવી એ આવશ્યક છે. તેથી ઘણા લાભ છે. તે તે તીર્થની યાત્રા-ભક્તિથી કર્મની નિર્જરા ઉપરાંત તે તે તીર્થ સબંધમાં જે જે આવશ્યક કર્ત્ત વ્ય હાય. તેમાં પણ યથાચિત પ્રવૃત્તિ કરી શકાય. તીર્થયાત્રાને હેતુ અતિ ઉન્નત છે જ્યારે આજની પરિસ્થિતિ ઘણા ભાગે હેતુ ભુલાઇ ગયા જેવી જણાય છે. તીર્થ યાત્રામાં પણ નિવૃત્તિનું નામ નીશાન દેખાતુ નથી. ધમાલ ધમાલ ને ધમાલ ત્યાં પછી તીર્થ રક્ષાદિ તત્સંબંધે વિચારો કે પ્રવૃત્તિની આશાજ ક્યાંથી ? ખાવું પીવું ને મેાજશાખમાંજ તીર્થ યાત્રામાં વિશેષ સમય વ્યતિત કરવા ઉચિત નથી. ત્યાંતા આપણે પ્રવૃત્તિથી નિવૃત થઈ ભતિમાં લયલીન થવા જઇએ છીએ. ત્યાં એ જો પ્રવૃત્તિ-ધમાલ ચાલુ રહે તે પરિણામે પૂર્ણ ફળ મેળવી શકાય નહિ. તીર્થ ક્ષેત્રે પાપ છોડવા જઇએ છીએ એ ખાસ લક્ષ્ય રાખવું. ત્યાં જઇને પણ જો બેદરકારીથી કે ઇરાદાપૂર્વક પાપ થાય તે તે પાપ લેપ જેવુ થાય છે. यतः - अन्यक्षेत्रे कृतं पापं तीर्थक्षेत्रे विनश्यति । तीर्थक्षेत्रे कृतं पापं वज्रलेपो भविष्यति ॥ અ—અન્ય ક્ષેત્રમાં કરેલું પાપ, તીર્થક્ષેત્રે વિનાશ પામે છે (તીર્થારાધનથી નાશ પામે છે.) પણ તીથ ક્ષેત્રમાં કરેલ પાપ વજ્રલેપ જેવું થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ અતએવ તીર્થ યાત્રા વિધિપૂર્વક કરી પુનઃ લાભ મેળવવા અને તરવાના સાધનભૂત એ તીર્થોની રક્ષાની માહાત્મ્ય વૈભવાદિની વૃદ્ધિમાં અની શતી તમામ સહાય કરવી એજ પરમ આવશ્યક છે. સામાન્ય જણાતી બેદરકારી પણ સમય જતાં મેાટી સુશીમતમાં ઉતારે છે એવું દરેક તીર્થોના સંબંધમાં અનેલ અનાવેાના અનુભવથી સિદ્ધ થયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ : : પ્રકરણ ૧૧ મું :: જૈનેતર (મુખ્યત બ્રાહ્મણ) પૂજારીએથી આવતાં પરિણામ [સામાન્ય જણાતી બેદરકારીની પ્રબલ વિષમતા. ] જેમ રાજ અને દીગમ્બરે પ્રત્યેની કાયમની સામાન્ય બેદરકારીનાં પરિણામે દરેક તીર્થમાં પ્રબળ વિષમ બન્યાં છે તેમજ વહિવટ દેખરેખ વિગેરે દરેકમાં રહેલી સામાન્ય બેદરકારી માટે પણ સમજી લેવું. જે બેદરકારી વિશેષ હોય તો તે પછી પૂછવું જ શું? એવી અનેક બેદરકારી એમાંની જેનેતર પૂજારીઓ એ પણ એક ગણાય. એ બેદરકારીને સામાન્ય ગણવી કે કેમ તેને ઉત્તર તે અનુભવોજ આપી રહ્યા છે. આજે આપણું ચિમાં પૂજા કરનાર પગારંદાર પૂજારીએ મોટે ભાગે જૈનેતર છે. જેની અંતરંગમાન્યતા એવી છે કે" हस्तिना ताडयमानोपि न गच्छेद् जिनमंदिरम"। પૂજારી ગમે તે હોય છતાં પૂજારી ઉપરજ તમામ બે છોડી દે એ ઈષ્ટ નથી. પૂજારી તે સહાય પૂરતા. તમામ પૂજન યત્નપૂર્વક વિવેકથી જેનેજ કરે અને એજ કરી શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ આજ એમ નથી. કેટલેય ઠેકાણે દેખરેખ રાખનારને ખબર પણ ન હોય કે પૂજારીઓ શું કરે છે? પૂજારીએજ માલીક પૂજનાદિમાં એ પૂજારીઓને કંઈ અંતરભક્તિ હતી વારૂ? વેઠ ઉતારવાની તે ઉતારે અને પિલાણના અનેક પ્રકારના એવા લાભ યે કે જે વખત જતાં તેને પોતાના હકક ગણાવે જ્યારે સોસાવું જ પડે. દેખરેખ રાખવી તે બરાબર રાખવી. એકથી ન બને તે ચાર પાંચની કમીટીથી કામ કરવું. વહીવટનું બંધારણ તે એજ ઉત્તમ જણાય છે. પિતાથી ન બને તો પૂજય શ્રી સંઘને વહિવટ પ. પાટણ પાસે ચારૂપતીર્થમાં શ્રી દેરાસરજીમાં તેના પૂજારીએ પોતાના ઈષ્ટ દેવની મૂર્તિ બેસી દીધેલી–ઘુસાડેલી. પોલું , કે પૂછે છે ? પણ સુદૈવયે સંઘનું ત્યાં ધ્યાન ખેંચાયું. જેને કેસ ચાલે. લવાદ મારફતે છેવટે ન્યાય અપાયો કે પૂજારીના ઈષ્ટદેવની મૂર્તિ ત્યાંથી ખસેડવી અને તેને માટે જૈનોએ પિતાના ખર્ચે શિવાલય બાંધી આપવું. બેદરકારીનું ભાન કરાવવા આ કિસ્સો કાંઈ ઓછો નથી. તસંબંધી શ્રીમાન બાળચંદ્રાચાર્યજીનો નીચેનો લેખ ઘણોજ મનનીય છે “જૈનશાસન–શાક શુદી૧૧ બુધવાર. વીર સંવત ૨૪૩૪”. માનો નીચે મુજબ લેખ– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ જૈન મંદિરો મેં અન્ય મૂર્તિ કે આઈ એર ચારૂપ કેસ.” લેખક શ્રીમાન બાલાચંદ્રાચાર્યજી ખામગાંવ. જૈનમંદીમેં જેનેતર દેવતાઓં કી મૂર્તિયાં કૈસે સ્થાપિત હુઈ ઇસકા ભી થોડા નિરિક્ષણ કરા દીયા જાતા હૈ. શત્રુજ્ય તીર્થ પર યુવકે અંગરશાહ પીરકી કબર હૈ. કેસરીયાજી ઔર મસી તીર્થ પર શિવ એ વિષકી મૂર્તિયાં રકખી હુઈ હૈ યહ કર્યો? ઔર કેસે રાખી ગઈ હૈ? ક્યા ઉક્ત સ્થાને પર ભી યવન ઔર શેવ હકદારહો સકતે હૈં ? કભી નહિ. કોઈ યહ કહે કિ હકદાર નહિ હ શકો તો ઉનકી મૂર્તિમાં કર્યો રખી ગઈ હય? ઇસકે ઉત્તરમેં સુનિયે! યવને કે રાજ્ય કાલમેં યવન બાદશાહે ને એર થવનાધિકારીઓને અગણિત જૈન મંદિરેકે ઉધ્વસ્ત કર ડાથે જિસકા આજ નામ નિશાન ભી નહિ હૈ. ઇસ બાત કા પત્તા કેવળ ઈતિહાસસે લગતા હૈ. જિન દિનેમેં યવનેકા ઐસા અન્યાયથા કે પ્રાણ બચાના મુશ્કિલ થા તબ બુદ્ધિમાન જેનિને તીર્થરક્ષાર્થ જૈનમંદિર કે દ્વાર પર મસજીદ ચિન્હ કિતનેક સ્થાને મેં કર દિયે. કબર સ્થાપ કર ભુજાવર ખદિએ જિસકે દેખકર મંદિર ઔર તકે યવનેને ઉધ્વસ્ત નહી કીયે. ઉન દિનેમેં રક્ષાકે હેતુ હી એસા કાર્ય જૈનિને કીયાથા. સમય તે બીત ગયા હૈ પરંતુ વે ચિન્હ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ કો અમતક કિતનીક જગાહ પર માજીદ હુંતા ક્યા સે. સ્થાના પર મુસલમાન લેાગ હકદાર યા માલીક હા શકતે હૈ ? કદાપિ નહિ. ઈસી પ્રકાર યવનાંકે પશ્ચાત પુનેકે પેશવાંકા ખલ હિન્દ મૈં બઢા તખલી જૈન મંદિર પર અનેક સંકટ આવે હૈ. પેશવાંકે રાજ્યમે ઐર વિશેષકર પુનેમે જૈન મંદિરકી યહ હાલત થી. જૈન મંદિરોકે ઘંટનાદ રાજ્યપથમે’સુનને ન પાવે એસી વિષમ હાલત થી-રાજાજ્ઞાથી-ઇતનાહિ નહિ અનેક હિન્દુ રામ કે રાજ્યમે જૈનિયોંકી આરસે અને હુવે જૈનમંદિરોમે બ્રહ્મણાને મળાત શિવલિંગ પ્રતિષ્ઠિત કર દિએ હૈ ! ખાસ ઉજજૈનમે... જો ક્ષિપ્રા નદીકે તટપર જૈનિયાને અવન્તિ પાર્શ્વનાથકી મૂત્તિ પ્રતિષ્ઠિત કરનેકે લિએ એક શિખર મ્ધ મંદિર બનાયા થા જીસમે બ્રાહ્મણ્ણાને અલાત શિવલિંગ પ્રતિષ્ઠિત કર દીયા જખ ન્યાયાલય દ્વારા ન્યાય માગા ગયા તેા હિન્દુ રાજાકે ન્યાયાલય દ્વારા યહુ ન્યાય મિલા કિ અખ શિવલિંગ ઉઠે નહિં શકતે. જેની દુસરા મદિર અનાલે. દેખીયે યહ કૈસા ન્યાય ! તમ બિચારે જૈનિયાંને દુસરા ભૂગર્ભ મંદિર બનાકર અવન્તિ પાર્શ્વ નાથકી મૂત્તિ સ્થાપિત કી. યહ દય અભી ઉજ્જયિનીમૅ વિદ્યમાન હૈ આર જો યાત્રીજાતે હૈ ઉનકે દષ્ટિ ગત હાતે હૈ, જેસલમેરને થીરૂસાહ ઓસવાળ એક અડે ધનાઢ્ય જૈની હા ગયે હૈ ઉન્હાને વિચારા કે જૈસલમેર કે કલેમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ ૬૨ જિનમ ંદિર ખના કર લક્ષ્મીકા લાભલું ઔર મદિર બનવાના શરૂ કીયા. ઉસી સમય વૈશ્વિક બ્રાહ્મણેાને રાજાસે જાકર કહા કિ યહાં (કિલેમે) હમ ભી રહેતે હૈ. ઇસલીએ જૈનયાં કે મંદિરોકી છાયા હમારે પર નહિ ગીરના પાવે દ્વિપ જેસલમેરકા રાજા વૈદિક થા તથાપિ થીરૂશાહ શેઠ કે સત્યકાર્ય કા નહિ રોકસકા તથાપિ બ્રાહ્મણેાકે હુઢકા પુરા કરનેકે નિમિત્ત શેઠકા મુલાકર કહારિક મદિર કે દ્વાર ઉપર એક ગણેશકી મૂર્તિ પત્થરમે ઉકરદ્ધિગે તે ઠીક હેાઞા હિતેા યે બ્રાહ્મણ ઉપદ્રવ કરેંગે. તબ બિચારે થીરૂશાહ શેઠને પરિસ્થિતિકા વિચાર કરકે મ ંદિરકા દ્વારપર ગણેશકી મૂર્ત્તિ ખુદવા દી વહઅલી મેાજીદ હું યદિ શેઠ એસા નહી કરતે તેા ક્યા ઉપદ્રવ નહિ બઢતા ! પાર્કાંકે સ્મરણ રહે જૈસલમેર કે કિલ્લેમે સેકડા બ્રાહ્મણેાકે ઘર હૈ એર રાજાકે મહલે હૈ ઓર સ્થાનમેં જિનમ ંદિર બનાના ક્યા મુશ્કિલ નહિ હૈ. ઇસી પ્રકાર પાલી (મારવાડ) પાસમે કીસી ગાંવસે સુના ગયા હૈ જૈનિયાને જિન ભગવાનકી મૃત્તિ પ્રતિષ્ઠિત કરનેકે લીયે મંદિર બનાયા થા ઉસમે પ્રતિષ્ઠાકે એક દિન પ્રથમ વિઘ્નસ તાષી તનેક બ્રાહ્મણાને શિવલિંગ રખ દીયા એર જખ આદાલતમે કારવાઈ કી ગઈ તેા યહ ફૈસલા સુનાયા ગયા કિ શિવલિંગ અખ ઉઠે નહિ શકતા. ક્યા કાઇ બુદ્ધિમાન ઇસકે। ન્યાય કહ શકતા હય ! હિન્દુ રાજાઆકે રાજ્યમે એસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ઘટનાએ અનેક સ્થળ પર હુઈ હૈ. અભી થોડે દિનકી બાત હૈકી બીકાનેરવાલે નગરશેઠ શ્રીમાન ચાંદમલજી ઠઠ્ઠા સી. આઈ. ઈ. કી કાશીપુરી દુકાન હૈ. ઉસમેં પ્રધાન કર્મચારી શિવ હૈ. ઉસને જૈન સમાજકી માલીકીકી જગહમેં શિવલિંગ રખ દીયા થા તબ કાશી કે જેને સમાજને શેઠજી કે મુનમકે શિવલિંગ ઉઠાનેકા કહા, પરફલ કુછ હુઆ નહિ તબ કાશી જૈન સમાજને શેઠજીસે લીખા પઢા તબ બડી મુશ્કેલસે ઉઠાયા ગયા. શ્રીમાન ચાંદમલજી શેઠ જૈન ધર્મકે ભક્ત હૈ જૈસે શિવકે ભી અપમાનતે હૈ પરંતુ હૈ બુદ્ધિમાન ઈસલીયે આપને અસત્યક પક્ષ નહિં કીયા. સુનતે હૈ અબ શેઠજી જૈન ધર્મ પર ભી અધિક પ્રેમ રખતે હૈ એર ઈસકે લીયે અનેક ધન્યવાદ હિ યહ વૃત્તાંત હમને ઉનકે એક વિશ્વાસુ કર્મચારીકે મુખસે સુના હૈ ઓર યહ બાત યહાંપર લિખનેક પ્રયોજન યહ હૈ કિ વર્તમાનમેં ભી અવિચારી દ્વારા ઐસી ઘટના હતી હૈ. ઔર જીસકા પ્રાયશ્ચિત સમગ્ર સમાજકો ભેગના પડતા હૈ. ઈતિહાસકે દેબને સે પત્તા લગતા હૈ કિ જેની પર બડબડી આર્સે ગુજર ચુકી હિં ઔર ઐસી આફતમેં ભી જેનિને બડી બુદ્ધિમાનસે ધર્મરક્ષાકી હૈ. કેસરીયાજી ઔર મકસી પ્રભૂતિ સ્થાનેમેં શિવલિંગ ઔર વિષ્ણુકી મૂર્તિઓ દ્રષ્ટિગતા હો રહા હૈ. કારણ યહ હૈ કિ વહાંકે રાજા શિવ એર વૈષ્ણવ હૈ ઔર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ પૂજારે ભી વેદીક પ્રહાણ હૈ ઈસલીયે કીસી સમય વહુ રખ દી ગઈહૈ. બસે સ્થાનેમેં વૈદિક બ્રાહ્મણ આજીવિકા અર્થ જિનમંદિરેમેં પૂજા કરતે હૈ ઔર જિસમેં ભી કેસરીયાજી કે પડકા કુલ સમાચાર પત્રોમેં પ્રગટ હો ચુકા હે. કેસરીયાજી જૈન તીર્થ હોને પર ભી જેન રીતિ વિરુદ્ધ તિરેક કામ હેતે હૈ. જૈન સમાજે દ્રષ્ટિગત હેને પર ભી યોગ્ય આર્જેલન નહી કીયા જાતા ક્યા યહ બાત સમાજકી આત્મિક દુર્બલતા સૂચિત નહી કરતી ? મકસી પર ભી પૂજારે જૈનેતર હી હૈ વહાં પર ભી શિવલિંગ સ્થાપિત હૈ. શ્વેતાંબર ઔર દિગંબરકે ધરેલું કદાગ્રહકે કારણ ઠીક પ્રબંધ નહિ હ શકતા યહ વૃતાંત લીખનેકા મતલબ યહ હૈ કિ અનેક સ્થલે પર કતિપય કારણ કલાપવશ જૈનિકે સ્વામિત્વકે સ્થાન પર જૈનેતર દેવતાઓકી મૂર્તિયાં રખ દી ગઈ હૈ તે વહાં પર જૈનેતર કીસ પ્રકાર દાવાકર શક્ત હૈ ! કહીંપર રાજશાસનકે કારણ તે કહીં પર જૈનેતર પૂજારીને કારણ તો કહીંપર જૈનિકે દુર્લક્ષ્યકે કારણ ઐસા હુવા હૈ ઔર યહબાત નિર્વિવાદ હૈ કિ વહાં પર જૈનેતરકા સ્વામિત્વ હો-હી–નહિ શકતા. યહ જૈનીકી ઉદારતા ઓર પરધર્મ સહિષ્ણુતા સમજની ચાહીયેં કી અપને સ્વામિત્વકે સ્થલ પર એવં મંદિરેમેં નેતર દેવને પર ભી ઈર્ષ્યા વ છેષ નહી કરતે. ઈસ ઈન્સાનિયતકા ફલ ઉલય હેતા હૈ અત : અબ જૈન સમાજને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ દેશકાળકા વિચાર કરકે ઉપાય કરના ચાહીયે તાકી કહીં ઓર જગા પર ફિર એસી ઘટના ન હોને પાવે. બંબઈકે જૈન મંદિરેમેં ગુજરાત કે તપોધન બ્રાહ્મણ પુજારીકા ધંધા કરતે હૈ પરંતુ ઉનકા નિરીક્ષણ ક્યાં જાય તો ઉન્હેં કિસી હાલતમેં પૂજારી નહિ રખના ચાહીયે પરંતુ જેનિકે હઠ ઓર દુરાગ્રહકા પરિણામ સારે જૈન સમાજે ભેગતી હૈ. હમારી રાયસે તે પૂજારી જેન જાતિકા હી હિના ચાહીયે. જૈનશાસન વૈશાખ સુદ ૪ બુધ. વી–સં. ૨૪૪૩ ” પૂજ્યપાદ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી કપડવંજથી ફાગણ વદ ૯ ના કાગળમાં ચારૂપના કેસના સબંધમાં લખતાં ઉમેરે છે કે પ્રાય અનેક જૈન મંદિરોમેં સ્વપૂજા કરને કે લીએ મહાદેવ આદિ દેવકી મૂત્તિએ રખી હૈ ઓર જનોને લીહાજ તથા દયાભાવસે નહિ રેકા ઇસ લીયે યહ ચુકાદા ઉન ઉન સ્થાનેપરે અત્યંત હાનિકારક હો જાયેગા.” સુરતથી આગમકારક આચાર્ય શ્રી આણંદસાગરજી મહારાજ ફાગણ સુદી ૧૫ ના કામમાં જણાવે છે કે – દરેક ગામે દરેક દહિર જ્યાં જ્યાં પૂજારીના અપ્રમાણિકપણુથી અને કાર્યવાહકની બેદરકારીથી અન્ય દેવોની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિઓ પડી છે તે દરેક જગા ઉપર ભાંજગડ ઉભી કરશે અને તેથી દરેક જગપર સંઘની મહત્તાને, તીર્થોને અને તેથી ધર્મને ઘણું નુકશાન થશે. માટે કોઈ પ્રકારે ન્યાયજ થવો જોઈએ કે જેથી વર્તમાન અને ભવિષ્ય સુધરે. જે એમ નહિ થાય તે ન્યાયને ચાહનાર લેકે હેરાન ગતિ પામશે તથા અપ્રમાણિક લોકોને વધારે જોર મલશે. ઉપરના કાગલો મનનપૂર્વક વિચારવા વિનંતિ કરવામાં આવે છે. બ્રાહ્મણે જેને પ્રત્યે દરેક પ્રસંગે કેવી રીતે વર્તે છે તેની સાક્ષી પ્રાચીન અવચિન ઈતિહાસ સારી રીતે આપે છે. તીર્થોમાં, વ્યવહારમાં અને સાહિત્ય ક્ષેત્રમાં પણ તેમનું શ્રેષપૂર્વકનું વર્તન ચાલુ. જૈનધર્મને શ્રેષપૂર્વક હલકો પાડવાના પ્રયત્ન કરનાર જૈન મહર્ષિઓને વિચિત્ર ચીતરનાર મહાપુરૂષો મુખ્યત્વે બ્રાહ્મણેજ હોય છે. પણ એ બધા જૈન સમાજની નિર્માલ્યતાના કારણેજ. અસ્તુ! તે પછી જિનાલયમાં એ કોટિના પૂજારીએથી એવાજ પરિણામ આવે એ સ્વતઃ સિદ્ધ છે. જૈન પૂજારીઓ હોય તે કદી પણ એવાં પરિણામ નજ આવે અને દરેક કાર્ય વિધિપૂર્વકલાગણ પૂર્વકજ થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ و؟ : મચ્છુ ૧૨ મું : પૂજારીઓ–મુનિમે–નાકરા વિગેરે જૈનનેજ -રાખવા સબંધમાં સામાન્ય વિચારણા. નાગર તથા પારસી વિગેરે કામ તરફ નજર કરીશું તે જણાશે કે તે જ્યાં જ્યાં પાતે હાય, પેાતાની લાગવગ હાય ત્યાં પેાતાનીજ કામનાઓને, જ્ઞાતિ ભાઈઓને, સહુધમી આને ગાઢવી પેાતાની ફરજ બજાવે છે. નૈના પણ ધારે તા પેાતાની પેઢીઓમાં, પાતાના હસ્તક ચાલતા ખાતાઓમાં, પેાતાની લાગવગમાં, આીસા, સંસ્થાઓમાં, દેરાસર, ઉપાશ્રય, ધર્મશાળા, પાઠશાળા, પાંજરાપેાળા વિગેરે સર્વત્ર જૈનાને ગેાઠવી શકે, નિભાવી શકે, ઉંચે ચડાવી શકે અને જૈને પણ ત્યાં જરૂર લાગણીથીજ કામ કરે પણ અશૅાષ ! આજ એ સ્થિતિ બહુધા જોવાતી નથી. જૈન શ્રીમતા અને નાયકા હજારો જૈનાને એકાર જોવા છતાં પેાતાનું દુર્લક્ષ્ય ચાલુ રાખે એથી વધારે દુ:ખદ બીજું શું ? જૈનાને ત્યાં વિશેષત: જૈનેતર નાકરો હાય છે. તીર્થ - વહીવટમાં, ધર્મશાલાઓમાં અને સંસ્થાઓમાં સર્વત્ર એમજ દેખાય છે. કદાચ થાડાક પગારની જગ્યાએ જૈન નેાકરો હાય છતાં ત્યાં કદર-દિલસાજી જેવું મહુજ ઓછું જણાય છે. ક્વચિત કાઇ થયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ હોય છતાં માટે પ્રમાણમાં આવી પરિસ્થિતિ છે. જેનેતર અને જેન નોકરોના પગારમાં પણ દ્રષ્ટિ જુદી. ઉભયની લાયકાત તપાસવાની રીત પણ જુદી અને સ્પષ્ટ કહેવામાં આવે તે ઘણી વખત કેટલેક પ્રસંગે જેનેને ઈરાદાપૂર્વક અન્યાય પણ કરાય ! જેનેતરને સંપૂર્ણ જાય. જેને નડતર લાગે. તેઓને દુર કરવાના ઉપાય જાય અને વાત સુધારાની થાય. આ બધી વિષમતા શોચનીય છે. ટુંકામાં એટલુંજ લખવું બસ છે. કે જેને બચ્ચે જે લાગણીથી કામ કરશે તે જેનેતર ભલે કર્તવ્યશીલ હશે છતાં પણ તેટલા પ્રમાણમાં નહિજ કરી શકે. અને આગેવાને જેન ભાઈઓ માટે જેટલા બેદરકાર છે તેટલાજ સમાજના જવાબદાર છે. આગેવાનો જે દીલ પર લે તે એક પણ ન બેકાર જેન રહે એટલી જગ્યાઓ તેમની પાસે છે. અસ્તુ હવે જૈન દેરાસરમાં પૂજારી જેનો રાખવા જોઈએ એ વાત ખાસ આવશ્યક છે. માલી–ભાવસાર–ભેજક વિગેરે જેને હોય છે અને તે સિવાય શ્રાવક પણ પૂજારી તરીકે કામ કરી શકે છે તેમાં જરાએ બાધ જણાતો નથી. અતએવ વિવેકથી કાર્ય સિદ્ધિની આવશ્યક્તા છે. જેમ પૂજારીઓ હોય તે નવી ઉપાધિ ઉત્પન્ન ન થાય, પૂજા બરાબર થાય, આશાતનાઓ ઓછી થાય, શિલાલેખે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ કુ વિગેરે સ્મરણેામાં જરાએ ગડબડ ન થાય અને અધુ એ વ્યવસ્થિત થાય. એ શ્રાવક પૂજારીને પગાર કયા ખાતામાંથી આપવા એ પ્રશ્ન ખરો. આજના દરેક મામતમાં વગર માગ્યા મેનીફેસ્ટા આપી દેનારાએ તે તરતજ કહેશે કે એમાં શું ? કામ કરે તે ખાતામાંથી આપવા. તે દેરાસરનું કામ કરે ને દેરાસરના પગાર લે. દેવદ્રવ્યમાંથી આપવા પણ આ ભયંકર ભૂલ છે. દેવદ્રવ્ય સબંધે જૈનશાસ્ત્રમાં ઘણુંજ સ્પષ્ટ અને સખ્ત લખાણ છે. દેવદ્રવ્યની વ્યવસ્થામાં પણ શાસ્ત્રજ સન્મુખ રહે. દેવદ્રવ્ય સબંધી જૈનાને સમજાવવાનુંજ ન હાય ! એમાં ઉટપટાંગ વાત ન ચાલે. શ્રાવક પૂજારીને પગાર આપવા માટે જુદીજ વ્યવસ્થા હાવી જોઇએ. યાતા એક પગાર ફ્રેંડ નિરાળું જોઇએ અગર ચેાગ્ય લાગે તેા સાધારણમાંથી પગાર અપાય. અતએવ શાસ્ત્રોક્ત દ્રષ્ટિને ખાધ ન આવે તેવી રીતે એ પગારની વ્યવસ્થા થાય પણ જૈન પૂજારી હાવા જોઇયે એજ ઇચ્છવા ચેાગ્ય છે. ૧ ૧. દેવદ્રવ્ય સંબંધી જુઓ. આચાર્ય મહારાજ આગમાહારક આચાય. આધુસાગરજી કૃત “ દેવદ્રવ્ય યાને ચૈત્યદ્રવ્ય. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat " www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ :: પ્રકરણ ૧૩ મું :: –વહીવટ– દેરાસરજીના વહીવટ સંબંધે ચાલુ સમયમાં ઘણું ઘણું ફરીયાદો સંભળાય છે. દ્રવ્યની વ્યવસ્થા-હીસાબ કિતાબ-ઉધરાણી પાઘરાણ–દેરાસરોની તમામ જણસો આભુષણે વિગેરેની સંભાળ-વિગેરે વિગેરે બાબતો ઘણું જ કાળજીથી થવી જોઈએ જેવી રીતે પિતાના ઘર કે દુકાનને વહીવટ થાય બલ્ક એથી અતિશય કાળજી જોઈએ. દેરાસરજીના ઘીના દીવે કાગેલ વાંચતાં દુર્ગતિનું દ્રષ્ટાંત વિચારીએ તો તે ચિત્યના વહીવટની વિશુદ્ધિના આવશ્યકતાને તરત ખ્યાલ આવે. દેરાસરના પૂજારી કે નોકરને પિતાનું નજીવું પણ કામ બતાવી ન શકાય એવા અતિ સખ્ત નિયમથીજ સમજાશે કે એ વહીવટ કરનારે વિશુદ્ધિ સાચવવાને કેટલું જાગૃત રહેવું જોઈએ, જ્યાં દેરાસરને વહીવટ એક આસામીને ત્યાં હોય છે ત્યાં સમય જતાં કોઈ વખત નહિ ઈચ્છવા ગ્ય પરિણામ પણ આવે છે. માઠાં પરિણામ કાંઈ બદદાનતથીજ આવે એવું કાંઈ નથી, પણ સંયોગો સદા સરખા રહેતા ન હઈ દુર્દેવ યેગે તેવું બને છે તે ઈચ્છવા એગ્ય છે કે વહીવટ એક હાથે ન રહે. પેઢી અગર બે ચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૧ સભાવિત ગૃહસ્થા વ્યવસ્થિતરીત્યા અંધારણ પૂર્વક વહીવટ કરે એજ ઈચ્છવા ચાગ્ય છે. ચૈત્યના વહીવટ નિર્મલ રીતે કરનાર પુણ્યશાલીએ અઢળક પૂણ્ય ઉપાઈ શકે છે, કર્મની નિરા કરી શકે છે, પણ તેમાં જો આપખુદી વ ન થાય તા બાજી બગડી. વહીવટ કરનાર ટ્રસ્ટીએ અથવા કાર્ય - વાકાએ દરેક પળે એ સ્મરણમાંજ રાખવુ હિતાવહ છે કે તેઓ માલીક નથી. બેશક, કાઇ માલીકપણુંનજ માને પણ જાણ્યે અજાણ્યે પણ આપખુદી ( સ્વચ્છંદી ) વર્ઝન થાય તા જર ‘ ધર્મ કરતાં ધાડ ” એ કહેવત જેવું થાય. • ધર્મ કરતાં ધાડ ' હાયજ નહિ પણ વસ્તુત: ધર્મ જ કહેવાય નહિ. નિયમ બહારનું વત્તન એટલે અધર્મ. ઘણીજ સાવચેતીની આવશ્યક્તા છે. , દેરાસરના ટ્રસ્ટીએથી જો પૂજારી અગર નાકરને પેાતાનું કામ સરખું પણ ન આપી શકાય તા દેરાસરનું દ્રવ્ય કે કાઇપણ ચીજને અંગે તેા કહેવું જ શું ? આજે એ પણ એવામાં આવે છે કે સમુક દેરાસરજીમાં અઢળક દ્રવ્ય હાય યા અમુક તીમાં પુષ્કળ પૈસા હાય તેજ વખતે કેટલાય ચૈત્યામાં સાંધા એટલા વાંધા હાય. કેટલાય ચૈત્યેા જીણું હાય. કેટલાયને પૂજન સામગ્રીનો અભાવ હાય. જેના ગણિતમાજ ગણાય છે, છતાં આ પરિસ્થિતિ તેમના વિવેક માટે ન્યૂનતાદક ગણાય. દેવદ્રવ્ય દેવઉપયાગે ખુશીથી વાપરી શકાય, છતાં જો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ તેમ ન વાપરવામાં આવે તે ત્યાં પણ એક પ્રકારને વ્યામેહ છે એમ કહેવું જ પડશે. અમારું દેરાસર આ મારાપ્રભુ એવી મારા તારાની ભાવનાને અત્ર સ્થાન જ ન હૈ શકે. કેટલાક ચૈત્યમાં કામ ચાલુ જ છે અને તેની સુંદરમાં સુંદર શેભામાં કાયમ વધારે કરવામાં આવે છે. જરૂર તે ભક્તિ જ છે. ચૈત્યની શોભાની સ્વર્ગ સૃષ્ટિ સાથેજ હરિફાઈ થવી જોઈએ પણ તેની સાથે સાથે જ બીજા અનેક ચૈત્યે કઢંગી હાલતમાં રહે છે તેટલું જ શરમાવનારું ગણાય માટે વિવેકી કાર્યવાહકોએ વિવેકપૂર્વક દ્રવ્ય વ્યયની વ્યસ્થાની વહેંચણી કરવી જોઈયે. વધારે શું કહેવું. આજ તે એક દેરાસરને બીજા દેરાસરમાંથી મૂર્તિ જોઈએ તો પણ દ્રવ્ય લેવાય છે જેને માટે “નકરે” શબ્દ વપરાય છે. નકરે કહે કે વેચાણ કહો આ પ્રશ્ન જરૂર વિચારણીય છે. કોણ કેની પાસે દ્રવ્ય લે છે. આ પ્રશ્નનો ઉત્તર વિચારાય તો એ સ્થિતિ ટકી શકે જ નહિ, ભગવાન સિાના છે. મંદિર સિ માટે સરખું છે. જિનાલયનું મહત્વ સર્વનું સરખું છે તે પછી ત્યાં મારા તારાની ભાવના ટકે એ અયોગ્ય જ ગણાય. દેવદ્રવ્યના વહીવટમાં પણ રૂપીયાની ધીરધાર, ભાડું વિગેરેની વ્યવસ્થા પૂર્ણ સંભાળથી અને શાસ્ત્રાજ્ઞાપૂર્વક થવી જોઈએ. શાસ્ત્રાજ્ઞાના ઉલ્લંઘનથી દેવદ્રવ્યની વૃદ્ધિ કે વહીવટ થાય એ લેશ પણ ઈષ્ટ નથી. સલામતી અગર રક્ષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ ણને મુદ્દે સ્મરણથી જરાપણ બહાર રહેવો ન જોઈએ. ઉપગપૂર્વક થતા વહીવટમાં દેવયોગે જે કાંઈ અનિષ્ટ થાય ત્યાં કદાચ કુદરતી બચાવ હોઈ શકે પણ વહીવટ પ્રત્યે દુર્લક્ષ્યાદી કારણે અગર ત્યાં એ શરમ વિગેરેના કારણે કાંઈ પણ અનિષ્ટ થાય તો તે જવાબદારી જરૂર વહીવટદારની જ હિઈ શકે અને તેઓજ દેષના ભાગીદાર થાય. દેવદ્રવ્યને અંગે જમાનાવાદીઓની ઉટપટાંગ વાતે ચાલી શકે નહિ, અને માટે જ તેના વહીવટ કરનારાઓ શાસ્ત્રશ્રદ્ધાન્વિત હોવા જોઈએ. શાસ્ત્રને અભરાઈએ મૂકી જમાનાના મિષે ફાવતું કરનારા હવા ન જોઈએ. દેવદ્રવ્યના વહીવટમાં પ્રમાદ માત્ર કરવાથી પણ કેવું પરિણામ આવે છે તેનું દ્રષ્ટાંત શ્રાદ્ધવિધિમાં નીચે મુજબ છે. મહેંદ્ર નામે નગરમાં એક સુંદર જિનમંદીર હતું. તેમાં ચંદન, બરાસ, કુલ, ચિખા, ફળ નૈવેદ્ય, દી, તેલ, પૂજાની સામગ્રી, પૂજાની રચના, મંદિરનું સમારવું, દેવદ્રવ્યની ઉઘરાણું, તેનું નામ લખવું, સારીયતનાથી દ્રવ્યની રક્ષા કરવી, વિગેરે કામને અર્થે શ્રી સંઘે દરેક કામમાં ચાર ચાર માણસે રાખ્યા હતા. તે લેકે પોતપોતાનું કામ બરાબર કરતા. એક દીવસે ઉઘરાણી કરનાર પૈકીને મૂખ્ય માણસ એક ઠેકાણે ઉઘરાણું કરવા ગયો. ત્યાં ઉઘરાણી ન થતાં ઉલટાં દેણદારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ ૭ મુખમાંથી નીકળેલી ગાળા સાંભળવાથી તે મનમાં ઘણા ખેદ પામ્યો અને તે દીવસથી તે ઉઘરાણીના કામમાં આળસુ અન્યો. ઉપરી જેવા માણસા ખની જાય છે એથી એના હાથ નીચેના માણસો પણ તેવી રીતે વર્તવા લાગ્યા અચાનક તે દેશના નાશ વિગેરે થવાથી ઉધાર રહેલું ઘણું દ્રવ્ય નાશ પામ્યું. પછી તે કર્મના ઢાષથી પેલા ઉપરી અસંખ્યાતા ભવ ભમ્યા. આ દ્રષ્ટાંતથી વિચારવું ઘટે છે કે જો માત્ર ઉઘરાણી કરનારની આ સ્થિતિ તે કાર્ય વાહકાએ તે કેટલી તીવ્ર જાગૃતિ રાખવી ન જોઇએ. એના અથ એવા નથી કે ત્યારે એવા વહીવટ નજ કરવા. વહીવટ કરવા કાંઈ દેવા આવવાના નથી તેમજ આપણા ઘરને વહીવટ આપણે ખુબ સાવધાનીથી કરી શકીએ છીએ. તેા પછી આ પવિત્ર વહીવટ કરવાની પુણ્યાયે તક મળી તેા ખરાખર તે તકના લાભ લઈ કર્મીની પુણ્ય વૃદ્ધિ કરવી, કર્મ નિર્જરા કરવી. વળી દેરાસર વિગેરે ખાતામાં નેાકરી કરનારને પણ ઊપરનું દ્રષ્ટાંત ઘણેાજ મેધ આપે છે. આજ તા ઘણે ઠેકાણે પૂજારીએ અને મુનિમા નાકરા અને ભૈયાઓની જોહુકમીના પાર હાતા નથી. શત્રુજ્યાદી તીર્થોમાં ધર્મશાલાની ઓરડી બદલ પૈસા લેવાની ક્રીયાદો મામે પત્રમાં ચર્ચાઇ ચુકયું છે. યાત્રાળુઓના માટેની એરડીએ મુનિમજી. તાળાં આપે પૈસા દેનાર યાત્રાળુને તરત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ઓરડી મળે અને બીજાઓ રખડયાજ કરે અને છતી ઓર ડિઓએ કેટલીક વખત તે પૂજ્ય સાધુ-સાધ્વીઓને પણ વિષમતા વેઠવી પડે છે. આ ઉપરથી એ પણ બોધ પાઠ મળે છે કે મુનિમ પૂજારી વિગેરે તમામ નોકરે ઉપર કેટલી દેખરેખની જરૂર છે, નહિતો હેતુ સરતો નથી. જે કે ઉપરની તમામ બીના બધે લાગુ પડે છે એમ નથી જ, છતાં જે વાત થોડે. અંશે પણ હોય તે પણ ધ્યાન ખેંચવા લખવી પડે તો વધારે પ્રમાણમાં જેની વારંવાર ફરીયાદ હોય ત્યાં લક્ષ્ય ખેંચવું પડે એમાં આશ્ચર્ય શું? તેઓને હદ બહારની છૂટ આપવાથી પણ વખત જતાં રોષવું પડે છે. દેવાલયની કેઈપણ ચીજ પિતાના માટે નજ વાપરી શકાય. પિતાના હાથમાં જે વહીવટ હોય તેમાં જે દ્રવ્યને સારે વધારે હોય તો વિવેકપૂર્વક જરૂર અન્ય જિનાલયના ઉદ્ધાર પ્રતિ પણ લક્ષ્ય દેડાવવું જોઈએ. વિશ્વમાત્રમાં જિનાલયમાત્ર ની શોભાની–મૃદ્ધિની વૃદ્ધિ અને જિનેશ્વરદેવના શાસનની શોભા છે. એમાં પરમભક્તિ છે. વહીવટ કરનાર પુણ્યશાલીઓ એ ભક્તિ સાધી શકે છે. આજ્ઞાને બાધ ન આવે, દ્રવ્યની સલામતીને બાધ ન આવે તેવી રીતે કાળજીપૂર્વક ચિત્ય વહીવટ કરનાર ભાગ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ ૭ શાલી ભવ્યાત્માએ સ્વર્ગાધિકારી અને પ્રાંતે મેાક્ષાધિકારી થઇ શકે છે. ચેત્યાદિ વહીવટને અંગે પ્રથમ કહેવાઇ ગયું કે નાકરા જૈનેતરને બદલે જૈનનેજ રાખવા એજ ઉચિત ને હિતાવહ છે જેન નાકરાને પગાર દેવદ્રવ્યમાંથી નજ અપાય. જેના માટે માટે પગાર ફ્રેંડ જુદુ જ હાવું જોઇએ. જે જે ભાઈઓને દેવદ્રવ્ય દેવું હેાય તેમ તેમ તરતજ તે ચૂકાવી દેવુ જોઇએ. આયુષ્યના કે સ્થિતિને લેશ માત્ર ભસે નથી તેા તે દેવનું દેવું એક ક્ષણ પણ રાખવું ઉચિત નથી. વ્યવહારમાં પણ દેવું રાખતાં રામ (વ્યાજ ) ચઢે છે તેા રામનું (ભગવાનનું ) દેવું રાખવાના રામની તેા વાતજ શી ? કેટલાક ભાઇએ પેાતાના વડીલેાએ મરણ વખતે કહેલું દ્રવ્ય જમા રાખે છે તે પણ ઇષ્ટ નથી. દેવના દેવાદાર કદી પણ ન રહેવું. વળી જ્યારે વાપરે છે ત્યારે તી વગેરેમાં અગર યાત્રાના કે તેવા પ્રસંગે જાણે પોતેજ વાપરતા ન હેાય તેવા દેખાવથી વાપરે છે અને વાહવા માટે છે, તેથી દાષના ભાગીદાર અને છે. વાસ્તવિકરીતે તે પેાતે કરજ જ ભરે છે, ભરનારે ખુલ્લી રીતે તથા પ્રકારેજ આપવુ અને વધારાનુ પોતે જે ખર્ચે તે માટે જરૂર પ્રસંશા ખાટવાને હકદાર છે. કરજ શ્રાદ્ધવિધિમાં સ્પષ્ટ રીત્યા જણાવે છે કે શ્રાવકે દેરાસર ખાતાની અથવા જ્ઞાનખાતાથી ઘર, પાટ આદિ વસ્તુ ભાડું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ C આપીને પણ ન વાપરવી. સાધારણ ખાતાની વસ્તુ પણ સંઘની અનુમતિથી વાપરવી. જેનું ભાડું લેક વ્યવહારથી લેશ પણ ઓછું આપવું નહિ. ઉજમણું વિગેરેમાં પણ મૂકાતી ચીજોને છેડે ન કરે આપી મેટા આડંબરથી કીર્તિ ખાટવાને પ્રયત્ન કરનાર લક્ષ્મીવતી શ્રાદ્ધવિધિમાં છે તે પ્રસિદ્ધ છે. તેટલાજ કારણે ઘણા દુઃખનું ભાજન તે થાય છે. ભવાંતરે કેવળી ભગવાનના ઉપદેશથી તે કારણ જાણું આલેયણથી શુદ્ધ થઈ દીક્ષા લઈ નિર્વાણ પામે છે. દેવની નિશ્રાએ રખાયેલી ચીજે તેજ દેવની ચીજો અને તેને કેઈપણ રીતે પોતાના ઉપયોગમાં ન લેવાય અને પોતાની નિશ્રાએ રખાયેલી ચીજો પ્રસંગે દેવ માટે પણ વાપરી શકાય છે અને પિતાને વાપરતાં પણ બાધ નથી આવતો. આ બધી બાબતો વિશેષતા જાણવી હોય તેઓએ ગુરૂગમથી અને શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથથી જાણી લેવું. વહીવટ શુદ્ધિ માટે જેમ કાર્યવાહકેની કાળજીની જરૂર છે તેમજ તેમને સહાય કરવામાં સમાજની કાળજીની પણ તેટઢીજ જરૂર છે. સમાજ જવાબારીમાંથી મુક્ત હોઈ શકે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ :: પ્રકરણ ૧૪ મું :: ફડની જરૂરિયાત. દરેક દેરાસરની ઉત્પત્તિની સાથે જ તેના નિભાવફંડની -વ્યવસ્થા મજબુત સલામતી ભરેલી થવી જોઈએ, જેની હિંદ દેરાસરજીના હજારના ખર્ચના પ્રમાણમાં વીસ હજારના. વ્યાજ પર્યત હોવી જોઈએ. વધારે દ્રવ્યની અનુકૂળતા હોય તે તે જીર્ણ ચારમાં વાપરી શકાય. સંગવશાત્ જીર્ણ હાલતમાં આવી ગયેલા ચિત્યના ઉદ્ધાર માટે એક મોટું જીર્ણોદ્ધાર ફંડ જરૂર હોવું જોઈએ કે જેથી માંગવા તાગવાની ખટપટ રહેજ નહિ અને એ ખાતું એ કામ કર્યા જ કરે.' કેટલેક સ્થળે તો એવી પરિસ્થિતિ હોય છે કે પૂજન માટે માત્ર કેશર ચંદનના અભાવેજ વાત અટકી પડે છે તે કેશર બરાસ ફંડની પણ જરૂર છે અને બીજા ઉપકરણે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ત્યાં પૂરા પાડવા જોઈએ. જોઈએ તે ઉપકરણ ફંડ જુદુંજ રહે જેમાં કેશર બરાસ પણ આવી જાય. - સાધારણ ફંડ તો એવું ફંડ છે કે જે બધે કામ લાગી શકે છે તેથી તે ફંડ તે બધે જોઈએ છે અને તે ફંડને કાયમ મજબુતજ રાખવું જોઈએ. બીજા ખાતામાંથી સાધારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭૯ ખાતે રકમ લાવી નહિ શકાય જ્યારે સાધારણખાનું ગમે ત્યારે ગમે તે ખાતાને સહાયક થઈ શકે છે તો તે ખાતાને વિશેષતઃ કાયમ પુષ્ટ રાખવાની પરમ આવશ્યકતા છે. ટુંકામાં સર્વત્ર ચિત્યને વહીવટ અને ભક્તિ કાયમ બન્યાંજ રહે એવી રીતે વ્યવસ્થિત બંધારણપૂર્વક જોઈતા ફંડોની જરૂરત છે. ફંડ એટલે સંગ્રહ માત્ર નહિ પણ ફંડની સાથેજ તેનો વ્યયાદિ વહીવટની વ્યવસ્થા હેવી જ જોઈએ. આ ફંડ આખાએ દેશને પહોંચી શકે તેટલા મોટા પ્રમાણમાં હોવા જોઈએ અને તેટલી જ તેની વ્યવસ્થા પણ વિશાળ હેવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ ॥ इति चैत्य संबंधी विचारणा ॥ સમાપ્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ દેવદ્રવ્ય અને ચૈત્યદ્રવ્ય. :: લેખક : આગમ દ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વીરશાસન વર્ષ ૬, અંક ૨ થી અંક ૧૧ સુધીમાંથી ઉદ્દધત.] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ જૈનશાસન કી વૃદ્ધિ કરનેવાલા ઓર જ્ઞાન દર્શન કા વિસ્તાર કરનેવાલા ઐસા જિન દ્રવ્ય કો બઢાનેવાલા જીવ તીર્થંકરપના પાતા હૈ. ઉપર કે મૂલ પાઠ સે વાચક જન સાફ સાફ સમજ સકેગે કિ દેવદ્રવ્ય કે બઢાને મેં ક્તિના બડા ફલ હૈ, કિ જૈન શાસન મેં સિવાય તીર્થકરને કે દૂસરા બડા પદ હી નહી હૈ ઔર વહ પદ ઈસ ચિત્યદ્રવ્ય કી વૃદ્ધિ સે મિલતા હૈ. ઐસી શંકા નહીં કરની કિ તીર્થકર નામ કર્મ બાંધને કે લિયે શાસ્ત્રકારે ને અરિહન્ત આદિ ૨૦ પદ કા આરાધન હી કહા હૈ, લેકિન વહાં દેવદ્રવ્ય વૃદ્ધિ કા ઉલ્લેખ નહીં હૈ. ઐસી શંકા નહી કરને કા કારણ યહ હૈ કિ, અરિહંતાદિ ૨૦ પદ-કિ જિનકી આરાધના સે તીર્થકર શેત્ર કા બધ ઔર નિકાચન હોના તુમને ભી માના હૈ, ઉસમેં અરિહંત પદ કી આરાધના મુખ્ય હૈ ઔ દેવદ્રવ્ય કી વૃદ્ધિ મુખ્યતા સે શ્રી અરિહંત ભગવાન્ કી ભક્તિ કે લિયે હી હૈ, તે અરિહંત કી ભક્તિ કે અધ્યવસાય સે દેવદ્રવ્ય બઢાનેવાલા જીવ તીર્થકરપના પાયે ઉસમેં કૅન સે તાજજીબ કી બાત હૈ. ઔર ઇસી સે હી શાસ્ત્રકાર મહારાજ હરિભદ્રસૂરિજી દેવદ્રવ્ય વૃદ્ધિ કરનેવાલે જીવ કે તીર્થંકર નામ ગાત્ર કા બધ દિખાતે હૈ, વહ અતિશયોક્તિ નહી હૈ. દેવદ્રવ્ય બઢાનેવાલા ઉત્કૃષ્ટાધ્યવસાય મેં હવે તબ તીર્થકરપના પાવે, લેકિન મધ્યમ ય મન્દ પરિણામ હવે તબ ભી મૈત્ય ઔર ચેત્યદ્રવ્ય કા ઉપકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ કરનેવાલા ગણધર પદવી ઔર પ્રત્યેક બુદ્ધપના પાતા હૈ. દેખિયે વહ પાઠચેઈકુલગભુસંઘે ઉવયારે કુણઈજા અણુસંસી પૉયબુદ્ધ ગજહર તિસ્થય વા તએ હેઈ ૪૧૯ છે ઈસ ગાથા મેં શ્રીમાન હરિભદ્રસૂરિજી ફતે હૈ કિ પિદ્ગલિક ઈચ્છા વિના કા જીવ ચૈત્ય કુલગણ ઔર સંઘ કે જે સહારા દેતા હૈ, વહ પ્રત્યેક બુદ્ધના પાતા હે યા ગણધરપના પાતા હૈ યા આખિર મેં તીર્થકર ભી હોતા હૈ. આખીર મેં શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ દિખાતે હૈ કે કમસે કમ પરિ ણામવાલા ભી દેવદ્રવ્ય વૃદ્ધિ કરનેવાલા જીવ સુર અસુર ઔર મનુષ્ય કા પૂજ્ય હેકર કર્મ રહિત હેકર મોક્ષ જાતા હૈ. દેખો યહ ગાથાપરિણામવિલેણું એનો અન્નયર ભાવમહિગમ્મા સુરમયાસુરમહિએ સિઝતિ જ ધુમકિલે છે પરિણામ કી તારતમ્યતા હોને સે કઈ ભી જઘન્ય પરિ ‘ણામ સે દેવદ્રવ્ય કી વૃદ્ધિ કરનેવાલા સુર અસુર મનુષ્ય સે પૂજિત હોકર કર્મ રહિત બન કર મેક્ષ પાતા હૈ. અબ સોચિયે ! જિસ દેવદ્રવ્ય કી વૃદ્ધિ સે ચરમ શરીરીપના, પ્રત્યેક બુદ્ધપના, ગણધરપના ઓર તીર્થકરપના મિલતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ હૈ ઉસ દેવદ્રવ્ય કી વૃદ્ધિ કરની વહ હરેક ભવ્યાત્મા કી ફર્જ હૈ કિ નહી ? યહ દેવદ્રવ્ય કી વૃદ્ધિ અભી હી હાતી હૈ અસા મત સમઝિયે, કિન્તુ શ્રીમાન મહાવીર મહારાજ કે વખ્ત ભી શ્રેણિક મહારાજા તનેહી કાલ સુવર્ણ કે ૧૦૮ જવ સે ભગવાન કા પૂજન કર કે દેવદ્રવ્ય બઢાતે થે. ઈસ સોના કે જવ કે વિષય મેં મતાર્ય મુનિ કા દ્રષ્ટાંત સભી ભવ્ય છે કે ખ્યાલમેં હી હૈ. દેખિયે યહ આવશ્યક કા અધિકાર– “ તળેવ રાયગિહે હિંડ, સુવર્ણકાર શિવમાગ, સે ય સેણુયસ્સ સેવર્ણિયાણું જવાણુમતૃસત કરેઇ, ચેઇયચણિયાએ પરિવાડિએ સેણિએ કારેઇ તિસંજઝં.” મેતાર્ય મુનિ વહાં રાજગૃહી મેં ગેરી ફિરતે હૈ, સોની કે ઘર પર આયે, વહ સુનાર શ્રેણિક રાજા કે ૧૦૮ જવ સેને કે કરતા હૈ, ક્યાં કિ શ્રેણિક પરિપાટી કે ચિત્ય મેં પૂજન કે લિયે ત્રિકાલ ૧૦૮ જવ કરાતા હૈ. ઇસી તરહ સે શ્રીમાન મહાવીર મહારાજ કે વખ્ત મેં હી સિંધુવીર કે મહારાજ ઉદાયન રાજા કી મૂર્તિ કે જીવિત સ્વામિ શ્રી મહાવીર મહારાજ કી પ્રતિમા કે લિયે ચણ્ડપ્રદ્યતન ને બારહ હજાર ગાંવ દિયે હૈ. દેખિયે યહ પાઠ– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ વિદ્યુમ્ભાલિકૂતાયે તુ, પ્રતિમા મહીપતિઃ મદદ દ્વાદશગ્રામસહસ્રાન શાસનેનસ: ૬૦૬ યાને રાજા ચડપ્રદ્યતન ને વિદ્યુમ્માલી દેવ કી બનાઈ હુઈ જીવિત સ્વામી શ્રી પ્રતિમાકે ૧૨ હજાર ગાંવ હુકમ સે દિયા. ઈતના હી નહી લેકિન દૂર મેં વીતભયમેં રહી હુઈ પ્રતિમા કે લિયે ભી દશપુર શહર દિયા. દેવદ્રવ્ય કી વૃદ્ધિ જરૂરી હૈ ઈસ લિયે તે આચાર્ય શ્રીમન હરિભદ્રસૂરિજીને સધ પ્રકરણ મેં ફમયા હૈિ કિ જબ તક દેવદ્રવ્ય કી વૃદ્ધિ નહી હોવે તબ તક શ્રાવક કે અપના ધન નહી બઢાના ચાહિયે, દેખિયે વહ પાઠ– પ્રઘોડપિ વિતભપ્રતિમામૈ વિશુદ્ધ શાસનેન દશપુરં દવાડવનિતકિપુરમગાતુ દ૦૪ યાને નિર્મલ બુદ્ધિવાલા ચણ્ડપ્રદ્યતન હુકમ સે વતભયમેં રહી હુઈ પ્રતિમા કે દશપુર નગર દેકર અવન્તિપુરી ગયા. ઇસ તરહ સે ચિત્ય કે લિયે ગાંવ દિયે જાતે થે, ઇસ સે હી ઉસ કા હરણ હોને કા સાવ દેખ કર પંચકલ્પભાષ્યકારને ગાંવ, ગ, હિરણ્ય ઔર ક્ષેત્ર કે લિયે સાધુ કે પ્રયત્ન કરને કા કહા હૈ. જણદવેવ નાણુદરવંસાહારણમાઈ દવસંગહણું ન કરે ઇ જઈ કઈ ને કુજા નિયઘણુપૂસંગ ૩૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ યાને જબ તક દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય ઔર સાધારણ દ્રવ્ય કા સંગ્રહ (વૃદ્ધિ) ન કરે, તબ તક અપને ધન કી વૃદ્ધિ નહિ કરે, ઔર ઇસી તરહ સે કરનેવાલા હી મહા શ્રાવક તીર્થકરપના પાતા હૈ, લેકિન ઈસ વિધિ એ વિરૂદ્ધ વર્તન કરનેવાલા યાને અપના દ્રવ્ય બઢાવે, લેકિન દેવદ્રવ્યાદિ નહીં બઢાવે વહ જીવ દુર્લભબોધિ હોતા હૈ. દેખિયે યહ પાઠ– એવં તિત્થરયd પાવઇ તપુણુએ મહાસો ઇય વિહીવિવરીઓ જે સે દુHબેહિઓ તવાઈ યાને ઉપર કહે મુજબ દેવદ્રવ્ય કી વૃદ્ધિ કરનેવાલા જીવ દેવદ્રવ્ય કી વૃદ્ધિ કે પુણ્ય સે તીર્થકરપના પાતા હૈ, ઔર ઐસિ વિધિ સે વિપરીત વર્તનવાલા દુર્લભધિ હતા હૈ. ઉપર કે ઈસ પાઠ કે સોચને સે માલુમ હોગા કિ જે સાધુ ભગવાન શ્રી દ્રવ્ય પૂજા કરે ઉસ કે અપને પાસ દ્રવ્ય હોને સે મન્દિર કા હી દ્રવ્ય વાપરના પડે ઔર યહ દેષ બડા હૈ ઐસાગિન (માન) કર શ્રી મહાનિશીથસૂત્ર મેં ફમયા હૈ કિ– સે ભયવં જેણું કેઈ સાહુ વા સાહણું વા નિ. ગથે અણગારે દવ્યત્યય કુજા સે શું કિમાલજજા? ગેયમા ! જે શું કેઈ સાહુ વા સાહેણું વા નિગથે અણુગારે દWયં જ તેણું અજએઈ વા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ . વા જાવણ અસ‘જએવા દેવભેાઈએ વા દવચગે ઉસ્સગપઇએòિઇ વા દુરૂઝિયસીલેઇ વા કુસીલેઇ વા સફ્ળ દયાએિક વા આલવેજ્જા !! ૩૮ ! ” હે ભગવન્ ! જો કેાઈ ભી સાધુ યા સાધ્વી નિન્થ અનગાર દ્રવ્યસ્તવ કરે ઉન કા ક્યા કહના? ભગવાન્ ફર્માતે હૈ કિ–હુ ગાતમ ! જો કેાઈ ભી સાધુ યા સાધ્વી નિન્થ અનગાર દ્રવ્યસ્તવ કરે તેા ઉસ કે અયત અસ યત દેવભાજી દેવા ક યાવત્ એકાન્ત ઉમા, પતિત, શીલ રહિત, ઔર સ્વચ્છન્દ કહેના !! ૩૮ ! યાને જો નિગ્રન્થ હેાકર ભગવાન્ કા પૂજન કરે તખલી વહુ દેવભાજી હૈ યાને દેવèાજી હેાના યહુ સાધુ કે લિયે ડે મેં ખડા દ્વેષ હૈ ઔર ઇસી સે શ્રીમાન હરિભદ્રસૂરિજી ચૈત્ય વાસા ઔર દેવાદિ દ્રવ્ય કે ભાગ કે અધમાધમ દિખાતે હે. જીસ દેવદ્રવ્ય કા ભક્ષણ યા ઉપયોગ કરના સાધુ કે લિયે ભી મનાઇ હૈ, તે પીઅેસરે કે લિયે કયા કહના. આર ઇસી સે હી દેવ દ્રવ્ય કે અંશ સે બની હુઈ વસ્તિ મે ભી સાધુ કે રહેને સે હરદમ પ્રાયશ્ચિત્ત બઢતા જાતા હૈ. દેખિયે હરિભદ્રસૂરિજી કા લેખ—— જિષ્ણુદન્ત્ર લેસર્જાય ટાણુ અણુદવ્યભેાયણું સન્ના સાહૂદ્ધિ ચઇયળ્વ' જઇ તભિ સિજ પચ્છિત્ત’૫ ૧૦૮। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠહુયં છગ્ગફયં ભિનયાસે ય પઇ દિણું જાવ કવિહારાઈયં ભણિયં નિગમં કપે છે ૧૦૯ છે યાને દેવદ્રવ્ય કા લેખ માત્ર ભી ઇસ મેં લગા હો વૈસે સ્થાન કા યા સર્વથા દેવદ્રવ્ય કે સ્થાન કા પરિભેગ સાધુ કે વર્જન કરના ચાહિયે. જે સાધુ પૈસા સ્થાન નહીં છેડે તો ઉસ સાધુ કે પહિલે દિન છ લઘુ, દૂસરે દિન છ ગુરૂ, પિછે પ્રતિદિન ભિન્ન માસ બઢતે બઢતે યાવસ્કલ્પ વ્યવહાર મેં કહા હુઆ ચરમ પ્રાયશ્ચિત્ત યાને પારાશ્ચિત પ્રાયશ્ચિત આ જાય તબ તક હરદમ પ્રાયશ્ચિત્ત બઢતા જાતા હૈ ઉપર કે કથન સે સાફ હો જાતા હૈ કિ દેવદ્રવ્ય સાધુ કે ઉપયોગ મેં કિસી તરહ સે ભી નહીં આ સક્તા. તિનેક લોગ કહતે હૈં કિ–સંઘ દેવદ્રવ્ય કી વ્યવસ્થા પલટા સકે યા દેવદ્રવ્ય સંઘ કે ઉપગમેં આ સકે, યા સંઘ મિલકર ઉસ દેવદ્રવ્ય કા દૂસરા ઉપયોગ કર સકે, તે યહ ઉપર કહે મુજબ કહને વાલે યા વૈસા કરનેવાલે સંદા સે બાહર હી હૈ. આિર વિસે કે સંઘ કહેને કે લિયે શાસ્ત્રકાર સાફ સાફ મના કરતે હૈ. દેખિયે યહ પાઠવાઈ દવભકપણ તપરા તહ ઉમપખકરા છે સાહ જણુણું પઓસ કારિણું મા ભણહ સંઘો ૧૨૦ દેવાદિ દ્રવ્ય કે ભક્ષણ કરને મેં તત્પર ઔર ઉન્માર્ગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ કા પક્ષ કરને વાલે ઔર સાધુ જન કે દ્વેષી એસે કે સંઘ નહીં કહના. - ઈસ ઉપર કે પાઠ સે સાફ માલુમ હો જાયેગા કિ દેવદ્રવ્ય સાધુ, સાધ્વી, શ્રાવક યા શ્રાવિકા ચતુર્વિધ સંઘ મેં સે કિસી કા ભી ઉપગ મેં નહીં આ સક્તા હૈ. ઇસી સે ઉપદેશસસતિકાકારને સત્ય હી કહા કિ-એકત્રેવ સ્થાનકે દેવવિત્તમ્” યાને દેવદ્રવ્ય કા દૂસરે કિસી ભી કાર્ય મેં ઉપગ નહીં લે સકતે હૈં કિન્તુ કેવલ ચિત્ય કે લિયે હી ઉસ કો ઉપગ હે સકતા હૈ. દેવદ્રવ્ય કા ઉપયોગ દૂસરે સે ન હવે ઓર ઉસ કી વૃદ્ધિ ઉપર્યુક્ત ફલ કો દેને વાલી હૈ ઇસ સે શ્રી ધર્મસંગ્રહ, શ્રાદ્ધવિધિ ઓર ઉપદેશપ્રાસાદ આદિ મેં દેવદ્રવ્ય કી વૃદ્ધિ કરના યહ એક જરૂરી વાર્ષિક કૃત્ય દિખાયા હૈ. ઉપર કે લેખ સે દેવદ્રવ્ય કે બઢાના ચાહિયે. રક્ષિત રખના ઔર અપન ને ભક્ષણ કરના નહીં ઓર દૂસરે સે હને ભી દેના નહીં. યહ બાત આપ સમઝ ગયે હેગે. લેકિન ઈસ જગહ પર શંકા હોગી કિ ઐસા ભડાર બઢને સે ઉસ કે ખાને વાલે મિલતે હૈ. ઓર વે ડબ જાતે હૈ કે ઉસ કો બઢાના હી નહીં, કિ ઇસ સે ખાને વાલે કે દૂષિત હોને કા પ્રસંગ હી નહી આવે? લેકિન યહ શંકા અજ્ઞાનતા કી હી હૈ યે કિ ધર્મે પ્રગટ કરને સે નિન્દવ ઔર ધર્મ કે અવર્ણવાદી ઉત્પન્ન હેતે હૈ ઔર અનન્ત સંસારી બનતે હૈ. ઇસ સે ક્યા તીર્થકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ ભગવાન કે ધર્મ પ્રગટ નહીં કરના? ઐસે હી સાધુ હોને સે મિથ્યાત્વી લેગ કર્મ બાંધતે હું તો ક્યા સાધુ નહીં હોના? મન્દિર બનવાને સે ઓર પ્રતિમા કરાને સે હી મિથ્યાત્વે કે કર્મ બન્ધન હોતા હૈ, તો કયા મન્દિર એર પ્રતિમા નહીં બનવાના ? હરગિજ નહીં, ડુબનેવાલે અધમ પરિણામ સે ડુબ. મરે ઈસ સે તિન કી ચાહના વાલે કે તેને કા સાધન છોડ દેના, કભી ભી મુનાસિબ નહીં હૈ. ઇસ રીતિ સે મહારાજા કુમારપાલ એર વસ્તુપાલ તેજપાલ મંત્રી ને કરડે કરેડે રૂપીયા ખર્ચ કર કે જ્ઞાન ભંડાર બનાવાય છે. અભી ઉન મેં સે એક ભી પુસ્તક નહીં મિલતા હૈ ઔર ઇસી તરહ સે અબ ભી કિયા જાતા જ્ઞાનોદ્વાર આગે કે જમાને મેં નહીં દિખાઈ દેગા તે ક્યા યહ જ્ઞાનઉદ્ધાર અભી નહીં કરના? હરગિજ નહીં. તૈરને કી ઈચ્છાવાલે કે તેને કા સાધન જરૂર કરને કા હૈ. પેસ્તર કા. સાધન વિનાશ પાતા હવે ઉસ કે રક્ષા કરના જરૂરી હૈ ઔર નયા સાધન ખડા કરના ઔર બઢાના ઉસ કી ભી જરૂરત હૈ. તે ઇસ સે પેશ્ર્વર કે દેવદ્રવ્ય કા નાશ હો ગયા દેખકર દેવદ્ર વ્ય કી વૃદ્ધિ સે પીછા નહીં હટના ચાહિયે. એક પુત્ર કા મરણ દેખ કર દૂસરે પુત્ર કે નહીં બઢાના ય પોષણ નહીં કરના યહ દુનિયા કે વ્યવહાર સે ભી બાહર હૈ. દેવદ્રવ્યકી વૃદ્ધિ કે ઉપર લિખા હુઆ ફલ સમજ કર ભવ્ય છે કે દેવદ્રવ્ય કી વૃદ્ધિ જરૂર કરની ચાહિયે. દેવદ્રવ્ય કી વૃદ્ધિ રક્ષા મંજુર હાને પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ - ૧૨ ભી તિનેક ઐસા કહતે હૈં કિ અવિધિ સે દેવદ્રવ્ય બઢાને મેં ભી અનન્ત સંસાર કી વૃદ્ધિ હૈ. શ્રીમાન હરિભદ્રસૂરિજીને હીં કહા હૈ કિ– જિણવર આણુરહિયં વદારતાવિ કેવિ જીણુદવ્વા બુદ્દતિ ભવસમુદે મૂઢા મહેણ અન્નાણી ૧૦૨ ' યાને જિનેશ્વર મહારાજ કી આજ્ઞા કે રહિતપને કંઈ અજ્ઞાની મેહ સે મુઝાયે હુએ દેવદ્રવ્ય કો બઢાતે હુએ સંસાર સમુદ્ર ડુબતે હૈ, તે ઈસસે માલુમ હોતા કે દેવદ્રવ્ય વિધિ એ બઢાના ચાહિયે. યહ કહના સચ્ચા હૈ. કોઈ ભી કાર્ય વિધિ સિવાય ફલ નહીં દેતા હૈ. લેકિન ઈસકા મતલબ યહ નહીં હૈ કિ અસલ વસ્તુ કે છોડ દેના. કિ દાન, શીલ, તપ, વ્રત, પકખાણ, પૂજા, પ્રભાવના, પિષધ, પ્રતિષ્ઠા ઓર તીર્થયાત્રા વિગેરે સબ હી ધર્મકૃત્ય વિધિ સે હી ફલ દેનેવાલે હૈ, ઓર અવિધિ સે કરને મેં આવે તો બાનેવાલે હૈં. લેકિન ઈસ સે ધર્મકૃત્ય કી ઉપેક્ષા કરનેવાલા તે જરૂર હી ડુબેગા. અવિધિ સે કિયા હુઆ ભજન ભી અજીર્ણ કરતા હૈ, લેકિન સર્વથા ભજન ત્યાગ કરનેવાલા મનુષ્ય યા પ્રાણ ભી અપને જીવન કે નહીં ટકા સકતા હૈ. ઔર જિનેશ્વર મહારાજ કી આજ્ઞા રહિત દેવદ્રવ્ય કા બઢાના કિસ કા નામ? કયા મંદિર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મે રાકડ દેના, સાના ચાંદી દેના, ગ્રામ નગર દેના, ક્ષેત્ર ઘર વગેરા દેના, ઇસકેા કિસી ભી જગહ શાસ્ત્રો મે મનાઇ હૈ ? કાઇ ભી શાસ્ત્ર કા જાનકાર એસી ખાત નહીં કહ સકતા હૈ. કયાં કિ ઉપર ક્રિયે હુએ શાસ્ત્રો કે પ્રમાણાં સે હી સુવાદિ એર ગ્રામાદિ દેને કા નિશ્ચિત હુઆ હૈ ઇસ સે યહ ભી સિદ્ધ હુઆ ક અપની તરફ સે ગ્રામાદિ સુવર્ણ આદિ દે કર દેવદ્રવ્ય કી વૃદ્ધિ કરની ચાહિયે. જીસ તરહ સે ગામ આદિ દેકર વૃદ્ધિ હાતી હૈ ઉસી તરહ સે ઉછામણી (મેાલી) યાને બેલી સે હી દેવદ્રવ્ય કી વૃદ્ધિ કરની, વેા મુનાસિબ નહી હૈ. ઉછામણી યા એટલી કરના વહુ શ્વેતામ્બર કા હી માન્ય હૈ એસા નહી કિન્તુ દિગમ્બરાં કે ભી માન્ય હૈ, અન્યથા ગિરનારજી તી કે વિવાદ મેં દિગમ્બર લેાક યહ બાત કૈસે માન્ય કરતે ક જ્યાદા ખેાલી ખેલે ઉસી કા તીર્થ ગિનના, ઔર યહુ માત તા સુકૃતસાગર આદિ ગ્રન્થા મે પ્રસિદ્ધ હી હૈ કિ છપ્પનઘડી સેાના ખેલ કર પેથડશાને ગિરનારજી તી કે શ્વેતાઅર ખનાયા ઔર ઉસ વક્ત દિગમ્બરોં સે મજૂર ભી કિયા, રાજા કુમારપાલ ને ભી સિદ્ધાચલજી પર ઇન્દ્રમાલા કી ઉછામણી કી, વાગ્ભટ ને ભી ઉછામણી કી, શ્રી રત્નશેખરસૂરિજી મહારાજ ને ઉછામણી સે આરતી આદિ કરને કા કહા. ઇતના હી નહીં લેકિન શ્રાદ્ધવિધિ મે ભી ચંદા ચ ચૈન ચાવતા માલા પાિપનાદિ કૃત તદા તાદેવાદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૪. દ્રવ્ય જાત યાને માલાકી ઉછામણું મેં જીસ વખ્ત બેલને મેં આયા ઉસી વખ્ત સે વહ બેલા હુઆ દ્રવ્ય દેવદ્રવ્ય ગિના જાવે યાને ઉસ મેં સે કુછ ભી અંશ દૂસરે ખાતે મેં લે જાવે નહીં; જીતની ઉછામણું હી હૈ વહ સબ દેવદ્રવ્ય હી હૈ. ઈસ સ્થાન પર સેચના ચાહિયે કિ સંઘ કે બહાને સે લી હુઈ માલા કી ભી ઉછામણ દેવદ્રવ્ય હવે ર ઉપધાન કિ જે જ્ઞાન કે આરાધન કે લિયે હોતે હૈ ઉસમેં ભી બેલા હુઆ દ્રવ્ય દેવદ્રવ્ય હવે તે પીછે ખુદ લાગવાનું કે આલમ્બન સે હી ઓર ભગવાન કી માતા કે આયે હુએ સ્વપ્ન ઔર ભગવાન કે હી પાલને કા દ્રવ્ય દૂસરે ખાતે મેં કેસે જાવે ? ઔર એસા નહીં કહના ચાહિયે કિ કેવલજ્ઞાનીપણા કે બાદ હી દેવપના હૈ કયે કિ એસા કહને સે તે તીર્થકર મહારાજા કે જ્ઞાન ઔર નિર્વાણ દેનેં હી કલ્યાણક હશે. ઓવન, જન્મ ઔર દીક્ષા તીર્ને કલ્યાણક ઉડ જાયેગે. ભગવાન કા દીયા હુવા સંવછરી દાન આદિ તે ભગવાન ને હી અપને ક૯પ સે દિયા હૈ. ઇસ સે હરજ નહીં કરેગા. જેસે દીક્ષા લેનેવાલા ગુરૂ આદિ સે સબ ઉપકરણ લે, લેકિન દૂસરા ચેરને વાલા તે નરકાદિકગતિ કા અધિકારી બને. કયા મહાવીર મહારાજ કો બચપણ મેં ઔર છસ્થપને મેં ઉપસર્ગ કરને વાલે જિનેશ્વર કી અશાતના કરનેવાલે નહીં હએ? શાસ્ત્રકાર મહારાજા તે યવન સે હી જિનપને કો નમસ્કારાદિ કાર્ય ફરમાતે હૈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૫ હેમચન્દ્ર મહારજ, ધર્મઘોષસૂરિજી, રત્નશેખરસૂરિજી માનવિજપાધ્યાય વગરહ મહાનુભાવ કયા જિનેશ્વર મહારાજ કી આજ્ઞા સે વિરૂદ્ધ વર્તનવાલે ઔર કહને વાલે થે? એસા કહને કી હિમ્મત ભવભીરૂ જીવ તો કભી નહીં કર સકતા હૈ. કિતને કા કહના હૈ કિ પ્રતિક્રમણ કા બેલી સાધારણ ખાતે મેં લે જાને કા વિજયસેનસૂરિજીને ફમા હૈ, તો યહ બાત સચ્ચી હૈ, લેકિન યહ સાધારણ શબ્દ અભી ચાલુ કે દેવદ્રવ્યલુમ્પક કપિત કિયે સાધારણ ખાતે કે લિયે નહીં હૈ કિન્તુ મન્દિર કે સાધારણ કે લિયે હી હૈ. દેખિયે! શ્રીમાન હીરસૂરિજી કયા કહતે હૈ કવાપિ વાપિ તદભાવે જિનભવનાદિ નિહાસભ્યન નિવારયિતમશકયમિતિ” ' યાને કિસી કિસી જગહ પર પ્રતિકમણાદિ બોલી કે દ્રવ્ય સિવાય જિનભવનાદિક કા નિવહ હી નહીં હોતા ઈસ સે નિવારણ કરના અશક્ય હૈ. વાચક જન સોચેમેં કિ જબ પ્રતિકમણુદિ બોલી કા દ્રવ્ય ભી જિન ભવન કે લિયે રખા ગયા હૈ, તો પછે વહ દ્રવ્ય દેવદ્રવ્ય યા દેવ કા સાધારણ દ્રવ્ય હી હવે, લેકિન શ્રાવક કે લડું બ ને યા સાધુ કે માજ મજા ઉડાને કે કામ મેં યહ દ્રવ્ય કહાં સે આવે? કિતનેક કા કહના હૈ કિ--હીરસૂરિજી કા ઉછામણી કરની ચહ સુવિહિત આચરણ સે નહીં હૈ એસા કહના હૈ. તે યહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ બાત બિસ્કુલ ગલત હૈ, કકિ હેમચન્દ્રસૂરિ મહારાજ સરીખે યાવત્ રત્નશેખરસૂરિજી કે વે શ્રીમાન હીરસૂરિજી કભી ભી. અસુવિહિત નહીં ગિને. અસલ મેં જેસા આજ કલ મારવાડાદિ દેશ મેં સામાયિક ઉચ્ચારણ કરને બાદ ઘી બેલ કર આદેશ દિયે જાતે હૈ ઐસે રિવાજ કે લિયે શ્રીમાન હીરસૂરિજી ને ફર્માયા હૈ ઔર ઇસીસે હી વહાં પર પ્રતિકમણાદિ આદેશ ઐસા કહા હૈ ઔર સુવિહિત કે લિયે કહા હૈ યાને સામાયિક લેને બાદ બલી કરની, સાધુ કે આદેશ દેના ઔર વહ ઘી કી વૃદ્ધિ કે હિસાબ સે દેના યહ સુવિહિત કે ઠીક નહીં માલૂમ હોતા. જહાં પર વિશેષ આદેશ વિશિષ્ટ પુરૂષ કે લિયે કહા હૈ વહાં પર સર્વ આદેશ કે લિયે ઔર સભી અવસ્થા કે લિયે લગા દેના યહ અક્કલમન્દી કા કાર્ય નહીં હ. કિતનેક કા યહ કહના હૈ કિ–ભગવાન કી પૂજા આરતી વગેર: ભક્તિરૂપ ધર્મ હૈ, ઔર ઉસ મેં દ્રવ્ય સે સમ્બન્ધ રખના એર દ્રવ્ય વાલે કે જ્યાદા લાભ દેના કિસી તરહ સે મુનાસિબ નહીં હૈ-લેકિન ઐસા કહના યહ ભી શાસ્ત્ર સે વિરૂદ્ધ હૈ, કિ ખૂદ જિનેશ્વર મહારાજ કે જન્માભિષેક આદિ મેં અશ્રુતેન્દ્રાદિ ઈન્દ્ર કે અનુક્રમ સે હી અભિષેક હેતે હ, તે ક્યા વે અભિષેક દ્રવ્ય કી અપેક્ષા સે નહીં હૈ? વહાં પર તે દેવદ્રવ્ય કી વૃદ્ધિ કા નહીં હોને પર કેવલ અપની અપની ઠકુરાઈ સે હી પેસ્તર અભિષેક કરતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ હ. ઈસી રીતિ સે ખૂદ ભગવાન કે સમવસરણ મેં ભી અલ્પવૃદ્ધિ વાલા દેવ મહદ્ધિક દેવ સે પીછે બેઠતા હૈ ઔર અલ્પદ્ધિ વાલા દેવતા પીછે આવે તે મહદ્ધિક કે નમસ્કાર કરતા હુઆ આતા હૈ. ઔર મહદ્ધિક જાવે ઉસ વક્ત ભી અલ્પદ્ધિક દેવતા. નમસ્કાર કરતે હૈ. અબ દેખિયે! ખૂદ ભાવ તીર્થકર કી ભક્તિ કે વખ્ત ભ અપની સ્વતન્ત્ર ઋદ્ધિ કી મહત્તા ભી અપેક્ષા રખતી હૈ ઓર વહી અપેક્ષા શાસ્ત્રકાર ને ભી સ્વીકાર કી હૈ, તે પીછે દ્રવ્યભક્તિ મેં દેવદ્રવ્ય બઢાને વાલે કા સમ્બન્ધ હી નહીં હૈ યહ કહના કેસે સચ્ચા હેગા? સદ્ધિમાને કે લિયે ખૂદ આચાયદિક કો ભી આવશ્યક ક્રિયા કા નિયમિત ટાઈમ મેં સે ભી ઉપદેશ કે લિયે વખત નિકાલના શાસકાર ફર્માતે હૈ, ઈતના હી નહીં ડિતુ ભાવતવરૂપ દશા કે બાદ ઉપસ્થાપના કે વિષય મેં શાકાર ફર્માતે હૈ કિ રાજા ર પ્રધાન, શેઠ ઔર વાણેતર, રાણી ઔર અમાત્ય કી ઓરત, સાથે સાથે દિક્ષિત હવે તે પ્રધાન વગેર: બડી દીક્ષા કે લિયે લાયક હે જાને પર ભી રાજાદિક કે લિયે રૂકના. જબ ભાવસ્તવમેં યહ દ્રવ્ય કા પ્રભાવ માના ગયા હૈ, તે પીછે ઉત્સર્પણ સે અધિક દ્રવ્ય ચૈત્ય મેં દેને વાલા પ્રથમ અધિકારી હવે ઉસ મેં ક્યા આશ્ચર્ય હૈ? તિનેક કા યહ કહના હૈ કિ–દેવદ્રવ્ય કી કલ્પના છોડ દેવે ઔર સાધારણ કી કલ્પના કર કે ભગવાન કી પૂજા આદિ કી બલી કરાવું તે પીછે વહ દ્રવ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ સાધારણ ખાતે મેં લે જાવે તે કથા હજ હૈ? લેકિન યહ કહના ભી ગલત હૈ, કોકિ પિસ્તર કે આચાર્ય, મુનિ એર શ્રીસંઘ ને જે બેલી દેવદ્રવ્ય કે લિયે હી શુરૂ કી હૈ, ઉસ બેલી કે પલટા દેના વહ દેવદ્રવ્ય કી આવક તોડ દેને કા હી હૈ ઔર દેવદ્રવ્ય કી આવક તેડને વાલો કે લિયે શાસ્ત્રકાર ક્યા ફર્માતે હૈં? દેખિયે– આયાણું જો ભુજઈ પડિવણણ ધણું ન દેજી દેવસ નટ્સત સમુવિકઈ સેવિ હું પરિભમ સંસારે છે જે મનુષ્ય દેવદ્રવ્ય કી આવક કે ભાંગતા હૈ, મંજુર કિયા હુઆ ધન નહીં દેતા હૈ, યા ભાંગને વાલે ઔર નહીં દેને વાલે કી ઉપેક્ષા કરતા હૈ, વહ ભી સંસાર મેં લતા હૈ. દેખિયે-ઇસ હરિભદ્રસૂરિજી કે વાક્ય સે દેવદ્રવ્ય કી આવક કે ભાંગને વાલે કી યા હાલત હોતી હૈ? જે લોગ કલ્પના ફિરાને કા કહતે હૈં, ઉન કે સમઝના ચાહિયે કિ જે લડડુ વગેરઃ મન્દિર મેં નૈવેદ્ય તરીકે ધરાયે નહીં હૈ, સિર્ફ મન્દિર મેં લે ગયે હૈ વસે લઠ્ઠ વગેરક કે વે કલ્પના વાદી ક્યા લે કર ખા સકેગે? કભી ભી કહીં, જિનેશ્વર મહારાજ કે મંદિર મેં બોલી બેલ કર ઉસ કા દ્રવ્ય શ્રાવક કે ઉપયોગ મેં લાના ચહ તે ભગવાન કી આશાતના કો જાનને વાલા કભી ભી મંજૂર નહીં કરેગા, કોંકિ શાસ્ત્રકાર મહારાજ ને તે ભગવાન કી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિ મેં અશનાદિક સર્વ ભવ્ય વસ્તુ કા નિષેધ ક્યિા હૈ. દેખિયે વહ પાઠ– દિરિએ વિ જિશૃિંદાણું સવ્વમસણુ ભેગવભૂણિ ને પરિભૂત જીત્ત, • ૮૮ ' યાને ભગવાન કી દૃષ્ટિ કે વિષય મેં ભી સભી અશનાદિ ભેગ્ય વસ્તુ કા કિસી ભી તરહ સે પરિગ કરના લાયક અબ સોચના ચાહિયે કિ–જબ ભગવાન કે દષ્ટિ મેં ભી અશિનાદિક કા ભાગ નહીં હોવે, તો પી છે ભગવાન કે સમક્ષ યા નિમિત્ત બોલી કર કે શ્રાવકયા સાધુ કે ખાના યા ઉગ લેના કૈસે લાજિમ હેગા? ઔર યહ બાત તે સબ કે માન્ય હી હૈ કિ–મન્દિર મેં ઘુસતે હી નિસ્સિહી કરના હી ચાહિયે ઔર ઉસ નિરિસહી સે ચૈત્ય કે સિવાય કે કાર્ય કે લિયે મન, વચન, કાયા કા વ્યાપાર બંદ કિયા હૈ, તે વહાં પર ચિત્ર હી સાધારણ કે લિયે બોલી બેલ કર પ્રયત્ન કરને વાલા નિરિસહી કી મર્યાદા કે તેડને વાલા હી હૈ. - કિતનેક લેગ ઐસી શંકા કરતે હૈ કિ–દેવદ્રવ્ય કા સ્વરૂપ બતાને મેં હી શાભકારને દેવદ્રવ્ય કે શાસન કી વૃદ્ધિ કરને વાલા ઔર જ્ઞાન દર્શન કા પ્રભાવક કહા હૈ. ઈસસે ચતુર્વિધ સંઘ, પ્રવચન તથા જ્ઞાન દર્શન કે લિયે દેવદ્રવ્ય કા ખર્ચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ ૨૦ કરના ગરમુમકિન નહીં હૈ, લેકિન ઐસા કહને વાલે કે પિતર તે ઉસી હી ગાથા કા વિવેચન ઔર ઉસ કી ટીકા જે ઉપર દી હૈ વહ સેચના ચાહિયે. જે તે લેગ શાસ્ત્ર કે સોચેંગે તે સાફ સાફ માલુમ હો જાયેગા કિ દેવદ્રવ્ય કિસી ભી અન્ય ક્ષેત્ર મેં (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા યા જ્ઞાનમેં) નહીં જા સક્તા હૈ. જે ઉસ ગાથા મેં પ્રવચન કી વૃદ્ધિ કરાને વાલા દેવદ્રવ્ય કહા હૈ ઔર જ્ઞાન-દર્શન કા પ્રભાવક કહા હૈ, ઉસી મેં હી સાચા હતા તે માલુમ હો જાતા કિ એક સ્થાન પર કૃમ્ ધાતુ કયે રખા? એર દૂસરે સ્થાન પર પ્રભાવકપના ક્યાં રખા હૈ ? ઈતના. હોને પર ભી ઈન્ડી શ્રીમાન હરિભદ્રસૂરિજી ને ઈસી દેવદ્રવ્ય કે વિષય મેં કિસી તરહ સે શાસન કી વૃદ્ધિ ઓર જ્ઞાન-દર્શ ન કા પ્રભાવકપના માના હૈ, વહ ઉન્હ સૂરીશ્વરજી કી નીચે દી હુઈ ગાથા સે સ્પષ્ટ છે જાયગા – પિછિક્સએસ્થ ઈહબંદણુણમિત્ત માગએ સાહૂ કયપુને ભગવતે ગુણરપણુણિ હિમહાસત ૧૧૨૬ પડિવુઝિસ્મૃત્તિ હં દટણ જિણિંદ બિસ્મમકલંકે અણડવી ભવ્હસતા કહિતિ તઓ પર ધમ! તા એ અમેવ વિતં જમિસ્થમુવઆગમેહ અણુવચ્ચે આ ચિંતાડપરિવાડિઆ માસપલુદ્દાડાઉમેખલા વન્દન કે લિયે આયે હુએ પુણ્યશાલી ગુણરત્ન કા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ ૨૧ નિધાન ઔર મહાસત્ત્વ ઐસે સાધુ મહારાજ કા ઈધર મેં દેખુંગા ચાને મન્દિર હોને સે ઐસે ગુણવાન સાધુ મહારાજ કા આના હોગા, અબ સેચિયે કિ સાધુ મહારાજ કે સમાગમ સે ક્યાં જ્ઞાન-દર્શન કી પ્રભાવના નહીં હોગી? ઇતના હી નહીં લેકિન દૂસરી ગાથા મેં ભી સાફ સાફ ફતે હૈ કી ભગવાન કા નિષ્કલંક બિમ્બ જે ઈધર સ્થાપન કિયા હૈ ઉસ કો દેખ કર કંઈ ભવ્ય જીવ પ્રતિબંધ પાયેંગે ઔર ફિર ધર્મે કરેંગે. અબ સેચિયે કિ–સમ્યક્ત્વ પાના, ધર્મ કરના યહ સબ ચૈત્ય પ્રતિમાદિ સે હવે તે પ્રવચન કી ઉન્નતિ એર જ્ઞાન-દર્શન કી પ્રભાવના હઇ કિ નહીં? યહ બાત પૂર્વધર ને ભી કહી હુઈ હૈ ઐસા શ્રીમાન હરિભદ્રસૂરિજી સ્તવપરિણા દ્વારા ફર્માતે હૈ. ફિર ભી શ્રીમાન હરિભદ્રસૂરિજી ક્યા લિખતે હે દેખિયે– ચેઈ હરેણુ કે પસંતરૂણ કે બિંબણા પૂયાઈસયા અને અને બુઝંતિ ઉવ ઐસા ૮૧૪ કંઈ ભવ્ય જીવ ચૈત્ય દેખને સે પ્રતિબંધ પાતે હૈ, કંઈ ભવ્ય જીવ ભગવાન કે શાન્ત રૂપ સે પ્રતિબંધ પાતે હૈ, કંઈ ભવ્ય જીવ અસ્થિ પૂજા દેખ કર પ્રતિબંધ પાતે હૈ ઔર કંઇ ભવ્ય જીવ ઉપદેશ સે યાને વહાં પર આયે હુએ સાધુ મહારાજ કે વ્યાખ્યાન સે પ્રતિબંધ પાતે હૈ. ઇસ તરહ સે શાસન કી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધિ ઔર જ્ઞાન-દર્શન કે વૃદ્ધિ ઔર જ્ઞાન-દર્શન કે પ્રભા વના ખૂદ હી આચાર્ય મહારાજ દિખા રહે હૈ, તે ફિર દેવદ્રવ્ય ભક્ષકપના કી બુદ્ધિ કરના ભવ્ય જીવ કે લિયે લાજિમ કૈસે હવે ? ખૂદ હરિભદ્રસૂરિજી સમ્બન્ધપ્રકરણ મેં ફરમાતે હૈ કિ–આદાન (આવક) આદિ સે આયા હુઆ દ્રવ્ય જિનેશ્વર મહારાજ કે શરીર મેં હી લગાના ઔર અક્ષત, ફલ, બળા. વસ્ત્રાદિક કા દ્રવ્ય જિનમંદિર કે લિયે લગાના ઔર અદ્ધિ યુક્ત સે સમ્મત ( અલ્પેશ વાલે) શ્રાવક ને યા અપને જિન ભક્ત નિમિત્ત જે દ્રવ્ય આચરિત હૈ, વહ મન્દિર મૂર્તિ દોને મેં લગાના. ઈસ લેખ સે સમઝના ચાહિયે કિ–જિનેશ્વર મહારાજ કી ભક્તિ કે નિમિત્ત હતી હુઈ બેલી કા દ્રવ્ય દૂસરે કિસી મેં ભી નહીં લગ સક્તા હૈ. • ઈસ લેખ કે ઉપસંહાર કરતે પ્રિય વાચક કે યહ ખ્યાલ દિલાના જરૂરી હૈ કિ ઈસ લેખ સે સિનેક ભલે વાંચકે કા દિલ દુઃખિત તે હેગા, લેકિન દેવદ્રવ્ય કે બચાને કે લિયે હમકે યહ લેખ લિખની જરૂર હી થા. વ્યવહાર ઔર બૃહત્કર્ષ ભાધ્યકાર એર ટીકાકારોને સાફ સાફ દિખાયા હૈ કિ–શ્રમણ સંધ કો દેવદ્રવ્ય કો બચાને કે લિયે રાજા દેશ સે નિકાલ દેવે. વિસા મોકા હવે તબ ભી પીછે હટના નહીં. દેખીયે વહ પાઠ“વાયપરાયણ કવિઓ ચેઇયતવ સંજઈ ગણે છે પડ્યુત્તાણુ ચઉણહવિ કજજાણ હવેજ અયરે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ ૨૩ વાદે કસ્બાપિ રાજવăભાદિન: પરાજયેન નૃપતિ: કુપતિ: અથવા ચૈત્યમ્ જિનાયતન કિમપિ તનાવષ્ટબ્ધ સ્માત, તતસ્તમેચને યુદ્ધો ભવે, અથવા તદ્દવ્યસ્ય-ચૈત્યદ્રવ્યસ્ય સયત્યા વા ગ્રહણુ રાજ્ઞા કૃત તમેચને વા કુતિ:. ( ૨-૪-૧૯૯ ૩-૨-૨૪૮ ) ઇસ સૂત્ર કે લેખ સે દેવદ્રવ્ય કે અચાને કી જરૂરી ફર્જ સમઝકર હી હમને યહ ત્રિખા હૈ ઔર ઍસે દેવદ્રવ્ય કે વિનાશ કે પ્રસગ મેં તે ખચાને કા ઉપાય સેાચે, વેસે હી સાધુ કૉ ભાષ્યકારને મત્રિક્મે ગિના હૈ, દેખિયે વહુ પાડ ――― ત પુણુ ચેઇય નાસે તદૃવિણાસણે ૫ ૩૯૧ ॥ તપુન: ઈટગનાહિત કાર્ય ચૈત્યવિનાશે-લેાકેાત્તર ભવનપ્રતિમા વિનાશ: તદ્રવ્ય વિનાશન-ચૈત્યદ્રવ્ય વિનાશનમ્....... ઇંદ્ર ગનાદિતવિધિસાનુભૂત: મંત્રિપ દ્ યાને ચૈત્ય એર ચૈત્યદ્રવ્ય કે નાશ કે ઇંટગનાદિત કાર્ય ગિન કર ઉસકા ઉદ્ઘાર કરને વાલે કે અડી પ૬ મે ગિના હૈ, ઈસ લેખ સે ચૈત્ય દ્રવ્ય કા રક્ષણુ કિતના જરૂરી હૈ, યહ સ્પષ્ટ હાતા હૈ એર ઇસી સે હમને યહ લેખ લિખા હૈ. જિનસ્થ મા કાપુ રહેાપભાગમ દ્રવ્યસ્ય કપિ વ્યવગત્ય શાસ્ત્રમ્ । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ૨૪ લેબેયમુન્દ્રભાવિતા આહાવાક્યા, નન્દન મેદાન્જનિના યથાર્ડમાં ના ચિત્યદ્રવ્ય યાને દેવદ્રવ્ય કે વિષય મેં કિસી કા ઉજા નહીં કર્યો કિ જે લેગ ચૈત્ય કે યા ચેત્ય મેં વિરાજમાન કી હુઈ ભગવાન કી મૂર્તિ કે માનને વાલે હૈં ઉન કે યહ માલુમ હી હે ર માના હુઆ ભી હૈ કી ચૈત્ય એર પ્રતિમા જેસી વસ્તુ કી હરદમ હયાતી કે લિયે ઔર તરક્કી કે લિયે દ્રવ્ય કી જરૂરત રહતી હી હૈ. દ્રવ્ય શબ્દ કા માઈના કેવલ પિસા રૂપીયા હી નહી હૈ લેકિન કોઈ ભી ચીજ મંદિર કી યા મૂર્તિ કે સમ્બન્ધ કી હૈ –ચાહે પીછે વહ ચીજ ઉપયોગી હો યા બિન ઉપગી હે –લેકિન ઉસ કે દેવદ્રવ્ય યા ચિત્ય દ્રવ્ય કહા જાતા હૈ. ઔર ઉસી દ્રવ્ય કા કિસી ભી તરહ સે નાશ કરના યા અપને ઉપયોગ મેં લેના સાધુ યા શ્રાવક કેઈ ભી હૈ, લેકિન ઉસ કે ડુબાને વાલી હી હૈ. એસા નહીં સમઝના કિ ઉપગી દ્રવ્ય જે હવે ઉસ કા નાશ કરના યહી દો કા કારણ હો કિન્તુ જે દ્રવ્ય ચેત્ય મેં ઉપયોગી નહીં હૈ, વૈસે કો નાશ હોને મેં દેષ કેસે લગે ? કાં કિ જે દ્રવ્ય વહાં પર બીન ઉપાગી વહ ભી દેવદ્રવ્ય ને સે નાશ કરને વાલે કે ઉપયોગી દ્રવ્ય કે જેસા હી દેષ કરને વાલા હૈ, ઇસી લિયે શ્રીમાન હરિભદ્રસૂરિજી મહારાજ ઉપદેશેપદ મેં દેન તરહ કે દ્રવ્ય કા નાશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ર૫ કરનેવાલા સાધુ હવે તબ ભી ઉસ કે અનન્ત સંસાર રૂલને કા કહતે હૈ. દેખિયે વહ પાઠ:– બઈદિવ્ય વિણસે તદવિગુસણ વિહ ભએ સાહ ઉવેખમાણે અણુત સંસારિઓ ભણિઓ છે ” માને છે ત્યદ્રવ્ય અપની બેદરકારી સે નાશ પાવે છે નયા હૈ યા જૂના યાને ઉપયોગી યા બીનઉપયોગી ઈન દેને તરહ કે ચૈત્યદ્રવ્ય કે નાશ હવે તે વહ નાશ કરનેવાલા તે અનન્ત સંસારી હવે હી, લેકિન ઉસ કી ઉપેક્ષા કરનેવાલા ઉપેક્ષક યાને બેદરકારી કરનેવાલા શ્રાવક ભી અનન્ત સંસારી હિતા હૈ તથા સાધુ મહાત્મા જે કિ સર્વ સાવદ્ય સે નિવૃત્ત હુએ હૈં વે ભી વૈસે દેવદ્રવ્ય કે નાશ કી ઉપેક્ષા કરે છે અને નન્ત સંસારી કહે હૈ. ઇસી ગાથા કી વ્યાખ્યા મેં ટીકાકાર મહારાજ મુનિચન્દ્રસૂરિ ભી યહી બાત સ્પષ્ટ રીતિ સે ફર્માતે હૈ દેખિયે વહ પાઠ– હ ચૈત્યદ્રવ્ય ક્ષેત્રહિયગ્રામવનવાસ્વાદિ રૂપે તત્તસમયવશેન ચેપગિતયા સમ્પન્ન તસ્ય વિ. નાશે ચિન્તાનિયુક્તિઃ પુરૂષે સમ્યગપ્રતિજાગર્થમાણસ્ય વાત એવ પરિભ્રંશે સસ્પઘમાને, તથા તદ્રવ્યવિના શને ચૈત્યવ્યવિલુરૂટને પરેઃ ક્રિયામાણે કરશે ઈત્યાહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ દ્વિવિધિભેદે વફ્ટમાણુવિનાશનીય દ્વિવિધ વસ્તુ વિષયવેન દ્વિપ્રકારે સાધુ સર્વસાવદ્ય વ્યાપારપરામ્મુબપિ યતિરૂપેક્ષમાણે માધ્યસ્થમવલબમાાનતસંસારિકે પરિમાણ ભવભ્રમણ્ ભવતિ, સર્વર જ્ઞાઘવનાત” ઈસકા યહ ભાવાર્થ હૈ કી મન્દિર યા દેવ કે લીયે ક્ષેત્ર, સેના, ગાંવ, બગીચા યા મકાન આદિ ચીજ ઉસ સમય કે સંયેગ સે ઉપગી મીલી. ઉસ કો અચ્છી તરહ સે બંબસ્ત નહીં કરને સે નાશ હવે યા ચૈત્યદ્રવ્ય કે દૂસરા અસ્તવ્યસ્ત કર દેવે તો સર્વ સાવદ્ય કે કામ સે હટ ગયા હુઆ ઐસા સાધુ ભી ઈન દેને તરહ કે નાશ મેં મધ્યસ્થપના કરે તબ ભી અનન્ત સંસાર કા રૂલને વાલા હતા હૈ. કર્યો કી સાધુ ને ચારિત્ર કા મૂલ જે સમ્યક્ત્વ ઔર ઉસ કા જડ જે સર્વજ્ઞ કી આજ્ઞા હૈ ઉસ કે ઉલ્લંઘન કર દિયા, યાને આજ્ઞા સે નિરપેક્ષ હે ગયા ઔર ઈસી સે ઐસે નાશ કરને વાલે કા સમ્યકત્વ નહીં રહતા હૈ યાને મિથ્યાત્વ પાયા હુઆ હૈ. ધર્મ કો વહ નહીં જાનતા હે યા તે નરકાદિ દુર્ગતિ મેં ઉસ ને પેસ્તર આયુષ્ય બાન્ય લીયા હૈ ક કિ ઉપર્યુક્ત ગ્રન્થ ઔર ઉસકી ટીકા મેં સાફ સાફ ફર્માતે હૈ કી:– “ચેય દવં સાડારણું ચ ને દહતિ મેહિયમતીએ ! ધર્મ વસેનયાણુતિ અહવા બદ્ધાઉએ પુદ્ધિ૪૧૪” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ ત્યદ્રવ્ય ચિત્ય ભવને પાગિ ધન ધાન્યાદિ કાછપાષાણુદિ ચ તથા સાધારણું ચ દ્રવ્ય તથા વિધવ્યસનપ્રાપ્તી શેષદ્રવ્યાન્તરાભાવે જિનભવન જિનબિમ્બ ચતુર્વિધ શ્રમણ સંઘ જિનાગમલેખનાદિષધર્મકૃત્યેષુ સીદસ્ સત્સુ યહુપષ્ટભ્રકરવમાનીયતે, તત્ર એ દુસ્થતિ વિનાશયતિ કીદશ: સન્નિત્યાહ મે-- હિતમતિકે લેભાતિરેકેણું મેહમાનીતા મહિતા - તિરસ્યતિ સમાસઃ ધર્મ વા જિનપ્રણિત સ ન જાનાતિ અનેન ચ તસ્ય મિથ્યાદષ્ઠિત્વમુક્તમા અથવા, જાનક્સપિ કિંચિદધર્મ બદ્ધાયુકે નરકાદિદુગૌ પૂર્વ ચૈત્યવ્યાદિ ચિતા કાલાત્ મા ઈતિ ” યાને મૂલ ગાથા મેં શ્રી હરિભદ્રસૂરિજી ફર્માતે હૈ કી–જિસકી બુદ્ધિ મેહ કે આધીન હૈ ગઈ હૈ યા જે ધર્મ કે નહીં જાનતા હૈ યા પેસ્તર (દુર્ગતિ ક) આયુષ્ય બાન્ધ ચુકા હૈ વસે મનુષ્ય હી ચૈત્યદ્રવ્ય યા સાધારણદ્રવ્ય કા નાશ કરે. ટીકાકાર મહારાજ ભી યહી ફર્માતે હૈ કિચૈત્યભવન કે લિયે ઉપયેગી ધનધાન્ય વગેરઃ હે યા કાષ્ઠ પાષણ વગેર: હે ઉસકા યા અગર તકલીફ કે વસ્તુ દુસરા દ્રવ્ય ન હોને સે જિન ભવન જિનેશ્વર કી મૂર્તિ ચતુર્વિધ સંઘ યા જેન શાસ્ત્ર કા લિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ખાના વગેર: ધર્મ કાર્ય નાશ પાતે હુએ અચાને કે લિયે ઋદ્ધિમાન શ્રાવકાં ને અપની તરફ સે ઇંકડ્ડા કીયા હુઆ સાધારણ દ્રવ્ય કા જો નાશ કરતા હૈ વહે અનંતાનુબન્ધા લાભ સે ધીરી હુઈ બુદ્ધિવાલા હૈ. યા ધર્મ કા નહી જાનતે હૈં અગર તા ચૈત્યદ્રવ્યાદિકા પ્રસંગ કરને સે પેસ્તર નરકાદિક મેં આયુષ્ય આન્યા હુઆ હૈ. ઉપર્યુક્ત સટીક ગાથા સે ખચકાં કે સ્પષ્ટ માલૂમ હૈ। ગયા હાગા કિ—દેવદ્રવ્ય કા લક્ષણ, નાશ યા નાશ કી ઉપેક્ષા કરની, સાધુ યા શ્રાવક દોનોં કે લિયે અનન્ત સંસાર દેને વાલી હૈ. ઐસા ખ્યાલ કભી ભી નહીં કરના ડિક સાધુ વર્ગ અપને વ કે લીયે યા શ્રાવક વર્ગ કે લીયે જોખમદાર હૈ ઔર શ્રાવક વર્ગ અપને અપને શ્રાવક વર્ગ કે લીયે હી. જોખમદાર હૈ, કાંકિ ઢા તરહ કા નાશ જો ઉપર ગાથાકારને કહા હૈ ઉન્હી દાનાં તરહ કે નાશ કે દિખાતે હુએ ખુદ ગ્રંથકાર હી ખુલાસા કરતે હૈં દેખિયે “ જોગ અતીયભાવ મૂત્યુત્તરભાવ અહવ કર્યું ! જાણાહિ દુવિહ ભેય સપકખપરપકખમાઇ ચ ા૪૧૬૫ ચેાગ્ય ચૈત્યગૃહનિષત્તે સમુચિતમેક, દ્વિતીય. તુ અતીત ભાવ. ચૈત્યગૃહનિષ્પત્તિમપેક્ષ સમુત્તી ચેાગ્યતાપર્યાંય લગ્નોત્પારિતમિત્યથા મૂત્યુત્તરભાવતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ વા કાષ્ઠમુપલક્ષણત્વા, ઉપલેષકદિવા ગ્રાહ્ય, જાની દ્વિવિધભેદ વિનાશનીયમ્ ઈહ મૂલભાવાપન્ન સ્તષ્ણકુક્ષિકાપટ્ટાદિ ભેગું કાષ્ટદલમ, ઉત્તરભાવાપન્નતુ પીઠપ્રભૂત્યુપર્યાાદકતયા પ્રવૃત્તમ્ . ઈર્થ વિનાશનીયવિધ્યાઃ વિનાશન દ્વિવિધ મુક્ત સંપ્રતિ વિ. નાશકદાત્તદાહ-સ્વપક્ષપરપક્ષાદિ વા સ્વપક્ષઃ સાધુશ્રાવકાદિરૂપ, પરપક્ષસ્તુ મિથ્યાદૃષ્ટિ લક્ષણે, યશ્ચત્યદ્રવ્યવિનાશક, આદિશદાદ્ મિદષ્ટિભેદા એક ગ્રહસ્થા, પાખણિડનશ્ચ ચેત્યકાવ્યવિનાશક ગુહ્યને . તયભિપ્રાય ગ્યાતભેદભૂલત્તરદા સ્વપક્ષપરપક્ષગત હસ્થ પાપડિરૂપ વિનાશકયો. મેંદાત પ્રાગુપ્તતત્તદ્રવ્યવિનાશન દ્વિવિધભેદમિતિ છે મૂલકાર શ્રી હરિભદ્રસૂરિજી ફર્માતે હૈ કિ ચાહે ઉપગ મેં આવે ઐસા દ્રવ્ય હે ચાહે નિરૂપયેગી હી હો યા મૂળભૂત દ્રવ્ય હો ચાહે ઉત્તરભૂત દ્રવ્ય હો ચાહે કાષ્ટ હી હૈ લેકિન, ઉસ કા નાશ સ્વપક્ષ પરપક્ષ મિથ્યાષ્ટિ ગૃહસ્થ યા પાખડી કરે તે ઉસ કી ઉપેક્ષા કરનેવાલા સાધુ ભી અનન્ત સંસારી હતા હૈ. ટીકાકાર ભી યહી બાત કરતે હં. ઉપર્યુક્ત શાસ્ત્ર સે યહ બાત સાફ સાફ માલુમ હો જાયેગી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ૩૦ કી સાધુ શ્રાવક યા મિથ્યાદષ્ટિ કિસી સે ભી દેવદ્રવ્ય કા નાશ હતા હો ઉસ કી અપેક્ષા કરની ધમ્પિષ્ટ કે લાજિમ નહીં હૈ ઈસ સે આચાર્ય મહારાજ હરિભદ્રસૂરિજી સાધપ્રકરણ મેં ભી ફર્માતે હૈં કિ– જિણવયણ બુદ્ધિકર પભાવગં નાણસણગુસુણે જિણઘણ મુવિકખમાણે દુલ્હહિં કુણઈ જીવે છે ૯૯ છે જિણo ભખતો જિદ-વં અણું. સંસસારિએ ભણિએ છે ૧૦૦ છે જિણો દોહંત જિગુદ વંદેહિચં દુગયે લહઈ ! ૧૦૧. ચેઇયદવંસાહારણું ચ ભકખે વિમૂઢમણસાવિ પરિભમઈતિરિયણસુ અણુણત્ત સયા લહઈ ૧૦૩ છે ભકઈ જે ઉવકને જિદવંતુ સાવ પણ હીણે ભવે જે લિપાઈ પાવકસ્મૃણા ૧૦૪ ચેઈય દવિણસે રિસિધાએ પવયણસ ઉાહે સંજઇ ચઉત્થભંગે મૂલગે વહિલાભસ્સા૧૫ાચેઈયદ૦૧વિણસે તદવવિણાસણ ઉવિહભેએ સાહુ ઉવિકખમાણે અણુત સંસારિઓ ભણિએ . ૧૦૬ ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ૩૧ શ્રીમાન હરિભદ્રસૂરિજી ફતે હૈ કી જેન પ્રવચન કી વૃદ્ધિ કરનેવાલા, જ્ઞાન દર્શન ગુણ કી પ્રભાવના કરનેવાલા ઐસા જે દેવદ્રવ્ય હૈ ઉસ કે નાશ કી ઉપેક્ષા કરનેવાલા જીવ દુર્લભબાધિપના કરતા હૈ યાને ભવાન્તર મેં ભી ઉસ કે ભી પ્રાપ્ત હિના મુશ્કિલ હૈ. ઇસ તરહ ૧૦૦ મી ગાથા મેં કહા હૈ કિ વસે દ્રવ્ય કા ભક્ષણ કરનેવાલા અનન્ત સંસારી હૈ, ઐસા જ્ઞાનિને કહા હૈ. ફીર ૧૦૧ મેં કહતે હૈ કિ-વૈસે દેવદ્રવ્ય કા દ્રોહ કરનેવાલા યાને પ્રતિબન્ધ કર કે નાશ કરનેવાલા જીવ દુર્ભાગ્ય, દ્રોહી પણ ઔર દુર્ગતિ કે પાતા હૈ. ૧૦૩ મેં ચૈત્યદ્રવ્ય-સાધારણ દ્રવ્ય કા ભક્ષણ અજ્ઞાનતા સે ભી જે કરતા હૈિ વહ તિર્યંચ કી એનિ મેં જાતા હૈ ઔર હરદમ અજ્ઞાની રહતા હૈ. ૧૦૪ મેં જે શ્રાવક દેવદ્રવ્ય કા ભક્ષણ કરે યા દેવદ્રવ્ય કે નાશ કી ઉપેક્ષા કરે વહ શ્રાવક ઐસે પાપ કર્મ સે બન્ધાતા હૈ કિ જિસસે ઉસકા (ભવ ભવ મેં) બુદ્ધિ રહિતપના હોતા હૈ. ૧૦૫ મેં દેવદ્રવ્ય કા નાશ કરે, સાધુ કી હત્યા કરે, શાસન કા ઉડ્ડાહ કરે, યા સાધ્વી કે ચતુર્થ વ્રત કા ભંગ કરે, ઈન ચારે મેં સે કઈ ભી કાર્ય કરે તે સમ્યકુત્વ કી પ્રાપ્તિ કે મૂલ મેં અગ્નિ લગાતા હૈ. ૧૦૬ મેં ચૈત્યદ્રવ્ય કા નાશ બેદરકારી સે હવે અગર ઉસ દ્રવ્ય કા દેને પક્ષ મેં સે કીસી ભી પક્ષકા નાશ હવે તે વહ અનન્ત સંસારી હાતા હૈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ઈન ઉપર્યુક્ત વાર્યો સે દેવદ્રવ્ય કા નાશ કરને મેં યા. ઉપેક્ષા કરને મેં કૈસા દેષ હૈ યહ બાત વાંચકે કે સ્પષ્ટ રીતિ સે માલુમ હે ગઈ હગી. દેવદ્રવ્ય કે નાશ મેં યા ઉસ કી ઉપેક્ષા મેં ઐસા દેષ દેખ કર તિનેક ભદ્રિક લેગ દેવદ્રવ્ય કી વ્યવસ્થા સે યા દેવદ્રવ્ય કે પ્રસંગ સે હી દૂર રહતે હૈ લેકિન યહ દૂર રહના, અપની આત્મા કા ઉદ્ધાર કરને સે દૂર રહના હી હૈ ક્યાં કિ જગત્ મેં જેસે અગ્નિ દુરૂપયોગ સે રખી જાવે તે બડા જુલ્મ કરતી હૈ, એસા પ્રત્યક્ષ સુનતે હૈં ઔર દેખતે ભી હૈ, તથાપિ અગ્નિ કા નિરૂપયેગીપના વહીં માનતે હૈ લેકિન સાવધાની. સે અગ્નિ કે સેવન કરતે હૈ કિ ઉસી સે હી ખાનપાનાદિ પકાને દ્વારા જીવન કા નિર્વાડ હૈ. ઈસી તરહ સે ઈધર ભી દેવદ્રવ્ય કે નાશ મેં ઔર ઉપેક્ષા મેં અપરિમિત દેષ હૈ. લેકિન રક્ષણ મેં ઔર બઢાને મેં ફલ ભી વૈસા હી હૈ. દે! શ્રીમાન હરિભદ્રસૂરિજી કયા લિખતે હૈ– જિણ પવયવુકિ પભાવગં નાણદંસણગુણાણું રકખતે જિદä પરિત્ત સંસારિએ ભણિ છે” જિન પ્રવચન કી વૃદ્ધિ કરનેવાલા ઔર જ્ઞાન દર્શન ગુણ, કો પ્રભાવના કરનેવાલા ઐસા જિનદ્રવ્ય હૈ, ઇસ સે ઉસ કી રક્ષા કરનેવાલા જીવ પરિત્ત સંસારી યાને બહુત કમ સંસાર વાલા હોતા હૈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ યહુ ઉપર કહા હુઆ શ્રીમાન હરિભદ્રસૂરિજી કા સમાય પ્રકરણ મે કહા હુઆ વાક્ય રક્ષા કા કૈસા ફૂલ દિખાતા હૈ વડુ દેખિયે ! ઉપદેશ પદ મેં ભી યહી ક્ર્માંતે હૈં. દેખિયે વહુ પાઠ જિવયણવુડિકર પભાવર્ગ ણાણુ સદ્ગુણ રકખતા જિષ્ણુદન્ત્ર... પરિત્ત સ’સારિ હાઈ ॥ ૪૧૭ ॥ જિનપ્રવચનવ્રુદ્ધિકર ભગવદ દુક્તશાસનેાન્ન તિસમ્પાદકમ્ અતએવ (પ્રભાવક') વિભાવન’વિસ્તારહેતુ ! કૈષામિયાહ—જ્ઞાનદર્શનગુણાનામ્ ॥ તંત્ર જ્ઞાનગુણા વાંચનારૃચ્છનાપરાવર્ત્તનાઅનુપ્રેક્ષાધમ્મ કથાલક્ષણા દર્શનગુણાશ્ર્વ સમ્યક્હેતવા જિનયાત્રાદિમહામહરૂપા રક્ષ જ્ઞાયમાણેાજિનદ્રષ્ય' નિરૂપિતરૂપ, સાધુઃ શ્રાવાવા પરિત્તસ ંસારિક પરિમિતભવભ્રમણભાગ્ ભવતીતિ। તથાહિ-જિનદ્રવ્યે રક્ષિતે સતિ તદ્વિનિયેાગેન ચૈત્યકાર્યેષુ પ્રસન્નમુત્સષ્કૃત્યુ ભવિના ભવ્યાઃ સમુદ્રતાદગ્રહષા:નિર્વાણાવઘ્યકારણબાધીજ દિગુભા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ૪ જોભવન્તીતિ । તથા, ચૈત્યાયણ સવિગગીતા સાભિરનવરત સિદ્ધાન્તવ્યાખ્યાનાદિભિસ્તથા તથા પ્રપચ્ચમાને સમ્યગજ્ઞાનગુણવૃદ્ધિઃ સમ્યગ્દર્શનગુણાવૃદ્ધિશ્રવસભ્યદ્યતે ! ઇતિ ચૈત્યદ્રવ્યરક્ષાકારિણ મેક્ષમાર્ગોનુકુલસ્ય પ્રતિક્ષણ મિથ્યાત્વાદિષાચ્છેદસ્ય યુજ્યત એવ પરીત્તસંસારિકત્વમિતિ ॥ ૪૧૭ ॥ મૂલ ગાથા સમ્બોધપ્રકરણ જૈસી હૈાને સે અર્થ ઉસી સુજમ જાનના. ટીકાકાર મુનિ ચન્દ્રસૂરિજી ર્માંતે હૈ કિ–ભગવાન અરિહંત મહારાજ કે શાસન કી ઉન્નતિ કરનેવાલા ઔર ઇસી સે વાચના પૃચ્છના પરિવર્તના અનુપ્રેક્ષા ઑર ધર્મકથા રૂપ જ્ઞાન કી ઔર જિનેશ્વર મહારાજ કે યાત્રાદિક મહા મહેાચ્છવ રૂપ દશૌન ગુણુ કા વિસ્તાર હેતુભૂત વહુ દ્રવ્ય હૈ ઉસ કી સાધુ યા શ્રાવક રક્ષા કરે તે ઘેાડે હી ભવ મેં મેાક્ષ જાતા હૈ, કર્યેાંકિ જિન દ્રવ્ય સે મન્દિર કે કાર્ય ખડે ઉન્નતિ મે` આવે ઔર વહુ ઉન્નતિ દેખ કર ભવ્ય જીવ નિર્વાણુ કા મૂખ્ય કારણ તે એધિખીજાદિ ઉન કા દેનેવાલા ખડા હર્ષ હાવે ઔર ચૈત્ય કે કારણુ સે હી સવિગ્ન ગીતા સાધુઓ કા આના હાવે ઔર અનેક પાસ વિસ્તાર સે સિદ્ધાન્ત કે વ્યાખ્યાનાદિ સુનને સે સભ્યજ્ઞાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ઔર સમ્યગદર્શન કી વૃદ્ધિ હોતી હૈ. ઇસી સે ત્યદ્રવ્ય કી રક્ષા કરનેવાલા સમય સમય મિથ્યાત્વાદિ દોષ કા નાશ કરનેવાલા હતા હૈ ઔર ઈસી સે કમ ભવ મેં મેક્ષ જાતા હૈ. દેવદ્રવ્ય કા રક્ષણ કરને સે ઉપર કહે મુજબ બહુત ફાયદા હૈ, ઈસીસે હી તે ચૈત્યદ્રવ્ય કા ક્ષેત્ર હિરણ્ય ગામ ગૌઍ આદિ કે બચાવ કે લિયે સાધુ કે ભી પ્રયત્ન કરના ઐસા પંચકલ્પ ભાષ્યકાર મહારાજ ભી ફતે હૈ. ઔર ઉસી ઉપર વાદી શંકા કરતા હૈ કિ- સર્વથા પરિગ્રહ સે વિરક્ત ત્રિવિધ ત્રિવિધ પરિગ્રહ કે ત્યાગી મહાત્મા કે ઈસ તરહ સે દેવદ્રવ્ય કે બહાને સે ભી પરિગ્રહ કી રક્ષા કા દેષ કર્યો નહીં લગેગા? ઐસી કી હુઈ શંકા કે સમાધાન મેં ભી ભાષ્યકાર મહારાજ સાફ સાફ ફર્માતે હૈ કી દેવદ્રવ્ય કે રક્ષણ મેં સર્વ ઉપાય સે ચારિત્રવાલે યા અચારિત્રવાલે સંઘ ને લગાના હી ચાહિયે. દેખિયે વે ગાથા ચોએ ચેઈયાણું ખેરહિરણાઈ ગામગાવાઈ લગ્ગતમ્સ હુ જઈ તિગરણસુદ્ધી કહ્યું નુ ભવે શા ભણઈ એલ્ય વિભાસા જે એયાઈ સયં વિમગ્ગજજા ન હુ તસ હાઈ સુદ્ધી અહ કેાઈ હરે જજ એયારા સશ્વત્થામણ તહિં સંધેણું હેઈ લગિયાવં તુ સચરિચરિતણું એવું સસિ સામને છે ૩ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ૐક “ શિષ્ય પ્રશ્ન કરતા હૈ કિ–ચૈત્ય કે લિયે ક્ષેત્ર હિરણ્યાદિ ઔર ગ્રામ ગો આદિ મે લગનેવાલે મુનિરાજ કે ત્રિકરણ શુદ્ધ કૈસે હાગા ? ॥૧૧॥ શાસ્ત્રકાર ક્ર્માંતે હૈં કદિ ક્ષેત્રાદિ અપને માંગે તે મુનિરાજ કે શુદ્ધિ નહીં રહતી લેકિન કાઇ ઉસ હરણ કરે તે સર્વ સંઘ કા સર્વ પ્રયત્ન સે બચાવ કરના ચાહિયે ઔર યહ ખચાને કા પ્રયત્ન ચારિત્રવાલે ઔર ચારિત્ર વિના કે સર્વ કે લિયે સરખા હૈ. જિસ તરહ સે સાધુ કે લિયે રક્ષા કરને મે જરૂરી પના દિખા કર પરિગ્રહ ઢોષ સે મહાવ્રત ખાધા નહી હૈ ઐસા ભાષ્યકાર મહારાજા ને દિખાયા ઉસી તરહ સે શ્રીમાન્ ડરભદ્રસૂરિજી આશ્યક વૃત્તિ મેં ભી કહતે હૈં કિ ધન ધાન્યાદિક જે વિષય કે સાધન હૈ. ઉસ કે રક્ષણ સે ગૃહસ્થ કે રૌદ્ર ધ્યાન લગતા હૈ લેકિન ચૈત્યદ્રવ્ય કા રક્ષણ ઔર વૃદ્ધિ રૌદ્ર ધ્યાન નહીં હૈ. દેખિયે વહુ પાડ Mİ “ ઇહુ ચ શબ્દાદિ વિષયસાધન ધન વિશેષણ કિલ શ્રાવકસ્ય ચૈત્ય ધન સરક્ષણે ન રીદ્રધ્યાના મતિ જ્ઞાપનાથમિતી. . યાને રૌદ્રધ્યાન કે ચથે પાય કા લક્ષણ કહતે શ્રી જિનભદ્રક્ષમાશ્રમણુજી ‘ સદાઈ ખિસય સાધણુ ઘણુ ? ઐસા કહેકર મન કા વિશેષણ શખ્વાદિ વિષય સાધન કહતે હૈ. ઉસ કા યહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ 39 મતલબ હૈ કિ—શ્રાવક કે ચૈત્યદ્રવ્ય સે સરક્ષણ મેં સંરક્ષણાનુઅન્ધી રૌદ્રધ્યાન નહી હૈ. ઔર યહી ખાત જિનભદ્રગણિ ક્ષમાશ્રમણને ભી વિષય કા સાધન ધનાદિક કા સંરક્ષણુપરાયણ ચિત્ત કા રોદ્રધ્યાન કા ચૌથા ભેદ કહુ કર દિખાયી હૈ વહુ ગાથા—— “સાઇવિસય સાહુણુ ધણુસરકખણુ પરાયણમણિ ” યાને શબ્દાદિ વિષય કા સાધન ભૂત ધન હા ઔર ઉસ કે રક્ષણ મેં જિસ કા ચિત્ત તત્પર હાવે ઉસ કા હી રૌદ્રધ્યાન કહા જાતા હૈ. ચૈ ઉપર કહે હુએ પાઠોં સે દેવદ્રવ્યરક્ષણ કા ફૂલ ઔર દેવદ્રવ્ય રક્ષણ * રૌદ્રધ્યાન કા અભાવ સિદ્ધ હુ લેગ્નિ રક્ષણ કીતની પરમ કેટિસે જરુરીયાત હૈ કિ જિસ સે નિશીથ ભાષ્યકાર મહારાજ કા દેવદ્રવ્ય કે અચાવ કરને કા પ્રસંગ શૃંગનાદિત કાર્ય મૈં ગિનના પડા હૈ ઔર ઈસી સે હી શ્રીમાન નિશીથ ભાષ્યકાર મહારાજ ઔર શ્રીમાન્ બૃહત્કલ્પ ભાષ્યકાર મહારાજ ચૈત્યદ્રવ્ય કે રક્ષણુ કે લિયે સાધુ કા ઢગતીર ’મેં આતાપના કરને કે કહતે હૈં. યાને ઉસ આતાપના કી રીતિ સે સાધુ કે ભી દેવદ્રવ્ય કા રક્ષણ કરના હી ચાહિયે. દેખિયે, ભાષ્ય તથા ચુર્ણિકાર મહારાજ આતાપના કી યત્ન કે લિયે ાતે હૈ કો સાધુ આતાપના કરે વહુ શ્રુતિ ઔર સહનન સે દૃઢ હાના ચાહિયે, ઔર મનુષ્ય તિર્યંચ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ કે અવતરણાદિ માર્ગ કે છોડ કર સાધુ કે સાજ મેં રખ કર રાજા જહાંપર ગેખ મેં બૈઠા હુઆ આતાપના દેખ શકે યા રાજા કા જાના આના જહાંપર હેતા હો વહાં કાર્ય (ચૈત્ય યા ઉસ કે દ્રવ્ય કા નાશ બચાને કે લિયે) સાધુ આતાપના કરે. ટીકાકાર ભી કહી કહ રહે હૈ કિ ચૈત્ય કે વિનાશ યા ચૈત્ય દ્રવ્ય કા વિનાશ આદિ જે કાર્ય રાજા કે અધીન હો ઉન કે લિયે રાજા કે સન્માર્ગ મેં લાને કે લિયે પાની કે નજદીક ભી સાધુ આતાપના કરે, લેકિન વહ પાની કા તીર રાજા કે અવલોકન પથ મેં યા નિર્ગમન પથ મેં હોના ચાહિયે યાવતું રાજા ખૂશ હેકર મહારાજ ! આપ આતાપના ક્યાં કરતે હે? આપ કે જે કાર્ય ઈષ્ટ હવે યા ભેગ ચાહે તે મેં દેઉં ! તબ સાધુ કહવે કી ભેગાદિક સે મેરે કાર્ય નહી હૈ લેકિન યહ ચૈત્ય ઔર ઉસ કે દ્રવ્ય કા નાશ કના વગેર: સંઘ કા કાર્ય હૈ વહ કીજિયે. વૃત્તિકાર ભી યહીં કહતે હૈ. દેખિયે ભાષ્ય આર વૃત્તિ કા પાઠ– આયણ નિગ્સમેણુ સસહાઓ દગસમીવિ આદયા ઉભયજ ભેગડે કજજે આઉટ્ટ પુણ્યા ૨૪૪૨૯ ચિત્યવિનાશ વદૂદ્રવ્ય વિનાશાદિ વિષય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ કિમપિ કાર્ય રાજાધીને, તતેરાશ આવનાર્થ દ્વહસમીપે આતાપયેત, તય્યદ્રઢતીર રાશોડવલોકનપથે નિગમનપથે વા ભવે, તત્ર ચાતાપયન સસહાચા, નૈકાકી, ઉભયદા ધ્રુત્યા સંહનનેન ચ બલવાન, ભાગજતિ ગ્રામેયકારણ્યકાનાં તિર્યંગ મનુષ્યાણામવતારમાર્ગ મનુજાનાં ચ સ્નાનાદિ ભેગસ્થાનં વર્જયિત્વા પરિભેગે પ્રદેશે આતાપથતિ, તતઃ સ રાજા તે મહાતપયુક્ત આતાપયન્ત દૃષ્ટવા આવૃત્ત સત્ કાર્ય પૃષ્ઠત્ ભગવન ! કિમેવમાતાપયસિ આશાપય કરેામ્યહું યુગ્ગદભિપ્રેત કાર્ય, ભેગાન વા ભગવતાં પ્રયચ્છામિ, મુનિરાહ મહારાજ ! ન મે કાર્ય ભેગાદિભિવ, ઇદે સંઘ કાર્ય ચૈત્યવિનાશનિવર્સનાદિક વિદધાતુ મહારાજ ઇતિ ઉપર કહા ઈતના હી નહી લેકિન આચાર્ય કે સિવાય સરે કી આજ્ઞા એ સાધુ કે કાર્ય કરને કે પ્રસંગ મેં ભી શાસ્ત્રકા ને ચિત્યદ્રવ્ય કી રક્ષા કે લિયે હી આચાર્ય કે બહાર જાનેકા કહા હૈ. સેચિયે! જિન આચાર્ય મહારાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ કા ગાચરી જાને કી મનાઈ હૈ, બહાર સ્થણ્ડિલ જાને કી ભી છૂટ નહીં હૈ, ઉન આચાર્ય મહારાજ કા ભી દૂસરે જરુરી કારણાં કે માકિ ચૈત્ય કી રક્ષા કે કારણુ સે બહાર જાને કા હાતા હૈ. જિસ દેવદ્રવ્ય કે લિયે ઉપર કે લેખ મેં ભક્ષણ કા દોષ દિખાયા હૈ ઔર રક્ષણ કા કાયદા ભી દિખાયા હૈ, વેસે દેવદ્રવ્ય કે ભક્ષણ સે બચને કી ઔર રક્ષણ મેં લગને કી તિની જરુરત હૈ, વહ વાંચકગણુ આપહી આપ સમઝેગે. ઉપર લિખે મુજબ ક્ષેત્રહિરણ્યાદિ ગ્રામ ગૌ આદિ દ્રવ્ય કે રક્ષણ કી હી જરુરત હૈ ઈતના હી નહીં લેકિન ખુદ ભગવાન્ કી પૂજા કા નિર્માણુ ભી કૈસે બચાના ઔર ઉસમે ભી તિની વિધિ રખની ઔર આશાતના સે બચાના ચાહિયે, ન અચે તે કૈસા નુકશાન હાતા હૈ, યહ ખાત નિમ્નલિખિત ગાથાઓ સે માલૂમ હા જાયગી. “પુષ્ફાઈ ùવણાઈ નિષ્મણ જ હવે જિણિ દાણું ! જ ઠાવઇ વિહિપુવ જત્થાસાયણપર ન હવે ॥ ૧૪૭ જઇવિહુ જિષ્ણુ‘ગસ’ગ’નિમ્મલ્લ નેવ હુજ્જ કઇયા વિા નિસ્સીક લાયગુણા વવહારગુણેહિ‘નિમ્મલ્લ’૫ ૧૪૮૫ લકખણપાઉલ્સ ધણુનિય’ગપરિભાયભૂઇકમ્મપર । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ અવિહિદ્રાવણમેવં નિમ્પલંપંચહા વજ ૧૪લા તિરિયભવહેઉ ભકખણમણુજાઇશુ હવિજજ ઉલો દેહગ્ગ પરિભેગે ભૂઈકમે આસુરી જાઇ ૧૫૦ અવિહિકૂવણમહિલાહ હજજા ણિદંસણાણિત્યા દેવપુરંદરકુમરા સામથી અમરસભરનિવા ૧૫૧ - જિનેશ્વર મહારાજ કે પુષ્પ વગેરઃ એર સ્નાત્ર કા પાની વગેરઃ જે નિર્માલ્ય હૈ, વહ ભી વિધિપૂર્વક વહાં સ્થાપના ચાહિયે કિ જહાં પર આશાતના ન હોવે છે ૧૪૭ છે જે કિ જિનેશ્વર મહારાજ કે અંગ કે લગા હવા પદાર્થ કભી ભી નિમૉલ્ય નહી હેતા હૈ લેકિન લેકિક ગુણ ઓર વ્યવહારિક ગુણુ કી અપેક્ષા સે શેભા રહિત હોને સે નિર્માલ્ય ગિના જાતા હૈ છે ૧૪૮ ને ઉસ નિમલ્સ કો ભક્ષણ નહિ કરના ચાહિયે ૧, પાંવ કે નીચે નહીં લાના યા ઉલ્લંઘન નહીં કરના ૨, અપને શરીર કે ઉપગ મેં નહીં તેના ૩, કામણુ હુમણ વગેર: મૂર્તિકર્મ મેં ઉપગ નહીં કરના ૪, અવિધિ સે ફેંકના નહીં પ, ઈસ તરહ સે નિર્માલ્ય કી ભી અવિધિ આશાતના પાંચ તરહ સે વર્જન કરની ચાહીયે છે ૧૪૯ ૫ અબ ઈસ નિર્માલ્ય કે ભક્ષણ વગેર: મેં દેષ દિખાતે હૈ કિ–નિર્માલ્ય કા ભક્ષણ કરને સે તિર્યંચ ગતિ મેં રૂલના હોતા હ. ઉલ્લંઘન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ સે અનાર્ય જાતિ મેં જન્મ હોતા હે. શરીર સે પરિભંગ કરને મેં દુર્ભરાપના હેતા હૈ. મૂર્તિકર્મમેં ઉપગ લાને સે કેવતા મેં ભી અધમ જાતિ કા દેવ હતા હૈ. ૧૫૦ છે નિ ત્ય કે ભી અવિધિ સે સ્થાપન કરને મેં આઈદે જન્મ મેં ભી બેધિ નહીં મિલતી હૈ. ઇસ તરહ સે પાંચે તરહ કે નિર્માલ્ય કે અપમાન મેં હજ બતાયા, અબ ઉસ કે લિયે દષ્ટાંત દિખાતે હૈં. અનુક્રમ સે એ પાંચ દષ્ટાંત હૈ. ભક્ષણ મેં દેવકુમાર, ઉલ્લંઘન મેં પુરન્દરકુમાર, પરિભેગ મેં શ્યામા, મૂર્તિકર્મ મેં અમરરાજા ઔર અવિધિત્યાગ મેં સંવરરાજા, યાને ઈન પાંચે ને ઉપર કહે મુજબ ભક્ષણાદિ કિયા ઔર ઇસ સે તિર્યંચ ભવમેં રૂલના આદિ કિયા. ૧૫૧ છે ઇસ સે શ્રીમાન હરિભદ્રસૂરિ ફરમાતે હૈ કિ–અંછે સજન આદમી કે સર્વથા અવિધિ કા ત્યાગ કરના ચાહિયે, ર્યો કિ મોક્ષમાર્ગવાલે કે આશાતના કો ત્યાગ કરના વહી મેક્ષ કારણ હૈ. ઈસ ઉપર કે લેખ સે ખુદ દેવદ્રવ્ય કા રક્ષણ કરના ક્તિના જરૂરી હૈ, વહ તે માલુમ હો ગયા લેકિન આખિર કે સમ્બોધ પ્રકરણ કી ગાથાઓં સે જરૂર સમઝ મેં આ ગયા હગિા કિ નિર્માલ્ય કા ભી વિધિ સે હી ઉપયોગ કરના જરૂરી હૈ દેવદ્રવ્ય કે રક્ષણ મેં કિતના ફાયદા હૈ, યહ બાત સીધે રૂપ સે તો ઉપર દિખા ચુકે હૈ, લેકિન અર્થાન્તર સે ભી શાસ્ત્રકાર મહા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ રાજ ફતે હૈં કિ–કિસી એક સાધુ કે ઉત્કૃષ્ટ મેં ઉત્કૃષ્ટ અનવસ્થાપ્ય યા પારાશ્ચિક પ્રાયશ્ચિત આયા હો ઔર વહ પારાશ્ચિક યા અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત કરના ભી હૈ લેકિન એસે મકે પર ચૈત્ય યા ચિત્યદ્રવ્ય કા નાશ હતા હવે ઓર ઉસકે અનવસ્થાપ્ય યા પ્રાયશ્ચિત્તવાલા બચા દે તે ઉન કા શેષ પારા યા અને પ્રાયશ્ચિત એક દિવસ સે કુછ યા બારહ વર્ષ કે તપ કા હવે વહ ભી માફ હતા હૈ, વહ પાઠ ઈસ લેખ કે આખિર કે ભાગ મેં દિયા હૈ. આખિર મેં દિયા શ્રી બૃહતકલ્પભાષ્ય એર ટીકા કા પાઠ દેખ કર વાંચક કે માલુમ હેગા કિચૈત્ય દ્રવ્યક નાશ રેકે યાને ચૈત્ય દ્રવ્ય કી રક્ષા કરે તે અનવસ્થાપ્ય એર પાશ૦ માફ હેવે અબ સેચિયે કિચૈત્યદ્રવ્ય કે રક્ષણ મેં કિતના બડા ફાયદા હોગા, કિ જિસ સે બડા મેં બડા પ્રાયશ્ચિત ભી માફ હો જાવે, ઔર ઈસ હી લેખ સે યહ ભી સમઝ સકે કિ–ચૈત્યદ્રવ્ય કા રક્ષણ નહી કર કે ભક્ષણ કરે યા ભક્ષણ કેરને કા રાસ્તા નિકાલે યા ઉપેક્ષા કરે તો ઉસકે ક્તિના ભારી દેષ હોતા હેગા વહ જ્ઞાની હી જાન સક્ત હૈ કિ અનવસ્થાપ્ય આર પારાચિક સ્થાન મેં ભી કહે હવે અપરાધ ઈન સે કમ માને ગયે. દેવદ્રવ્ય કા ભક્ષણ નહી કરના ઔર રક્ષણ હીં કરના સિર્ફ ઈતના હી કાર્ય ગૃહ કા નહી હૈ, કિંતુ ઔર ભી વૃદ્ધિ કરને કા ભી કાર્ય ઉન કા હૈ, યદ્યપિ સાધુ મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ત્યાગી નહી કર શકતે હૈ, છેડા છે બહાત્માઓં કે લિયે યે દેન હી કાર્ય યાને ભક્ષણ નહી કરના ઔર રક્ષણ કરના યહી હૈ, કયાંકિ સાધુ મહાત્મા અકિંચન હૈ ઔર સામાયિક સિવાય કી પ્રવૃત્તિ કે ત્યાગી હૈ, ઈસ સે સાધુ મહાત્મા વૃદ્ધિ કે ન તે અધિકારી હૈ ન તો કર શકતે હૈ, લેકિન જે લોક સર્વથા પરિગ્રહ કે ત્યાગી નહી હૈં ઔર ન તે જિનેને સર્વ સાવધ છેડા હૈ, વૈસે ગૃહસ્થ લાગે કે લિયે દેવદ્રવ્ય કી વૃદ્ધિ કરની બહુત જરૂરી હૈ. દેવદ્રવ્ય કી વૃદ્ધિ કરનેવાલા ક્યા કયા ફલ પાતા હૈ, ઇસકે લિયે પેતર દેખીયે ઉપદેશપદ કા પાઠ ! જિણાવયણવૃઠુિકર પભાવાં નાણદંસણગુણાણું ! વતે જિદળ્યું તિસ્થયરત્ત લહઈ છે કે ૪૧૮ કે પૂર્વદ્ધ વ્યાખ્યાપૂર્વવત્ વર્બયનું અપૂર્વાપૂર્વદ્રવ્યપ્રક્ષેપણ વૃદ્ધિનયન જિનદ્રવ્ય, તીર્થકરવં ચતુર્વર્ણશ્રીશ્રમણસંઘર્તત્વલક્ષણે લભતે જીવ: ૪૧૯ છે જૈનશાસન કી વૃદ્ધિ કરનેવાલા ઔર જ્ઞાન દર્શન કા વિસ્તાર કરનેવાલા એસ જિન દ્રવ્ય કે બઢાનેવાલા જીવ તીચિંકરપના પાતા હૈ ઉપર કે મૂલ કે પાઠ સે વાંચક જન સાફ સાફ સમગ્ર સકેગે કિ–દેવદ્રવ્ય કે બઢાને મેં ક્તિના બડા ફલ હૈ કિ જૈન શાસન મેં સિવાય તીર્થકરને કે દૂસરા બડા પદ હી નહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ હે એર વહ પદ ઈસ ચેત્યદ્રવ્યકી વૃદ્ધિ સે મિલતા હૈ. એસી શંકા નહીં કરની કિ તીર્થંકર નામકર્મ બાંધને કે લિયે શાસ્ત્રકરે ને અરિહન્ત આદિ ૨૦ પદ કા આરાધન હીં કહા હૈ, લેકિન વહાં દેવદ્રવ્ય વૃદ્ધિ કા ઉલ્લેખ નહીં હૈ, એસી શંકા નહીં કરને કા કારણ યહ હૈ કિ–અરિહંતાદિ ૨૦ પદ કિ જિન કી આરાધના સે તીર્થકર નેત્ર કા બન્ધ ઔર નિકાચન હેના તુમને ભી માના હૈ, ઉસમેં અરિહંત પદ કી આરાધના મુખ્ય હૈ ઔર દેવદ્રવ્ય કી વૃદ્ધિ મૂખ્યતા સે શ્રી અરિહંત ભગવાન કી ભક્તિ કે અધ્યવસાય સે હૈ. દેવદ્રવ્ય બઢાનેવાલા જીવ તીર્થંકર૫ના પાયે ઉસમેં કેનસે તાજુબ બાત હૈ ઔર ઇસી સે હી શાસ્ત્રકાર મહારાજ હરિભદ્રસૂરિજી દેવદ્રવ્યવૃદ્ધિ કરનેવાલે જીવી કે તીર્થંકર નામગાત્ર કા બન્ધ દિખાતે હૈ, વહ અતિશયોક્તિ નહીં હૈ. દેવદ્રવ્ય બઢાનેવાલા ઉત્કૃષ્ટાધ્યવસાય મેં હવે તબ તીર્થંકરપના પાવે, લેકિન મધ્યમ યા મન્દ પરિણામ હવે તબ ભી ચૈત્ય ઓર ચૈત્યદ્રવ્ય કા ઉપકાર કરનેવાલા ગણધર પદવી ઐર પ્રત્યેકબુદ્ધપના પાતા હૈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ॥ इति देवद्रव्य अने चैत्यद्रव्य संबंधी विचारणा ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ mmmmmm ચૈત્યપરિપાટીની વિચારણા. w લેખક મુનિરાજ શ્રી કલ્યાણુવિજયજી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ પાટણની ચૈત્ય પરિપાટીની પ્રસ્તાવના રૂપે લખાયેલ લેખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યપરિપાટીની વિચારણા. સ્વભાવથી જ ભારતવર્ષના પ્રાંચીન વિદ્વાનાએ ઇતિહાસ લખવા તરફ ચેાડું લક્ષ આપેલું છે. અને જે કંઇ લખાયું હતું તેના પણ ધણાખરા ભાગ રાજ્યવિપ્લવાના દુઃસમયમાં નાશ પામી ગયે છે. માત્ર વ્યાખ્યાનિક સાહિત્યમાં ઉપચાગી ચા કેટલાક જૈન ઇતિહાસિક સાહિત્યનેા અશ વ્યાખ્યાનરસિક જૈન સાધુઓના પ્રતાપે બચવા પામ્યા છે; પણ તેમાં ઈતિહાસ કરતાં ઉપદેશતત્ત્વને મુખ્ય સ્થાન આપેલું હાવાથી તેવા ચિત્ર પ્રબન્ધાદિ ગ્ર પૈકીના ઘણા ભાગ ઔપદેશિક સાહિત્યજ ગણી શકાય. માત્ર કેટલાક રાસાએ અને પ્રબન્ધ ઉપરાંત શિલાલેખા, પ્રશસ્તિ, ચૈત્યપરિવાડી તથા તીર્થમાલાએ જ આધુનિક દષ્ટિએ પ્રાચીન ઐતિહાસિક સાહિત્યમાં ગણવા ચેાગ્ય છે. ઐતિહાસિક સાહિત્યમાં ચૈત્યપરિવાડીઓનું સ્થાન. જોકે ચૈત્યપરિવાડી વા તીમાલા તરફ ઘણા થાડા વિદ્યાનાનું લક્ષ્ય ગયું છે અને ઐતિહાસિક દૃષ્ટિએ તેની ખરી કીંમત આંકનારા સાક્ષરા તા તેથી ચે થાડી સંખ્યામાં નીકલશે; એટલું છતાં પણ ઈતિહાસની દૃષ્ટિએ ચૈત્યપરિવાડી એ ધણું કીમતી સાહિત્ય છે. એના ઉંડાણમાં રહેલા તાત્કાલિક ધાર્મિક ઇતિહાસના પ્રકાશ, ધર્મની રૂચિ તથા પ્રવૃત્તિનું દૃશન અને ગૃહસ્થાની સમૃદ્ધ દશાનું ચિત્ર ઈત્યાદિ અનેક ઈતિહાસના કીમતી અંશે ચૈત્યપરિપાટિઓના ગર્ભમાંથી જન્મે છે, કે જેની કીંમત થાય તેમ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યપરિવાડીએના ઉત્પત્તિકાલત્યપત્રિાડીએ ક્યાથી રચાવા માંડી તેને નિશ્ચિત નિર્ણય આપી શકાય તેમ નથી. ચૈત્યપરિવાડીઓ, તીર્થમાલાઓ અથવા એવા જ અર્થને જણાવનારા રાસાઓ ઘણા જુના વખતથી લખાતા આવ્યા છે એમાં શક નથી, પણ એવા ભાષાસાહિત્યની ઉત્પત્તિના પ્રારંભકાલનો નિર્ણય હજી અંધારામાં છે, કારણ કે આ વિષયમાં આજ પર્યત કોઈ પણ વિદ્યાને ઉહાપોહ તક કર્યો નથી, છતાં જૈન સાહિત્યના અવલોકનથી એટલે તે નિશ્ચિત કહી શકાય કે જૈનોમાં ચિત્ય વા તીર્થયાત્રાઓ કરવાને અને તેનાં વર્ણન લખવાનો રીવાજ ઘણે જ પ્રાચીન છે. તીર્થયાત્રા કરવાને રિવાજ વિક્રમની પૂર્વે ચોથી સદીમાં પ્રચલિત હતા એમ ઈતિહાસ જણાવે છે, જ્યારે તેનાં વર્ણને લખવાની શરૂઆત પણ વિક્રમની પહેલી વા બીજી સદી પછીની તો ન જ હોઈ શકે; એ વિષયને વિશેષ ખુલાસો નીચેના વિવેચનથી થઈ શકશે– જૈન સાહિત્યમાં સર્વથી પ્રાચીન સૂત્ર આચારાંગની નિર્યુક્તિમાં તાત્કાલિક કેટલાંક જૈન તીર્થોની નોંધ અને તેને નમસ્કાર કરવામાં આવ્યો છે. નિશીથચૂણિમાં ધર્મચક્ર, દેવનિર્મિત સ્તૂપ, છવિતસ્વામિ પ્રતિમા, કલ્યાણભૂમિ આદિ તીર્થોની નેંધ કરવામાં આવી છે. १. "अट्ठावय उजिते गयग्गपए य धम्मचके य। पासरहावत्तनगं चमरुप्पायं च वन्दामि ॥" ---" गजाग्रपदे-दशार्णकूटवार्तनि । तथा तक्षशिलायां धर्मचक्रे तथा अहिच्छत्रायां पार्श्वनाथस्य धरणेन्द्रमहिमास्थाने।" -વાપાનિાિ પન્ન ક૨૮ २. " उत्तरावहे धम्मचकं, मधुराए देवणिम्मिओ थूभो, कोसलाए जियंतसामिपडिमा, तिथंकराण बा जम्मभूमिओ। -निशीथार्ण पत्र २४३-२। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ છેદસૂત્રોના ભાષ્ય અને ટીકાકારે લખે છે કે અષ્ટમી ચતુર્દશી આદિ પર્વ દિવસમાં સર્વ જૈન દેરાસરની વંદના કરવી જોઈએ, ભલે તે ચેત્ય સંધનું હોય કે અમુક ગ૭ની માલિકીનું હોય તે પણ તેની યાત્રા કરવી, વખત પહોંચતું હોય તે સર્વ ઠેકાણે સંપૂર્ણ ચૈત્યવંદન-વિધિ કરવી જોઈએ અને વખત ન પહોંચતો હોય તો એક એક સ્તુતિ વા નમસ્કારજ કરવો પણ ગામના સર્વચેત્યોની યાત્રા કરવી. વ્યવહાર સૂત્રના ભાષ્ય અને ચૂણિમાં લખ્યું છે કે આઠમ ચૌદશ આદિ પર્વ-તિથિદિમાં ગામનાં સર્વ દેહરાઓમાં રહેલી જિનપ્રતિમાઓ અને પોતાના તથા બીજા ઉપાશ્રયમાં રહેલા સર્વ સાધુઓને પર્યાયલ સાધુઓએ વંદન કરવું જોઈએ. જે ન કરે તો તે સાધુ પ્રાયશ્ચિત્તને ભાગી થાય. મહાનિશીથ સૂત્રમાંથી પણ ચિત્ય તીર્થ અને તીર્થોમાં ભરાતા મેલાઓની સૂચના મલે છે. આ સર્વ જોતાં એટલું તે નિશ્ચિત છે ३. निस्सकडमनिस्लकडे चेहए सव्वहिं थुई तिन्नि । वेल व चेइआणि व नाउं इक्किकिआ वा वि ॥ --भाष्य ४. अट्ठमी-चउद्दसीसुं चेइय सव्वाणि साहुणो सम्वे। वन्देयव्वा नियमा अवसेस-तिहीसु जहसत्तिं ॥ एएसु चेव अहमीमादीसु चेइयाई साहुणो वा जे अण्णार वसहीए ठिआ ते न वदति मासलहु । –વ્યવાસાણ અને . ५. अहन्नाया गोयमा ते साहुणो तं आयरियं भणंति जहा णं जइ भयवं तुमं आणावेहि ता णं अम्हेहिं तित्थयत्तं करि र)या चंदप्पहसामियं वंदि(द)या धम्मचकं गंतूणमागच्छामो –મહાનિથિ -રૂપા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ કે જેમાં તીર્થયાત્રા અને પ્રતિમાપૂજાને રિવાજ ઘણો જ જૂને પુરાણો છે, તીર્થ તરીકે પ્રસિદ્ધ થયેલ સ્થાનમાં ભાવિક જેને ઘણા દૂર દૂરના દેશો થકી સંઘે લેઈ જતા અને તીર્થાટન કરી પિતાની ધાર્મિક શ્રદ્ધાને સફલ કરતા. પિતાના ગામ નગરોનાં ચૈત્યોને તે હમેશાં ભેટતા, ચૈત્ય અધિક વા સમય આછો મલતાં નગરનાં સર્વ ચૈત્યોની યાત્રા નિત્ય ન થતી તે છેવટે આઠમ ચઉદશ જેવા ખાસ ધાર્મિક દિવસોમાં તે પૂર્વોક્ત યાત્રા અવશ્ય કરતા જ. કાલાન્તરે આ પ્રવૃત્તિમાં પણ મંદતા ન પસી જાય એટલા માટે મૃતધર પૂજ્ય આચાર્યોએ નિયમ ઘડ્યો કે આઠમ ચઉદશે તે ચૈત્યેની વંદના કરવીજ, અને જે સાધુ કે વ્રતી ગૃહસ્થ આ નિયમ પ્રમાણે ન વર્તશે. તે તે દંડને ભાગી થશે. આ પ્રમાણે નગર વા ગામનાં સર્વ ચેત્યોની યાત્રા તે “ચેઈઅપરિવાડેજત્તા (ચૈત્યપરિપાટિયાત્રા) કહેવાતી. અને એ પ્રવૃત્તિ વિશેષ પ્રચલિત થતાં ઉતાવલને લીધે “યાત્રા” શબ્દ નિકલી જઈને “ચત્યપરિપાટિ’ શબ્દ જ પ્રાથમિક મૂલ અર્થને જણાવવામાં દ્ધ થઈ ગયા. વખત જતાં ચૈત્યપરિપાટી-ચૈત્યપરિવાડી-ચૈત્યપ્રવાડી. ચૈત્રપ્રવાડી ઈત્યાદિ અનેક પ્રકારના ચેઈઅપરિવાડી જત્તાના સ્થાને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ શબ્દો રૂઢ થયા, જે આજ પર્યત તે અર્થને જણાવી રહ્યા છે. ઉપરના વિવેચનથી એ વાત સ્પષ્ટ થઈ કે “ચૈત્યપરિવાડી એ. નામ એક પ્રકારની યાત્રાનું છે, અને ઉપચારથી તેવી યાત્રાનું વર્ણન કે વિવેચન કરનાર પ્રબન્ધ વા સ્તવનો પણ “ચેત્યપરિવાડી'ના નામથી લખાવા લાગ્યાં કે જે બનાવ સાહિત્યમાર્ગમાં એક સ્વાભાવિક ઘટના છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ તીર્થમાલા અને ચૈત્યપરિવાડિયાને વાસ્તવિક ભેદ. યદ્યપિ તીર્થમાલા વા તીર્થમાલાસ્તવને અને ચૈત્યપરિવાડી વા ચૈત્યપરિવાડી સ્તવનમાં સામાન્ય રીતે ભેદ નથી ગણવામાં આવતે, તથાપિ તેનાં નામ અને લક્ષણે તપાસતાં તે બન્ને પ્રકારની કૃતિને વાસ્તવિક ભેદ ખુલ્લો જણાઈ આવે છે. તીર્થમાલા સ્તવનનું લક્ષણ એ હોય છે કે પોતે ભેટેલાં વા સાંભળેલાં કે શાસ્ત્રોમાં વર્ણવેલાં નામી નામી તીર્થોનાં ચૈત્ય વા પ્રતિમાઓનું વર્ણન, તેને સાચે વા કલ્પિત ઈતિહાસ, તેને મહિમા અને તે સંબંધી બીજી બાબતોનું વર્ણન કરવાં પૂર્વક તેની સ્તુતિ વા પ્રશંસા કરવી. આચરાંગનિયુકિત અને નિશીથચૂર્ણિમાં થયેલી તીર્થોની નોંધ તે આજકાલની તીર્થમાલાઓ અને તીર્થકલ્પોનું મૂલ બીજક સમજવું જોઈએ. સિદ્ધસનસૂરિનું સકલતીર્થ સ્તોત્ર, મહેન્દ્રસૂરિનું તીર્થમાલાસ્તવન, જિનપ્રભસૂરિની શાશ્વતાશાશ્વત–ચૈત્યમાલા, ૬. આ સંસ્કૃત સ્તોત્ર પાટણમાં સંઘવીની શેરીના તાડપત્રોના પુસ્તક ભંડારમાં છે. એના કર્તા સિદ્ધસેનસૂરિ કયારે થયા તેનો નિશ્ચય નથી, છતાં સંભવ પ્રમાણે તેરમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા સિદ્ધસેન જ એના કર્તા હોવા જોઈયે. ૭. આ પ્રાકૃત સ્તવન પણ તેરમી સદીમાં જ બનેલું સંભવે છે. મહેન્દ્રસૂરિ નામના બે આચાર્ય થયા છે–૧ લા પૂર્ણતલગચ્છીય પ્રસિદ્ધ આચાર્ય હેમચંદ્રજીના શિષ્ય જે ૧૨૧૪ માં વિદ્યમાન હતા. ૨ જા નાયકી ગચ્છીય જે સં. ૧૨૨૨ માં વિદ્યમાન હતા. આ સ્તવનના કર્તા આ બેમાંથી કયા તેને નિશ્ચય થતું નથી. . ૮. આ ચૈત્યમાલા અપભ્રંશ ભાષામાં છે, એના કર્તા જિનપ્રભસૂરિ જે ૧૪ મી સદીમાં થઈ ગયા છે, જેમણે અનેક ચરિત્રો અને રાસે અપભ્રંશમાં લખેલા છે. જેટલી અપભ્રંશની કવિતા પાટણના ભંડેરામાં એમની મળે છે, તેટલી બીજા કેઇ પણ કવિની નથી મળતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ વિવિધતીર્થક૫ વિગેરે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ભાષામાં લખાયેલા ઉપર્યુક્ત લક્ષણવાલા સ્તરની ટિના અનેક પ્રબન્ધો આજે દૃષ્ટિગોચર થાય છે. ચૈત્યપરિપાટી સ્તવનનું લક્ષાણુ એ થયા કરે છે કે કોઈ પણ ગામ કે નગરનાં યાત્રાના સમયમાં ક્રમવાર આવતાં દેહરાસરોનાં નામ, તે તે વાસોનાં નામ, તેમાં રહેલી જિનપ્રતિમાઓની સંખ્યા વિગેરે જણાવવા પૂર્વક મહિમાનું વર્ણન કરવું અને તેની સ્તુતિ કરવી. વિજયસેનસૂરિને રેવંતગિરિરા,૧૦ હેમહંસગણિની ગિરિનારપરિવાડી, સિદ્ધપુરત્યપરિવાટી, નગાગણિની જાલેરચત્યપરિવાડી ૯. સંસ્કૃત અને પ્રાકૃતમાં બનેલા આ તીર્થક પ્રસિદ્ધ છે. એના કર્તા જિનપ્રભસૂરિખરતરગચ્છની લઘુશાખામાં થઈ ગયા છે. તેમણે આ તીર્થકલ્પસંગ્રહ વિક્રમની ૧૪ મી સદીના ઉત્તરાર્ધમાં બનાવ્યો છે. ૧૦. આ રાસે પ્રાચીન ગુજરાતી ભાષામાં લખાએલ છે, એના કર્તા વિજયસેનસૂરિ માગેન્દ્રગચ્છમાં પ્રસિદ્ધ મંત્રી વસ્તુપાલના સમયમાં અર્થાત વિક્રમની તેરમી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયા છે. ચતુષાલાના સંષ સાથે ગીરનારની યાત્રાએ ગયા તે સમયે તેમણે આ રાસ બનાવ્યા હતા. ૧૧. હેમહંસગણિ પ્રસિદ્ધ આચાર્ય મુનિસુંદરસૂરિના શિષ્ય હતા, તેઓ સેળમી સદીના પ્રથમ ચરણમાં વિદ્યમાન હતા, આરભસિદ્ધિવાતિક, ન્યાયભાષા વિગેરે અનેક વિદ્વત્તાપૂર્ણ ગ્રન્થ એમણે બનાવ્યા છે. આ ચૈત્યપરિવાડી તેમણે કયારે બનાવી તે ખાવ્યું નથી પણ સેળમી સદીની શરૂઆતમાં જે બનાવી હોવાનો સંભવ છે. ૧૨. આ ચૈત્યપરિવાડીના કર્તા કે સમયને પત્તો લાગ્યો નથી, પંશિવાડી નવી હેવને સંભવ છે. ૧૩. આ ચૈત્યપરિવાડી સં. ૧૫૧માં ભાદરવા વદિક ને હિને લહેરમાં બની હતી, એના છ નવા વા બગષિમણિ આચાર્ય હીરવિજારિયા શિષ્ય કુશલવર્ધનગણિના શિષ્ય હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ વિગેરે સંખ્યાબંધ ચિત્યપરિવાડિઓ ઉપર જણાવેલ લક્ષણવાલી આજે વિદ્યમાનતા ધરાવે છે. પ્રસ્તુત પાટણચત્યપરિપાટી' પણ એજ બીજી કેટિને નિબન્ધ છે. આટલા વિવેચન ઉપરથી સમજાયું હશે કે તીર્થત્યયાત્રાએ અને નગર ચિત્યયાત્રાઓ કરવાનો રિવાજ જેનેમાં ઘણોજ પ્રાચીન કાલથી ચાલ્યો આવે છે. આ ક્લેિની પ્રાચીનતા ઓછામાં ઓછી બે હજાર વર્ષની હોવી જોઈએ, એમ પૂર્વે સૂચવેલ શાસ્ત્રવાકયોથી સિદ્ધ થાય છે, અને એ ઉપરથી તીર્થમાલાસ્તવના અને ચિત્યપરિપાટી સ્તવને લખવાની રુઢિ પણ ઘણી પ્રાચીન હેવી જોઈએ એ વાત સહેજે સમજી શકાય તેવી છે; છતાં પણ એટલું તે સખેદ જણાવવું પડે છે કે-આ પ્રવૃત્તિની પ્રાચીનતાના પ્રમાણમાં તેના વર્ણનગ્રન્થ, તીર્થમાલાસ્તવને અને ચિત્યપરિપાટી સ્લવમે તેટલાં પ્રાચીન આજે મળતાં નથી. ૧૪. સ્વ. રાચાર્ય શ્રીવિજયધર્મસૂરિજીએ સંસદમ કરીને ભાવનગરની શ્રીયશોવિજય જૈન ગ્રન્થમાલા દ્વારા “ખારીન તીર્થમાલા સંગ્રહ ને પ્રથમ ભાગ બહાર પાડે છે. જેમાં જુદા જુદા કવિઓની કરેલી ચૈત્યપરિવાડિઓ, તીર્થમાલાઓ અને તીર્થસ્તવને મળીને ૨૫ પ્રબળે છે. એ સિવાય પણ સંખ્યાબંધ તીર્થમાલાઓ અને ચૈત્યપરિવાડીઓ જૈન ભંડારેમાં અસ્તિત્વ ધરાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ॥ इति चैत्यपरिपाटीनी विचारणा ॥ सभाप्त. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ સુરત ચૈત્ય-પરિપાટી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ સુરતનાં શ્રી જિનચૈત્યો. ગોપીપુરા. ૧. શ્રી અષ્ટયનું સાસર સ્પલ-ગેપીપુર ખાડી ઉપર. મૂલનાયકશ્રી આલોછ ક્ષગવાન. બંધાવના કલાભાઈ શ્રીપતજી. વહીવટદાર પાબચંદ દીપચંદ સુખડીયા. સંવત ૧૯૪૩માં દેરાસર બંધાયું. પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૪૩ ના વૈશ૪ સુદ ૬ના દીવસે શેઠ ગોરધનદાસ અનુપશાજીએ કરાવી, જેમનાં સ્ત્રી (શાણું) નું નામ વીજાબાઈ આ દેરાસર આપણા મૂળ તીર્થ શ્રી અષ્ટાપદજીને ખ્યાલ આપવાના આશમથી બંધાવ્યું હોય એમ જણાય છે. અષ્ટાપદ એટલે આઠ પગલાં અને આ દેરાસરમાં પણ તેવી જ ગોઠવણ કરેલી જણાય છે; ઉપર ચાર બિઓ તથા બીજાં વીસ બિઓ ત્યાં પધરાવવામાં આવ્યાં છે. મંદિરના રંગમંડપમાં બે ગોખલા છે જેના શિલાલેખ નીચે મુજબ– શિલાલેખે (૧) ગબુભાઈ રુપદે સંવત ૯૭૯ વૈશાખ વદ ૨ વાર છે શ્રી આદીશ્વર ભગવાન એપ્પડમા છે. (૨) શા. બાલુભાઈ નાહાલચંદે સંવત ૧૭૯ શિક વદ ૨ વર - શ્રી અભિપાથ તાળાને બેસાડય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ દેરાસરને નીચે મુજબ શિલા લેખ છે. શ્રી * નમતુર્વિશતિ શ્રી જિનેન્દ્રભ્યઃ શ્રી જખ્ખદિપ, દક્ષિણ ભરતક્ષેત્રે ગુર્જરદેશે સુરત બંદરે ગોપીપુરા મધ્યે શ્રી મહાવીરસ્વામિની પોળને વિષે વીશા પોરવાડ જ્ઞાતે ભાગ્યશાળી શાસન ઉદ્યોત શ્રાવક શેઠ કલાભાઈ શ્રીપતશ્રી તસ્પસૂત શેઠ વધે આતસ્યસૂત વૃજલાલ તસ્યસ્ત શેઠ અનુપશાજી તસ્યસ્ત શેઠ ગોરધનભાઈ મહાપ્રભાવિક નાથબુદ્ધિનિપુણ ધ્યાદાનાદિ ગુણેશોભિત શેઠ અનુપશા તસ ભારની બાઈ બીજાબાઈ તત કુક્ષે પ્રગટ શેઠ ગોરધનભાઈ અનુપાળ તરફથી નવો ઇનપ્રાસાદ શ્રી અષ્ટાપદજીનો બંધાવ્યો તેને વિષે ચોવીસે જિનેન્દ્ર સ્થાપિત કર્યો છે, તેની પ્રતિષ્ઠા વિક્રમસંવત્સરે ૧૯૪૩ના વાક સુદ ૬ શુક્રવાસને પુનનક્ષત્રે મિથુન રાશિસ્થિતે એ પ્રતિયોગે લગ્નને વિષે શુભ ગ્રહોગે શુભ મૂહુર્ત પૂર્વ દીપ્તી મત આદીનાથજીતનાથી સ્થાપિતૌ તે સર્વ ભગવાન જનજી ભક્તિ કરવાને અર્થે શ્રી વીરનિર્વાણથી ૨૪૧૩ વર્ષે અંગ્રેજી તારીખ ૨૫મી એપ્રીલ સને ૧૮૬૯ શુભંભવતુ. આ દેરાસરની સ્થિતિ સારી છે. અષ્ટાપદજી એ જેનાં પાંચ તીર્થોમાંનું એક છે. યતઃ આબુ અષ્ટાપદ ગીરનાર, સમેતશીખર શત્રુંજય ગિરીસાર; * પંચેતીરથ ઉત્તમ ઠામ, સિદ્ધ ગયા તેને કરું પ્રણામ. આ તીર્થ હાલ આચર્મચક્ષુથી દેખાતું નથી. આ તીર્થને આ દેરાસરછ ખ્યાલ આપે છે. આ મંદિરમાં ચેડા વર્ષથી પરમ ઉપકારી શ્રી મોહનલાલજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ મહરાજનાં પગલાં પધરાવવામાં આવ્યાં છે, અને એમની મૂતિ પણ પધરાવવામાં આવી છે. આરસપર પંચતીર્થીના ફોટાઓ ચિતરવામાં આવ્યા છે, જે ચિત્રકામ ઘણું સુંદર અને પ્રેક્ષણીય છે. ૨. શ્રી મહાવીરસ્વામિજીનું દેરાસર, દેરાસનું નામ—શ્રી મહાવીર સ્વામિજીનું દેરાસર. સ્થળ—ગોપીપુરા (ખાડીપર) મૂલનાયક—શ્રી મહાવીરસ્વામિજી ભગવાન. વહિવટદાર-શેઠ નવલચંદ ઘેલાભાઈ. આનસુર ગચ્છવાળાના વહીવટ છે. દ્વાપરના લેખ~~ ૐ નમઃ । સંવત રતનચંદ હેમચંદ સુખડીઆએ. ૧૯૮૧માં જીર્ણોધાર કરાવ્યા ઝવેરી હીરાભાઈ કવિ લાધાશાહ પેાતાની ચૈત્યપરિપાટીમાં નીચે મુજબ લખે છે. પાંચમે શ્રી મહાવીરજી ભુવન *િબ અતિ સહેરે, પાંચ પ્રભુ પાષાણુ એ નિરખતા વિ મન મેહરે; એકલમલ પંચ તીરથી પાટલીએ પ્રભુ ધારારે એકતાલીસ સર્વે થઈ ધાતુમય સુવિચારારે. આ દેરાસર ઘણા પ્રાચીન સમયનું હાય એમ જણાય છે.. મૂર્તિ અતિ ભવ્ય છે, આહ્લાદક છે. ભગવાન શ્રી મહાવીરસ્વામિજીના. જન્મકલ્યાણકના મહાત્સવના દિવસે, યૂણામાં ખાસ કરીને લા ને આવે છે. વિશુદ્ધ ભાવનાવાળાએ માટે તા શ્રી જિનચૈત્યે સ્વની અને પ્રાંતે મેાક્ષની સીડી તુલ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ ૩ શ્રી સંભવનાથ (વકીલના ખા). દેરાસરજીનું નામ...શ્રી સંભવનાથજીનું દેરાસર. સ્થળ–ગોપીપુરા (વકીલને ખા) મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાન. વહીવટદાર–ઝવેરી નગીનચંદ કપુરચંદ (આંચળીઆ ગચ્છને વહીવટ છે) વરસગાંઠ–માહ સુદ પાંચમની છે. આ દેરાસરજી અંચલગચ્છના દેરાસર તરીકે ઓળખાય છે. કવિ લાધાશા આ દેરાસરને અને પિતાની ચિત્ય પરિપાટિમાં નીચે મુજબ લખે છે. ચોથે સંભવનાથને પ્રાસાદે પ્રભુ ભેદ્યારે, એકવીસ બિંબ પાષાણુમે પૂજતા પાતક મેટયારે વસવટી પંચ તીરથી એકલમલ પટ જાણેરે એકસાઈ તેર ધાતુમે સર્વ સંખ્યાયે પ્રમાણેરે આ દેરાસરજીને અંગે શ્રી વિનયવિજ્યજી ઉપાધ્યાયજીનીચે મુજબ લખે છે. સેના એ સેના નંદન જિનવરૂએ સંભવ સંભવ સુખ દાતારકે સાર કરઈ સેવકતણીએ હયવર હયવર લંછણ પાયજે સેના એ સેના નંદન જિનવરૂએ સેના એ નંદન તણી સેના મેહના મદ અપહરઈ પ્રભુ તણચિરણઈ ધારણઈ અમરાળ નિરવ કઈ પ્રભુતણું વાણી સુધાદાયી રસસમાણી જાણુઈ ભવતાપ ભાજી પૂરી જાઈ જિન દવાનલ પાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ૪. શ્રી ધર્મનાથજીનું દેરાસર. નામ–શ્રી ધર્મનાથજીનું દેરાસર. સ્થળ-ગોપીપુરા (વકીલો ખાંચ) મૂળનાયક—શ્રી ધર્મનાથ ભગવાન વહીવટદાર—ત્રણ જ્ઞાતિના ત્રણ પ્રતિનિધી-વિસા ઓસવાળ, દસા ઓસવાળ, શ્રીયાલી-હા. બાલુભાઈ સ્વરૂપચંદ સંઘવી, દેવસુર ગચ્છને વહીવટ છે. આ દેરાસરમાં માળપર દેરાસર છે જેમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ભગવાન છે, એમાં ભેંયરૂ છે જેમાં આચાર્યોની મૂર્તિઓ અને પગલાંઓ છે. આ દેરાસરમાં જૂના વખતની દેવસુર ગચ્છના શ્રી પૂજની ગાદી છે આ દેરાસરના ભેયરામાં સૂરજમંડન શ્રી પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય મૂર્તિ છે જે અલૌકિક અને પ્રભાવિક છે. આ દેરાસરજીના પાછલા ભાગમાં એક મંદિર છે જે જાના વખતનું હોય એમ લાગે છે. આ દેરાસરછ હાથીવાળા દેરાસર તરીકે ઓળખાય છે. આ દેરાસરના અંગે કવિ લાધાશા પોતાની ચેત્ય પરિપાટીમાં નીચે મુજબ લખે છે– ત્રીજે શ્રી ધર્મનાથને દેહરામાંહે સૂણે સંતેરે સૂરજ મંડણ પાસજી ભંયરામાંહે ભગવતિ રે, ચોવીસ બિંબ પાષાણમે સાત રતનમે દિપેરે, એકસો સિતેર ધાતુમે નિરખતા નયન છીપેરે આ દેરાસરજીને અંગે શ્રી વિનયવિજ્યજી ઉપાધ્યાય નીચે મુજબ લખે છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ ધર્મ એ ધર્મ જિર્ણોસર વંદોઈએ . આપઈએ આપઈ ધમ ઉદારકે પરમે પરમેશ્વરૂએ વિશ્વએ વિશ્વ તણો આધાર કે ધર્મ જિર્ણોસર વંદઈ વંદિઈ ધર્મ જિર્ણદ જગગુરૂ નયર સૂરત મંડણ, ભવ કષ્ટ વારણ સુગતિ કારણ પાપ તાપ વિહંડણો; અનુભવી પદવી જેણઈ અનુપમ ધર્મચક્કી સર તણી, મુઝ પુણ્ય તરૂઅર ફ પામી સ્વામી સેવા સારણી. વામા એ વામા એ સુત સહામણે એ સિવપુર સિવપુર કરે સાથ કે નાથ જયો ત્રીભુવન તણોએ, " સૂરતિ સૂરતિ મંડણનામકે, વામા સુત સોહામણે એ. વામા તણો સુત સદા સમરથ સેવક સાધાર એ, જગ સૂધ મંદિર થંભ થોભણ ધારો આધાર છે; સસિ સૂર નૂર સમાન કુંડલ મુકુટ મેટો મનહરઈ, વળી હાર હીરા તણે હિઅડઈ તેજ તિહુ અણિ વિસ્તરઈ દીપવિજયજી મહારાજ આ દેરાસરજી અંગે નીચે મુજબ લખે છે. સુરજમંડણા શ્રી પાસ થાપન કીયા ગોપીદાસ, સંવત સેળ અગન્યાસી ફાગન માસ ગુન રાસી; સૂરિ સેન ગોપીદાસ કાપે સૂરજમંડન પાસ. સુરતના શાંતીદાસ મગનીઆએ ચિંતામણી યંત્રની સાધના આજ મંદીરમાં કીધી હતી. સામાન્ય કથા પ્રમાણે રાજસાગર મુનિએ એ મંત્રની સાધના કરાવી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રી સખેધર પાર્શ્વનાથજીનું દેરાસર નામ——શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર. સ્થલગાપીપુરા ( વકીલના ખાંચેા. ) મૂલનાયક—શ્રી શખેશ્વર પાર્શ્વનાથ ભગવાન. વહિવટદાર—શ્રી ધનાથજીના દેરાસર૭ના વહિવટદાર હા. બાલુભાઈ ખીમચ દ સંધવી, ૬. ડાહી ડાસીનું દેરાસર. નામ—ડાહી ડાસીનું દેરાસર સ્થલ—ગાપીપુરા. ( વકીલનેા ખાંચા. ) દેરાસર બંધાવનાર—ડાહીબાઈના પિતાશ્રી. મૂલનાયક—શ્રી ધર્મનાથ ભગવાન, વહિવટદાર શેઠ મેાતીચંદ ગુલાબચંદ ઝવેરી. દેરાસરની સ્થિતિ સારી છે. શ્રી મનમેાહન પાર્શ્વનાથજીનું દેરાસર. નામ—શ્રી મનમેાહન પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર ( લક્ષ્મીબાઇનું દેરાસર ) સ્થળ-ગાપીપુરા. ( વકીલને ખાંચા. ) મૂલનાયક—શ્રી મનમેાહન પાર્શ્વનાથ ભગવાન. પહેલે માળ તેમજ ભોંયરામાં પણ ભગવાન બિરાજમાન છે. આ દેરાસરજીના જિર્ણોદ્ધારની ખાસ જરૂર છે. સાંભળવા પ્રમાણે આ દેરાસર્જીના નિભાવ તેમજ તેની તમામ આવશ્યકતાના આધાર મુંબઇના શ્રી આદીશ્વચ્છના દેરાસર પર છે પણ ત્યાંના વહીવટદારોના પ્રમાદવશાત્ કામ અધુરૂંજ રહે છે. વહીવટદાર—મેાતીચંદ વસ્તાયદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૮. શ્રી શીતળનાથજી ભગવાનનું દેરાસર. નામ-શ્રી શીતલનાથજી ભગવાનનું દેરાસર. સ્થલ—ગેપીપુરા, પ્રેમચંદ રાયચંદની ધર્માંશાળા પાસે. મૂલનાયક—શ્રી શીતલનાથજી ભગવાન. બંધાવનાર—ભાઈદાસ તેમી. વહીવટદાર-શેઠ પાનાચંદ ભગુભાઈ. ભોંયરામાં જિનદત્તસૂરિની પ્રતિમા છે. ભેાંયરામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય પ્રતિમા છે તથા બે કાઉસગીયા આકારની મૂર્તિઓ છે, દૃશનીય છે. ૯ શ્રી લાલીનું દેરાસર. નામ——શ્રી લાલીનું દેાસર. સ્થલ—ગાપીપુરા, પ્રેમચંદ રાયચંદની ધર્માંશાળા પાસે. મૂલનાયક— વરસગાં—શ્રાવણ વદ ૫. આ દેરાસરની સ્થિતિ સારી છે. વહીવટદાર—શેઠ નગીનચંદ કપુરચંદ ઝવેરી. ૧૦ શ્રી કુંથુનાથજીનું દેરાસર. નામ-~શ્રી કુંથુનાથજીનું દેરાસર. સ્થલ—ગાપીપુરા, મેટા રસ્તે. મૂલનાયક~~~શ્રી કુંથુનાથજી ભગવાન. જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા સંવત. ૧૯૫૭ માં શ્રી મેાહનલાલજી મહારાજ તથા શ્રી વિજયસિદ્ધિસૂરિજીએ કરાવી. ભગવાનને ગાદીનાન કરનાર શેઠ રૂપચંદ્ લલ્લુભાઈ સ્થિતિ–સારી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૧ વહીવટદાર-શેઠ ખીમચંદ કલ્યાણચંદ જરીવાળા. આ દેરાસરના ઘાટ રમ્ય છે. દેરાસરનું અંદરનું રંગકામ જોવા ગ્લાયક છે. આ દેરાસર એક જંગલા ધાટનું છે. રસ્તા પરથી એને દેખાવ ધણા આકર્ષીક લાગે છે. આ દેરાસરજીને અંગે શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયજી નીચે મુજબ લખે છે કે~ સૂર જો સૂર તણા સુત સુંદરૂ એ, સત્તર સત્તરમા ભગવત કે; કુંથુ નમું આણુ દસ્તુએ, સાહએ સાહએ સૂરિત માંહિ કે; સૂર તણા સુત સુંદરૂ એ. ૧૧ શ્રી સંભવનાથજીનું દેસસર નામ—શ્રી સંભવનાથજીનું દેરાસર. સ્થળ-ગેાપીપુરા આસવાલ મહાલ્લાના નાકે બંધાવનાર-શેડ મંછુભાઇ તલક ના પુત્રા. મૂળનાયક——શ્રી સંભવનાથ ભગવાન. પ્રતિષ્ઠા-સંવત ૧૯૬૨ ના જેઠ સુદી ૨ ના દિવસે થઇ. પ્રતિષ્ટા કરનાર—શેઠ છગનભાઇ મંછુભાઈ. પ્રતિષ્ઠા કરાવનાર~~આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરીજી મહારાજ. સ્થિતિ---સારી. વહીવટદાર—શે. સંજુભાઈ તલકચંદના પુત્રો. શ્રી મૂલનાયકજીની તથા બીજી ત્રણ પ્રતિમાએ રત્નની છે આ દેરાસર નાજુક છે પણ રળીયામણું છે. આસના થાંભલા પૂતલીએ તેમજ ચિત્રોમાં તીર્થોની રચના જોવાલાયક છે. અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૨. શ્રી વાસુપૂજ્ય સ્વામિનું દેરાસર નામ–શ્રી વાસુપૂજ્ય સ્વામીનું દેરાસર. સ્થલ–-ગોપીપુરા-મેરી પિળ. મૂળનાયક-–શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન. વહીવટદાર-ટ્રસ્ટીઓનું મંડળ. બીજા માળના ભેરામાં દેરાસર છે. તેમાં મૂળનાયક શ્રી શાંતિનાથ છે. ઉપરના માળે ચૌમુખજી છે. વચમાં શ્રી પાર્શ્વનાથ છે. બીજી બાજુ સસરણની રચના છે. પહેલા માળના ભેંયરામાંના લેખ ઉપરથી વંચાય છે કે તે શાકરચંદ લાલભાઈ તરફથી કરાવવામાં આવ્યું છે તથા એ દેરાસરજી શ્રી રત્નસાગરજીના ઉપદેશથી થયું છે. એની પ્રતિષ્ઠા શ્રી સિદ્ધિવિજયજી એ કરાવી છે. આ દેરાસરમાં મૂર્તિઓ ઘણું પ્રમાણમાં છે. મૂર્તિઓ માપમાં પણ ઘણી મોટી છે. ભોંયરા એક નીચે એક એમ બે માળ નીચે અને એક ઉપર મળી ચાર માળમાં દેરાસર છે. સુરતના ઋદ્ધિમાન દેરાસરમાં આ દેરાસર પ્રથમ પંક્તિનું છે. મૂલનાયકજીનું બિંબ અદ્દ ભુત અને ચમત્કારી છે જેથી એના ભકતો ઘણાં છે. વાસુપૂજ્ય મહારાજનો, નિપજાવું પ્રાસાદોરે, મુહ માગ્યા ધન ખરચીને, ભૂમિકા સુધ આહલાદરે. ૫. ધનધન. રંગમંડપ રળીયામણો, કેરણી મેટી ઉદાર, ગભારે તે જળહળે, ગર્ભવાસ નિવારરે. ૬ ધનધન લ્ય ખરચ્યું મટે મને, જિનમંદિર શુભ કાજર, દેવવિમાન સમે દેખી, હરખ્યા સંધ સમાજરે. ૭ ધમધન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ ૬ શ્રી પાર્શ્વનાથજીના દહેરાસરજી માંહેની સમેતશીખરજીના પહાડની રચના, ← ગાષીપુરા, માટીપાળ-સુરત. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ચંદ્રપરે ઉજ્વળ કાંતિ, પાખાણદલ મંગેલેરે, પૂરવદેશથી આવિયા, શિલાવટ મન ભાવ્યાંરે. ૮ ધનધન. પચસૂતક સિતેર ભાગની, પડિમા જીનની ભરાવીરે, કરણ ચરણની સિરી, પામવા જેહ જણાવીરે. ૯ ધનધન, માન પ્રમાણે બિંબ તે, સવિજનને સુખદાઇરે, સંપૂરણ મુરતિ તે થઇ, રતનશા હરષ વધાઈ. ૧૦ ધનધન કુમાર યક્ષ ને ચંદાદેવી, વાસુપૂજ્ય પદરાગીરે, ટાળે વિદ્ધ માણીભદ્રજી, દીએ શાંતિપુષ્ટી સેભાગરે ૧૧ ધનધન. ( વધુ રાશા માટે વાસુપુજ્યસ્વામીના દેરાસરનું વર્ણન જેવું.) ૧૩, શ્રી શાંતિનાથજી ભગવાનનું દેરાસર, નામ–શ્રી શાંતિનાથજી ભગવાનનું દેરાસર. સ્થળ–ગોપીપુરા–મોટી પોળ. મૂળનાયક—શ્રી શાંતિનાથજી ભગવાન. બંધાવનાર–જગાભાઈ વીરચંદ. બંધાવ્યાની સાલ–સંવત ૧૯૬૨. વહીવટદાર–શેઠ કેસરીચંદ રૂપચંદ. ૧૪. શ્રી પાર્શ્વનાથજીનું દેરાસર. નામ–શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર. સ્થળ–ગોપીપુરા–મેટી પિળ. મૂળનાયક—શ્રી પાર્શ્વનાથ ભગવાન. બંધાવનાર–હીરાચંદ અંસળદાસ શજ. દેરાસરજીની સ્થિતિ સારી છે. વહીવટદાર– બાબુભાઈ જીવણચંદ રાજા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આ દેરાસરજીમાં સમેતશીખરજીના પહાડની રચના આબેહુબ કરવામાં આવી છે. જે પહાડ હિંદુસ્તાનની ઉત્તમ કારીગીરીને નમુને છે. જો કે આ રચના છે ઈટચુનાની તથાપિ સુંદર છે, અવશ્યમેવ જોવાલાયક છે. પહાડપર પણ દેરીઓ અને મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. જુના વખતના કેટલાક પુતળાં, ચિત્રો અને શેઠા ના ફોટા જોવાલાયક છે. ૧૫. શ્રી શાંતિનાથજીનું દેરાસર. નામ–શ્રી શાંતિનાથજીનું દેરાસર. સ્થળગોપીપુરા–માળીફળીયું. આ દેરાસર બંધાવનાર શ્રીસંઘ છે. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન છે જેની પ્રતિષ્ઠા સંવત ૧૯૨૩ માં થઈ. વહીવટદારે–શેઠ હીરાચંદ ખુબચંદ તથા શેઠ ઉત્તમચંદ માનચંદ વિગેરે ત્રસ્ટીમંડળ. આ દેરસર સાગરગચ્છના દેરાસર તરીકે ઓળખાય છે. આચાર્યની પ્રતિમાને લેખ– ૧૮૩૦ વર્ષે સિદ્ધસેનસૂરિ મૂર્તિ કારિત. પાદુકાઓના લેખ– (૧) સંવત ૧૯૨૪ મહા સુદી ૫ ગુરૂવારે શ્રીમદ તપાગચ્છે ચંદ્રશાખા કેબલચંદ્રજી પાદુકાને બાઈ જીવર સ્થાપિત. (૨) સંવત ૧૭રર વર્ષે પિશ શુદ ૧૩ સોમ શ્રી સર્વપુરવાસી વૃદ્ધે શાખીય શ્રી પ્રજ્ઞાજ્ઞાતીય શ્રી સાગરસૂરિ ભટ્ટારક પ્રતિષ્ઠા કરનાર. વિજયસેનસૂરિ પાદુકો. પહેલે માળે કુલચંદ કલ્યાણચંદનું દેરાસર છે. આ દેરાસરજીને અંગે કવિ લાધાશા નીચે મુજબ લખે છે. બીજે શ્રી શાંતિનાથને દહેરે શ્રી જગદીશરે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ સુરત-માળીફળીનાં ત્રણ દહેરાસરો, હ • (૧) શ્રી શાંતિનાથજીનું દહેરાસર, (૨) શ્રી આદીશ્વરજીનું દહેરાસર, (૩) શ્રી આદીશ્વરજી (કાંકરીયા)નું દહેરાસર, —Shree Suallamen o rege ldar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫ દ્વાદશ બિંબ પાષાણુમે પંચ તીરથી ત્રીસે રે; એકલમલ પટ પાટલી એકતાલીસ વિરાજેરે, ચાસી બિંબ સર્વે થઈ જિનમંદિર માંહી છાજેરે. આ દેરાસરજીના અંગે શ્રી વિનયવિજયજી નીચે મુજબ વર્ણવે સેલમા એ સલમા એ શ્રી શાંતિ જિણેસરૂએ, રતિ સૂરતિપુર સિણગાર, અચિરાકુંવર ગુણનિએ, વિશ્વસન, વિશ્વસેન રાય મલ્હાર, સેલમાં શાંતિ જિણેસરૂએ. સોલમાં શાંતિનિણંદ પામી કુમતિ વામી મઈ સહી, હવિ ભજું સ્વામી સીસ નામી અંતરજામી રહું ગ્રહી; મલપરિ કમલાં સબળ છાંડી પ્રીતિ માંડી મુગતિસ્યું, જિનરાજ કમલા વરી વિમલા પુણ્ય પ્રભુનું ઉદ્દણ્યું. ૧૬. શ્રી આદીશ્વરજી ભગવાન.. નામ–શ્રી આદીશ્વરજી ભગવાન. સ્થળ–ગોપીપુરા–માળીફળીયા. મૂળનાયક—શ્રી આદીશ્વરજી ભગવાન. વહીવટદાર–શેઠ નવલચંદ ઘેલાભાઈ જીર્ણોદ્ધાર પછીની પ્રતિષ્ઠા સંવત ૧૯૬૪ વૈશાખ સુદ ૬ ને બુધવારે પ્રભુજીને શેઠ દીપચંદ સુરચંદે ગાદીનશીન કર્યા. સ્થિતિ સારી છે. આ દેરાસર આનસુરગચ્છના દેરાસર તરીકે ઓળખાય છે. તેને ઘુમટ સુરતના દેરાસરમાં સૌથી મોટો છે, ઘણોજ મટે છે. એમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ધાતુની પ્રતિમાઓ પણ છે. બાંધણી અને પ્રત્યકામ ઘણું સુંદર છે. આ દેરાસરના અંગે ફવિ લાધાશા નીચે મુજબ લખે છે – પ્રથમ નમું આદિનાથને દેહરે ચૈત્ય ઉદારરે, , બિબ ચૌદ આસમે ધાતુમય ચિત ધારે, એકમલ પંચતીરથી પાટલાને પટ જાણું રે, સર્વ થઈ શતદેયને બહોતેર અધિક વખાણું– આ દેરાસરજીને અંગે શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય નીચે મુજ” લખે છે – પૂજીએ પૂજીએ પ્રથમ તીર્થકરૂ એ, ત્રિભુવન ત્રિભુવન દીવક દેવ તે, સેવ કરે મન ગમ્યું એ, સૂરતિ સરતિ પુર સિણગાર એ પ્રથાસ તીર્થંકર એ પૂજીએ પહિલું પ્રથમ ઇનવર ભુવન દિનકર જમિ, . જિનરૂપ સુંદર સુગુણ મંદિર ગાયવા ઉલટ થયો. સવિ નીતિ દાષી મુગતિ ભાષી આપ જરાસાલી થયા, રસરંગચાપી દુતિ નાષી અષયસુષ સંગમ લો. ૧૭ શ્રી આદીશ્વરજીનું દેરાસર નામ–શ્રી આદીશ્વરજીનું દેરાસર (કાંકરીયાનું) સ્થળ-ગોપીપુરા માબીબીયા. મૂળનાયક–શ્રી આદીશ્વરજી. - વહીવટદારશેઠ મૂળચંદ તલકચંદ , . . . પ્રતિષ્ઠા સંવત ૧૯૫૪-૫૫ માં થઈ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પ્રતિષ્ઠા કરનાર-કંકુબેન શેઠ ઘેલાભાઈલાલભાઈનાં ધણીયાણું. પ્રતિષ્ઠા કરાવનાર—શ્રીમદ્દ સહનલાલજી મહારાજ દેરાસર બંધાવનાર–કાંકરીયા ગામથી આ દેરાસર લાવવામાં આવ્યું અને ત્યાંના પૈસાથી બંધાવાયું. સ્થિતિ સારી. આવશ્યક્તા–નિભાવફેડની તથા કેસરની જરૂર છે. ૧૮ શ્ર ઉમરવાડી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર નામ–શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ ભગવાન. સ્થળ–ગોપીપુરા ઓસવાળ મહાલે. મૂળનાયક-શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ ભગવાન. વહીવટદાર–શેઠ નવલચંદ ઘેલાભાઈ જીર્ણોદ્ધાર–સંવત ૧૯૭૨ માં કરાવાયો. સ્થિતિ સારી. આને વહીવટ આસુર ગ૭ના વહીવટ સાથે ચાલે છે. બહારના ભાગમાં શ્રી પદમ પ્રભુ ભગવાનનું દેરાસર છે, એ દેરાસરની શા. દીપચંદ ઊત્તમચંદ તરફથી સંવત ૧૯૭૪ ના વૈશાખ સુદ ૬ ને શનિવારે પ્રતિષ્ઠા થઈ છે. આ દેરાસરજીના અંગે શ્રીમદ્દ વિનયવિજયજી ઉપાઅધ્યાય નીચે મુજબ લખે છે – પાસએ પાસ જિસેસર રાજીએ, જાએ જાસ વિમલ જસ રસિકે, ત્રીભુવનમાં છંઈ ગાજીઉએ, ઉંબર ઉંબર વાડામાં હઈકે, પાસ જીણેસર રાજીઊં એ રાજી પાસ જિણુંદ જયકર અષય સુષ આવાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ દરિસણઈ હનિ નાગ પાસે નાગરાજ વિલાસ ધરણી પદમાવતી જેહનાં ચરણ સેવઈ ભાવયું તસ પાય સુરતરૂ તલઈ રંગ વિનય મનસુષ ભરી વસ્યું. ૧૯ શ્રી મનમોહન પાર્શ્વનાથજીનું દેરાસર. નામ-શ્રી મનમોહન પાર્શ્વનાથજીનું દેરાસર સ્થળ–ગોપીપુરા ઓસવાળ મહે. મૂળનાયક—શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાન. જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા સંવત ૧૯૫૫ ના વૈશાખ સુદ ૬ ના. રાજ થઈ. ભગવાનને ગાદીનશીન કરનાર–રૂપચંદ લલ્લુભાઈ પ્રતિષ્ઠા કરાવનાર શ્રીમદ્દ મેહનલાલજી મહારાજ. આ દેરાસરજીને ફરી જીર્ણોદ્ધારની થયો છે. વહીવટદાર–શેઠ નગીનચંદ કપુરચંદ ઝવેરી. ૨૦ શ્રી શાંતિનાથજીનું દેરાસર. નામ–શ્રી શાંતિનાથજીનું દેરાસર સ્થળ–ગોપીપુરા ઓસવાળ મહોલ્લો. મૂળનાયક—શ્રી શાંતિનાથજી ભગવાન. બંધાવનાર–પુલાભાઈ ઉત્તમચંદ. વહીવટદાર–શેઠ નગીનચંદ ફુલચંદ વગેરે. સ્થિતિ સારી. આ દેરાસરજીના બે આરસના ગેખલાની કેરણી જેવા લાયક છે. ૨૧ શ્રી ચંદ્ર પ્રભુજીનું દેરાસર. નામશ્રા ચંદ્રપ્રભુજી ભગવાનનું દેરાસર. સ્થળ-ગોપીપુરા સવાલ મહાલે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૯ મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ભગવાન. વહીવટદાર—કેશરીચંદ કલ્યાણચંદ. સ્થિતિ–સારી. આ દેરાસર ખરતર ગચ્છના દેરાસર તરીકે ઓળખાય છે.. તેમાં દાદા સાહેબનાં પગલાં છે. મૂળનાયકના લેખ નીચે મુજબ. અચલગચ્છે ભટ્ટારક ઉદયસાગરસૂરિ પ્રતિષ્ઠિત ૨૩. શ્રી અન ́તનાથજીનું દેરાસર. ડા. નામશ્રી અનંતનાથજીનું દેરાસર. સ્થલ—ગાપીપુરા. તેમુભાઈની મૂળનાયક–શ્ર અન તનાથજી ભગવાન. બંધાવનાર શેડ નેમચંદભાઈ મેળાપચ પ્રતિષ્ઠા—સંવત. ૧૯૪૭ના જેઠ સુદી ને વાર શુક્રવારે થઈ.. પ્રતિષ્ઠા કરનાર-શેઠ તેમચંદ મેળાપચ દ સ્થિતિ સારી છે. આ દેરાસરજી ભવ્ય અને રળીયામણું છે. પુતળાં તથા કેાટની કારીગીરી નમુનારૂપ છે. વાસુપુજ્ય સ્વામીના દેરાસરથી દ્વિતીય સ્થાને આ દેરાસર ગણાય છે. દ્વારપરના લેખ. શ્રી સંવત. ૧૯૪૭ વર્ષે જેઠ માસે શુકલપક્ષે તિથિ ઃ શુક્રવારે શ્રી સૂર્યપૂર નિવાસી શ્રી એસવાલ જાતિય શેઠે ધચંદ્ર સૂત મેલાપદ તસમૂત શેઠે તેમ નવીન જિનચૈત્ય કારિતા જિનખુબ સ્થાપિત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ♦ २० વાચાટા. ૨૩. શ્રી કલ્યાણ પાર્શ્વનાથજીનું દેરાસર. નામ—શ્રી કલ્યાણુ પાર્શ્વનાથજી ભગવાન, સ્થળ-વડાચૌટા કબુતરખાના પાસે. દેરાસર બંધાવનાર–જમનાદાસ લાલભાઈ. મૂળનાયક–શ્રી કલ્યાણુ પાર્શ્વનાથ ભગવાન. આ દેરાસરની સ્થિતિ સારી છે. વહીવટદાર——શેઠ જમનાદાસ લાલભાઈ ટ્રસ્ટના ટ્રસ્ટી. વકીલ ડાહ્યાભાઈ મેમુતીચંદ વગેરે. પ્રતિષ્ઠા——સંવત ૧૯૪૧માં જમનાદાસ લાલભાઇએ કરી. જીર્ણોદ્ધાર–૧૯૭૫માં થયેા. પ્રતિષ્ઠા કરાવનાર—શ્રી રતનવિજયજી મહારાજ. પ્રતિષ્ઠા કરનાર——અમીચંદ ખૂબ ૬. કાંકરીયાનું દેરાસર અહીં લાવવામાં આવેલ છે—ત્યાંના મૂળ નાયકજી તે અહીંના મૂળ નાયકજી છે. ગેાખલા પર લેખ નીચે મુજબ છે— મેઘલશાવાળા માધલદાસ વીરદાસના વારસ મગનભાઈ કસ્તુરચનું આ ધર દેરાસર છે. સંવત ૧૯૭૫ના વૈશાક શુદી તે સામવારે પધરાવ્યું છે. ૨૪. શ્રી સીમંધર સ્વામીજી ભગવાનનું દેરાસર. નામ--શ્રી સીમંધર સ્વામી ભગવાનનું દેરાસર. સ્થલ--વડાચૌટા. તાળાવાળી પોળ. મૂળનાયક——શ્રી સીમંધર સ્વામીજી ભગવાન. જી હાર પછીની પ્રતિષ્ઠા સંવત. ૧૯૩૭માં થઇ. ભગવાનને ગાદીનશીન કરનાર—શેઠ ધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ઉદયચંદ www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ સ વહીવટદાર શેઠ જુલચંદ સીવચ તથા શેઠ ચીમનલાલ રતન દ.. સ્થિતિ સારી. ભોંયરામાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથજી છે. આ પ્રતિમા દેરાસર અંધાયું હશે ત્યારની જુની છે. સંવત ૧૯૭૦માં તેના પર લેપ કર– વામાં આવ્યે છે. ત્રીજે માળે ઉપર ચૌમુખજી છે તેમાં પાર્શ્વનાથજી ની પ્રતિમાઓ છે. આ દેરાસરને અ ંગેની દંતકથા આ દેરાસરમાં નાની નાની પુતળીઓ વાજા સાથે છે. અગાઉ કહેવાય છે. એક વખત કાઈ દેરાસર ઊધડાવી અંદર ગયેલ કાઈ કાઈ વખત તે વાગતી એમ સાંભળ્યા પછી ખાત્રી કરવા રાત્રે ત્યારથી તે બંધ થયું છે. આ દેરાસરછમાં પ્રાચીન ગ્રંથભંડાર છે. દેરાસર ઘણું પ્રાચીન હેાવુ જોઇએ. ભોંયરામાં પાનાથ ભગવાનનું બિંબ ન કરવા લાયક છે. ૨૫. શ્રી અજિતનાથજી ભગવાનનું દેરાસર. નામ–શ્રી અજિતનાથજી ભગવાનનું દેરાસર. સ્થળ-વડાચોટા. તાળાવાળી પોળ. મૂળનાયક—શ્રી અજિતનાથજી ભગવાન. વહીવટદાર-મગનલાલ તુલસીદ્મસ. આ દેરાસરના અંગે વિલાધાશા નીચે મુજબ લખે છે.. તિહાંથી વડાચૌટા ભણી જઈ જિનબિંબને વારે વાધજી ચીલાની પાલમે ભેટયા અજિત જિષ્ણુ દાર એકાદસ પાષાણમેં ધાતુમે તેર ધારા રે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ - દેહરે શ્રી જિનપ્રણમતાં, પામી જે ભવપારે આ દેરાસરને અંગે શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય નીચે મુજબ -લખે છે. બીજાએ બીજાએ વિજ્યાપુંઅરૂએ ગજગતિ ગજપતિ લંછણ સ્વામી તો નામિ સયલ સુષ સંપનઈએ જિતસ્ત્ર જિતસત્ર રાય મહાર બીજાએ વિજ્યાપુંઅરૂએ. બીજા તે વિજ્યાકું અર જિનવર નયર સુરતિ સોહ એ પ્રભુતણી મૂરતિ કષ્ટ ચૂરતિ ભાવિકનાં મન મોહ એ જિનવદન સુંદર સુરપુરંદર દેતીમનિ આણંદ જિમ કમળ વિસઈ દેષિ નિકર કુમુદ જિમ નવચંદએ આ દેરાસરમાં રંગમંડપ મેટો અને સારે છે. ૨૬, શ્રી નેમિનાથજી ભગવાનનું દેરાસર. નામ–શ્રી નેમીનાથજી ભગવાનનું દેરાસર. સ્થળ-વડાચૌટા, પંડોલની પિળ. મૂળનાયક-શ્રી નેમીનાથજી ભગવાન. વહીવટદાર-શેઠ સુરચંદ પર તમદાસ બદામી. શેઠ ફકીરચંદ નાનાભાઈ, સ્થિતિ સારી. ઉપરના ભાગમાં માળ ઉપર ળનાયક શ્રી શાંતિનાથજી ભગવાન છે. લાકડાનું પબાસણ સુંદર છે. તેનું ચિત્રકામ સુંદર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ ૨૩ મૂળનાયક શ્રી નેમિનાથજીની મૂર્તિ ચમત્કારી છે એમ લોક માન્યતા છે. આ દેરાસરને અંગે કવિ લાધાશા નીચે મુજબ લખે છે, નેમીસર જિનદેહરે, પારેખ પ્રેમને પાસે ઉપરે શાંતિ સોહામણું, પ્રણમું અધિક ઉલ્લા સેરે, અધ ઉરધ સર્વે થઈ આરસમેં બીંબ પરે ચુમોતેર પ્રભુ ધાતુમેં, તેહમાં નહિ સલસંચરે. ર૭ શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર નામ–શ્રી ગેડીજી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર. સ્થળ-વડાચૌટા. નગરશેઠની પિળ. મૂળનાયક-શ્રી ગેડીજી પાર્શ્વનાથ. વહીવટદાર-શેઠ માણેકચંદ મેલાપચંદ દીવાન. મૂળ પ્રતિષ્ઠા ક્યારે થઈ તે ચેક્સ યાદ નથી છતાં મૂર્તિના લેખ પરથી માલુમ પડે છે કે સંવત. ૧૮૮૨ માં થઈ હોય. ત્યારપછી ફરી ભગવાનને ગાદીનશીન સંવત. ૧૯૭૨ ના માગશર સુદ ત્રીજના દિવસે શેઠ માણેકચંદ મેળાપચંદ તથા તેમના ભાઈઓએ તેમના પિતાશ્રીની ઈચ્છાનુસાર કર્યા. બીજી વખત પ્રતિષ્ઠા કરાવનાર શ્રીમદ્ વિજયમહનસૂરિજી. બંધાવનાર–ડાહ્યાભાઈ લાલભાઈ નવલખા. સ્થિતિ સારી. આ દેરાસરજીમાં પિત્તળનું ઘણું સુંદર સમવસરણ છે. તે શેઠ મેલાપચંદ આણદચંદ જેઓ સીરેહી (મારવાડ)ના દીવાન હતા તેઓ સીરેહી તાબે હજારી ગામના મહાવીર સ્વામીજીના દેરાસરમાંથી નકરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ આપી લાવેલા તેની પ્રતિષ્ઠા શ્રીમાન મેહનલાલજી મહારાજ હસ્તક સંવત ૧૯૪૭ ના માગશર સુદ ત્રીજના રાજ કરી છે. આ દેરાસરમાં પ્રાતઃસ્મરણીય શ્રી વિજયાન દસૂરીશ્વરજી મહારાજની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. તેમની નીચે પ્રવર્તક મહારાજ શ્રી કાંતિવિજયંજી મહારાજ તથા શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજની મૂર્તિ છે. બાજુ પર શ્રીમદ્ વિજયકમલસૂરિજીની મૂર્તિ છે, તે પર લેખ છે. આ સ્થાપના પણ શેઠ માણેક મેલાપ દે તેમના ભાઈઓ સાથે કરાવી છે. મૂતિ પરના લેખ-~ અહં શ્રેષ્ડી આનંદચંદ્ર નનેન દીવાન શ્રી મેલાપ શ્રેણ પન્યાસ શ્રીમદ્ સંપતવિજય મુનિ ચતુરવિજયાપદેશાનશ્રીમદ્ વિજયકમલમૂરિ, પ્રવક શ્રી કાંતિવિજયજી, મુનિપ્રવર શ્રીમદ્ હું સવિજય આત્મના વાષિત સેવ્યમાના શ્રી તપગચ્છાચાય ન્યાયાંભાનિધિ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરાણાં આત્મારામ) મૂતિરિય કારિતા ચે સુરત ગાડી પાર્શ્વનાથ મંદિરે શ્રી પ્રવ`ક શ્રી કાંતિવિજય, મુનિશ્રી વિજયાભ્યામ પ્રતિષ્ઠાપિતા વીર સંવત. ૨૪૩૭ વિક્રમ સંવત. ૧૯૬૮ પાષ કૃષ્ણ ત્રીજ શુક્રવાર. આત્મસંવત ૨૧ (ફોટા અÖણ પત્ર સામે મુકવામાં આવ્યા છે.) આ દેરાસર પોતાનુ જ હાઈ અસલથી ખાનગી વહીવટ ચાલ્યા આવે છે. દેરાસરનું સમારકામ પણ શેઠ. મેલાપંચ’દ આનંદચંદ દીવાને પેાતાનાજ પૈસાથી કરાવેલ છે. આને અંગની તકથા આ દેરાસર ખેંધાવનાર ડાહ્યાભાઇ શેઠે સંવત ૧૮૬૨ માં મારવાડના ગોડીજી પાર્શ્વનાથ ભગવાનના સંધ કાઢેલા, તેમણે પાતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ ગળાનો હાર ભગવાનને ચઢાવેલો બાદ સ્વમમાં તેમના પત્નિને ભગવાને દર્શન આપેલા ડાહ્યાભાઈ શેઠ ભગવાનના ગળામાં એ હાર જોઈ ઓળખી ગયા કે આ હાર તે ઘરનેજ છે. આ ચમત્કાર પછી સંધમાંથી પાછા આવ્યા બાદ શેઠે આ દેરાસર બંધાવ્યું છે.' ૨૮, શ્રી આદીશ્વરજી ભગવાનનું દેરાસર. નામ-શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર સ્થળ-વડોચૌટા ઓવારીકાંઠે. છે. મૂળનાયક-શ્રી આદીશ્વરજી ભગવાન.' બંધાવનાર-શ્રી સંઘ. આ દેરાસરજીની સ્થિતિ સારી છે. મૂળ પ્રતિષ્ઠાની સાલની ખબર નથી. બીજી પ્રતિષ્ઠા ૧૯૨૨ શેઠ નગીનદાસ જેચંદના વખતમાં થઈ. ત્રીજી પ્રતિષ્ઠા ૧૯૭૨ માં શેઠ અને ચંદનગીનદાસના વખતમાં થઈ. ત્રીજી પ્રતિષ્ઠા આચાર્ય શ્રીમદ્ વિજયમેહન સૂરીશ્વરે કરાવી. આને અંગે દંતકથા તથા ચમત્કાર વિષે. ૧ લગભગ પચાસેક વર્ષપર કઈ ચોર દેરાસરમાં ચોરી કરવા આવેલ. આભૂષણોની ચોરી કરી પાછો જતો હતો પણ ત્યાં તે તેના પગ ખંભિત થઈ ગયા (ચેટી ગયા). એ દશામાં એ ચોરને સવારે પૂજારીએ દીઠે. લેકે ભેગા થયા, પછી તેના પગ છૂટા થયા-આભૂષણે લઈ લીધા અને ચારને જવા દીધો. ૨. એ જ અરસામાં કોઈ રજસ્વલા બાઈ દેરાસરજીમાં ગયેલી. બીજા ગભારાના બારણા પાસે આવતાં એકદમ ભમરાઓ છૂટ્યા અને બાઈને દોડીને નાસવું પડયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ ૩. સંવત ૧૩ ની . આમ વખતે લે છે તેમ હાશ્ચમ માલમીલકતી કાર કઈ જ કરવું નહિ. પ્રભુજીના આભૂષ લો એક દાબડે કેઈ ઉપાડી ગયેન્દ્ર, તે કલા આગળના ગેટ પાસેથી પન્નર દિવસે મળી આવ્યો. એકંદરે આ દેરાસર નાજુક છતાં રળીયામણું છે.. ગોખલા પરને લેખ શ્રી સુરત જૈન દસા ઓસવાળ મિત્રમંડળ તરફથી આ ગાખલો કરાવી મુનિ મહારાજ શ્રી નીતિવિજયજીના પગલાં પધરાવવામાં આવ્યાં છે. આ દેરાસરમાં નકસીવાળું પિત્તલનું નાનું દેરાસર સુંદર છે. તાણવટ ૨૯, શ્રી મહાવીર સ્વામીજીનું દેરાસર, નામ–શ્રી મહાવીરસ્વામિજીનું દેરાસર સ્થળ-નાણાવટ, ભગવાન મથુરાને ખાંચે. મૂળનાયક—શ્રી મહાવીરસ્વામી ભગવાન. બંધાવનાર–તલકચંદ મોતીચંદ કચરા. વહીવટદાર–શેઠ ફકીરચંદ તલકચંદ. દેરાસરની સ્થિતિ સારી. આ દેરાસરજીમાં આરસનું સમેસરણ બનાવેલું છે, જે ઘણું સુંદર, આકર્ષક અને જોવા લાયક છે. ૩૦. શ્રી અજીતનાથજી ભગવાનનું દેરાસર. નામશ્રી અજીતનાથજી ભગવાનનું દેરાસર. સ્થળ-નાણાવટ, હનુમાનની પિળ. મૂળનાયક—શ્રી અજીતનાથ ભગવાન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ બધાયનારે શો સંધ, વહીવટદાર–શાં. જેચંદ કચરો, શા. હીરાલાલ વમળચંદ તથા શ. હમચંદ નગીનદાસ. જરૂરીઆત—કેટલાક સુજ્ઞ પુરૂષોને બતાવતાં એમ કહે છે કે શ્રી મૂળનાયકની દૃષ્ટિમાં ફેર છે તે ફરી પ્રતિષ્ઠો કરવાની જરૂર છે. શાહપુરે ૩૧. શ્રી ચિતામણિ પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર. નામ–શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર. સ્થળ–શાહપુર. મૂલનાયકશ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન વહીવટદાર–શેઠ અમરચંદ કરમચંદ. જીર્ણોદ્ધાર–સંવત ૧૯૫૮ માં થયે પ્રતિષ્ઠા કાયમ રહી છે. જરૂરીયાત કેસર સુખડની જરૂર છે તેમ જ નક્સી કામમાં જીર્ણોદ્ધારની જરૂર છે. આ દેરાસર વડી પિશાળગચ્છનું છે. હજુ સુધી તે ગચ્છવાળાએજ તેનો વહીવટ કર્યો છે. આ દેરાસર ઘણું પ્રાચીન છે. તેમાં લાકડામાં નકશી કામ ઘણું ઉત્તમ છે. તેના નમુના સુખડમાં કોતરાવી ઈગ્લાંડ દેશના મ્યુઝીયમમાં મૂકવામાં આવ્યા છે. પેઈન્ટીંગ કામ પણ તેટલું જ સુંદર છે. જીર્ણોદ્ધાર સમયે બહુ કાળજીથી કામ કરાવવામાં આવ્યું હશે જેથી આજે આવી ઉત્તમ વસ્તુ અસ્તિત્વમાં રહી શકી છે. શ્રી કુમારપાળ અને કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યન ઓઈલ પિઈન્ટીંગ ફોટો પણ અતિ સુંદર છે. મૂળ આ દેરાસરમાં બાવન જિનાલય હતાં. જીર્ણોદ્ધાર થયો ત્યારે તે કઢાવી, મૂળનાયકજીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ગભારાની આસપાસ ચોવીસી ગોઠવવામાં આવી છે. આવી પ્રચીનકલાના નમુનાઓ જૈન સમાજ માટે ગૌરવપદે છે. આ દેરાસરજીના અને ઉપાધ્યાયજી મહારાજ શ્રીમદ્દ વિનયવિજયજી નીચે મુજબ, લખે છે – વંદુએ વંદુએ પાસ ચિંતામણિએ, દિનમણુ નિમણી તેજ નિધાન કે; ધ્યાન ધરે સ્વામી તણું, સુખ ઘણું પ્રભુ'નઈનામી કે, વંદુએ પાસ ચિંતામણીએ.' ચિંતામણિ શ્રી પાસે વંદુ આણંદુ સાહેલડી, પ્રભુવદન ચંદ અમંદ તેજઈ ફલી મુઝ સુષવેલડી; અતિ ફૂટડું પ્રભુ ફણામંડલ દેજી મુઝ મન ઉલ્હસઈ, ઘનઘટાડંબર દેવી દહ દિસિ મેર જિમ હઈડઈ હરીઈ. આ ઉપરાંત સુરતની જૈન ડીરેકટરીમાં આ દેરાસરના અંગે ૧૭૦ મા પાને નીચે મુજબ વર્ણન છે. “સુરતમાં શાહપુરમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર છે. એ પ્રભુની ચમત્કારીક મૂર્તિ વિષે સુરતના વૃદ્ધ જૈને કહે છે કે અત્યારે જે મેરઝા સામેની મજીદ છે તે પહેલાં જૈનમંદિર હતું, ત્યાં આ ચિંતામણિ પાર્શ્વનાથની મૂર્તિ હતી. એ મૂર્તિ કેવી રીતે લબ્ધ થઈ અને કેવી રીતે શાહપુરનું દેરાસર અસ્તિત્વમાં આવ્યું તે વિષે કહેવાય છે કે છે જ્યારે મુસલમાને દેરાસર તેડવા આવ્યા ત્યારે દેરાસરના દરવાજા બંધ થઈ ગયા. રાત્રે એક ગરીબ શ્રાવકને સ્વપ્ન આવ્યું કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ ll [T |Ile tal| I l/ IIIણા'l IlIW]I- I શ્રી ચિંતામણીના દહેરાસરનું કારણીનું કામ, 16 & W . IS), શાહપુર, વડાટા સુરત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ ચિંતામણિ પ્રાર્થનાથની મૂતિ કુવામાં છે ત્યાંથી મૂર્તિને બહાર કાઢી એક દેરાસર બંધાવી તેમાં પધરાવે. આ શ્રાવકે પિતાનાં સ્વપ્નની વાત તે વખતે સુરતમાં જે યતિજી હતા તેમને કરી, અને સાથે જણાવ્યું કે મારી પાસે કાંઈ મૂડી નથી. માત્ર એક રૂપીયો અને એક કેડી . યતિજીએ ગમે તે બળે પણ શ્રાવકને કહ્યું કે આ કોથળીમાંથી તને જોઈએ તેટલા રૂપિયા મળશે, તું દેરાસર બંધાવ પણ એક શરત કે આ કોથળી કદી ઠાલવીસ નહિં. પછી કુવામાં તપાસ કરતાં મૂતિ મળી આવી અને આ દેરાસર બંધાવ્યું. આજે એ કુવો આજ દેરાસરમાં મોજુદ છે. પેલી કથળી અને કેડી પણ મૌજુદ છે. એ પ્રાચીન દેરાસર સંબંધી પણ ઉલ્લેખ મળી આવે છે.” -ગુજરાત સર્વ સંગ્રહના કર્તા પાને ૫૩૧ મે જણાવે છે કે મેરઝા સામેની કબર ૧૫૪૦ માં ખુદાવીંદખાને બંધાવી છે. કબર પાસેની લાકડાની મસજીદ છે તે શાહપુર મહેલ્લામાં જૈનનું દેવલ હતું તે તેડીને તેમાંના સામાને બંધાવી.” આ ઉપરથી સમજાય છે કે આ ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું દેરાસર પન્નરમાં સૈકામાં હોવું જોઈએ, તે સાથે જેનેની કેટકેટલી સ્મૃદ્ધિ, ઈતિહાસ અને સંસ્કૃતિ કાળને ભોગ થઈ પડી છે તે સ્પષ્ટ સમજાશે. ૩૨. શ્રી ચંદ્રપ્રભુજીનું દેરાસર. નામ–શ્રી ચંદ્રપ્રભુજીનું દેરાસર. સ્થળ–સૈયદપુરા. મૂળનાયક—શ્રી ચંદ્રપ્રભુજી. વહીવટદાર–શેઠ ચુનીલાલ સુરચંદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આ દેરાસરમાં નંદીશ્વરદીપની રચના છે. બંધાવનાર—અઢીસા વર્ષ પૂર્વે ૧૬૬૦ માં કાઇ કાયદ નામના શ્રાવકે આ દેરાસર બંધાવ્યું છે એમ કહેવાય છે. છેલ્લા છણો-હાર પછીની પ્રતિષ્ઠા સંવત ૧૯૬૦ વૈશાખ શુદ ૧૦, પ્રભુજીને ગાદીનશાન કરનાર શે ધરમચંદ ઉદ્યચંદના પુત્રા. સ્થિતિ સારી. દેરાસરજીના ભોંયરામાં શ્રી અનાર્થે ભગવાન છે. આ મૂર્તિ સંપ્રતિ રાજાના વખતની છે. મૂળનાયકજીની પ્રતિષા પણ સંપ્રતિ રાજાના વખતની છે. નદીદીપતી અન્ન રચના હેાઈ આ દેરાસરજી નંદીશ્વરદ્દીપના ઘેરાસરના નામે પણ ઓળખાય છે.. નંદીશ્વરદ્દીપતી રચના સંવત્સરીના દીવસે કરવામાં આવે છે, જે ધણી મતેહર હાય છે. લાકડાનું સુંદર કોતરકામ બહુ મુલ્યવાન અને નમુનેદ્દાર છે. તેનું પેઇન્ટીંગ કામ પણ બ્રહુ સુંદર છે. એકદર રચના ભવ્ય છે, ઉપરાંત લાકડાના પાટી ઉપર ખીજ સુંઘ્ન ચિત્રકામના નમુના છે તે જોવા લાયક છે; તેની જાળવણી અને વ્યવસ્થા ઉચ્ચ પ્રકારની છે. દેરાસરછમાં જે જુના ઘટ છે તે પર નીચે મુજબ લેખ છે. સંવત્ ૧૯૬૦ વર્ષે કાર્રાવિત વાદીર, વેલસદરે દેહરે ધર્મનાચ નીહવેાહેારા બંગાલાલજી ધટ ભરાઊસે શ્રીવૈયહસેન સરિભિ.. ૩૨. શ્રી વિમળનાથજી ભગવાનનું દેરાસર. નામ-~~શ્રી વિમલનાથજીનું દેરાસર. સ્થલ—સાનીકળીયા મૂળનાયક-શ્રી વિમલનાથજી ભગવાન, વહીવટદાર-શા. મણીભાઈ ડાહ્યાભાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ swami Gyanbhandar-Umara, Surat BRRRRRRRRRRRRRRRRRRRR UR URL [ શ્રી ચંદ્રપ્રભુજીના દહેરાસરમાં નંદીશ્વરદ્વીપની લાકડાની કારણીનું કામ પÉÉપાપા ''''''' FREE સૈયદપુરા—સુરત. RRRRRRRR UTR Page #202 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ જાર પછીની પ્રતિષ સંવત ૧૯૬૭ માં થઈ છે. બહારના દરવાજા પર લેખ ભીમલપ્રાગડ બ્રાહ્મણ શ્રીમતિ બાઇ ગગોકુંવર દેવી કલકત્તા વાળા શ્રા હિંમતરામ આદીતરામની પત્નિ-ચુનીલાલ અને ચુનીલાલનાં માતુશ્રી તરફથી આ જગા શ્રી વિમલનાથજી મહારાજને અર્પણ કરી છે. સંવત ૧૯૭૩. ૩૪, શ્રી સુવિધિનાથજી ભગવાનનું દેરાસર) નામ–શ્રી સુવિધિનાથજી ભગવાનનું દેરાસર. સ્થળ-દી દેશાઈ ળિ. મૂળનાયક-શ્રી સુવિધિનાથજી લગધીન. વહીવટદાર–શેઠ જીવણચંદ ધરમચંદ શેઠ બાલુભાઈ ખીમચંદ બંધાવનાર–ધનલાલ રૂપાલાલ. સ્થિતિ–સાધારણ જીવાત – સબસની પ્ર6િ સંવત ૧૮૫૦ ની આસપાસે. છણીધાર ત્યાર બાદ ચાર વખત થયા. એક સંવત ૧૯૧૯ માં, બી જે સંવત ૧૯૪૦ માં, ત્રીજે સંવત ૧૯૫૬ માં તથા ચોથે સવંત ૧૮૮૫ માં. સંવત ૧૯૫૬ માં આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવ. આ દેરાસરજીમાં એક પ્રતિમા સંપ્રતિરાજાના વખત્ની છે. મૂળનાયકની પ્રતિમાં ઘણા જુના વખતની હેઝલેખ ઘસાઈ ગયો છે. વિમલગચ્છના અન્યાયના હાથે લાઇવશ્રીમાળી જાતિના એક બાઈએ શ્રી સુમતિનાથ ભગવાનની એક મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ છે જે ઘણા જુના વખતની છે. આરસ અને ઘાતુની મળીને એકંદર ૬૬ પ્રતિમાઓ છે. આ દેરાસરજીમાં જુદા જુદા ત્રણ દેરાસરે પધરાવવામાં આવ્યા છે. ' ૧૧. શા. જેચંદ સુખમલનું શ્રી સુવિધિનાથ ભગવાનનું મોટું દેરાસર. ૨. વખારવાળા ઉદેચંદ ઈચ્છાદનું શ્રી શાંતિનાથનું દેરાસર (મેટી આગ વખતે આવેલું માલુમ પડે છે.) ૩. નાનપરાના શા. પ્રેમચંદ પરશોતમના કુટુંબનું ઘર દેરાસર. પબાસનની છત્રી ઉપરના લેખ પરથી માલુમ પડે છે કે તે શ્રીમાલી ન્યાતના ચુનીલાલ છગનચંદ તરફથી કરાવવામાં આવ્યો છે. દેશાઈ પાળ ૩૫. શ્રી અજિતનાથજી ભગવાનનું દેરાસર, મૂળનાયક—શ્રી અજીતનાથ ભગવાન. સ્થળ-દેશાઈ પિળ. વહીવટદાર-તાસવાળા મોતીચંદ હીરાચંદ સંવત ૧૯૬૪ માં સંધ તરફથી આ દેરાસર બંધાયું. પ્રભુજીને ગાદીનશન કરનાર શા. લલુભાઈ શીવચંદ. સ્થિતિ–સારી. આ દેરાસરછમાં આરસની બાવીસ પ્રતિમાઓ છે. ગોખલા પરના લેખ. સંવત ૧૯૫૬ ના વૈશાક સુદ ૬ ને શુક્ર તાસવાળા શીવચંદ સેમચંદના પુત્ર મોતીચંદની વતી લલ્લુભાઈએ પાર્શ્વનાથની - પ્રતિમા પધરાવી છે. ૨. સંવત ૧૯૫૧ ના વૈશાખ સુદ ૬ ભોમવાર તાસવાળા હીરાચંદ j... ફુલચંદના પુત્ર મંછુભાઇએ આદીશ્વરજી ભગવાન પધરાવ્યા છે. ૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ ૩. સંવત. ૧૯૬૪ ના ફાગણ સુદી ૧૦ ગુરૂ બાઈ મણીર તે શા. ઉત્તમચંદ ધનલાલની વિધવાએ ચંદ્રપ્રભુ પધરાવ્યા છે. ૩૬. શ્રી તલકચં માસ્તરનું દેરાસર. નામ–શ્રી તલકચંદ માસ્તરનું દેરાસર સ્થળ-દેશાઈ પિળ. મૂળનાયક–શ્રી પાર્શ્વનાથ ભગવાન બંધાવનાર-તલકચંદ માણેકચંદ માસ્ત વહીવટદાર-માસ્તરના કુટુંબના ખાનગી દેરાસર ચંદન બાગ નામની પિતાની વાડીમાં છે. ૩૭. શ્રી ચંદ્રપ્રભુજીનું દેરાસર. (નાનપુરા) નામ–ચંદ્રપ્રભુજીનું દેરાસર સ્થળ-નાનપુરા મૂળ નાયક-શ્રી ચંદ્રપ્રભુજી ભગવાન ! વહીવટદાર-ટ્રસ્ટીમંડળ. આ દેરાસર ઘણું જુનું છે, છ છે, જિર્ણોદ્ધારની ખાસ જરૂર છે. ગોખલા ઉપરને લેખ, શ્રી શા. રાજાભાઈ રતનચંદની ધણીયાણી બાઈ ઈચ્છાએ સંવત. ૧૫૬ ના માગશર સુદી ૬ વાર શુકે વિધિપૂર્વક પ્રતિષ્ઠા મુનિ મહારાજ શ્રી મોહનલાલજી મહારાજ પાસે એ, ફૂછના બિંબની કરાવી છે. ૩૮. શ્રી વાસુપૂજ્ય સ્વામીજીનું દેરાસર નામ–શ્રી વાસુપુજ્ય સ્વામીજીનું દેરાસર . . : સર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ સીસમરામપુરા મૂળનાયક-શ્રી વાસુપૂજ્ય સ્વામીજી વહીવટદાર-શેઠ ડાહ્યાભાઈ ધનજીભાઈ તથા હીરાચંદ મુળચંદ સ્થિતિ–સારી. પ્રતિષ્ઠાનો લેખ સંવત ૧૯૬૯ ના વૈશાખ સુદ ત્રીજ શુક્ર વીર સંવત ૨૪૩૯ વર્ષે વૈશાખ માસે શુકલ પક્ષે તૃતીયા તિથે શુક્રવાસરે શુભમુહુર્ત પૂજ્યપાદ શ્રી સૂરિઆનંદવિજયજી (આત્મારામજી) પ્રશિષ્ય શ્રી વલ્લભવિજયા ભિધાને ઇદં શ્રી વાસુપૂજ્ય સ્વામી બિંબ સ્થાપિત સંવત ૧૯૬૯ જમણી બાજુનો લેખ શીતલનાથજી ભગવાન પધરાવનાર શા- અમર્યાદ વી. પરમાર, તરફથી બાઈ રતન. સંવત. ૧૯૬૯ના વૈશાખ સુદી ૩ વાર શુક્ર. ડાબી બાજુને લેખ. શ્રી પાર્શ્વનાથ ભગવાન પધરાવનાર શા. ખીમચંદ ડાહ્યાભાઈ તથા હરજીભાઈ ડાહ્યાભાઈ તરફથી ઉમેદવ્યંદ ખીમચંઈ તથા પુનમચંદ રવજી સંવત ૧૯૬૯ ગેખલાપરનો લેખ. શ્રી સંભવનાથજી ભગત પધરાવનાર છે. તેજાજી નેમાજી સંવત ૨૦૬૯ ના વૈશાખ સુદી ૩ને વાર શુક શ્રી મલ્લીનાથજી ભગવાન ધરાવનાર બાઈ અંબા તે જ. મલચંદ ધનજીની વિધવા સંવત. ૧૯૬૯ના વૈશાખ સુદ ૩ વાર શુ. ૩૯. શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર નામ–શ્રી શાંતિસમજી ભગવાનનું દેરાસર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ સ્થળ-નવાપુરા. મૂળનાયક—શ્રી શાંતિનાથ ભગવાન. વહીવટદાર–શેઠ દલીચંદ વીરચંદ તથા શેડ હીરાલાલ મગનલાલ પારેખ. સ્થિતિ સારી. આ દેરાસર શ્રીસંઘે બંધાવેલ છે, અતિ પ્રાચીન છે. નીચે ભેયામાં મૂળનાયક શ્રી શાંતિનાથજી ભગવાન છે. ભૈયાને જીર્ણોદ્ધાર શેઠ લખમાજી જીવણજીના નામથી શેઠ દલીચંદ વીરચંદે ૧૯૬૩ માં કરાવ્યું. દેસશત્ની સાથે ઉપાશ્રય પણ છે. નીચે બેયરને લેખ– સંવત ૧૯૬૩ ના પિષ માસમાં શા લખમાજી જીવણજી તરફથી શ્રી શાંતિનાથ મહારાજના સેંયરાને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. આ દેરાસરજીના અંગે કવિ લાધાશા નીચે મુજબ વર્ણન કરે છે. નવાપુરા માંહે દેહરે ભવિ વંદેરે સોલરમાં શાંતિનાથ ભવિ વંદેરે ભૂયરામાહે દેહરે પ્રભુ ભેટીઆ ભવિ વંદરે મૂલનાયક જગનાથ ભવિ વંદોરે ત્રણું બિંબ પાષાણુમે ભવિ વંદેરે ધાતુમે નવસારી ભવિ વદરે દ્વાદશ બિંબ જેહારતાં ભવિ વદરે ઉપને હરખ અપાર ભવિ વદરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ ૪૦. શ્રી શીતલનાથ ભગવાનનું દેરાસર નામ–શ્રી શીતલનાથ ભગવાનનું દેરાસર. સ્થળ–શ્રી હરીપુરા. મૂળનાયક-શ્રી શીતલનાથજી ભગવાન. વહીવટદાર–ચંદુલાલ નગીનદાસ તથા નગીનદાસ કીકાભાઈ પહેલી પ્રતિષ્ઠા સંવત ૧૯૬૪ માં થઈ છે. ૧૯૪૫ માં મેટી આગમાં દેરાસર બળી ગયેલું તે ફરી ૧૯૪૮ માં બંધાયું. બંધાવનાર–શ્રી સંધ. આ દેરાસરજીની પ્રતિષ્ઠા શ્રી રતનસાગરજી મહારાજે કરાવી છે, આ દેરાસરની સ્થિતિ સારી છે, ઘણું રમણીય છે અને લાડવા શ્રીમાળીના દેરાસર તરીકે ઓળખાય છે. લાડવા શ્રીમાળી ભાઈઓએ ચૈત્યપૂજામાં આપેલા ફાળાનું આ સ્મરણ ચિન્હ છે. ૪૧, શ્રી દાદા સાહેબનું દેરાસર (શ્રી જિનદત્તસૂરિની પાદુકા) નામ-શ્રી દાદા સાહેબનું દેરાસર સ્થળ–શ્રી હરિપુરા વહીવટદાર-શેઠ પાનાચંદ ભગુભાઈ તથા કૃષ્ણાજી જોધાજી આ દેરાસર ખરતરગચ્છના દેરાસર તરીકે ઓળખાય છે. એના જીર્ણોદ્ધારને લેખ નીચે મુજબ છે. “શ્રી શ્રી શ્રી શ્રી જૈન વેતાંબર મુનિ મહારાજ શ્રી શ્રી શ્રી મોહનલાલજી મહારાજના ઉપદેશથી આ દાદા સાહેબનું દેરાસર ખરતર ગચ્છના સંધનું તે સર્વેએ મળીને જીર્ણોદ્ધાર કર્યો છે. સંવત ૧૯૬૩ ની સાલમાં” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ ૩૭: ધ્વજા દંડ પરનો લેખ.. સંવત ૧૯૬પ ના ભાદરવા વદ બીજ વાર શુકે સ્વર્ગવાસી શેઠ ભગવાનદાસ ભૂખણદાસ નાણાવટીના સ્મરણાર્થે આ વજા દંડ. તેઓના પુત્રો શા. લાલભાઈ તથા ચુનીલાલે દાદા સાહેબને બંધાવી: અર્પણ કર્યો છે. સુરત–વાડી ફલીયા. ૪૨, શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું દેરાસર. નામ-શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું દેરાસર. . સ્થળ-છાપરીયા શેરી. મૂળનાયક-શ્રી સુપાર્શ્વનાથ ભગવાન. . વહીવટદાર–દયાચંદ ચુનીલાલ. ૪૩. શ્રી આદીશ્વરજી ભગવાનનું દેરાસર નામ–શ્રી આદીશ્વરજી ભગવાનનું દેરાસર. સ્થળ-છાપરીયા શેરી. મૂળનાયકશ્રી આદીશ્વરજી ભગવાન. પ્રભુજીની બેઠક નીચેનો લેખ. શ્રી શ્રી ૧૦૮ શ્રી રીખવદેવ સ્વામીજીના દેરાસર સંવત ૧૯૨૧ ના વૈશાખ સુદ ૧૩ વાર સોમ પ્રતિષ્ઠિત શાહ ઘેલાભાઈ રાયચંદ જાતે દશાશ્રીમાળી ગભરામાં આરસના પીઠ પબાસણ કરાવી બીજે પાટડે શ્રી મંદીરસ્વામી સ્થાપિત સંવત ૧૯૫૫ ચૈત્ર વદ ૩ શુક્રવાર ૪૪. શ્રી ગેડી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર, નામથી ગેડી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર. સ્થળ-ગોળ શેરી. મૂળનાયક-શ્રી ગેડી પાર્શ્વનાથજી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ વહીવટદારશેઠ ચુનીલાલ બાલુભાઈ. પહેલી પ્રતિષ્ઠા. સંવત ૧૯૪૮ માં થઇ હતી. છણે હાર થયો ત્યારે બીજી પ્રતિષ્ઠા સંવત ૧૯૮૩ મા મહાક સુધી ૬ પ્રભુજીને ગાદીનન કરન-ઈ ચુનીલાલ બાબુભાઈ તથા શેઠ મગનલાલ રણછોડદાસ. બંધાવનાર–શ્રી એ છે સ્થિતિ સારી જરૂરીયાતમાં કેસરની જરૂર છે. ૪૫. શ્રી ચંદ્રપ્રભુજીનું દેરાસરે, નામ-શ્રી ચંદ્રપ્રભુજીનું દેરાસર. સ્થળ–ગોળ શેરી મૂળનાયક–શ્રી ચંદ્રપ્રભુજી બંધાવનાર-બાઈ નેમીકુ વર સ્થિતિ–સારી આ દેરાસરજીમાં કેસરની જરૂર છે. વહીવટદાર–શેઠ ચુનીલાલ બાલુભાઈ દેશસરછ પર લેખ. સંવત ૧૯૪૬ ના વર્ષે શ્રાવણ સુદી છઠ ને વાર બુધ આ દેરાસર શા. રૂ૫ચંદ રાયચંદની છોકરી બાઈ નેમીકુંવરે બંધાવ્યું છે. આ દેરાસર ગેળશેરીના સંધને સ્વાધીન કર્યું છે અને મારા મુવા પછી જે કાંઈ મીલકત છે તે દેશસરજીની છે. ૪૬. શ્રી આદીશ્વરજીનું દેરાસર. (લાઈન્સ) નામ-શ્રી આદીશ્વરજીનું દેરાસર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ | શ્રી આદીશ્વરજીના દહેરાસરને શીખરનો દેખાવ. લાઇન્સ-સુરત, www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #213 -------------------------------------------------------------------------- ________________ | શ્રી આદીશ્વરજીના દહેરાસરજીના થાંભલાનો દેખાવ, 02 LI લાઇન્સ-સુરત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ સ્થળ–અઠવા લાઈન્સ. મૂળ નાયક–શ્રી આદીશ્વરજી ભગવાન. વહીવટદાર–ટ્રસ્ટી મંડળ બંધાવનાર–ોઢ ફુલચંદ કલ્યાણ આ દેરાસર ધણુંજ સુંદર છે. આરીસા જીવનના દેખાવ મનહર છે. થાંભલાઓ તેમજ ગલીમાં અકીકનું કામ ઘણુંજ અદ્ભુત છે. આ દેરાસર્જી વીસમી સદીની કળાના નમુના છે. ગુજરાતમાં દ્વિતીય પતિએ તેનુ સ્થાન છે. અવશ્ય દૃન કરવા લાયક છે. દેરાસરજી પરના લેખ. નમેાદ્વૈત સિદ્ધાચાયોઁપાધ્યાય સર્વ સાધુભ્યઃ The Jain Shwetamber Temple. Fulehand Kalyanchand A. D. 1904 વિક્રમ સઁવત ૧૯૬૦ના વૈશાક સુદ ૧૦ સેામવાર. जैन श्वेतांबर मंदिर शा. फुलचंद कल्याणचंद, वीर संवत २४३० અંદમાં અડવાગામમાં લાઇન મધે ૭ મા એડવર્ડના રાજ્યમાં શ્રી યુગાદેિવની પ્રતિમા એસવાલ વંશમાં શા. લાલભાઇ પુત્ર કલ્યાણચંદ પુત્ર ફુલચંદના કહેવાથી તેમની માતીકુંવર ભાર્યાંએ અને કંપનીવાળા શા. નગીનચંદ ઝવેરચંદે પેાતાના કપનીવાળા સાથે પં. ચતુરવિજયજી તથા ૫. સિદ્ધિવિજયજીના હાથે પ્રતિષ્ઠા કરાવી. ૪૭. શ્રી આદીશ્વરજી ભગવાનનું દેરાસર. (કતાર ગામ.) નામ—ત્રી આદીશ્વરજી ભગવાનનું દેરાસર (લાડવા ત્રાંમાળાનું) સ્થળ—કતારગામ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ મૂળનાયક—શ્રી આદીશ્વરજી ભગવાન વહીવટદાર–શેઠ નાનચંદ કીકાભાઈ , બંધાવનાર–શ્રી સંધ મંદીર બંધાયાની સાલ–સંવત ૧૯૬૦ ભગવાનને ગાદીનશીન કરનાર—મગનભાઈ રાયચંદ સ્થિતિ સારી. પ્રતિષ્ઠા કરાવનાર મુનિ મહારાજ શ્રી સિદ્ધિવિજયજી મહારાજે આ દેરાસર લાડવા શ્રીમાળીના દેરાસર તરીકે ઓળખાય છે. ૪૮. શ્રી આદીશ્વર ભગવાનનું મોટું દેરાસર (તાર ગામ નામ– શ્રી આદીશ્વરજી ભગવાનનું મોટું દેરાસર સ્થળ–કતારગામ. મૂળનાયકશ્રી આદીશ્વરજી ભગવાન આ દેરાસરજીનો વહીવટ કરનાર શેઠ દલીચંદ વીરચંદ છે. આ દેરાસરજી અતિ પ્રાચીન છે. એનો જીર્ણોદ્ધાર સંવત ૧૯૫૫માં શ્રીમદ્ મેહનલાલજી મહારાજના સદુપદેશથી થયો. આ દેરાસરમાં પ્રભુજીને ગાદીનશીન શેઠ નગીનચંદ કપુરચંદે કર્યો છે. આ દેરાસરજીની પ્રતિષ્ઠા શ્રીમદ્ મેહનલાલજી મહારાજે કરાવી છે. . જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા સંવત ૧૯૫૫ના વૈશાખ સુદ ૧૩ના રોજ થઈ છે. આ દેરાસરજીને બંધાવનાર શ્રી સંધ છે. આ જીણોદ્ધાર શ્રી, સંઘના ખરચે તે વખતના વહીવટદાર શેઠ લખમાજી જીવણજીએ કરાવ્યો હતે. આ દેરાસરજીની સામે બીજુ દેરાસર છે જેમાં મૂળનાયક શ્રી પુંડરીક સ્વામી છે. દેરાસરના પાછળના ભાગમાં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં અને રાયણવૃક્ષ છે. દેરાસરની સ્થિતિ સારી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ આ દેરાસરજી અતિ પ્રાચીન–પુરાણું હતું. એને જીર્ણોદ્ધાર હમણાંજ થયેલ છે. બાંધણી ઘણીજ સારી છે અને એ દેરાસર અવશ્ય દર્શન કરવા લાયક છે અને સુરતના જૈનો માટે એ નજીકનું તીર્થ સ્થાન છે. પાલીતાણાની માફક પુંડરીક સ્વામીનું મંદીર તથા રાયણ નીચે આદીશ્વર પ્રભુનાં પગલાં છે. આ સ્થળ જાત્રાના ધામ સમાન હોવાથી દર વર્ષે બે વખત ત્યાં યાત્રા ભરાય છે. એક કારતકી પૂર્ણમાએ અને બીજી ચિત્રી પુર્ણમાએ યાત્રા ભરાય છે. કારતકી પુણીમાએ શેઠ નગીનચંદ કપુરચંદ તરફથી લાડુ તથા ગાંઠીઓનું ભાથું વહેંચાય છે તથા દાલવાળા શા. ગાંડાભાઈ મોતીજી તરફથી સાકરનું પાણી અપાય છે. ચિત્રી પૂર્ણમાએ શેઠ દલીચંદ વીરચંદ તરફથી લાડુ ગાડીઓનું ભાથું વહેંચાય છે તથા શેઠ નવલાજી તરફથી સાકરનું પાણી અપાય છે. દર વર્ષે વૈશાખ સુદ તેરસની સાલગીરીના રોજ શેઠ રૂપચંદ લલ્લુભાઈ તરફથી સંધ જમણું થાય છે. આ દેરાસરજીની સાથે ધર્મશાળા પણ છે, જ્યાંથી ગાદલાં ગંદડાં વાસણ વિગેરે મળે છે. આને વહીવટ પણ શેઠ દલીચંદ વીરચંદ કરે છે. મૂળ લેખ. શ્રી પાર્શ્વનાથાય નમ: જીર્ણોદ્ધાર પ્રશસ્તિ. સુરત વતન વાસી શ્રેષ્ઠીવરે ભુષણ ભિધઃ પૂર્વ કાતાર ગામેડસ્મિન નિમય પદાદય જિન ચૈત્ય તારાચંદ્ર શ્રેષ્ઠી હૈ વત્સ ખ રૂચીર કાતિ શ્રી પુંડરીક ચૈત્ય વ્યસરચસ્વાત્મ સુર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ચૈત્ય યુગંતત્સમ ભૂઝ તેનલેન ભૂયસાકર્ણમ. શ્રીમદ્ મેહન મુનિયે વિહરત સ્તચચામુ તત્વા જીણેદ્રબિંબ નિરિક્ષ ચિત્યંચ કર્ણમિતિ શમેન સ્મૃદ્ધિારફલં તે મનસીઈમાવયા માસુજ જીનત્વ નિર્માપયેની વ સ્તોત્ર માનવો ધન્ય જીર્ણોદ્ધાર વિધાતા ધન્ય તમ ત્યાગમે સ્પષ્ટમ ધ્યાતિ સુરતે તે વ્યા જમું સતાવર્ધન જીર્ણોદ્ધારર્થ તં સંધ પ્રાધમન બહુધા તબોધી તઋસંધઃ સદાસ્ત કાર્યો મારતક સુગુરૂણું ભવ્ય નામ યોગે ધર્મ વિડબેક ભુતેષુનંદ ભૂમિત ૧૫૫ વર્ષે શ્રી વિક્રમાક સમયેગતે વૈશાકે શીત પક્ષે ત્રયોદશી ભોમ વાસતા. તસ્યા સંડુ વકેસ્મિન પ્રતિમા શ્રી નાભિનંદાનાદિનાં શ્રી શ્રી શ્રી મનમોહન મુનિભિજ્યનું સંસ્થા પિતા સતતમ રમ્યમિચેત્યયુગ પાશ્વશાખાચ મજનુણ હે શાજીયા ચિરંચ ભાવ્યા શર્મવી ભજામને નાશુ. જમણી બાજુને ગોખલો ઝવેરી તલકચંદ મેલાપચંદ સંવત ૧૯૫૫ મીતિ વૈશાખ સુદી ૧૩ ડાબી બાજુના ગોખલે ઝવેરી મુળચંદ માણેકચંદે સંવત ૧૯૫૫ મિતિ વૈશાખ સુદ ૧૩ ગભારાના તાર ઉપર. ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ આ છબી મોહનલાલજી મહારાજની છે જેમના સદુપદેશથી -ઇનપ્રસાદ તૈયાર થયું છે. આ રીતે શ્રી સુરતમાં મોટાં, ભવ્ય, સુંદર, સ્મૃદ્ધિમાન ૪૮ દેરાસરજી છે. તે સિવાય ઘર દેરાસરે છે જેની નોંધ નીચે મુજબ. - ગોપીપુરા. ૧. મેટો રસ્તો શા. ખીમચંદ સરૂપચંદને ત્યાં ૨. કાચ મહોલ્લે-ભણશાલીને ત્યાં ૩. , . શા. માણેકચંદ ઝવેચંદને ત્યાં શા.સરૂપચંદ સાકરચંદને ત્યાં એસવાલ મહેલ્લો–શા રૂપચંદ દેવચંદને ત્યાં શા. નથુશા હીરચંદને ત્યાં , , શા. તલકચંદ મેલાપચંદને ત્યાં ૮. , , શા. રૂપભાઈ હીરાચંદને ત્યાં , શા. દીપાભાઈ ભેટને ત્યાં ૧૦. અદાલતશા ખીમચંદ મેલાપચંદને ત્યાં ૧૧. ઝાંપા બજાર 8 ખરા . શેઠ ચુનીલાલ કલ્યાણચંદને ત્યાં ૧૨. વડાચૌટા પંડળની પિળ-શેઠ હેમચંદ પાનાચંદને ત્યાં જેના મૂળ નાયક શ્રી આદીશ્વર ભગવાન છે. આ ઘર મૂળ ખીમા રેઢાનું છે. મૂળ નાયકની પ્રતિમા ૧૫૧૬ માં ભરાયેલી છે. ૧૩. વડા ચૌટા પંડાલની પળ-શેઠ સુરચંદ પુરૂષોત્તમદાસ બદા મને ત્યાં. જેના મૂળ નાયક શ્રી આદીશ્વરજી ભગવાન છે. g ܚܿ ; * ; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૪. કબુતરખાના-શેઠ કસ્તુરચંદ કાશીદાસને ત્યાં. જ્યાં મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. ' ૧૫. શેઠ કસ્તુરભાઈ મગનલાલ ટોપીવાળાને ત્યાં. જેના મૂળ નાયક શ્રી ગોડીજી પાર્શ્વનાથ છે. ૧૬. , શેઠ સાકરચંદ સવાઈચંદને ત્યાં. જેના મૂળ નાયક શ્રી આદીશ્વરજી ભગવાન છે. ૧૭. ઓવારા કાઠ-શેઠ અમરચંદ કરમચંદને ત્યાં. જ્યાં મૂળ નાયક શ્રી આદીશ્વરજી ભગવાન છે. ૧૮. તાળાવાળી પળ-શેઠ નવલચંદ ઘેલાભાઈને ત્યાં, જ્યાં મૂળ નાયક શ્રી આદીશ્વરજી ભગવાન છે. ૧૯. શેઠ મોતીચંદ કલ્યાણચંદને ત્યાં, જયાં મૂળ નાયક શ્રી ધર્મનાથ ભગવાન છે. ૨૦ , શેઠ મરધુભાઈ ભાણુભાઈને ત્યાં. જ્યાં મૂળ નાયક શ્રી સુમતિનાથ ભગવાન છે. ૨૧. નવલશાના કંઠે–શેઠ નાનચંદ રાયચંદ સરસવાળાને ત્યાં, જ્યાં મૂળ નાયક શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાન છે. ૨૨. નાણાવટ–શેઠ જેચંદ કચરાને ત્યાં, જ્યાં મૂળ નાયક શ્રી * આદીશ્વર ભગવાન છે. ૨૩. , શેઠ નાનચંદ પાનાચંદને ત્યાં, જ્યાં મૂળ નાયક શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન છે. ૨૪. કાણા કચરાની પળ-શેઠ આણંદચંદ મેલાપચંદને ત્યાં. આ ચા સંબંધી શ્રી દિપવિજયજી પોતાની ગઝલમાં લલકારે - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ ઝીકે જીની પ્રસાદ, દેખત હૈતઙે આહલાદ સુરત મડના શ્રી પાસ, કરકે ધમ દૈવલ સાષ સંખેશ્વરા જીનરાજ ઉમરવાડી શ્રી મહારાજ ગાડીપાસે જિનવર દૈવ, સારે ભક્તજન પ્રભુ સેવ શાંતિ નાયકા દેહરાહ, માનું સીવપુરીસે રાહ આદીનાથ જિનવરવીર, તારે ભવસાગર તીર ચિંતામણી પારસનાચ, મેહે સીવપુરીયા સાથ ધ્રુવલ અઢ મહેતાલીસ વંદે સુનરાંકા ખુશ ચૈત્યપરિપાટીનું મહત્વ શ્રી જિનેશ્વરદેવના અનુયાયી જૈનાના આવશ્યક કર્તવ્યેશમાં ચૈત્ય પરિપાટી એ મુખ્ય છે. ભયંકર ભવસાગરથી તરનાર શ્રી જિન બિંબ અને શ્રી જિન વાણી એજ છે, એ જિન કિંમતથા નિ મદિરાને નુહારવા એ પરમ કવ્યુ છે. એનાથી સમ્યગ દર્શીન વિશુદ્ધ થાય છે, આત્મા નિર્મળ થાય છૅ અને અન્યને પણ ખાધિ પ્રાપ્તિનું કારણ થાય છે. સ્વ-પર હિતના અર્થે જ જ્ઞાનીઓએ ધર્માંનુષ્ઠાનાને ધામધૂમથી ઉજવવા રમાવેલ છે. ચૈત્ય પરિપાટીને અંગે પણ એ વિધાન છે કે છેવટે બધાએ સાથે વમાં એકવાર સાથે ચૈત્યા જુહારવા-શ્રી સકળ સંઘે ચૈત્ય પરિપાટી કરવી અને જગતને શ્રી જિનેશ્વર દેવનુ તથા એના શ્રેષ્ઠીમાનું ભાન કરાવવું. આ પ્રથા ઘણા મુખ્ય શહેરામાં તથા કેટલાક નાના ગામામાં પણ ચાલુ છે. અમદાવાદ તથા પાટણમાં પણ ચાલુ છે. સુરતમાં સકળ સંધ સાથે ચૈત્ય પરિપાટી ઘણીવાર થયેલ છે. સુરત એ જૈના માટે અતિહાસિક સ્થળ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ છેલ્લે જ્યારે સુરતમાં શ્રી નવપદારાધક સમાજ સંમેલન તથા શ્રી દેશવિરતિ ધર્મારાધક સમાજ સંમેલન તથા શ્રી યંગમેન્સ જૈન સોસાયટી સંમેલન–આ ત્રણે ભવ્ય સંમેલને ભરાયાં હતાં અર્થાત નવપદ આરાધક સમાજના સભ્યો વિધિપૂર્વક નવપદજીની આરાધના કરતા હતા અને બાકીના સંમેલને પિતાના ઉદ્દેશાનુસાર શાસનને વિજયડંકો વગાડતા હતા ત્યારે સુરતમાં પરમ ઉપકારી આગધારક સમર્થ જૈનાચાર્ય શ્રીમદ્દ સાગરાનંદ સૂરિશ્વરજી વિદ્યમાન હતા. અને એમની સાથે છેલ્લી ચૈત્ય પરિપાટી સુરતે કરી હતી. ચૈત્ય પરિપાટીનું મહત્વ અનિવણ્ય છે. તીર્થોના સંધ એ પણ શું છે એજ ને ! દરેક જૈને અને દરેક ગામના સંધે છેવટે વર્ષમાં એક વાર તે પિતાના ગામનાં તમામ ચિત્યની પરિપાટી કરવી જોઈએ અને સકળ સંઘે પૂર ધામધૂમથી તે કરી જગતને જૈનધર્મ તરફ ખેંચવું જોઈએ. સ્વ-પર હિતકર આ પ્રવૃત્તિથી કેવલ કર્મ નિજર છે તથા મોક્ષના જામીનભૂત સમ્યગદર્શન સુદઢ થાય છે. = == ===== === II સુરત ચેત્ય પરિપાટી સમાસ | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ ૪૭ શ્રી સુરત ધરમચંદ ઉદયચંદ જેન જીર્ણોધ્ધાર ફંડ. [ આ જીર્ણોદ્વાર ફંડ સુરતવાસીઓએ સ્થાપ્યું છે. ] ફંડના ઇતિહાસ—આ કુંડની સ્થાપના શ્રીમદ્ મેાહનલાલજી મહારાજના શિષ્ય મુનિશ્રી હરખમુનિજીને ગણિપદ આપ્યું તે પ્રસંગે થઈ હતી. સવત ૧૯૫૮ માં કારતક વદી ૨ ને બુધવારે આ કુંડ અસ્તિત્વમાં આવ્યું, આ કુંડ તરફથી થતા કાર્યના અવારનવાર રીપોર્ટ બહાર પડયા છે. કુંડના ઉદ્દેશ—સુરત અને સુરત જીલ્લાના તમામ દેરાસરાની મુલ્યાંસ્થત સ્થિતિ જળવાઈ રહે, તે માટે જીણુ દેરાસરાને યોગ્ય મદદ આપી જૅમની પવિત્રતા અને અસ્તિત્વ ટકાવી રાખી જેમાનાં પ્રાચીન ગૌરવનું સંરક્ષણ કરવાતા આ કુંડના ઉદ્દેશ છે. આ રીતે આ કડે જૈન સમાજની ઉત્તમ સેવા બજાવી છે. હજુ પણ આ ક્રૂડને વધારી અખીલ ભારતીય જીર્ણોદ્ધાર કુંડ બનાવવાની ભાવના તેના કા વાર્ષકાને હશે જ. શાસનદેવ એ ભાવના બર લાવવાને સૌને શક્તિ બક્ષે. એજ પ્રાર્થના. આ કુંડની વ્યવસ્થા માટે એક ટ્રસ્ટ મંડળ નીમવામાં આવ્યું છે. આ કુંડની પ્રગતિ અને સંગીન કાર્ય તેના ટ્રસ્ટ મ`ડળના ઉત્સાહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રયત્નને જ આભારી છે. આ 'ડના મેનેજી ંગ ટ્રસ્ટી તરીકે શેઠ જીવણું ધરમચંદ ઉત્સાહપૂર્ણાંક કાર્યાં કરે છે. જૈન જીર્ણોદ્ધાર કુંડ તરફથી તે ખાતે સંવત ૧૯૮૨ ના આસા વદી અમાસ સુધીમાં ખરચાયલી રકમ. ૨૩૦૦) સુરત સૈયદપરાના શ્રી નંદીશ્વરદીપના દેરાસરમાં. ૫૦૦૦) સુરત દેશાઇપાળના શ્રી ચૌમુખજીના દેરાસરછમાં. ૧૩૦૦) સુરત સેાની કળીઆના શ્રી વિમલનાથજીના દેરાસરજીમાં. ૧૮૦૦) શાહપુરના શ્રી ચિંતામણીજીના દેરાસરછમાં. ૯૦૦) નાણાવટ હનુમાનની પેાળમાં શ્રી અજીતનાથજીના દેરાસરજીમાં. ૧૮૦૦) સુરત ગેાપીપુરાના શ્રી આદીશ્વરજી ભગવાનના દેરાસ૭માં ૩૦૦૦) એવારે કાંડાના શ્રી આદીશ્વર ભગવાનના દેરાસરજીમાં. ૧૩૦૦) ગાળશેરીના શ્રી ચંદ્રપ્રભુજી ભગવાનના દેરાસરછમાં. ૪૦૦) નાણાવટ–તાળાવાળી પોળમાં શ્રી અજીત નાથજીના ** "" "" ܝܕ દેરાસરજીમાં. ૨૫૦૦) સુરત ગેાપીપુરાના લાલીના દેરાસરજીમાં. . ૧૫૦૦) ગેાપીપુરાના ઓસવાળ મહેાલાના શ્રી ઉમરવાડી પામનાથજીના દેરાસરજીમાં. ૪૫૦૦) સુરત ગેાપીપુરા કાયચ મહેાલામાં શ્રી શાંતિનાથજી ભગવા નના દેરાસરજીમાં. ૧૦૦૦) સુરત દેશાઈ પાળના શ્રી સુવિધિનાથજીના દેરાસરમાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ e ગેાપીપુરાના શ્રી શીતલનાથજીના દેરાસરજીમાં. ૨૦૦૭) ૩૦૦૦) સગરામપુરાના શ્રી વાસુપુજ્યસ્વામિના દેરાસરજીમાં. ૪૦૦) કાંકરીયાના શ્રી આદીશ્વરજી ભગવાનના દેરાસરજીમાં.. " 39 33 ૨૦૦) રાંદેર દેરાસરમાં. ૧૦૦૦) એરપાડના દેરાસરજીમાં. ૧૦૦૦) ગામ વરીયાવના દેરાસરછમાં. ૩૦૦૦) કતાર ગામના દેરાસરચ્છમાં. ૨૦૦૦) કાવી ગાંધાર ગામના દેરાસરચ્છમાં. ૧૦૦૦) કઠોર ગામના દેરાસરચ્છમાં, કુલ રૂા. ૪૦૯૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ શેઠ ઘેલાભાઈ લાલભાઈ કેસરબરાસ ફંડ * * * શેઠ ઘેલાભાઈ લાલભાઈ કેસર બરાસ ફંડ તરફથી સુરતમાં નીચેના દેરાસરને કેસર બરાસ અપાય છે. દેરાસરનું નામ. શ્રી શાંતિનાથજી સાગરેગચ્છના માલી ફળીયા શ્રી આદિનાથજી આનસૂરના કાંકરીયાના શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ આનસૂરગચછના ઓસવાળ મહેલા શ્રી મહાવીરસ્વામિજી શ્રી શાંતિનાથજી ડાહી દોશીના જગાવીર હજીર મહેલા શ્રી સુવિધિનાથજી દેશાઈપોળ શ્રી ધર્મનાથજી ગોપીપુરા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્રી મહાવીરસ્વામિજી સમવસરણ નાણાવટ શ્રી નેમીસરજી પંડળની પિળા ગોપીપુરા દેવસૂર આ ફંડમાંથી સમગ્ર હિંદુસ્થાનના દેરાસરને કેસર આપવામાં આવે છે. લગભગ અઢીસો દેરાસરમાં દર વર્ષે કેસર–બરાસ પૂરું પાડવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ ઓ ની જાહેર ખબર નીચે મુજ – જાહેર ખબર. આ થકી હિન્દુસ્થાનના તમામ શ્વેતામ્બર સંઘને જણાવવામાં આવે છે કે જે જે ગામનાં બેતામ્બર મન્દિરામાં કેસર–બરાસની અગવડ હોય, તે મદિરને માટે તમારી પાસેથી નીચે જણાવે શીરનામાથી કેશર–બરાસ ભેટ મંગાવી લેવાં. મહેરબાની કરી કોઈએ ટપાલ અગર બીજે રસ્તે મંગાવવા તસ્દી લેવી નહિ, પરતું નીચલે ઠેકાણેથી આવી લઈ જવું. સવે સાધુ-મુનિરાજોને વિનંતિ સહિત વિદિત કરવાનું કે, આપશ્રીઓના વિહારમાં જે જે ગામના મન્દિરેમાં કેસર-બરસની અગવડ હોય તે તે જગ્યાએ નીચલે ઠેકારીથી કેસર–બરાંસ ભેટ મંગાવવાનો ઉપદેશ કરવા તસ્દી લેવી. ઠેકાણું -- શા, નગીનભાઇ ઘેલાભાઈ ઝવેરી. ૯૮, ત્રીજે ભથવાડે, ભુલેશ્વર-મુંબઈ. ૨, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ પદ્મ પ્રિય વાંચકવૃંદ ! સુરતવાસીઓએ માત્ર સુરતમાંજ ધનના સ ્વ્યય કર્યો છે એમ નથી પણ સુરત બહાર પણ એમનાં સ્મરણા ઝળહળી રહ્યાં છે. સુરત બહાર જૈન જૈનેતર માટે એમના દાનપ્રવાહ ઘણા છે પણ અત્રે તેા માત્ર શ્રી જિનાલયપૂરતી વાત છે તેથી તેને અંગેજ વાત છે. શ્રી શત્રુંજયતી પર સુરતવાળા શેઠ સામચંદ્ર થાચ દે સમવસરણુની રચનાવાળુ શ્રી વીરપ્રભુનું દેરૂં બંધાવ્યુ. વીર્ સંવત ૨૨૫૮ વિક્રમ સંવત ૧૭૮૮ (જુએ જૈન ધર્મના પ્રાચીન ઇતિહાસ ભાગ ૧ પાનું ૩૯૭.) શ્રી શત્રુંજય પર સુરતવાળાએ શ્રી આદિનાથજી ભગવાનની પાદુકાજી સ્થાપન કરી. વીર્સવત્ ૨૨૬૨ વિક્રમ સંવત્ ૧૯૯૨ (જીઆ જૈન ધર્મના પ્રાચીન ઇતિહાસ, ભાગ ૨ જો, પાનુ ૧૫૬) (એજ ઇતિહાસના પાને ૧પ૭માં જીએઃ—) શ્રી સુરતવાળા શેઠ ઈચ્છાભાઈ એ શત્રુંજય પર ઈચ્છાકુડ બંધાબ્યા. વીર સંવત ૨૨૩૧. વિક્રમ સંવત્ ૧૮૬૧. શ્રી મેાતીશાહ શેઠે શ્રી શત્રુંજય પર કુતાસરના ખાડા પુરી તે પર વિશાળ ટુંક બાંધી તથા અંજનશલાકા કરાવી, વીર સંવત ૨૩૬૩ વિક્રમ સંવત્ ૧૮૮૩ (જીએ પાનું ૫૭.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ સુરતની પ્રાચીન ચેત્ય પરિપાટી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લુ. હિંદ અને યુરોપઆદી દેશેામાં જૈન સાહિત્યના મહાન પ્રચારક તરીકે પ્રસિદ્ધ થયેલાં સ્વ. સુપ્રસિદ્ધ આચાર્ય મહારાજ શ્રી વિજયધર્મ સૂરિજી મહારાજ સાષીત ‘પ્રાચિન તિર્થંમાલા સંગ્રહ ભાગ ૧લામાં’ સુરતની પ્રાચીન ચૈત્ય પરિપાટીએ આપવામાં આવી છે તે અક્ષરશ: અત્રે આપીએ છીએ:સુરતઃ— શહેરનાં મંદિરાનુ વર્ણન કરનારી ઉપરની તીર્થમાળાઆમાં એ તીથ માળાઓ છે. એક કટૂંકમતીય ૧લાયા શાહ વિરચિત ‘સુરતચૈત્યપરિપાટી,' અને બીજી ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી વિરચિત ‘સુર્યપુરચૈત્યપરિપાટી,’ લાધાશાહે આ સૂરતચૈત્યપરિપાટી' સ. ૧૭૩ના માગશર વદિ ૧૦ ના દિવસે સૂરતમાં ચેામાસુ રહીને મનાવી છે. કવિ લાધાએ સૂરતના દેરાસરાનાં નામેાજ માત્ર નથી ૧ આજ લાધાશાહે વિ. સ. ૧૭૯૫માં શિવચંદ્રજીના રાસ અનાવ્યા છે. આ રાસમાં વિ પેાતાને ગુચ્છના ગચ્છપતિ તરીકે પેાતે ઓળખાવે છે:-~~ “કડ્ડયામતિ ગચ્છપતિ સાહજી લાધેા કવિરાયઃ તિણે રાસ રચ્યા એ સુષુત ભણુત સુખ થાય” (મારી પાસેના પ્રશસ્તિ સંગ્રહમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ આપ્યાં, પરંતુ પ્રત્યેક દેરાસર કયા કયા પુરામાં આવ્યું તે, પુરામાં કેટલાં મહેણાં દેરાસરે અને કેટલાં ઘર દેરાસરે છે તે, અને પ્રત્યેક દેરાસરની પાષાણ અને ધાતુની મૂર્તિની, પંચતીથી, પટ, પાટલી અને સિદ્ધચક વિગેરેની પણ સંખ્યા બતાવેલી છે. કવિએ પ્રત્યેક ઢાળની અંતે બે દૂહા આપી એક એક ઢાળમાં વર્ણવેલ મંદિર, ઘર દેરાસરો અને જિનબિંબની સંખ્યા આપી છે. એવી રીતે ત્રણ ઢાળમાં કવિએ સૂરતમાં-સૂરત અને પરનાં મંદિરોનું વર્ણન કર્યું છે. છેવટે ત્રીજી ઢાળની અંતમાં કવિ મંદિરે, અને બિંબની કુલ સંખ્યા આ પ્રમાણે આપે છે “સુરતમાં ત્રણ ભૂયર દેહરાં દશ શ્રીકાર; દયસય પણતીસ છે દેહરાસર મનોહાર. ૧ સરવાલે સરવે થઈ બિંબ સંધ્યા કહું તે; તીન હજાર નવસે અધિક બહેતર પ્રણમું તેહ. ૨ (પૃ ૬૭) એટલે કે-૧૦ ડેટા દેશું, ૨૩૫ ઘરદેરાસરો અને ૩૯૭૨ જિન બિબે સુરતમાં હતાં. ચોથી ઢાળની પાંચમી કડીથી કવિએ જિનબિંબ વિગેરેની સંખ્યા જેમ બહુ સ્પષ્ટ રીતે આપી છે, તેવી રીતે તીર્થમાળાની અંતમાં ગદ્યમાં પણ સંખ્યા બતાવી છે. તે આ પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ “શ્રી સૂરત મધે દેડરા ૧૦ છે, દેરાસર (ઘરદેરાસર) ૨૩૫, ભૂથરાં ૩, પ્રતિમાં એકેકી ગણતા ૩૯૭૮, પંચતીરથીની ૫, વીસવટાની ૨૪, એકલમલ, પટ, પાટલી, સિદ્ધચક, મૈ મુખ સ થઈને ૧૦૦૪૧ ઈ.” (જૂઓ પૃ. ૧૫) ઉપાધ્યાય વિનયવિજયજીએ “સૂર્યપુર ચૈત્ય પરિપાટી” સં. ૧૯૮૯માં બનાવી છે. ઉપાધ્યાયજીએ આ પરિપાટી એકંદર ૧૪ કડિયામાં પૂરી કરી છે. જેમાંની પ્રથમની અગીયાર કડીઓમાં સૂરતનાં અગિઆર દેરાસરોનાં નામે આપ્યાં છે. પ્રત્યેક કડીમાં દેરાસરમાં બિરાજમાન મુખ્ય ભગવાનનું નામ–જેના નામથી દેરાસર પ્રસિદ્ધ હોય તે ભગવાનનું નામ–આપી સ્તુતિ કરી છે. તે ઉપરાત મૂર્તિની સંખ્યા કે એવી બીજી બાબત કંઈ બતાવી નથી. બારમી અને તેરમી કડીમાં રાનેર, વલસાડ, ગણદેવી, નવસારી અને હાંસોટમાં બિરાજમાન પ્રભુની સ્તુતિ કરી ૧૪મી કડીમાં પિતાનો પરિચય આપ્યો છે. જેમાં વિજયસિંહસૂરીના શિષ્ય કીર્તિવિજય અને તેમના શિષ્ય વિનયવિજયે આ કૃતિ કર્યાનું જણાવ્યું છે. આ ઉપાધ્યાયજીએ સૂરતનાં જે ૧૧ દેરાસરનાં નામે ગણાવ્યાં છે તે અનુક્રમે આ છે—૧ કષભદેવનું, ૨ શાન્તિનાથનું, ૩ ધર્મનાથનું, પાર્શ્વનાથનું પ સંભવનાથનું, દ ધર્મનાથનું, ૭ અભિનંદનનું, ૮પાધનાથનું, કુંથુનાથનું ૧૦ અજિતનાથનું અને ૧૧ ચિંતામણિપાર્શ્વનાથનું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ कटुकमतीयलाधासाहविरचित्त. सूरत चैत्यपरिपाटी. પ્રણમી પાસ નિણંદના ચરણકમલ ચિત લાય; રચના ચૈત્યપ્રવાડની રચનુ સુગુરૂ પસાય. સુરતબંદીરમેં આ છે જિહાં જિહાં જિનવિહાર નામ ઠામ કહી દાવવું તે સુગુ નરનાર. હાલ પ્રથમ, ચતુર સનેહી મેહના, એ દેશી. સુરતનગર સોહામણું સહમણું જિનપ્રાસાદો રે; ગોપીપુરામાહે નિરવંતા ઉપને અધિક આલ્હાદો રે. ૧ શ્રીનિબંબ જોહારીયે ધારી જિનમુખ ચંદો રે, તારી આતમ આપણે વારીયે ભવદુખફેદે રે. શ્રીજિન ૨ પ્રથમ નમું આદિનાથને દેહરે ચે ય ઉદારે રે; બિબ ચર આરસમેં ધાતુમય ચિત ધારે છે. શ્રીજિન ૩ એકલમલ પંચતીરથી પાટલી નેં પટ જાણું રે; સર્વથઈ શતકેયને બેહોત્તર અધિક વષાણું રે, શ્રીજિન૪ આજે શ્રી શાંતિનાથને દેહરે શ્રીજગદીસે રે; દ્વાદસબિંબ પાષાણમેં પંચતીરથી ત્રીસેરે. શ્રીજિન પ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ એકલમલ પટ પાટલી એકતાલીસ બિરાજેરે; વ્યાસીમિમ સર્વે થઇ જિનમંદીરમાંહે છાજેરે. શ્રીજિન॰ ત્રીજે શ્રીધનાથને દેહરામાંહે સુણા સતારે; સુરજમંડણુ પાસજી ભૂયરામાંડે. ભગવતારે. શ્રીજિન॰ ચેાવીસત્રિમ પાષાણમે સાત રતનમે' દીપેરે; એસા સીતેર ધાતુમે નિરષતાનયન ન છીપેરે. શ્રીજિન . ચેાથે સંભવનાથને પ્રાસાદે પ્રભુ ભેટયા રે; એકવીસમિત્ર પાષાણુમે પૂજતાં પાતક મેટયારે. શ્રીજિન૦ ૯ ચાવીસવટા પંચતીરથી એકલમલ પટ જાણેારે; એકસા ઇકે!તેર ધાતુમે સર્વ સખ્યાયે પ્રમાણેારે. શ્રીજિન૰૧૦ પાંચમે શ્રીમહાવીરજી ભૂવનમિષ અતિસેાહેર પાંચ પ્રભૂ પાષાણમે નિરયતા વિમન મેહેરે. શ્રીજિન૰૧૧ એકલમલ પંચતીરથી પાટલીયે પ્રભુ ધારા રે; એકતાલીસ સર્વે થઈ ધાતુમય સુવિચારો રે. શ્રીજિન૦ ૧૨ શ્રીઘરઘર દેરાસરતણી હવે કહું સંધ્યા તેહારે, સુરા રતનના ઘરથકી પંચાતેર તે જેહા રે. શ્રીજિન૦ ૧૩ તિહાં જિનમિત્ર સાહામણા ધાતુમે પાષાણેારે; સર્વ થઇ સવાપાંચસે વાંદા ચતુર સુજાણેારે; શ્રીજિન૦ ૧૪ ઢાલ પ્રથમ પૂરી થઇ પુરા કહ્યા પાંચ પ્રસાદે રે; સાહાજીલાધા કહે નિત્યપ્રતે રણુઅણુ ઘટાનાદારે. શ્રીજિન૦ ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ७ www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ ' દુહા પંતેર દેરાસરે દેહરા પાંચ વિસાલ; સવાતે બિંબને વંદન કરૂ ત્રિાલ. ખપાટીયાચકલાતણું દેહરાસર છે જેહ, અભિનંદન જિન દેહરે હવે હું પ્રણમું તેડ. ઢાલ બી. મુની માનસરેવર હંસલે, એ દેશી. ગોપીપુરાથકી પાઘરા ચાલે ચતુર મને લાગે રે; બપાટીયે ચકલે જઈ વંદો શ્રીજિનરાયે રે. શ્રીજિનબિંબ જોહારીયે વારીયે કુમતિકુસંગે રે; મેહમિથ્યાત નીવારીચું ધારીયેં જિનગુણ રંગો રે. શ્રી, પ્રથમ નમું જિન દેહરે અભિનંદન જિનચંદે રે; છયાસી બિંબ પાષાણમેં ભાવસુ ભવિ વંદે રે. શ્રી. ૩ ધાતુમેં સંધ્યા કહું દયસત મેં અડસટ્ટો રે; પાંચ રતનમેં સર્વે થઈતીનસયા ગુણસટ્ટો રે. શ્રી ઘર ઘર દેરાસરતણી સંધ્યાયે ચોવીસે રે; એકસો બ્યાસી બિંબને પ્રણમીજે નિસદિસે છે. શ્રી ૫ તિહાથી કલાપીઠે જાઈ સરાસુધી સુજાણે રે; ઉગસ દેરાસરતણી બિંબસંખ્યા હવે જાણે છે. શ્રી. ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ પસવા પાંચ ઉપરે પ્રણમી કર્મનિકંદો રે; કૃષ્ણજી વર્ધમાનને ઘરે પાસ ચિંતામણ વદ શ્રી. તિહથી વડાચિટા ભણી જઈ જિનબિંબને વંદો રે; વાઘજી ચીલંદાની પેલમેં સેટયા અજિત જિર્ણ દોરે. શ્રી. ૮ એકાદસ પાષાણુમેં ધાતુમે તેર ધારો; દેહરે શ્રીજિન પ્રણમતાં પામીજે ભવપારે. શ્રી ૯ સાહા કેસરીનંદને ઘરે દેહરૂ એક વિસાલો રે, મૂલનાયક પ્રભુ વાંદી અજિતનિણંદ ત્રિકાલો રે. શ્રી. ૧૦ એસી બિંબ પાસાણમેં પાતુમય હવિ સુગીયે; ત્રણસે માસી બિંબને પ્રણી પાતક હણીયે રે. શ્રી. ૧૧ વાઘજી વાંદાની પોલથી વડે ચાટે આવી રે; નાણાવટ સાપુરતણું દેરાસર ન ભાવી રે. શ્રી. ૧૨ સંચાઈ સેવે થઈ દહેરાસર ગુણ સટ્ટો રે; બિંબ સંધ્યા સવે મલી ઇસયને અડસટ્ટો રે. શ્રી. ૧૩ નેમીસર જિન દેહરે પારેખ પ્રેમજીને પાસે રે, ઉપરે શાંતિ ડામા પ્રથમ અધીક ઉલાસે છે. શ્રી. ૧૪ અધ ઉરધ સર્વે થઈ આ બિંબ પંચરે; ચુમોતેર પ્રભુ ધાતુમેં તેહમાં નહી બલવંચો રે. શ્રી. ૧૫ ઢાલ બીજીમાંહે એ કહ્યાં દેહરા ચ્યાર પ્રમાણે રે; દેરાસર સ થઈ એક દોય જાણે રે. શ્રી. ૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૦ દુહા. સરાથકી સાહાપુર લગે ત્રણ જિનભૂવન ઉદાર; એકસા દાય દેરાસરે વાંદે જગ આધાર. ધાતુમે આરસમે મિંખ છે તિહાં જેહ; સાહાજી લાધેા કહે` દાયસહસ ભાવસુ પ્રણમુ તેહ. ર હાલ ત્રીજી નવમી નિરજરા ભાવના ચીત ચેતારે, એ દેશી. ૧. નાણાવટ સાપુરથકી ભિવ વ ંદા રે ચાલેા ચતુર નરનારી; વિ સાનીલીયામાંહે જઈ ભ॰ શ્રીજિનપ્રિંય જોહાર. ભ॰ લાલભાઈના ડેલા તાંઇ ભ॰ દેરાસર છે. ઇગ્યાર; ભ એકસે સતાવન બિઅને ભ॰ પ્રણમતાં જયજયકાર. ભ૦ તિહાંથી વિલંદાવાડમાં ભ॰ દેરાસરમાંહે દેવ; સંખ્યાઇ ચાદ સાહામણા ભ॰ કીજે નિત્યપ્રતે સેવ. ખિંબ આરસના ધાતુમે ભ॰ એકસાને અડવીસ; સરવાલે સરવે થઈ ॰ ભેટ્યા શ્રીજગદીસ. તિહાંથી અમલીરામે ભ॰ ગંધરય ક્લીયા મુઝાર; ભ આઠ દેરાસર અતિભલા ભ॰ યાત્રા કરી નરનારિ. ભ॰ બિંબ ઇકોતેર જિનતણા ભ॰ નિરષતા આણુંદ થાય; ૯૦ જિનપ્રતિમા જિન સારીષીભ॰ પૂજતા પાપ પુલાય. ભ ભ ६ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ભ ભ॰ સ ૨. 3: ૪ www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ ભ સુરત શહેરના ચૈત્યની ભ॰ થઇ પુરણુ જિનયાત્ર; ભ૦ તિહાંથી પુરામાંહે જઈ ભ॰ યાત્રા કરે. ગુણપાત્ર, ભ નવાપુરામાંહે દેહરે ભ॰ સાલસમાં શાંતિનાથ; ભ ભૂચરામાંહે દેહરે પ્રભૂ ભેટીયા ભ॰ મૂલનાયક જગનાથ, ભ૦ ત્રણ્ય બિંબ પાષાણુામે ભ॰ ધાતુમે નવ સાર; ભ દ્વાદસ ખિમ ોહારતાં ભ॰ ઉપના હરષ અપાર. ભદ સૈયદપુરાને ઢેરે ભ॰ હિંદરપુરામાંહે જેહ; એકાદસ દેરાસરે ભ॰ જિનપ્રતિમા ગુણ સંધ્યાઇ સવે થઇ ભ॰ બિંબ એકસેસ વોસ; નગરથી બાહિર પુરાંતણા ભ॰ ભેટીયા ત્રીસેાવન ઇસ. ભ૦૧૧ સુરતથી મનમેાદસુ ભ॰ જઇ રાનેર મુઝાર; શ્રીજિનમ'. જોહારીયે ભ॰ તે સુગુજો નરનાર, ભૂચરૂ એક છે તિહાં ભ॰ ચૈાદ દેરાસર સાર; ભ એકસેા ત્રતાલીસ મિ ખનઈ ભ॰ પ્રણમીજે બહુ વાર. ભ૦ ૧૩ સાનીના ફળીયાથકી ભ॰ જિનમંદિર છે. એક; ગેહ. ભ૦ ૧૦ ભ ભ ભ૦ ૧૨ ભર અઠાવન દેરાસરે ભ॰ રાનેર તાંઇ હેક. ભ॰ ૧૪ ઢાલ ત્રીજીમાંહે એ કહી ભ॰ મિત્ર છસેય એકત્રીસ; ભ૦ સાહાજી લાધેા કહે સમરીયે... ભ॰ ભાવસુ નિસક્રિસ. ભ૦ ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat છે www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧ર હા. સૂરતમાંહે ત્રણ ભૂચરા દેહરા દશ શ્રીકાર; દાયસય પતીસ છે. દેહરાસર મનેાહાર. સરવાલે સરવે થઇ બિંબ સંખ્યા કહું તે; તીન હજાર નવસે અધિક એહતેર પ્રણયું તેહ. હાલ ચેાથી. નક્કલ પગલા આવે, એ દેશી. યાત્રા સુરત સહેરની એ કીધી અધિક ઉહલ્લાસ, વિજન સાંભા એ; રાનેટતાંઈ ભાવસુ એ પહેાતી મનતથી આસ. દેહરે દેરાસરતણી એ જિનપ્રતિમા છે જેહ, રચના ચૈત્યપ્રવાડની એ સંખ્યાયે કહી તેહ. એકીકી ગુણતાં થકાં એ પ્રતિમા ચ્યાર હજાર; સરવાલે સરવે થઈ એ સૂરત નગર મુઝાર. અિમ પાષાણુ ને ધાતુમે એ રતનમય છે જેડ; વિગતેસ હવે વર્ણવું એ નરનારી સુષ્ણેા તેહ. પાંચસે મિષ્ઠ પાષાણુમે એ માંહે રતનમય સાર; ભ૦ એકસા એક ચાવીસવટા એ ચામુષ ષટ ચિતધાર, ભ૦ ૫ શ ભ॰ ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૦ ૧ ભ ભ॰ ૨ ભ ભ ૩ www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ નવસેં દસ પંચ તીરથી એ પટ અઠતેર જાણ; ભ૦ નવસે ખાસી પાટલી એ નવ તિહાં કમલમંડાણ ભ૦ ૬ એકલમલ છે ઈગ્યારસે એ અધિકી સડતાલીસ ભો સિધ્ધચક્ર કહ્યા દેય એ ઉપરે ગુણચાલીસ. ભ૦ ૭ ચોવીસ ટાની ચાવીસગુણ એ પંચતીરથીની પંચ; ભ૦ અઠાણુ કમલની એ ચામુષે ચોવીસ સંચ. ભ૦ ૮ એકલમલ સર્વે થઈ એ સહસ દસ એકતાલ; ભ૦ સૂરતમાંહે જિનબિંબને એ વંદન કરૂં ત્રિણકાલ. ભ૦ ૯ જિનપ્રતિમા જિન સારીથી એ સૂત્ર ઉવાઈ મુઝાર; ભ૦ રાયપાસેની ઉવાંગમાં એ સૂરીઆભને અધિકાર. ભ. ૧૦ નિપા શે જિનતણું એ શ્રી અનુગદ્યાર; ઠવણસ ય જિનવર કડું એ ઠાણાગે સુવિચાર. ભ. ૧૧ શ્રીજિનપૂજા ચાલતી એ ભારી ભગવઈઅંગ; ભગ જ્ઞાતાસૂત્રે દ્રુપદી એ જિન પૂજે મનરંગ. ભ૦ ૧૨ ઈયાદિક સુત્રે ઘણુ એ જિનપ્રતિમા અધિકાર; ભિક સમકિત નિરમળ કારણ એ સિવસુખની દાતાર. ભ૦ ૧૩ ઉથાપક જિનબિંબના એ તેહને સંગ નિવાર; ભ૦ રસંકા કંધ્યા પરિહરી એ જિન પૂજે નરનારિ. ભ૦ ૧૪ ચોથી ચે પ્રવાડની એ ઢાલ થઈ સુપ્રમાણ; ભ૦ સહાજી લાધે કહે હુ ભણે તે તસ ઘરે કેડ કલ્યાણ. ભ. ૧૫ લ૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ ૪ દુહા. જેણી રીતે જિમ સાંભલું સબ્યા કીધી તેહ; અધિક ઉલ્લુ જે હાય મિચ્છાદુકડ તેહ. સતરસે” ત્રાલગે યાત્રા કરી મનકાડ; વર્તમાન જિનખિમની યુગતે કીધી જોડ. હા. ૧ રાગ ધન્યાસી. ઈમ ધન્ને ઘણુતે સમજાવે, એ દેશી. ચાત્રા સૂરતમંદીર કેરી કીધી સેરી સેરી જી, ટાલી ભવાભવ ભ્રમની ફેરી સિવરમણી થઈને રીજી જી. ઈગ્રીપરે શ્રીજિનબિંખ જોહાર્યા દુરીગતના દુધ વાર્યાજ; આતમગુણ અનુભવસુ વિચાર્યા એ પ્રભૂ તારણહારાજી ઇ॰ ૨ સમકિત સુદ્ધ દસા આરોપી કુમતિલતા જડ કાપીજી; કીરત તેહની જગમાં વ્યાપી જેણે જિનપ્રતિમાથાપીજી. ઇ ૩ આગમ અધ્યાતમના અગી સ્યાદવાદ સતસંગીજી; નય પ્રમાણ જાણે સપ્તભંગી તે જિનપ્રતિમા ર ગીજી. ઈ ૪ જિનપ્રતિમા જિન સરીત્રીજાણી ભાવસુ પૂર્જા પ્રાણીજી; સીવસુત્રની સાચી સહિનાણી ભાષી ગુણધર વાણીજી. ઈ ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ ૫ જિનગુણુ સમ નિજગુગુ અવધારી જિનપ્રતિમા સુખકારીજી; ઉપાદાનમાહે: સુવિચારી નિમત્ય સખલ ઉપગારીજી. ઇ. દ્ કટુકગછે. કલ્યાણ વિરાજે સાહા લહુજી ગુણચંદાજી: ચૈાભણસી તસ પાટ પ્રભાવિક પંડિતમાંહે દિણુ દાજી; ઇ૦ ૭ સંવત સતર ત્રાણ્યા વરસે રહી સૂરત ચામાસેજી; માસિર વિક્રે દશમી ગુરૂવારે રચીઉ સ્તવન ઉલ્લાસેજી. ઇ૦૮ તપગચ્છનાયક સુજન સુલાયક વિજયયાસૂરિરાજેજી; સાહા લાલચ દંતણા આગ્રહથી રચના અધિક વિરાજેજી, ઇ૰ ૯ અધિક ઉછજે હાય એહમાં શુદ્ધ કરયા કવિરાયાજી; ઈ સાહાજી લાધેા કરે સૂરતમાં ચૈહરષસુજિનગુણુગાયાજીઈ ૧૦ ઇતિ શ્રીસૂરતનગરની ચૈત્યપ્રવાડની સંખ્યાનુ સ્તવન સંપૂર્ણ સગાથા ૮૧ શ્રીસુરતમણે દેહરા ૧૦ છે. દેરાસર ૨૩૫ ભૂયરા ૩ પ્રતિમા એકેકી ગણતા૩૭૮ પંચતીરથીની ૫ ચાવીસવટાની ૨૪ એકલમલ પટ પાટલી સિદ્ધચક્ર કમલ ચૌમુષ સર્વે થઇને ૧૦૪૧ ૭૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ છે ગજ || विनयविजयोपाध्यायविरचित. સૂર્યપુરૈત્યપરિપાટી. પૂજીએ પૂજીએ પ્રથમ તિર્થંકરૂ એ, ત્રિભુવન ત્રિભુવન દીવક દેવ તે સેવ કરૂં મન રંગમ્યું એ, સૂરતિ સૂરતિપુર સિણગાર કે; પૂજીએ પ્રથમ તીર્થંકર એ. પૂજીએ પહિલું પ્રથમ જિનવર ભુવન દિનકર જગ જે, જિન રૂપ સુંદર સુગુણ મંદિર ગાયવા ઉલટ થયો; સવિ નીતિ દાખી મુમતિ ભાવી આપ જગ સાષી થયે, રસરંગ ચાપી દુરતિ નાષી અષયસુર સંગમ લ. સોલમા એ સેલમા એ સાંતિજિ સરૂ એ, સૂરતિ સૂરતિપુર સિંણગાર કે; અચિરાકુંઅર ગુણનિલ એ, વિશ્વસેન વિશ્વસેન રાય મલ્હાર તે; સેલમા સાંતિ જિણેસરૂ એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ સેલમાં શાંતીનિણંદ પામી કુમતિ વામી મઈ સહી, હવિ ભજું સ્વામી સીસ નામી અંતરજામી રહું ગ્રહી, મલપરિ કમલા સબલ છાંડી પ્રીતિ માંડી મુગતિસ્યું, જિનરાજ કમલા વરી વિમલા પુણ્ય પ્રભુનું ઉહસ્યું. ૨ ધર્મ એ ધર્મ એ જિર્ણોસર વંદિઈ એ, આપઈ એ આપ ધર્મ ઉદાર કે, પન્નરો પરમેશ્વરૂ એ, વિશ્વ એ વિશ્વતણે આધાર કે, ધર્મ જિસેસર વંદિઈ એ. વંદિઈ ધર્મનિણંદ જગગુરૂ નયર સૂરતિમણે, ભવ કષ્ટવારણ સુગતિ કારણ પાપ તાપ વિહંડો, અનુભવી પદવી જેણઈ અનુપમ ધર્મ ચક્કસરતણી, મુઝ પુણ્ય તરૂઅર ફલ્ય પામી સ્વામી સેવાસાણી. ૩ વામા એ વામા એ સુત સહામણે એ, સિવપુર સિવપુર કરો સાથે કે, નાથ જ રીમુવનતણે એ, સૂરતિ સુરતિમંડણ નામ કે . વામાસુત સોહામણો એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વામાતણે સુત સદા સમરથ સેિવકો સાધાર એ, જગસૂઘ મંદિર થંભ શૈભણ નોધારાં આધાર એ; સસિ સૂર નર સમાન કુંડલ મુકુટ મેટ મનહરઇ, વલિ હાર હીરાતણો હિઅડઈ તેજ તિહઅણિ વિસ્તરઇ. ૪ સેના એ સેના એ નંદન જિનવરૂ એ, સંભવ સંભવ સુરદાતાર કે, સાર કરઈ સેવકતણ એ, હયવર હયવર લંછણ પાય તે, સેના એ નંદન જિનવરૂ એ. સેના એ નંદનતણી સેના મેહના મદ અપહરઈ, પ્રભુતણુઈ ચરણઈ રહ્યા સરણ અમર અલિ કલિરવ કરઈ; પ્રભુત વાણી સુવાદાણુ રસ સમાણ જાણીઇ. ભવ તાપ બાજી દૂરિ જઈ જિન દવાનલ પાણી ઈ. ૫ સેવું એ સેવું એ ધર્મ જિસેસરૂ એ, પન્નર પનર જિનરાજ કે; આજ સફલ મુઝ ભવ થયે એ, લાધે એ લાધે એ કરૂણાવંત કે; સે એ ધર્મ જિસેસરૂ એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ૩૦ સેવીએ ધર્મજિદ જેહનઈ નમઈં સુરપતિ સુંદરી, ગુણુ ગીત ગાતી કર” નાટક ચણિ ને ઘૂઘરી; કંસાલ તાલ મૃદંગ ભંભા તિવિલ વેણુ અજાવતી. કરિ શસ્ત હસ્તક નમી મસ્તક પુણ્યપૂર ગજાવતી. સતિ એ સૂરતીબંદિરમાહઇ” કે, સાહઈ એ સંધ સુ કરૂ એ; ચેાથા એ ચેાથા એ જગદાધાર કે, અભિનંદન મેારઇ મનિ વસ્યા એ; સંવર એ સંવર એ કુલ સિગાર કે, સાહઈ એ સૂરતિ દિઇ એ. ૩૦ રતિબંદિરમાહિ સાહઈ સુગુક્ષુ ચેાથેા જિનવર્ સિદ્ધારથાનઈ ઉમ્મર સરવિર પ્રભુ મરાલ મનેાહરૂ; કલ્યાણ કમલા કેલિમંદિર મેરૂ ભૂધર ધીર એ, મુઝ ધ્યાન ગિ રમે સામી તઅરિ જિમ કીર એ. પાસ એ પાસ જિજ્ઞેસર રાજીૐ એ, જાસ એ જાસ વિમલ જ્સ રાસિ કે; ત્રીવનમાંહઈ ગાજી એ, ઉંમર મરવાડામાહઇ કે; પાસ જિજ્ઞેસર રાજીૐ એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ રાજીઉ પાસ નિણંદ જયકર અરય સુર અવાસ એ, દરિસણઈ જેહનિ નાગ પાસે નાગરાજ વિલાસ એક ધરણિંદ પદમાવતી જેહનાં ચરણ સેવઈ ભાવસ્યું, તસ પાય સુરતરૂ તલઈ રંગઈ વિનય મન સુરભરિ વસ્યું. ૮ સૂર જે સૂરતણે સુત સુંદરૂ એ, સત્તર સત્તર ભગવંત કે; કુંથું નમું આણંદમ્ય એ, સેહ એ સેહએ સૂરતિમાંહિ કે; સૂરત સુન સુંદર એ. ત્રુ સુત સૂર કેરો સેહઈ સૂરતિમાહિં સુરતિ સાર એ, પ્રભુત૭ સૂરતિ દેખી મૂરત હાઈ હર્ષ અપાર છે; મૃગમાનમેચન સ્વામિલોચન દેષિ મુઝ હઈડું ઠરઈ, મકરંદભર અરવિંદ દેવી ભમર જિમ ઊલટ ધરઈ. ૯ બીજા એ બીજા એ વિયાકુંઅરૂ એ, ગજપતિ ગજપતિ લંછા મિ તે નામિસયલસુર સંપજઈ એ, જિતસવુ જિતરાય મલ્હાર તે બીજા એ વિજયાકુંઅ એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ બીજા તે વિજયાકુંઅર જિનવર નયર સુરતિ સેહ એ, પ્રભુતણી મૂરતિ કષ્ટ ચરતિ વિકનાં મન મેહ એ; જિનવદંન સુંદર સુર પુરંદર દૃષિ મુનિ આણંદ એ, જિમ કમલ વિકસઈ દેષિ દિનકર કુમુદ જિમ નવચંદએ. ૧૦ વંદુ એ વંદુ એ પાસ ચિંતામણી એ, દિનમણી દિનમણિ તેજનિધાન કે; ધ્યાન ધરૂં સ્વામીતણું એ, સુખ ઘણું સુખ ઘણું પ્રભુનઈ નાંમિ કે, વંદુ એ પાસ ચિંતામણી એ. " ચિંતામણિ શ્રી પાસ વંદુઆણંદુ સાહેલડી, પ્રભુવદન ચંદ અમંદતેજઈ ફલી મુંઝ સુવેલડી; . અતિ ફૂટરૂં પ્રભુ ફણામંડલ દેષિ મુઝ મન ઉલ્ડસઈ. ઘન ઘટાડંબર દેષિ દહદિસિ મેર જિમ હઈડઈ હસઈ. ૧૧ તીરથ તીરથ સૂરતિ બંદિરઈ એ, . . ." જુહારિયાં જુહારિયાં એહ ઈગ્યા કે દુર્ગતિનાં દુખ વારી એ, ઊપને ઊપને અતિ આણંદ કે; સૂરતિ તીરથ જુહારીયા એ... ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ૩૦ ઝુડારિયાં તીરથ સદા સમરથ હઈ સકટ વિતણાં, એ તવન ભણતાં જાત્ર કેરાં દીઇ ફૂલ રલીઆમણાં; ધનસાર ચંદન સાર કેસર કુસુમચગેરી ભરી, પ્રભુચરણ અગ્રી પુણ્ય સચી ભાવપૂત મે કરી. આવા એ આવા એ રાનેર જાઈએ, પૂજા પૂજા રાજીલકત કે; સમરથ સામી સામલે એ, ભેટીએ ભેટીએ ત્રણ જિષ્ણુ દ કે; આવા એ રાનેર જાઈએ. भु રાનેર ઇણિપરિ જિન જીહારી વલી મુઝ મન અલજ, વડસાલિ રાઉàાસ્વામી વીરરિજન ભેણ ગયા; ૠણદીવિ ચિંતામણિ જીહારી નવસારી શ્રીપાસ એ, હાંસાટ ભગવઇ દેવ પૂજી લી મનની આસ એ. તપગચ્છ તપગચ્છ હીર પટેાધરૂ એ, ડ્રેસિંગ જૈસિગ ગુરૂ ગચ્છ સ્તંભ કે; રૂપાઇ સુત તસ પાઇ એ, વિજય એ વિજયદેવદ્રિ કે; તપગચ્છ હીર પહેાધરૂ એ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૨ ૧૩ www.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ તપગ૭િ હીર સમાન ગણધર વિજયસિંહસૂરિંદએ, તસ ગભૂષણતિલક વાચક કોર્તિવિજય સુખકંદએ, તસ ચરણ સેવક વિનય ભગતઈ થુણ્યા શ્રીજિનરાજ એ, સસિકલા સંવત વર્ષ વસુનિધિ ફક્યા વંછિતકાજ એ. ૧૪ છે. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ સુરતના પ્રતિમા લેખોનો સંગ્રહ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું. સુરત સેની ફલીયાના દહેરાસરજીમાં (પીત્તળની પ્રતિમાઓ પરના લેખો.) 1. સંવત ૧૫.૭ વર્ષે માઘ સુદિ ૧૩ શુ શ્રી બ્રહ્માણગર છે શ્રી શ્રીમાળી જ્ઞાતીય શ્રેષ્ઠિ નેતા ભાર્યા જઇતુ સુત હામા ભાર્યા હીમા સુત વાછાકેન માતૃપિતૃ શ્રેયાર્થે શ્રી વિમલનાથ બિલ્બ કારિત પ્રતિષ્ઠિ શ્રી બુદ્ધિસાગરસૂરિપાટે શ્રી વિમલસૂરિ ઝાઝસયા ગામે વસતિ સુરત. (મગનભાઈ પ્રતાપચંદના ખાનગી દહેરાશરજીમાં) ૨. સંવત ૧૭૮૨ વર્ષે વૈશાખ શુદિ પ સામે શ્રી. ખંભાતિ વાસ્તવ્ય ઉદેશ જ્ઞાતીય વૃદ્ધ શાખીય સા. ઉદયસિંઘ શ્રીપતિ સુલ વીરસિંઘ ભાઈ જેસિંઘકેન સ્વ દ્રવ્યે શ્રી. ધર્મનાથ પંચ તીથી સરામય બિબ કારાયિત પ્રતિષ્ઠિત ચ તપાગચ્છ ભ. શ્રી વિજય પ્રભસૂરિ પટ્ટે સત્વિજ્ઞ પક્ષે ભટ્ટારક શ્રી જ્ઞાન વિમલસૂરિ પ ભટ્ટારક શ્રી શ્રી સૈભાગ્ય સાગરસૂરિભિ: ૩. સંવત ૧૪૮૬ વર્ષે જેષ્ઠ સુદિ ૩ ગુરો ઉદેશ જ્ઞાતીય સોની નરસિંહ ભાર્થી નાગલદે સુસ સની પરબત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ સની શિખર શ્રી તિ ભિઃ આત્મ પ્રેપ શ્રી આદીનાથ બ્રિબંકારિત પ્રતિષ્ઠિત શ્રી જિનાજ્ઞા પાકે શ્રીઅરિભઃ | ૪. સંવત ૧૭૦૬ વર્ષે જેઠ વદ ૧૦ થંભતીર્થ વાસ્તવ્ય પ્રાગ્વાટ જ્ઞાતીયવૃદ્ધશાખા | સો | મનજી . ભા . Tબા વછાઈ સુરસો પાસવીર કેન શ્રી પાસબિંબ, પ્રતિષ્ટિત | શ્રી વિજયાણંદ સૂરિ | વિજયરાજયે આચાર્ય વિજયરાજરિભિઃ | સુરત પડેલની પળ નેમીનાથના દેરાશરછમાંના પ્રતિમા લેખ. ૫. સંવત ૧૫૭૩ વર્ષે માડ વદિ ૨ વૈ ઉસવાલ જ્ઞાતીય લઘુ શાખીય પં. સહજા ભર્યા પૂતલિપત્ર પાહિર કેન ભા. માલુણદેવી યુતન સ્વ શ્રેયસે શ્રી સુમતિનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી કેરંટ ગરશ્રી સાવદેવ સૂરિ પટે શ્રી નમ્નસૂરિ તજાદ ઉલીગ્રામ, ૬. સંવત ૧૬૬૪ વર્ષે માઘ શુદ ૧૦ દિને નો વૃદ્ધ શાખાયાં શ્રી શ્રીમાળી જ્ઞાતીય અહિમલગર વાસ્તવ્ય . જયચંદ ભા. વપજલદે નાન્ગાશ્રી સુવિધિનાથ બિલ્બ કા. પ્ર. શ્રીવિજયસેન સૂરિભિઃ તપાગછે. . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ ૭. ઈ ના સંવત ૧૪૭ વર્ષે માહ્ય શુદિ ૪ દિને શ્રી ઉકેશ વશે વ. કડૂઆ પુત્ર હાદા પુત્ર રણમલ શ્રાવકે ભાતૃ રંગણ યુતેન પુત્ર મહિરાજ સહિતનો સ્વ પુણ્યા' શ્રીઆદિનાથ ખિમ કારિત પ્રતિષ્ટિત શ્રીખરતરગચ્છે શ્રીજિતસજ સૂરિદ્ધે શ્રીજિનભદ્ર સૂરિભિ: ૮. સ. ૧૫૨૧ વર્ષ આષ વદ ૬ દિને પ્રાગ્ગાટ છે. સાજણુ ભા. પાંચી પુત્ર મણેા રસીકેન ભા. ગામિત સૂતમાણિક પ્રમુખ કુટુંબ યુતેન શ્રીવાસુપૂજ્ય મિત્ર' કારિત પ્ર. તપાગચ્છે શ્રી શ્રી શ્રી લક્ષ્મીસાગર સૂરિભિઃ ૯. સ. ૧૬૬૯ વર્ષે માત્ર સુદ. ૧ શની વૃદ્ધ શાખાયાં શ્રી શ્રીમાલી જ્ઞાતીય ગંધાર વાસ્તવ્ય ગાં. વરૢમાન ભા. ચીરાદે સુત ગાં. વિજઆકેન શ્રી શીતલનાથ ખિ. કા. પ્ર. તથા શ્રી વિજયસેન સૂરિશિ: ૧૦. સ. ૧૫૨૫ વર્ષે જયેષ્ઠ સુદ ૧૩ ભૂમે ઉપકેશ રાણીયા ચામડા ગાત્રે સૈાની પૂનસી લા॰ વાસુત પદમસી ભાગે સૂઈ હિતેન આત્મશ્રેયાર્થે શ્રી સંભવનાથ ખિખ શ્રી ભાણાવાલગચ્છે પ્ર૦ શ્રી ધનેશ્વર સૂરિ:િ કડી વાસ્તવ્યઃ ૧૧. સ. ૧૫૧૨ વર્ષે પ્રા॰ વ્ય॰ દેવા પુત્ર વ્ય॰ રામાકેન ભા॰ કપૂરી વ્ય॰ પાપટભાઈ વાટી વ્ય૦ લા॰ કમી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat --- www.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ નસલનીણા ખીદાદિ કુટુંબ યુતન શ્રીકુંથુનાથ બિંબ કારિત પ્ર. તપાગચ્છ રત્નસેખરસૂરિભિઃ વડગામ ઘાણધારે વાસિતા. ૧૨. સ્વસ્તિ શ્રી સં. ૧૫૦૮ વર્ષે વૈશાખ વદિ ૧૧ ર ડંબડ જ્ઞાતિ ઠ૦ વાંપા સુત ડ. સાઈઆભાઈ સ્વર મોમેન બ્રા ઠે. રાયર નાસ્ના ભાવ બાઈ રહી સહિતેન સ્વકુટુએ શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભૂસ્વામિ બિબ કારિતં પ્રતિષ્ઠિત શ્રી વૃદ્ધ તપાગચ્છ શ્રી વિજયલિસપિટેશ્રી વિજયધર્મ રિભિઃ ૧૩. સં. ૧૭૭૩ વર્ષે શ્રીમાલી વૃદ્ધ શાખાયાં ૮૫ કિશનજી વર્તમાનગતિ ભાર્યા સહજ બાઈ પંચતીથી બિંબ ભરાપીત પ્રતિષ્ઠિત શ્રી જ્ઞાન વિમલ સૂરિભિ: ૧૪. સંવત ૧૪૮૯ વર્ષે જયે. વદ ૩ દિને પ્રાગ્વાટ જ્ઞાતીય છે. ઈલાભર્યા આહણુદે સુત છે. ધર્મસિંહને ભા. કરાણુ ભમઘા સુત ગરાદિ કુટુમ્બ સુતેન શ્રીનિજનક શ્રેચાઈ શ્રી શીતલનાથ બિબ કા. પ્ર. તપાગચ્છ નાયક શ્રી સેમ સુંદર સૂરિભિઃ ૧૫. સંવત ૧૫૮૦ વર્ષે વૈશાખ શુદિ ૫ શુકે શ્રી શ્રીમાલ જ્ઞાતીય પં. વારા ભાર્યા કરમસુત પં. મેહાલ ભાર્થી ધાક સુતરાજ ઉકાજ વઈજી મેઘઉ સ્વકુટુમ્મ શ્રેયસે શ્રી સુમતિનાથ વિનં કારયિત પ્રતિષ્ઠિત શ્રી ચારિત્રપ્રભ સૂરિભિ મહકર આમરણિ વાસ્તવ્ય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ ૩૧ હનુમાનની પોળના અજીતનાથના દહેરાશમાંના ' લેખો ૧૬. સં. ૧૫રર વર્ષે માઘ શુ. ૧૩ સંબલીઆવાસિ પ્રાગ્વાટ જ્ઞાતીય ગ્રા. મુહણસીભા. માલ્ટણદે સુત સા. રાઉલેન ભાઇનાંઉં ભાતુ પેથા સુત સા. પદ્મા રાણા સીટ પત્ર શિવા ધરણા કરણાદિ કુટુમ્બ યુનેન સ્વશ્રેયસે શ્રી સુમતિનાથ બિંબ કાર્તિ પ્રતિ. બૃહત્તયા શ્રી રત્નશેખરસૂરિ પટ્ટે શ્રી લક્ષમી સાગર સૂરિભિઃ શ્રી ૧૭. સં. ૧૫૨૫ વ. જેઠ માસે શ્રી શ્રીમાલ જ્ઞા) . છે. માલા ભાગ માનૂ સુ. પોપટેન ભાગ પૂરી ચુતન ભાતુ છોપા શ્રેય શ્રી પદ્મા પ્રભુ સ્વાગ્યાદિ ૫ કારાવ પ્રતિ શ્રી અમર ર-નાસૂરિ ગુરૂણા મુપદેશેન ચાઆિણા વાસ્તવ્ય: શ્રી. ૧૮. સંવત ૧૬૬ વર્ષે માઘ વદિ ૨ સોમવારે શ્રી મંડપ દૂ શ્રી નાગપુસય તપાગચ્છ શ્રી પાસચંદ્રસૂરિ સઃ ગુલ્યાનમ: શ્રી શ્રીમાલી જ્ઞાતિ ! સા / ખેતા | ભા | બોખી સુત | સં ! દેપા ! ભા / દેવલદે | સ શિવા ! સા ! લખાપતિઃ ચેત્ય કારિd I સં / પુજા ! તો તેમાં સ | પીથા નાર્ય વરઘાં એહિ બિંબ પ્રતિષ્ઠાપિતા તપાગ9 શ્રી વિજય દેવ આ વિજયસિંહ સૂરિતિપતિ સુતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ '* * . ૧૯. સં. ૧૫રર વર્ષે માગ્રશિર્ષ સુ ૨ કે ગણ, દીવી વાસ્તવ્ય શ્રી શ્રીમાલા જ્ઞાતિય. સે. નાઈય ભા. સંપૂર રીત: સુતઃ સેટ ગહિલા વક્તા વીક એતે. સો ગહિલા ભાર્યા રટી યુનેન સ્વશ્રેયસે શ્રી મૂનિસુવ્રત સ્વામિ મુખ્ય ચતુર્વિશતિ જિન પટ્ટા કારિત: પ્રતિષ્ઠિત: શ્રી વદ્વાન પાપક શ્રી ઉદયવલભસૂરિભિઃ | ૨૦ સં. ૧૫૧૧ વ આગાઢ સુદ ૧ સોમે ઉકેશ વશે સા. લાલા ભાર્યા લા સુત ઘા ઘા ભાર્યા કહુ રાહિતેન નિજ શ્રેયસે શ્રી નાણકીલ ગચ્છ શ્રી સિદ્ધસેન સૂરિણા મુખપદેશેન શ્રી ચંદ્ર પ્રભામિ કારિત પ્રતિષ્ઠિત ચ | ૨૧ સંવત ૧૪૭૫ વર્ષે જેઠ શુદિ ૩ ને શ્રી શ્રાપાલ જ્ઞાતીય વ્યપ શાણું ભાર્યા સીંગારદે શ્રેય સુત કર્મચિહેન શ્રી નેમિનાથ સુર પંચતીર્થ કાગ | પ્ર ! ભલડી શ્રી શ્રી રાસચંદ્રસૂરિ પટે શ્રી જ્યચંદ્રસૂરિણામુપદેશન. ૨૨. સં. ૧૪૬૪ વર્ષ અષાઢ સુદ શુકે શ્રી શ્રીપાલ જ્ઞાતીય ૮૦ કર્મસીટ ભાઇ સુરાગદે સુત સિંઘાકેન પિત્ર શ્રેસે આદિનાથ બિંબ કા. પ્ર. વિશ્વ-ગણે શ્રી ધર્મપ્રાગસુરિભિઃ ૨૩. સંવત ૧૫૩૦ વર્ષે પિરા વદ ૬ રવિ શ્રી શ્રીપાલ જ્ઞાતીય છે. ધના ભાવ લીલી સુત પાંચાકેન ભાતૃચાપા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ નિમિતે આત્મ શ્રેયસે શ્રી શીતલનાથ બિંબ કારાપિત પ્રતિછિત શ્રી ચેત્રગ છે શ્રી જ્ઞાન દેવસૂરિભિઃ વઝુંપખગ્રામે.” - ૨૪. સં ૧૬૮૩ વર્ષે ફાગણ વદી ૪ શને શિર વાસ્તવ્ય દો. વાઘજી ત. દા ચડાવજીના, શ્રી આદિનાથ બિં કા. પ્ર. તપ ગવ ભટ શ્રી વિજ્યાસુંદસૂરિભિઃ સુરત તલકચંદ માસ્તરની વાડીમાં ભીડભંજન પાશ્વનાથના દહેરાશરજીમાં ૨૫. સંવત ૧૫૯૦ વર્ષે ફાગણ શુદિ ૩ સામે શ્રી શ્રીમાલી જ્ઞાતીય ૫૦ ઈસર. ભાવ ચમકુ પુત્ર વિદ્યારે સા ભાઇ વના પુત્ર વિજયકિરણદિ સમસ્ત કુટુંબ યુએન સ્વશ્રેયાર્થ શ્રી કુંથુનાથ મુખ્ય પંચ તીથીય બિંબ કારિત શ્રી પૂર્ણિમા પક્ષે ભીમપલ્લી) શ્રી ચારિત્રચંદ્રસૂરિ ઉપદેશેન પ્ર. પત્તન વાસ્તવ્ય. શ્રી ચીતામણું પાશ્વનાથના દહેરાસરજીમાંના પીત્તળના પ્રતિમાઓના લેખે. ૨૬. સંવત ૧૫ર૦ વર્ષે વૈશાક શુદિ સામે ભંડારીયા ગેત્રે ગુર્જર જ્ઞાતીય મંત્ર હીરા ભાગ હર્ષ સુત્ર મંત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ કઈયા ભાર્યાબાઈ પુમભેજા ભાગમેન પુત્ર કૃષ્ણાદાસ સારંગ શ્રીચંદ શ્રીદત્ત સુત: સ્વશ્રેયસે શ્રી શીતલનાથસ્યા ચતુર્વિશતિ પટ્ટ કારિતઃ પ્રતિષ્ઠિત: આગમગ છે શ્રી શ્રી શ્રી સિંહપત્ર સૂરિભિઃ - ૨૭. સંવત ૧૫૧૫ વર્ષે માઘ શુદિ ૭ ગુરે શ્રી હુંબડ જ્ઞાતિય વડેક્ષ શેત્ર મ. હરદાસ ભાર્યા બાઈ નાકુ તઃ સુતાબાઈ ધની આત્મ શ્રેયસે શ્રી સુવિધિનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીતપાગચ્છ શ્રી વિજ્યરત્નસૂરિભિઃ | શ્રી ને ૨૮. સંવત ૧૫૭૬ વર્ષે વૈ સુ. ૬ મે થી પત્તન વાસ્તવ્ય છે. માંડણ ભાર્યા ઈંદ્ર સુત છે આસાકેન ભાઇ પાઠા પ્ર. સુતેન રસ્વશ્રેયસે શ્રી અનંતનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી દ્વિવંદનકગ શ્રી દેવગુપ્તિસૂરિભિઃ ૨૯. સં. ૧૫૬૫ વે. શુ. ૫ શ્રી શ્રી શ્રીમાલ જ્ઞાતિય વરા જગસાભાર્યા ઉમાદે સુત પરબત ભાર્યા સાંઈ સુત સુર મામાકન શ્રી સુમતિનાથ બિંબ કારાપિત પૂર્ણિમા પક્ષીય પૂજ્ય શ્રીલબુદ્ધિસુંદર સુણામુપદેશનું પ્રતિષ્ઠિત 1 ૩૦. સં. ૧૬૬૪ વર્ષ માઘ શુ. ૧૦ શન વૃદ્ધ શાખાયાં શ્રીમાલી જ્ઞાતીય તંભ તિર્થ વાસ્તવ્ય સાઇ ગોવાલ ભાગ વહાદે સુત સેમાડેન શ્રી અજિતનાથ બિંબ કાપ્ર શ્રી વિજય સેનસુરભિઃ તપાગચ્છ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ૩૧. સં. ૧૪૯ વર્ષે વૈશાખ સુ. ૯ મે વણવટ ગેત્રે સા સુપા ભા. સુપાદે પુ. ગેમાખજ શ્રેયસે રહયાભ્યાંતિ શ્રી કુંથુનાથબિંબ કા. પ્ર. શ્રી ધર્મશેષગચછે ભ. શ્રી પદ્રશેખરસૂરિ પં. ભ. શ્રી વિજયચંદ્ર સૂરિભિઃ ૩૨. સં. ૧૫૧૦ શ્રી શ્રીપાલ પિપલગ ભ. શ્રી ઉદયદેવસૂરિભિ. ૩૩. સં ૧૫૪૯ વર્ષે વૈશાક સુદિ ૩: શુકે નાગલપુર વાસ્તવ્ય: પ્રા. ૫. ૧નાપાશ્રી હેમવિમલસૂરિ રાજ્ય. ૩૪. સં ૧૫૧૩ વર્ષે પોષ વદિ ૩ ગુરે શ્રી બ્રહ્માણ ગ શ્રી શ્રીમાલ જ્ઞાતીય હીરા ભાર્યા હીરાદે સુત ભા. કાલીયાણું વાસ્તવ્ય મા ભાયા ભરમાદે સુત માંડણ રાજાભાં માનધિત શ્રી શ્રીસુપાર્શ્વનાથ બિં. પ્ર. શ્રી વિમલસૂરિભિક ૩૫. સં ૧૪૦૫ વર્ષે વૈશાખ શુદિ ૨ સેમે શ્રીમાલ જ્ઞાતીય પિતૃરતનસી માનુ રતનાદે તા: શ્રેયસે સુત...અનંતનાથ બિંબ પ્રતિષ્ઠિત શ્રી નાગૅદ્રગ છે શ્રી રત્નાકર સૂરિભિઃ સુરત બાગમાંના નાનપુરાના દહેરાશરજીમાંની પીત્તળની પ્રતિમાઓ પરના લેખે, ૩૬. સંવત ૧૫૩૪ વર્ષે ફાગુણ સુદિ ૩ ગુરૂ નાગર જ્ઞા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ છે. સાદા ભાર્યા સરસિ સુ. હસયાકેન ભા. ઝાલી સુ સહિની સારિંગ સહિતેન આત્મ શ્રેયાર્થ શ્રા ચંદ્ર પ્રભુસ્વામિબિંબ કા. પ્ર. વૃદ્ધ તથા પ. શ્રી જિનરત્નસુરિભિ. જાપુરા વાસ્તવ્ય છે. ૩૭. સંવત ૧૫૪૩ વર્ષે વૈશાખ સુદિ ૧ ગુરે ગુજર જ્ઞાતીય સા દેવા ભા. દેવલદે પુ. દે. પાસા ભા. તરેધુ સુત સમદ-તે લાધા પુત્ર વયેનસ્વ પિતુઃ શ્રેયસે શ્રી શાંતીનાથબિંબ કારપિતું પ્રથમ તપાપક્ષે શ્રી લક્ષ્મીસાગર સૂરિભિઃ પ્રતિષ્ટિત ગંધાર વાસ્તવ્ય કે કલ્યાણ ભૂયાત છે ૩૮. સંવત ૧૫૩૧ વૈ. સુપ સોમ શ્રી....વિમલગ છે ગુણદેવસૂરિપછી ચંદ્રપ્રભસૂરિભિઃ ધંધુકા વાસ્તવ્ય. ૩૯. નેમાની ૧૮૦૦ પછીની. ૪૦ નેમાની સં ૧૮૮૧નાવશાક સુદી ૬ વાર નેમા જ્ઞાતીય મૂધમાખણય પાંધી. વી. આણંદમસૂરી લધુ શારા ) શ્રી સુર્ત વિદરે (સુરતબંદર). ૪૧ સંવત ૧૮૮૨ ને માં... . ૪ર ૧૮૮૧ વેસુ ૬ વાર ર નેમા જ્ઞાતીય વૃધ સાખા દેસી વીજલાલ કૃષ્ણદાસ તસ્ય ભાર્યા બાદ રેલીયાત ધર્મનાથ બિલ્બ કરાતિં વિજય આણંદસૂરી છે. ત્રિવિટીના રાશ્રી આણંદ સોમ સૂરી વૃદ્ધ તપાગછે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ ૪૩ સં ૧૮૮૨ ના વર્ષે વૈશાખ સુદી ૬ વાર ર નેમા જ્ઞાતીય વૃધ્ધ શાખાયાં દેસી મોતા કસનદા ભા. સાંમ કુંવર આદિનાથ બિબ કારાપીત વિજય આણંદસૂરિગ છે પ્રતિષ્ઠિત ભ.શ્રી આણંદમસૂરી ભાવૃદ્ધ તપાગર છે. ' નેમાની ૧૮૮રની ઘણી પ્રતીમાઓ આ દેરાસરમાં છે. જ સંવત ૧૮૭૭ માહ વદિ ૨ દિને શ્રી વિસા નેમા જ્ઞાતીય સા. અંબાઈદાસ સુર દેવચંદ શ્રી ધર્મનાથ બિંબ કરાપિત ભ. શ્રી વિજય આણંદસૂરીગછે. શ્રી વિજય સૂચિંદ્રસૂરિ રાજયે ભ. શ્રી આણંદ મસૂરી પ્રતિષ્ઠિત ૪૫ સંવત ૧૭૪૭ વર્ષે વૈશાખ વદિ ૨ ૨ શ્રીમાલ જ્ઞાતીય સેનાની નાના ભાર્યા બા. માઝાદે કેન પાર્શ્વનાથ બિંબ કારાપીને ૪૬ સંવત ૧૮૭૭ માહા વદિ ૨ દીને શ્રી વિસા નેમા જ્ઞાતીય સા. અંબાઈદાસ સુ. સા. માણિકચંદ શ્રી અજિતજન વિમળનાથ બિંબ હોજરાણિ શ્રી વિજય આણંદ ગ૭ શ્રી શ્રી વિજયે સૂરંદ્ર. (સુરતના છે) ૪૭ સંવત૧૫૪૩ વષે વૈશાખ વદિ ૧૦ શુકે શ્રી હુંબડ જ્ઞાતીય ધર્મો ભા માણિકીદે તપુત્ર ગા જાવડ ભાર્યા તાકુ પ્રમુખ કુટુંબ યુનેન શ્રેયાર્થે શ્રી શાંતિનાથ બિંબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ કારિતં પ્રતિષ્ઠિત વૃદ્ધ તપા પક્ષે ભ. શ્રી ધર્મ રત્ન સૂરિભિઃ ગંધાર નગર વાસ્તવ્ય. શુભ ભવતું તાલાવાલા પિળમાં મધર સ્વામિના દેરાશરછમાંના પ્રતિમા લેખે. ૪૮ સં. ૧૮૪૫ ના માહ સુ. ૭ સામે ઉસવંશે વૃદ્ધ સા. સા. ઝવેર ખિમરાજ કેન શ્રી શાંતીનાથ બિબ કરાપિત શ્રી વિજય જેનેદ્રસૂરિભિઃ પ્રતિષ્ઠિત. - ૪૯ સં. ૧૬૫૪ ના જેષ્ઠ સુદિપ સામે વૃદ્ધ શાખાયાં ઉકેશ જ્ઞાતીય સૂરતિ બંદિર વાસ્તવ્ય સા. નાના ભાવ વઈજ બાઈ સુત સા. વસ્તુપાલ નામના ભા. હીરાભાઈ સુત સા. અલસર કુંઅરજી હેમજી ભા. હરખાદે કમલાદે પ્રમુખ કુટુમ્બ યુનેન સ્વશ્રેયસે શ્રી સુપાર્વ બિંબ ડો. પ્રતિષ્ઠિતંચ શી તપાગચ્છ પાતશાહી શ્રી અકબરદત્ત બહુમાન ભટ્ટારક શ્રી હીરવિજય સૂરિસ્વર પટ્ટાલંકાર પાતશાહી અકબર સભા. લબ્ધ વાદિવાદ જ્યકાર ભટ્ટારક પુરંદર પ્રભુશ્રી વિજયસેન સૂરિભિઃ આચંદ્રા નંદનાત્ | ૫૦ સંવત ૧૬૫૯ વર્ષે વૈશાખ સુદિ ૧૩ બુધે લઘુઉસવાલ જ્ઞાતીય સૂરતિ બંદિર વાસ્તવ્ય સા. દેવરાજભાર્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૯ નાદે સુત જેષ્ઠિ સા. ભાણજી લઘુ સુત સામજી તદ્ ભાર્યો શ્રી લાલભાઈ કારિત ચતવિ શતિ જિનપરિકરિત શ્રી શાંતીનાથ ખિમ પ્રતિષ્ઠિત વ તપાગચ્છે ભટ્ટારક શ્રી હીરવિજય સૂરિ શિષ્ય વિયસેનસૂરિભિ:॥ ૫૧ સ. ૧૨૧૫ માઘ વિદે ૪ શુકે સાગર તનુજય શાભદ્ર નામા શ્રી પાર્શ્વનાથ જિન ખિમપુત્ર યશ: પાલચ્છિર દૈવી ભાર્યો સપ્તચક્રે શ્રી હેમચંદ્ર સૂરિ પ્રતિષ્ઠિત પર. સ. ૧૨૧૫ અષાઢ સુદ ૯ સામે શ્રી હ: ઉરગચ્છે શ્રી. માણિક સુત વરણાગ ગશ્રેયા શુભ ખલીલેન પાર્શ્વનાથ મિત્ર પ્રતિષ્ઠિત કારિત. પ૩. સ. ૧૫૩૩ માઘ વિક્ર ૧૦ ઉકેશ આ. જાલા. ભા. સા જિણિપુત્ર સા. હેમા ભા. વાસૂપૂત્ર છવા છગાદિ કુટુંબ યુતેન સ્વશ્રેયસે શ્રી અજિતનાથ ત્રિખ' કારિત પ્રતિષ્ઠિતા તપાશ્રી રત્નશેખર સૂરિપટ્ટે શ્રી લક્ષ્મીસાગર સૂરિભિ ઇડર નગરે. ૫૪. સ. ૧૬૧૨ વર્ષે શાકે ૧૪૭૮ પ્રવત માને વૈશાખ માસે શુકલ પક્ષે ૬ ષષ્ઠી સુધવાસરે શ્રી વૃદ્ધ શાખાયાં શ્રી ઉસવાલ જ્ઞાતીષ શ્રી સ્થંભ તિર્થ વાસ્તવ્ય ભ. ધણા સુત્ત ભ. ગાગા સુત ભ. ભેજા ।। સુત ભં. આસા ભા. અહિવદે મ્રુત ભ. સહિંદે। ભા. 'સસુત। . લખમસી ભા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ લાઇલાદે સુત લ. સેમચંદ ભાાં સિહિજલદે લઘુમવ ભ. વિણાય ગા. ભ. સમગ્રદ ચુત ભ. રૂપચંદ ભા. ધનાઇ । લધુમાંધવા ભ. હીરા ભા. હીરા દે। અભ્યાં સ્ત્ર સુખાય શ્રી આદિનાથ મિત્ર કારિત પ્રતિષ્ટિત। શ્રી તપાગચ્છ નાયક શ્રી વિજ્યદાન સૂરિભિ. । ૫૫ સ. ૧૬૭૮ વ. ફા. વ. ૫. સુત્ત મંદિર વાસ્તવ્ય સા. રામજી, રાજદાઈ સુ. વમાન વીરજી કેન સુમતિ નાથ ખિમ કા. પ્ર. ત. ભારિજયદેવ સૂરીસાજ રૃ. ૨. ભશ્ચંદ્રનાભિ વિનય ગચ્છેતે. પુદ્દે સંવત ૧૫૦૭ વર્ષે ફાગણ વિદે ૩ દિને શ્રી વભવાલ ગચ્છે ઉપકેશ ધાકડ ગાત્રેસા નાષ્ટા પુ. સાહ કરણ ભા॰ ખાઇનેકહૂં પુત્ર શિવરાજ સહિતેન પિત્રુ શ્રેયસે શ્રી નમિનાથ બિબિ કારિત પ્રતિષ્ઠિત શ્રી યશેાદેવ સુરિભિ: ૫૭ સ. ૧૫૨૯ વર્ષે માઘ સુદિ પ રવ શ્રી શ્રીમાલ જ્ઞા. ગ્રે વરાદ ભા॰ વીજે સુત સરવણુ ભા. ધન ફેન શ્રી શીતલનાથજીવિત સ્વામિ બિભિત્રુ ત્ર-શ્રી બ્રહ્માણ ગચ્છશ્રી વીરસૂરિભિ અરણાશ્રી લા વાસતવ્ય || ૫૮ સ. ૧૫૧૧ વર્ષે માત્ર વિદે પશુકે શ્રીમાલ વગે લઘુશતાને . મહુણા ભા. માણિકદે પુ. જગ! ભાર્યા ગ*ગી સુશ્રાવિક્ય શ્રી અચલગચ્છનાયક શ્રી જયંકેસર સૂસ્સિામુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ પદે પાસે શ્રી કુંથુનાથ બિંબિં કારિત પ્રતિષ્ઠિત. શ્રી સંઘન. પ૯ સંવત ૧૨૩ વૈશાખ સુદિ ૧૦ ર શ્રી ચંદ્રગ શ્રી જયડુસરચાર્ય સંતાને શ્રી વીરાચાર્ય પ્રતિપત્ર આફ્રિકા જિણાય ડાણિણિ ચેલી મરૂદેવ્યા આત્મા શ્રેયસે શ્રી સરસ્વતી પ્રતિમાકારિત છે પ્રતિષ્ઠાપિતા પંડિતા પં. અજીતેન. ! તાપી એવારીકાંડા દરિયામ્બેલ આદિશ્વરજીના દહેરાશરજી માંની પીત્તળની પ્રતિમાના લેખે. ૬૦ સંવત ૧૩૩૩ વૈસાખ વદિ ૧૩ ભ્યાણગ્રામે વાસ્તવ્ય ખખુડ પુત્ર છે. ખુખડ ભાર્યા વિજપમત પૂનર્વ દેવશ્રી પાર્શ્વનાથ બિંબ કારાપિત ભદ્ર ભવતું ઃ ધિં સુદેજ વિજયમત ભયાન, - ૬૧ સં. ૧૪૭૭ વર્ષે માઘ શુદિ ૧૦ પ્રાગ્વાટ જ્ઞાતિય સુરડ | સુન રણસી ભાર્યા રણાદે સુત ધરાકેન પિતૃ માત શ્રેયસે શ્રી સંભવનાથ બિંબ કા. પ્ર. નાગૅદ્ર ગ શ્રી દેવ પ્રભસૂરિ શિષ્ય પાકરસૂરિભિઃ | દર સંવત ૧૫૭૭ વર્ષે વદિ ૧૩ મે મીઠડીયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ શાખાયાં શ્રી ઉસર્વશેસા. માલા. ભા. વાહલા પુત્ર સે અદા ભાર્યા આટણદે સુતાવિક્યા પુત્ર સે કુંભા વસ્તા સહિતેન સ્વ શ્રેયાર્થે શ્રી અંચલગચ્છ શ્રી ભાવસાગર સૂરિણું ઉપદેશેન શ્રી વાસૂપૂજ્ય બિંબ કા. પ્રસેન. શ્રી કલ્યાણ પાર્થનાથના દહેરાશરજીમાંના પ્રતિમા લેખે. ૬૩ સં. ૧૫૬૪ વર્ષ ચૈત્ર શુદિ ૫ શુકે શ્રી શ્રી માલ જ્ઞાતીય સં. ડાહીઆ સુ સારંગ ભા. અજાસુ. ડામરરંગાલ્યાં પિતૃ માતૃ શ્રેયાર્થ શ્રી પદ્મપ્રભસ્વામિ બિંબ કારાપિત પૂ. ભ. શ્રી વિદ્યશેખર સૂરિભિ પ્રતિષ્ઠિત નાદીડા વાસ્તવ્ય: I ૬૪ રતિ શ્રી સંવત ૧૫૧૩ વર્ષે વૈશાખ સુદિ ૨ સોમે શ્રી પ્રાગવાટ જ્ઞાતીય પં. વરસિંગ ભાથ બાઈ પરિ પુત્ર દે. દેવા ભા. બા. હાજર ત પુત્રેણ દે. ડાઈઆ નાખ્યા ભાર્યા ટીરૂ સુત દે. અદા સદા માણિક શ્રી પપતિ પ્રમુખ કુટુંબ યુનેન શ્રી આદિનાથ બિંબં રિતે શ્રી બ્રહ્મ તપાગચ્છ ભ. શ્રી વિજય ધર્મસૂરિ પટે શ્રી વિજય રત્ન સૂરિભિ પ્રતિષ્ઠિત છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ સુરત નગર શેઠની પોલ શ્રી ગોડી પાર્શ્વનાથના દહેરાસરજીમાંના પ્રતિમા લેખ. ૬૫ સં. ૧૫૩૭ વર્ષે વૈ. સુ. ૧૦ સેમ શ્રી શ્રીમાલ જ્ઞા. શ્રી ભેજા...–શ્રી શીતલનાથ બિં. કા. પ્ર. મકૂકર શ્રી મૂનિ પ્રભ સૂરિભિ ગંધાર વાસ્તવ્ય: ૬૬ સં. ૧૪૯૭ વર્ષ પિસ વદિ ૫ ગુરે શ્રીમાલ જ્ઞાતીય પિતૃ જેસા શ્રી તપાગચ્છ શ્રી ગુણ સમુદ્ર સૂરિલિઃ ૬૭ સં. ૧૫૪૨ વે. સુ. ૧૩ શ્રી શ્રીમાલ જ્ઞાતીય વ્ય. નાથા ભા. ધીરૂ સંભવનાથ વૃદ્ધ તપાપકે ભ. જ્ઞાનસાગર સૂરિ પટ્ટે શ્રી ઉદય સાગર સૂરિ: શ્રી સ્તંભતીર્થ નગરે ભાતુ લખીપાલ યુએન. ૬૮ સં. ૧૫૫ વ. પિોષ વદિ ૫ દિને સામે શ્રી શ્રીમાલ જ્ઞાતીય લખમણ પૂર્ણ માસે શ્રી સાધુ સુંદવર સૂરિ ઉપદેશેન. ગંધાર વાસ્તવ્ય! ૬૯ સં. ૧૫૫૫ માઘ સુ. ૧૦ શ્રી શ્રીમલણ શ્રી વેલાશ્રી ના દ્રગ છે શ્રી ગુણ સમુદ્ર સૂરિભિઃ - ૭૦. સં. ૧૫૩૯ . સુદિ ૩ ગુરૂ શ્રી ઉપકેશ જ્ઞા. સુચિની ગેત્રે સ. વેગન ભ. ગંગાદે ઉપકેશગ છે કકકુંદાચાર્ય સંતાને શ્રી દેવગપ્રસૂરિભિઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ ૧ સં. ૧પ૮ વર્ષે વે. સુદિ ૧૫ શનિ શ્રી શ્રીવંશ સં. ભેજા ભા ભાવલદે પુત્ર માં લાડણ ભાર્યા દુઅસ પુત્ર મં. સહિના સુ શ્રાવકે ભાર્યા ટુંબી પુત્ર પં. શ્રીચંદભાય શિયા દેલસુ બ્રાતા મં. જયચંદ મં. ગલા યુનેન સ્વાસે શ્રી અંચલ ગ૭ શ્રી ભાવસાગર સૂરિણુ મુપદેશેન શ્રી વાસુ પૂજ્ય બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી સંઘેન જાંબુગામે. ૭૨ સં. ૧૫૭૬ વ. . સુદ ૬ સે વિસનગર વાસ્તવ્ય પ્રા. જ્ઞાતીય છે. રામા ભ, રમાદે સુ. ઠાકર વછ રંગાદિ કુટુએ યુનેન છે. વના ભા. અખી. સુત જાગા સખુ પુત્ર નરસિંગ શ્રેયાર્થ મૂનિ સુવ્રત સ્વામિ બિંબ કારિત પ્ર. તપાગચ્છ શ્રી હેમવિમલ સૂિિભઃ ૭૩ સંવત ૧૬૧૫ વર્ષે પોષ વદિ ૬ શુકે શ્રી બ્રગુકચ્છ વાસ્તવ્ય શ્રી શ્રીમાલ જ્ઞાતીય વૃદ્ધ સાખાયાં સા. જીવા ભાર્યા અમારી સુત દેસી માધવ કેન શ્રી સુમતિનાથ બિંબ કરાપિત શ્રી વૃદ્ધ તપાપક્ષે શ્રીવિજયદાન સૂરિભિઃ એ જ સં. ૧૫૧૬ વર્ષે જે. મું. ૨ સોમે શ્રી શ્રી લુણા અંચલગચ્છ ભ. શ્રી જ્યકેસરિ સૂરિ ઘોઘા. ૭૫ સં. ૧૪૭ પિષ વદિ ૫ ગુરી શ્રીમાલ જ્ઞાતીય પિતૃ જેસા ભાર્યા જસલદે સુત શ્રી નાગછે શ્રા ગુણસમુદ્ર સરિભિઃ | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ ૭૬. ૧૫૭ વર્ષે માઘ સુ. ૧૩ મુકે શ્રી શ્રીમાલવંશે મહરામ ! મંગલાં...શ્રી સંપલ ગઈશ શ્રી જય કેસરી સૂરિણા મુ. શ્રી સંઘેન. ૭૭. સં. ૧૫૬૭ વર્ષે વૈશાખ સુદ ૯ દિને યુકેશવશે દેવડા ગોત્રે સા. હરિચંદ પુત્ર સામલ પુત્ર સંગા પુત્ર સા. શ્રીપાલ ભા. શ્રા. ઈંદ્રાણું પુત્ર સા. લાખા ભાર્યયા લખણદે સુશ્રાવિકા સભ ભતું પૂણ્યાથે શ્રી પાર્શ્વનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિતંચ શ્રી ખરતરગચ્છ શ્રી જિન સમુદ્ર સૂરિપદે શ્રી જિનહંસ સૂરિભિઃ ૭૮. સં. ૧૩૯૨ વર્ષે ફાગણ વદિ ૧૦ ગુરે દિને સા. વપરા ભા. જાઈણ પુ. શ્રીગિ રણ માતૃ પિતૃ શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથ બિલ્બ કારિતં પ્ર. શ્રી ઉદય પ્રભ સૂરિભિઃ ૭૯. સં. ૧૫૩૭ વે. સુ. ૧૦ સામે શ્રી શ્રીમાલ જ્ઞાતીય પ્ર. મફ કર શ્રી મૂનિપ્રભ સુરિભિઃ ગંધાર વાસ્તવ્ય. ૮૦. સં. ૧૫૩૯ વર્ષે માઘ વદિ ૪ સામે સૂર્યપુર વાતવ્ય શ્રીમાલ જ્ઞાતીય વI સાહ! જપતસી ભાર્યા પ્રભુ સુત વ. વુલા ભાસ્ય કલદ સુત વ. સાઘા ભાર્યા રામતિ શ્રેયાર્થ* શ્રી અંચલગચ્છ શ્રી જયકેસરિ સૂરિણામુપદેશેન શ્રી વિમલનાથ બિંબ. કારિત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ ૮૧ સં. ૧૫૨૮ ચિત્ર વદિ ૧૦ ગુરૌ શ્રી ઉએસવશે મીઠડી શાખાય છે. હેમા ભા. હમીરદે પુ. સે જાવડ સુત્રાવકેશ ભા. જસસખદે પુસ પુલ ગુણરાજ, હરખા શ્રીરાજ સિંહરાજ સેજપાલ પૌત્રપૂના મહિપાલ દૂરપાલ સહિતેન જ્યેષ્ઠ પત્ની પુણ્યાર્થે શ્રા અંચલગ છે શ્રી જયકેશરી સૂરિઉ. શ્રી સંભવનાથ બિલ્બ કા. પ્રતિ શ્રી સંઘન. - ૮૨. સં. ૧૫૭૭ વર્ષના ઝરિગ્રામ પ્રાગ્વાટ જ્ઞાતીય સાવેણ ભા. સા કાë હાસા સા કરિ. પ્ર. સૂરિભિઃ ૮૩. સ. ૧૬૧૫ વર્ષ પોષ વદિ ૬ શુકે શ્રી ગંધાર વાસ્તવ્ય શ્રી શ્રીમાળી જ્ઞાતીય સા. પાસવીર ભાર્યા પૂતલી સુત સા વર્ધમાન ભાર્યા વિમલાદે સુતાબાભિમાઈ નાના સ્વ શ્રેષાર્થ શ્રી આદિનાથ બિંબ કારાપિત શ્રી તપાગચ્છ શ્રી વિજયરાજ સૂરિભિ કૃતિ. ૮૪ સં ૧૫૩૧ વર્ષે આ સુ ૨ સેમે પ્રાગ્રાટ જ્ઞાતીય વા, સાલિગ ભા. સટાસિણિ સુતવ્ય મેબ કેન ભાર્યા ચાંપૂ સુત વીથા બ્રા. પૂવર પ્રમુખ યુએન ભા. માણિક શ્રેયાર્થે શ્રી શ્રી પાર્શ્વનાથ બિંબ કા. પ્ર. શ્રી શ્રી શ્રી સૂરિભિઃ સિરખેજ ગ્રામ વાસ્તબેન. ૮૫ સંવત ૧૪૭૮ વર્ષે માઘ વદિ ૫ ગુરે શ્રી માલા જ્ઞાતીય સં. ગટિલા ભા. વાસૂ સૂ દેવસી ધર્મ સી. સૂગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ ધના વના વિલાહા સ્વકુટુંબ શ્રેયાર્થ* શ્રી સુવિધિનાથ બિંબ કારાપિત પ્રતિ. આગમગ છે શ્રી મુની સંધ સૂરિ પટે શ્રી ગુણ રત્ન સૂરિભિઃ ડેમાદ્રા વાસ્તવ્યા. ૮૬ સં૧૫૦૪ વ. વૈ. સુ. ૭. બુધે પ્રાગ્વાટ જ્ઞા. વ્ય. ધના ભા. જીબદ્ .............. શ્રી આગમ ગએશ શ્રી દેવરત્ન સૂસણામુપદેશત કારિન પ્રતિ ઘોઘા વાસ્તવ્ય. શ્રી દેસાઈ પળમાં મુવિધિનાથના દહેરાસરજીમાં પીત્તળના પ્રતીમાઓ પરના પ્રતીમા લેખ. ૮૭ સંવત ૧૫૫૬ વર્ષે વૈશાખ શૂદી તૃતીયા દીને આમલેશ્ચર વાત લા ડુઆ શ્રીમાળી જ્ઞાતીય સદર સાલીતા ભા. ફાઉ સુત સુશ્રાવાક સા. હરવતિકેન ભા. રામતિદ્ધિ ભા. શ્રા. ધાતુ સુત્ર વસ્તુપાલ પ્રમુખ પરિવાર પરિવૃતેને સ્વ શ્રેયાર્થ શ્રી સુમતીનાથ ચતુર્વિશતિ પટ્ટ બિંબ કારિતા પ્રતિષ્ઠિત શ્રીતપાગચ્છ નાયક શ્રીસુમતી સાધુ સાધુસૂરિપટ્ટાલંકાર પરમ ગુરૂ શ્રી શ્રી શ્રી શ્રીમવિમલસુરિભિઃ શ્રી શ્રી ૮૮ સંવત ૧૫૩૭ વર્ષ જયેષ્ઠ સુદિ ૨ સામે શ્રી વીર વંશે મે. હાપાભાર્યા હરખુ પુત્ર મંઠાકુર સુશ્રાવકેણુ ભા. કામલા પિતૃવ્ય છાં છા ભાર્યા વડલુ સહિતેન પની પુણ્યાર્થે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રી અંચલગચ્છ શ્રી જયકેશરી સૂરિ ઉપદેશેન શ્રી અજીતનાથ બિંબ કા. પ્ર. શ્રી સંઘેન તંભતિર્થ ૮૯ સંવત ૧૫૫૬ વર્ષે વૈશાખ સુદી ૫ ભેમે શ્રી શ્રીમાલ જ્ઞાતીય સં. વિદ્ધમાન ભાર્યા માતુશ્રુત ચટા જુઠા રાણા મહિપા પાંચા તો માતૃ પિતૃ શ્રેયાર્થે શ્રી શ્રી મુનિ સુવૃત સ્વામિ બિંબ કારાપિત શ્રી પુર્ણિમા પક્ષેય શ્રી દેવસુંદર પ્રતિષ્ઠિત વિધિના બેસઅલાલાભ. ૯૦ સં. ૧૫૫૧ વર્ષે વૈશાખ સુદિ ૧૩ ગુરૌ ઉપકેશ વૃદ્ધ સજજને છે કેષ્ટા ભા. કીટ્ટણદે પુ. મના સવા મિહીયા ભા. ગૂજરિ પુ. ૨ દેવા માંકા સહિતેન ભા. દેવલદે એ કુટુમ્બ શ્રેયાર્થે શ્રી સંભવનાથ બિંબ કારા. પ્રતિષ્ઠિત શ્રી બિંબ વણીક ગ9 શ્રી શલાચાર્ય સંતાને શ્રી ક ક ક સૂરિભિ ૯૧ સંવત ૧૫૧૬ વર્ષે વૈશાખ વદિ ૧૨ શકે શ્રી શ્રીમાલ જ્ઞાતીય પિતૃ તોલા માત તેજલદે શ્રેયાર્થ સુત ઉઘરણેના શ્રી ચંદ્રપ્રભ સ્વામિ બિંબ કારિત શ્રી પૂર્ણિમા પક્ષીય શ્રી શ્રી સાધુ ૨નસૂરિ પટે શ્રી સાધુ સુંદરસૂરીના ઉપદેશન પ્રતિષ્ઠિત વિધીના શ્રી સંઘેન અરડાત ચાલીવાસ્તવ્ય. (૬) સંવત ૧૫૩૬ વર્ષે શ્રી શ્રીમાલજ્ઞાતિય ઉદવાડા ગામે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #277 -------------------------------------------------------------------------- ________________ ઘેલાભાઈ અમીચંદના ઘર દહેરાશરછમાંના ' આ પ્રતિમા લે છે. ૯૩. સંવત ૧૬૬૪ વર્ષે ૪ સુદિ ૫ સોમે નરસિંહ પુરા જ્ઞાતીય શ્રે શ્રીમાલ ભા. તેજબાઈ સુત સા. દેવજી તદ્દ ભગીની સબાઈ નાસ્ના સ્વશ્રેયસે શ્રી કુંથુનાથ બિબ કા. પ્રતિષ્ઠિતં ચ શ્રી તપાગચ્છ પાતશાહી શ્રી અકબરદત્ત . બહુમાન ભટ્ટારક શ્રી હીરવિજય સૂરિશ્વર પટ્ટાલંકાર પાતશાહી શ્રી અકબર સભા લબ્ધ વાદિવાદ જયકાર શ્રી વિજયસેન સૂરિભિઃ આચંદ્રાકં નંદતાત્ | ૯૪. (૨) સં. ૧૪૭૩ પ્રાગ્રાટ શ્રી લક્ષ્મીચંદ્રસૂરિ. ૫. શ. ૧૫૧૦ વર્ષે ફા. વ. ૧૦ શુકે શ્રી શ્રીમાલ જ્ઞા. બે પિના ભા. લેલી સુ લખા કેન ભાતૃ સહિસા શ્રેયાર્થ ભા. જાફ શ્રી વિમલનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત " શ્રી નાગેદ્રગ છે શ્રી ગણસમુદ્ર સૂરિલિ: તલાડા ગામે વીરવલા અડક. દેશાઈપલમાં ઠાકોરભાઈ મુલચંદના ઘરમાંના પ્રતિમા લેખે. ૬. સં. ૧૫૩ વૈશાખ સુદિ ૪ બુધે શ્રી કેરટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ ગચ્છે શ્રી ન નાચાય સતાને ઉત્સવ. મહાજન ગેા. કે. મના ભા. મીણલદે પુ. શ્વે. નરદેન ભા. વાધૂં પુ. જિષ્ણુદાસ યુતેન સ્વશ્રેષસે શ્રી શ્રેષાંસનાથ ત્રિ. કા. પ્ર. શ્રી કકક સૂરિપટ્ટે શ્રી સાદેવ સૂરિભિ : ૭. સ. ૧૫૩૭ ૧. વૈ. સુ. ૧૦ સેામ શ્રીમાલા. સંભવનાથ મ પિપલગચ્છે શ્રી સાલિભદ્રસૂરિભિ: પ્રતિષ્ઠિત ભાખરી વાસ્તવ્ય કતારગામના મોટા દહેરાશરજીમાં પીત્તળની પ્રતિમાઆપરના લેખા. ૯૮. સ. ૧૫૧૮ વર્ષે જેષ્ઠ શુદ્ઘિ શતા શ્રી શ્રીમાલ સા. મદન ભા. મુંજી સુ. ૨ ગણા વાય ભા. ધની સુ આણંદજી રાવણાયગ ભા. અરપૂ સૂ કીકા મુંજી કૈન કુટુંબસ્વ શ્રેયા શ્રી શીતલનાથ મિં. કારિત પ્રતિષ્ઠિત પૂર્ણિમા પક્ષે શ્રી સાગર તિલક સૂરિભિ: રસિદ્ધિ વાસ્તવ્ય ॥ ૯૯ સ. ૧૫૫૬ વ. વૈ, જી. ૩. લાડુઆ શ્રીમાલ છે. સાલિગ ભા. ફાઉ સ્ત. ત્રે. હરસતિ કેન ભા. સમતિ ક્રિ. ભા. પાતું સુ. વસ્તા હાંસાંવિ યુનેનન્સ્ડ થ્રુ પસે શ્રી શાંતિનાથ મિત્ર કારિત પ્રતિષ્ઠિત તપાગચ્છે નાયક શ્રી હેમવિમલ સૂરિભિ: શ્રી આમલેશ્વરે । શ્રી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #279 -------------------------------------------------------------------------- ________________ ૧oo સં. ૧૫૪૭ માઘ સુ. ૧૩ રવૈ શ્રી શ્રીમાલ જ્ઞા છે. હાજા સુ. દે. મેકા. ભા.. કપૂરી. મું. માંડણ કેન ભાતુ કૃષ્ણરાય પ્રમુખ કુટુંબ યુનેન શ્રેયોથે શ્રી શીતલનાથ બિંબ કા. પ્ર. શ્રીઆગમગએછે ભ. શ્રી અમર રત્ન ઋરિણાં પટે શ્રી સૂરિભિઃ | ૧૦. સં. ૧૫૧૯ વર્ષે કાર્તિક વદિ. ૧ સામે શ્રીમાલ જ્ઞાતીય છે. ધણવાલ. ભા. ચાપૂ પુ. ખેતા પાતા નગાસે. હિતેન પિતા નિમિત્ર અરનાથ બિંબ કારિત શ્રી નાગેન્દ્ર ગચ્છ પ્રતિષ્ઠિત શ્રી ગુણ સમુદ્રસૂરિભિઃ | શ્રી પુણસુરા વાસ્તવ્ય! ૧૦ર સં. ૧૫૦૯ માઘ. વ.૫ ઉ. સ. શિવા પુત્ર સે નાઈથા ભા, સૂવ સુત. સામાણિકેન સુત સહ રાજાદિ કુટુંબ યુનેન નિજ ભા. સે. વીરા. શ્રેયાર્થે શ્રી કુંથુનાથ બિંબ કા. પુ તપા રત્નશેખરસૂરિભિઃ પર ૧૦૩. સંવત ૧૫૯૦ વર્ષે પોષ વદિ ૧૨ સ્તંભતીર્થ વાસ્તવ્ય ઉપસ જ્ઞાતીય સા. પિમસી સુત. સા. લખમસી ભાર્યા ધમાઈ નામના નિજ શ્રેયસે શ્રી શિતલનાથ બિંબ કાર્તિ પ્રતિષ્ઠિત , ૧૦૪. ૧૪ વર્ષ શુદિ ૧૨ અને શ્રી શ્રીમાલ જ્ઞા ગવસીલ ભા. ચાંપલદે સુત ચેસિંગ પિત માતૃ શ્રેયાર્થે શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #280 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાથ બિબ. કારાપિત પ્રતિષ્ઠિત શ્રી નાગેદ્રગ છે શ્રી ઉદયદેવસૂરિ પટ્ટે શ્રી ગુણ સાગરસૂરિભિઃ | ૧૦૫. સંવત ૧૫૨૪ વર્ષે ચૈત્ર વદિ ૫ ભૂમે શ્રી શ્રીમાલી જ્ઞા. સા. સાઈરના ભા. વાલુ કેન . પૂજા ભીમા યુનેન આત્મશ્રેયાર્થે શ્રી સંભવનાથ બિલ્બ કારાપિત પ્ર. શ્રી પૂ. પ્ર. શ્રી ગુણસુંદરણા મુપદેશન. ૧૦૬. સંવત ૧૫૨૫ વર્ષે આસાઢ શુદિ ૩ સામે શ્રીમાલ જ્ઞા. સં. લખમણ સુત. મ. ચઉથા. ભા. રામલદે સુત હરીઆ કે ભા. રહી. બ્રા માલાવના કુટુંબ યુનેન સ્વ માતૃ શ્રેયાર્થ શ્રી અંચલગ છે શ્રી જયકેસરિ સૂરીલું મુપદેશેન શ્રી આદિનાથ બિંબ. ક. પ્ર. શ્રી સંઘન. / ૧૦૭. સંવત ૧૫૩૧ માઘ વદિ ૮ સેમે થી ઉએ વંશે સા. મેઘા ભાર્યા મેલાદે પુત્ર સા જુઠા સુશ્રાવકેણ ભાર્યા પાઈ પૂતલી પુત્ર વિદ્યાધર ભાતુ શ્રી દત્તવર્ધમાન સહિતેન માતૃ પુણયાર્થ શ્રી અંચલગચ્છધર શ્રી જયકેરી સૂરિણા મુપદેશેન મૂનિસુવ્રતસ્વામિબિબ કારિત પ્રતિષ્ઠિત સંદેન. ૧૦૮. સંત ૧૭૮ વર્ષે માઘ વદિ ૫ ગુરૌ ચૂડા વાસ્તવ્ય શ્રી કી માલીશાલીપ સં. દેવા. ભા. રફ સૂત. રાણકેન ભા. ૨ ની દે. સુન હક હીરા. પ્રમુખ કુટુંબ યુવેને શ્રી કુંથુનાથ બિબ શ્રી આગમગ છેશ્રી વિવેક રારિ વરણામુપદેશેન કારિત પ્રતિક્તિ યુતિ શુંભ શ્રી # Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #281 -------------------------------------------------------------------------- ________________ ૧૦. સં. ૧૬૧૨ વરસે વૈશાખ સુદિ ૬ બુધે શ્રી શ્રીમાલી જ્ઞાતીય વજજ ઘરસન બલાજ ભાર્યા બહુસન સા મંગલજી નેમનાથ બિંબ પ્રતિષ્ઠિત શ્રી વિજયદાનસૂરિ. ૧૧૦. સં. ૧૩૦૦ શુદિ ૨. સોમે શ્રી પલ્લીવાલ જ્ઞાતીય મા. હીસારિ શ્રેયાર્થ પ્રવાલ કા. કારિત પ્રતિષ્ઠિતં શ્રીરના પ્રભસૂરિભિ: ૧૧૧. સં. ૧૪૫૦ વર્ષે માહ વદિ ૯ સેમે શ્રી ઉકેશ જ્ઞાત ભાડ શાલિક સાલ્ટા. ભાર્યા સહજલદે પ્ર. ધર્મસ. ગં. ૨ નાદે પુઈઅર ભા. પૂના વા પુ. ફરા બે ભાઈરાર નિમિત્તે શ્રી પદ્મપ્રભબિંબંકારિત પ્રતિષ્ઠિત શ્રીવેવસૂરિભિઃ ૧૧૨. ૧૫૨૭ વર્ષે સાગરગડે શ્રી શીલર-નસૂરિ. કતારગામનાના લાડુઆશ્રીમાલી જ્ઞાતિના દહેરાશરજીના પિત્તળના પ્રતિમાઓનાલે. ૧૧૩. સં. ૧૨૨ જયેષ્ઠ સુ. ૧૫ બુશ ભાવયજા પુત્ર વિજાભ્યાં પાર્શ્વનાથ બિલ્બ કારિત પ્રતિષ્ઠિત શ્રીનાગેચ્છગ ગુણ સેણ સૂરિભિઃ | ૧૧૪. અલાઈ ૪૫ સં. ૧૬૫૬ વર્ષે વૈશાખ સુદિ બુધવારે લઘુશાખાયાં ઓસવાળ જ્ઞાતીય સ્તંભતિર્થ વાસ્તવ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #282 -------------------------------------------------------------------------- ________________ સા અમીઆ ભાય અમરાદે પુત્ર સા. કાહનકેન ભાયો મરઘાઈ પ્રમુખ કુટુંબ યુએન સ્વાર્થ પ્રીધર્મનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિતં ચ તપાગચ્છ શ્રી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર શ્રી વિજયસેન સૂરિભિઃ શુભંભવતુ. કલ્યાણું ૧૧૫. સંવત ૧૪૬૦ વ વૈશાખ સુદિ ૩ સૂરાણ ગેત્રે સા. ગાહણું ભાર્યા માહ્યણુદે પુત્ર સા. મૂસૂકેન પિત્રે શ્રેo શ્રી પાર્શ્વનાથ બિંબ કારિત પ્ર. શ્રીધર્મ ઘોષગ છે શ્રીલયચંદ્રસૂરિભિઃ ૧૧૬. સંવત ૧૫૦૬ માઘ શુદિ ૫ ૨ શ્રી ઉકેશ વંશે સા વાછા ભા યઉલદે સુ સા નગા ભા. નામદે સ. સિંધરાજ સહિત યા સ્વભર્ત . શ્રી પ્ર. વૃધતપ શ્રી રત્નસિંહ સૂરિભિઃ ૧૧૭. સં. ૧૪૩૯ વૈશાખ વદિ ૧૧ . શ્રી બ્રાહ્મણ ગ છે શ્રીમાલ જ્ઞા. પિતૃ સંદ..જસવન શ્રી ચંદ્રપ્રભસ્વામિ બિંબ કારિતં પ્રતિ, શ્રી બુદ્ધિસાગરસૂરિભિઃ ૧૧૮. સં. ૧૬૬૭ વ. વૈશાખ વ. ૭ બુધે સ્તંભતિર્થ વાસ્તવ્ય ઉકેશ જ્ઞાતીય વૃદ્ધ શાખામાં સા. કમસી ભા. સખમાદે સુત સા. ઉદરે વતન ભા. ગમનાદે યુતન સ્વકુટુંબ શ્રેયસે શ્રી આદિનાથ બિંબ કારિતં શ્રી તપાગચ્છ શ્રી હેમ સેમસૂરિભિઃ આચાર્ય શ્રી વિમલસેમસૂરિ યુનેન પ્રતિષ્ઠિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #283 -------------------------------------------------------------------------- ________________ ૧૯. સં. ૧૪૯૮ વર્ષે ફાગણ વ. ૧૮ સોમે ઉશવ લેઢા ગેત્રે સા. ખીમસી પુત્ર વડુઆ ભા. સા. સાકૂ પતિ પૂણ્યા શ્રી સુવિધિનાથ બિંબ કા. પ્ર. કૃષ્ણર્ષિ ગ૭ શ્રી નથચંદ્ર સૂરિભિ: ૧ર૦. સંવત ૧૬૪૩ વર્ષે ફાગણ સુદિ ૫ ગુરો શ્રી સ્થંભતિર્થ વાસ્તવ્ય શ્રી શ્રીમાલ જ્ઞાતીય લઘુશાખાયાં સા. હાસા ભાર્યા બાદ સૂત સા. લાલા સ. કેસવ દેવ કરણ કાણન શ્રી આગમગ છે શ્રી વકરત્નસૂરિ તત્પટે શ્રી સંયમ રત્નસૂરિ તત્પઢે શ્રીવિદ્ધનસૂરિણામપદેશેન શ્રી શાંતીનાથ બિલ્બ કા. પ્ર. ૧૨૧. સ. ૧૬૭૬ વર્ષે જેષ્ઠ સુદિ ૧૩ શુક્ર સ્તંભતિર્થ વાસ્તવ્ય સા. જગસી ભાર્યા તેજલદે સુન યાસ સોમા ભગી સ્થા બાઈ ધર્મધ નાખ્યા પરિકર પુતં શ્રી સુમતિનાથ બિબં કારિત પ્રતિષ્ઠિત પશ્રીમત્તપાગચ્છાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિ પટ્ટાલંકાર હારાષમાણ ભટ્ટારક શ્રી વિજય વેવસૂરિભિ રાયંદ્ર શ્રેયસેસ્તાન આ * ૧રર સં. ૧૫૦૪ વર્ષે જેષ્ઠ સુદિ ૧૦ સામે શ્રીમાલ જ્ઞાતીય મં. જપતા ભા. જપતલદે સુત નં. ઝલાહન ભા. શાણું સુત મંદ મેઘારાજા ભા. બહિન રમાદે પ્રમુખ કુટુંબ યુનેન સ્વયસે શ્રી ચંદ્રપ્રભસ્વામિ ચતુર્વિશતિ પટ્ટ કારિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #284 -------------------------------------------------------------------------- ________________ બૂડત તપા પક્ષે શ્રી રત્ન સિંહ સૂરિભિઃ પ્રતિષ્ઠિત શ્રી પ્રભાદિત્ય પુર ર૩ સં. ૧૩પ૭ વર્ષે વૈશાખ વદિપશુકે શ્રી બ્રાહ્માણગ શ્રીમાલ જ્ઞાતીભય . દેશલેન પિતૃ તૃણું શ્રેયસે શ્રી મહાવીર બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી વિમલ સૂરિભિઃ ૧૨૪. સંવત ૧૪૩૮ વર્ષે વૈશાખ સુદિ ૩ પ્રા.....આ ભાર્યા માણલીપુત્ર કમસીંહ લગ્ગાદે પિતૃ માતૃ શ્રેયાર્થ શ્રી મહાવીર બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી દેવેન્દ્ર સૂરિભિ: સુરત, નવાપુરા. દહેરાશરજીના પિત્તળની પ્રતિમાઓ પરના લેખે. ૧૨૫. સં. ૧૫૩૦ વર્ષે વૈશાખ સુદિ ૧૦ સોમ શ્રી ગંધાર વાસ્તવ્ય શ્રી શ્રીમાલ જ્ઞાતીયસ. પર્વત ભાર્થી કાળાઈ સુત હાજાકેન ભા. સૂવદે યુનેન શ્રી શ્રી પાર્શ્વનાથ બિંબ કારિતં પ્રતિષ્ઠિત શ્રી વૃદ્ધતપાપક્ષે ભટ્ટારક શ્રી ઉરપ સાગર સૂરિભિઃ શ્રી શીવ સાગરસૂરિ ઉપા, ઉદય મંડન ગણિ ઉપદેશાત્ શ્રી : શુભં ભવતુ. ૨૬. સં. ૧૫૨૫ વર્ષે વશાખ વદિ ૧ ગુ. શ્રી શ્રીમાલ જ્ઞા. ઠ. ફેકટ બા. ગેઈસુ. શ્રી પતિનકેન ભા. દે મતિ તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #285 -------------------------------------------------------------------------- ________________ ભા. ભૂપતિ પ્રમુખ કુંટુંબ યુએન શ્રી અજિતનાથ બિંબ કારિત પ્રતિ. શ્રી સૂરિભિઃ શ્રી ગંધર વાસ્તવ્ય બ. સં. ૧૫ર૩ વર્ષ માહ સુદિ દ વ શ્રી શ્રી માવજ્ઞાતીય સા. ભઈઅલ ભા. મેવું સુ. રસાઈયાકેન ભાર્યા અચુ ચાંગા માંગા પુતેન આત્મા પાસે શ્રી સુમતિનાથ બિબ કારાપિત પ્રતિ. શ્રી પૂ. શ્રી ગુણસુંદર સૂરાણામુપદેશેન વિધિના છે. છે. ત્રાજ્ઞાન કલસ. ૧૨૭. સં. ૧૫૫ વર્ષે ચે. વદિ ૨ રૌ શ્રી શ્રીમાલ જ્ઞા. સા. ડુંગર ભા. કુતૂ સુલ સા. હીરાકેન ભા. રાહૂ સુ. સા હાંસા સા. પાસ વીર સા. ભેજા સુ. મેઘાસિંધ રાજાદિ પુત્ર પિત્રાદિ પરિવાર યુએન નિ જશ્રેયસે શ્રી અજીતનાથ બિંબ કા. પ્ર તપાગચ્છનાયક શ્રીડેમ વિમલ સૂરિભિઃ ૧૨૮. સં. ૧૪૭૦ વર્ષે વાપડ જ્ઞાતીય પિતૃમહું ખીમજીહ સુનામહં ગોલાકે શ્રી અંબિકા કારાપિતા. બ. સં ૧પ૩૫ વર્ષે પણ વદિ ૬ વૃ સહાદે ભા. વન્ પુત્ર વ્ય ધમાકેન ભા. કુટ સુન નરબદ નરસિંહ ઉરપાલાદિ કુટુંબ યુનેન અંબિકા યુનેન બિબ કા. પ્ર. તપા...રાજપુર વાસ્તવ્ય. ૧૨૯. સં. ૧૫૫ વર્ષે માદ્ય વદિ ૧૧ લાડઉપેલ નગર વાતવ્ય ઉસવાલ જ્ઞાતિય સા. જેસા ભાર્યા જસમા પુત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #286 -------------------------------------------------------------------------- ________________ સા. નરસિંગેન ભાય નામદે પુત્ર સા. યવત શ્રીવંત દેવચંદ સુરચંદ હરિચંદ પ્રમુખ કુટુંબ યુનેન શ્રી મુનિ સુવત સ્વામિ બિંબ કારિત પ્રતિષ્ઠિત કરદે ગણે શ્રી કેક સૂરિભિઃ ૧૩૦. સં. ૧૫૧૧ વર્ષે માઘ શુદિ ૫ શ્રી ઉકેશ લોઢા ગોમે સા. છાજા પૂત્ર સા. જસરાજ ભા. જસમારે પુત્ર સા. કોપાલ સા. સાલિગ સા. સદવા છે, નિજમાં પુ. સ્વશ્રેયસે શ્રી નમિનાથ બિંબ કા. પ્ર. રૂદ્રપલી પગ છે શ્રી દેવ સુંદર સૂરિપટ્ટે શ્રી સોમસુંદરસૂરિભિઃ ૧૩૧. સં. ૧૫૧૯ અષાદે શુ. ૭ ઉસલ ધમકણ (માસા રૂપ હીરા ભા. ગેસ પુરાવણ ભા. પાલી શ્રી કુંથુનાથ બિંબ શ્રી મલયચંદ્ર સૂરિભિઃ ' ૧૩ર. ૧૮૮૧ શ. ૧૪૭ પ્ર. વૈ. સુ. ૬ રવ સંઘવી પ્રેમજી ભાઈ ટેકચંદ શ્રી અજિતનાથ બિંબ ગામ રહીડાના વાસી પુત્ર શ્રી વૃદ્ધા પાગશે સેમ સૂરિભિઃ | કમલ કમલ ગ છે. ૧૩૩. સં. ૧૮૨૭ શાકે ૧૬૩ વૈશાખ સુદિ ૧૨ શુકે આંચલગ છે શ્રીમાલ જ્ઞાતીય લઘુ શાખામાં સા હરખચંદ ભાર્ય માણકબાઈ શ્રી. - ૧૩૪. સં. ૧૮૨૭ શાકે ૧૬૩ વૈશાખ સુદિ ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat - WWW.umaragyanbhandar.com. Page #287 -------------------------------------------------------------------------- ________________ શુક્રે આંચલગચ્છ શ્રીમાલ જ્ઞાતીય સા. અમરસી. સુમ હર ખચંદે ન અજીતનાથ બિંબ કારિતં પ્રતિષ્ઠિત: ૧૩૫. સં. ૧૩૬૯ વૈશાખ સુદિ ૯ એસયા વાસ્તવ્ય છે. જપતા ભાર્યા લાલૂ પુત્ર દેવડ હરિપાલા લી. શ્રી શાંતીનાથ બિંબ કારિત શ્રી દેવેદ્રસૂરિણુ મુપદેશે. ૧૩૬. સં. ૧૫૫ વર્ષે વૈશાખ નાગર જ્ઞાતીય દે. હીરા ભ. પેત્રુ પુત્ર દા રાજાકેન ભા. રમાદે સુત વિના યુએન નિજ માતૃ પિતૃ સ્વશ્રેયસે શ્રી શાંતીનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી તપાગ છે પક્ષે શ્રી રત્નસિંહ સૂરિભિ વૃધ શાખા. ૧૩૭. સા. ૧૫૦૯ વર્ષે માઘ શુ. ૫ ઉસવાલજ્ઞા દો. સામંત ભા. સીતા દેવ્યા: સુતેન દે. સમરાદેન ભાર્યા જીવિણિ સુન સહજપાલ નરપાલ દાણપાલ પ્રમુખ કુટુંબ યુએન માતૃપિતૃપ સે શ્રી આદિનાથ ચતુર્વિશતિ પટ્ટકારિતા તપાગચ્છ શ્રીમા શ્રીરત્ન શેખરસૂરિભિઃ શ્રી ઉદય નંદિસૂરિ શ્રી લક્ષમીસાગર સૂરિભિ યુએન. ૧૩૮ સંવત ૧૫૪૭ વર્ષે વૈશાખ શુદિ ૩ સોમે કપિલ જ્ઞા. એ. સરવણ ભા. આસૂ સંત સં. નાના ભા. સં. કતિગ નાખ્યા નિજ શ્રેયસે શ્રી સંભવનાથ બિબ કા પ્રતિ. તપ શ્રી લક્ષ્મી સાગર સૂરિ પટ્ટે શ્રી સુમતિ સાધુ સૂરિભિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #288 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ સંવત ૧૯૧૫ વર્ષ પાષ વિશ્વ ૬ શુકે શ્રી ગંધાર વાસ્તવ્ય શ્રી શ્રીમાલી જ્ઞાતીય સા. પાસવીર ભાય પુતલી સુત સાવ માન ભાર્યો ખાઈ અમરદે નાના સુ શ્રેયા શ્રી શાંતી નાથ મિંકારાપિત શ્રતપાગચ્છે શ્રી વિજ્રય દાન સરિભી પ્રતિષ્ઠિત શુભ ભવતુ || Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #289 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩. સુરતના પ્રતિમા લેખે અન્ય પુસ્તકમાંથી. આચાર્ય શ્રીમદ્ બુદ્ધિ સાગરજીના લેખ સંગ્રહમાંથી (શ્રી અન'ત નાથજી ગોપીપુરા) ૧૪૦ ૧૫૦૫ વર્ષ વૈશાક નાગર જ્ઞાતીય ો. હીરા ભાયો મેત્ર પુત્રા દે. ૨૪ાકેન ભા. રમા સુત વિજા યુતેન નિજ પિતૃ માતૃ સ્વશ્રેયસે શ્રી શાંતીનાથ મિશ્ર કારિત પ્રતિષ્ઠિત શ્રીતપાપક્ષે શ્રીરત્નસિંહ સૂરિભિ: વૃધ્ધશાખા. [ શ્રી સુવિધિનાથમાં મેાટી દેશાઈ પેાળ ] ૧૪૧. સ` ૧૫૪૩ વષૅ જયેષ્ઠ શું ૧૧ ના વીસલ નગર વાસ્તવ્ય પ્રાગ્ધાટ જ્ઞાતીય ત્રે સમસ્ત ભાો સુત શ્રે આસાકેન ભા. કસ્તૂરી સંત તેજપાલ ભ્રાતુ થાઇ કુંરા અમીપાલ યુતેન શ્રી સ ંભત્રનાથ ખિમ કા. પ્ર. બૃહત્તરા પક્ષે શ્રીજ્ઞાન સાગર સૂરિ પ્રતિ શ્રી ઉદય સાગર સૂરિભિઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #290 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સં ૧૬૧૫ પિષ વદિ ૬ શુકે શ્રી વીસલ નગર વા. શ્રી હુંબડ જ્ઞાતીય ગાંધી રત્ના ભા. રત્નાદે સુ ગાં સભા ભા સાંગા કાંગા કીકા સેનૂ નામ્બી શ્રી સુમતીનાથ બિબ કારાપિત શ્રી તપાગચ્છ ભા. શ્રી ૫ વિજયદાનસૂરિ પ્ર. શ્રી ગંધાર મંદિરે . ૧૪૩ સં. ૧૫૫ વર્ષે માઘ વદિ ૧૨ લાડઉલિ નગર વાસ્તવ્ય ઉંસવાલ જ્ઞાતીય સા જેસા ભાર્યા જસમાદે પુત્ર સા નરસિંગેન ભાય નાયકદે પુત્ર જયવત, શ્રીવંત દેવચંદ, સુરચંદ, હરિચંદ, પ્રમુખ કુટુમ્બ યુનેન શ્રી મુનિસુવ્રતસ્વામિ બિંબ કારિત પ્રતિષ્ઠિત કરંટે ગચ્છ શ્રી વકક રિભિ:// ૧૪. સં. ૧૬૭૮ વર્ષ કે. વદિ રનેર વાસ્તવ્ય સા. રાધવ ભા. લાલા સુત સા. ૫ જાકેન વિમલનાથ બિંબ કારિતં પ્રતિવિજયદેવ સરિણામુપદેશેન રત્નચંદ્ર શ્રી તપાગછે ૧૪૫. સં. ૧૯૮૩ વર્ષે ફા. વદિ ૪ શનિ સાહિ શ્રી સલેમ રાયે કરવાડા વાસ્તવ્ય લાડુઆ શ્રીમાલી જ્ઞાતીય સં. મેઘ ભા. સ્વ. ઇંદ્રાણી સુત સં. ઠાકર ના સ્વપિત કારિત પ્રતિષ્ઠાયાં શ્રી ધર્મનાથ બિંબ સ્વયસે કારિત પ્રતિષ્ઠ ચ શ્રી તપાગચ્છ ભ. શ્રી વિજયસેનસુરિ પટ્ટાલંકાર ભ. શ્રી વિજય દેવસૂરિ તથા શ્રી વિજય તિલકસૂરિ પટ્ટાલંકાર ભ. શ્રી વિજય આણંદસૂરિભિઃ | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #291 -------------------------------------------------------------------------- ________________ (શ્રી વાસુ પૂજ્ય સ્વામિમાં સગરામપૂરા) ૧૪૬. સં. ૧૫૭૪ વર્ષે માઘ સુ. ૧૩ રવૌ શ્રી ગુર્જર જ્ઞાતીય મ. આસા ટબક્ સુત મ. વયથી ભા. મલી સુ. આ. ભ. ભા. કર્માઈ મ. ભૂપતિ ભા. અક્ સુત મં. સિવદાશ ભા. કાલાઈ પ્ર. કુટુમ્બ યુનેન શ્રી અંચલગ છે શ્રી સિધાન્ત સાગરસૂરિણું મુપદેશેન શ્રી પાર્શ્વનાથ બિંબ કાર્તિ પ્રતિષ્ઠિત શ્રી સંઘેન છે - - - ( શ્રી શાંતીનાથમાં નવાપુરા) ૧૪૭. સં. ૧૪૭૨ વર્ષે વાયડ જ્ઞાતીય પિતૃમહં ખીમજી સુતમહં ગેલાહન શ્રી અંબીકા કારાપિતા ને ૧૪૮. સં. ૧૬૭૫ વષે માઘ શુદી ૪ શનૈ શ્રી ઉપકેશ વંશીય વૃધ્ધ શાબી, સા. માહિયા ભાર્યા તેજલદે સુલ ગેરેદે સુત સાના નિયાહન ભાય નામલદેવ સુત સમજી યુએન શ્રી મહાવીર બિંબ કારિનું પ્રતિષ્ઠિતં ચ શ્રી તપાગચ્છે ભટ્ટારકશ્રી હીરવિજય સૂરિધર પટ્ટાલંકાર ભ. શ્રી વિજયસેન સૂરિ પટ્ટાલંકાર શ્રી વિજય દેવ સુરિભિઃ શ્રી આરાસણ નગરે રાજપલે દામેન છે ૧૪૯. સંવત ૧૬૬૫ વર્ષે માઘ ધવલેતર શન ઉપકે વંશીય વૃધ્ધ સજજનીય સા. જગાડુ ભાર્યા જમાનાદે I Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #292 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦. સંવત ૧૬૭૫ વર્ષે માઘ વિદ ૪ શ્રી શ્રીમાલી જ્ઞાતીય વૃધ્ધ શાખીય શા. ર'ગાભાર્થી કલા........આદિનાથ મિત્ર કારિત તપાગચ્છે શ્રી વિજયદેવ સુિિભ: પંડીત શ્રી કુશલ સાગર ગણી પરિવાર યુતૈઃ પ્રતિષ્ઠિત ]] ૧૫૧. સ. ૧૫૯૧ વર્ષે પાત્ર વિક્રે ૧૧ ગુરૌ શ્રી પત્તને ઉસવાલ લલ્લુ શાખાયાં દે. લાઉઆ ભા. લિંગી પુત્ર લકા ભા. ગુરાઈ નાના સ્વĂયસે પુત્ર વીરપાલ અમીપાલ પુ॰ અચલગચ્છે શ્રી ગુણ નિધાન સુણિાસુપદેશેન કુંથુનાથ ખિમ કા. પ્ર. (શ્રી ચંદ્ર પ્રભુજી સૈયદપરા) ૧૫૨ સંવત ૧૫૪૭ વર્ષે વૈક સુદિ ૩સેામે કપેલ જ્ઞા. છે. સરખસાર્યા આસૂ સુન સ` નાના ભાર્યા, સ, કતિ ગડે નાના નિજ શ્રેયસે શ્રી સભવનાથ મિત્ર કા, પ્ર. તપા શ્રીલક્ષ્મીસાગરસૂરિપટ્ટે શ્રી સુતી સાધુ સૂરિભિ: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #293 -------------------------------------------------------------------------- ________________ ગ્રીસદ્ પ્રવતું કે મહારાજશ્રી કાંતીવિજયજી મહારાજના લેખ સંગ્રહમાંથી. નિચેના અને લેખા લાઇન્સના દહેરાશરમાં જીન પ્રતિમાઓપર છે. નોંધઃ સંવત ૧૯૮૨ માં આ પ્રતિમાએ પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. અમદાવાદના સુપ્રસિધ્ધ શેઠ શાંતીદ્દાસે કરાવેલી પ્રતિષ્ઠામાં પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. આ બન્ને પ્રતિમા શેઠ શાંતીદાસની માતા અને પત્નીએ ક્રમથી તૈયાર કરાવી હતી. તેમની પ્રતિષ્ઠા આચાર્ય શ્રી વિજયદેવસૂરિના સમયે મહાપાધ્યાય વિવેકહુષંગણીના શિષ્ય મુક્તિસાગર ગણીના હાથે થઇ હતી. ૧૫૩. સવવ ૧૯૮૨ વર્ષ જેમ વિદે ૯ ગ્રુવસરે શ્રી અહિમદાવાદ નગર વાસ્તવ્ય શ્રી ઓશવાલ જ્ઞાતીય સા. સહુસકરણ ભાર્યા રાબાઇ કુઅરી નાપા શ્રેયાર્થે શ્રી મુનિ સુવ્રત સ્વામિ બિબ કારિત સાથે શાંતીકાસ કારિત પ્રતિષ્ઠિયાં પ્રતિષ્ઠાવિત પ્રતિષ્ઠિતં શ્રી તપાગચ્છે ભટ્ટારક શ્રી વિજયસેન સૂરિશ્વર પટ્ટાલ કાર ભટ્ટારક શ્રી વિજયદેવસૂરિ વાર કે મહાપાધ્યાય શ્રી મુક્તિ સાગર ગÍિભ: (૨) શવત ૧૮૬૨ વષૅ જયેષ્ઠ વિત્ત ૯ ગુંરા અહમદાવાદ નગરે ઓશવાલ જ્ઞાતીય સા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #294 -------------------------------------------------------------------------- ________________ શાંતીદાસ ભાર્યા શ્રી આદીનાથે બિંબ પ્રતિષ્ઠાપિત ચ તપાગચ્છ મોપાધ્યાય શ્રી મુકિત સાગર.. મ્હાર ગામમાં સુરતના જૈનેએ ભરાવેલી પ્રતિમાઓના પ્રતિમા લેખે સ્વ. આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિના પ્રતિમા લેખ સંગ્રહ ભા. ૧. માંથી (ડાઈમાં શ્રી શામળા પાર્શ્વનાથના મંદીરમાં) ૧૫. સંવત. ૧પ૬ વર્ષે વૈશાક શુદ ૩ દિને શ્રી આમલેવર વાતવ્ય લાડુઆ શ્રીમાળી જ્ઞાતીપ એપાર્થ નાકર ભા. જીવી સુ શ્રે. શંકાકેન ભા. કડુ યુ ન સ પાથે શ્રી સુમતીનાથ બિંબ કરાં પ્રતિષ્ઠિત તપાગ છે શ્રી હેમ વિમળ સૂરિભિઃ ૫. ૧૫૫. સંવત ૧૭૩ વર્ષ પિષ વદિ ૬ શુક તપાગચ્છા ધિરાજ શ્રી ૫ શ્રી હરિ વિજયસૂરિ પાદુકે સુરતી બંદર વાસ્તવ્ય એશિવાલ જ્ઞાપિ શા વાત ભા. શ્રી લાઈ સુત દેવકરણ ભગિની સા સહકર ભર્યા (ગામ ચાણસ્માનાં છ મંદીરમાં) ૧૫૬. સંવત ૧૬૬૭ વર્ષ શાકે ૧૫દર પ્રવર્તમાને ફાળુન માસે શુક્લ પક્ષે સપ્તમી તિથે સુસરે શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રીમાલી જ્ઞાતીય વીસા શ્રા ખગ્રાહે ભાર્યા કપુરા સુત વિસરે શ્રી સોમાકેન શ્રેયાર્થે શ્રી આદીનાથ બિંબ કા. / (અમદાવાદ ઝવેરીવાડે શ્રી સંભવનાથના દહેરામાં) ૧૫૭. સંવત ૧૬૧૩ વર્ષ પિષ વદિ ૧૦ બુધે સુર્યપુર વાસ્ત બીમાલી ઝા. મં. પેથા ભાર્યા સે પુત્ર મં. હરરાજેન ભ. જડતી સુત માલાદિ કુટુંબ યુનેન સ્વશ્રેયસે શ્રી શીતલનાથ બિંબ કા. પ્ર. તપાશ્રી રત્ન સેન સૂરિભિઃ | (અમદાવાદ. રીચીડ પર શ્રી મહાવીર સ્વામિના દહેરાસરમાં) ૧૫૮. સંવત ૧૬૧૯ માઘ શુદિ ૧૩ બુધે સુઈપુરે શ્રી શ્રીમાલી ગાં. વસિંગ ભા. ટબકુ પુત્ર ગાં. દેવાકેન ભી. દેવલદે ભ્રાતુ હેમાયા સડરાજ મન સુન પુ. શ્રી પતિ શ્રેયાથે શ્રી વિમલનાથ બિલ્બ કા. પ્ર. વૃદ્ધ તપા પક્ષે શ્રી ઉદયવલ્લભ સૂરિભિઃ શ્રીમાળી વાણીઆએના જ્ઞાતિભેદમાં આપેલા પ્રતિમા લેખમાંથી. (સુરત સુવિધિનાથ (દેસાઈળિ)ના દહેરાશરજીમાં.) ૧૫, સંવત ૧૫૫૧ વર્ષે વૈશાખ સુદિ ૧૩ ગુરે ઉપકેશ ઝા વૃદ્ધ સજજને છે કે હા ભા. કલ્હણદે પુ મના, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #296 -------------------------------------------------------------------------- ________________ શવા, નિહામ્રા ભાવ ગુજરિ પુ૨ દેવા, માંકા સહિતેન ભા દેવલદે સ્વ કુટુમ્બ યાર્થ શ્રી સંભવનાથ બિંબ કારા પ્રતિષ્ઠિત શ્રી બિવંદણુંકગ છે શ્રી શવાચાર્ય સંતાને કડક સૂરિભિઃ | (સુરત તાલાવાળી પિલમાં મંદીર સ્વામિમાં) ૧૬૦. ૧૫૧૧ વર્ષે માઘ વદિ પ શુકે શ્રી શ્રીમાલ વશે લઘુ સંતાને વ૦ મહુણા ભા. માણિકદે પુત્ર જગા ભાર્યા ગંગી સુ શ્રાવીયા શ્રી અંચલગચ્છનાયક શ્રી જયકેસરી સૂરિણા મુપદેશેન સ્વ શ્રેયાર્થ" કુંથુનાથ બિલ્બ કારિત પ્રતિષ્ઠિત શ્રી સંઘેન ! (સુરત હરિપર શ્રી શીતલનાથના દહેરાશરજીમાં) ૧૨૧. સં. ૧૫૯૧ ૧૦ પિસ૧૦ ૧૧ ગુરૌ શ્રી પાને ઉસવાલ લઘુ શાખાયાં દેટ ટાઉઆ ભાવ લિંગી પુ. લકા ભા. ગુરાઈ નાખ્ખા સ્વ શ્રેયાર્થ પુત્ર વીરપાલ અમીપાલ યુ. અંચલગ શ્રી ગુરુ નિધાન સૂરિ મુંબ કુંથુનાથ બિબ કા પ્ર! (કતારગામ લાડુઆ શ્રીમાળી જ્ઞાતિના દહેરાસરજીમાં) ૧૬૨. અલાઈમ્ય સં. ૧૬૫૬ વર્ષે વૈશાક શુદિ ૭ બુધવારે લઘુ શાખાયાં એસવાલ જ્ઞાતિય સ્તંભતીર્થ વાસ્તવ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #297 -------------------------------------------------------------------------- ________________ સાઅમીઆ ભાર્યો અમર પુત્રસકાહજીકન ભાર્યા મરઘાઈ પ્રમુખ કુટુંબ યુનેન સ્વ શ્રેયાર્થે શ્રી ધર્મનાથ બિબ કોર્તિ પ્રતિષ્ઠિતં ચ તપાગ છે શ્રી હરિ વિજ્યસૂરિ પટ્ટાલંકર ભટ્ટારક વિજ્યસેન સૂરિભિઃ શુભંભવતુ કલ્યાણું | (સુરત તાલાવાળાની જેલમાં શ્રી મંદીર સ્વામિમાં) ૧૬૩. સંવત ૧૬૫૯ વર્ષે વૈશાક શુદિ ૧૩ બુધે લઘુ ઉસવાલ જ્ઞાતીય સૂરતિ બંદિર વાસ્તવ્ય સાઇ દેવરાજ ભાર્યા ધનાદે સુત જેષ્ઠ સારુ ભાણજી લઘુ સુત સેમજ તદ ભાર્યા શ્રી લાલબાઈ કારિત ચતુર્વિશતિજિનપરિકરિત શ્રી શાંતિનાથ બિબ પ્રતિષ્ઠિત ચ તપાગ ભટ્ટારક શ્રી હીર વિજ્ય સૂરિ શિષ્ય શ્રી વિજયસેન સૂરિભિ. ૧૬૪ સંવત ૧૬૬૪ વર્ષ જેઠ સુદિ ૫ સોમે વૃદ્ધ શાખાયાં ઉકેશ જ્ઞાતિય સૂરતિ બંદિર વાસ્તવ્ય સા. નાનાભા. વઈજ બાઈ સુત સા. વસ્તુપાલ નામના ભા. હીરબાઈ સુત સા. અલવેશર કુંઅરજી હેમજી ભા. હરખદે. કમલાદે, પ્રમુખ કુટુમ્બ યુતન સ્વશ્રેયસે શ્રી સુપાર્શ્વબિંબ કા. પ્રતિષ્ઠિતં ચ શ્રી તપાગચ્છ પાતસાહિ શ્રી અકબર દત્ત બહુમાન ભટ્ટારક શ્રી હીરવિજ્ય સૂરિશ્વર પટ્ટાલંકાર પાતશાહિ શ્રી અકબર સભા લબ્ધ વાદિવાદ જ્યકાર ભટ્ટારક પુરંદર પ્રભુ શ્રી વિજ્ય સેનસૂરિભિઃ આ કંઢાર્ક નંદનાત્ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #298 -------------------------------------------------------------------------- ________________ (સુરત નગર શેઠની પેાલમાં ગાડી પાર્શ્વનાથમાં ૧૬૫ સંવત ૧૬૧૫ વર્ષે પાષ વદિ દ્ર કે શ્રી ભ્રુગુ કચ્છ વાસ્તવ્ય શ્રી શ્રીમાલ જ્ઞાતીય વૃદ્ધ શાખાય સા. જીવા ભાર્યા ખાઈ અમારા સુત દાસી માધવકેન શ્રી સુમતિનાથ મિશ્ર કારાપિત શ્રીલધુ તપાપક્ષે ભ. શ્રો વિજયદાન સૂરિભિઃ H પ્રકરણ ૪ શું. પ્રતિમા લેખ. સંગ્રહ કર્તા—ડાહ્યાભાઇ મેાતીચંદ્ર વીગેરે. સુરત સૈયદપુરામાં આવેલું ચંદ્રપ્રભુનું દેરાસર તેના ધાતુપ્રતિમા લેખ. [ટુક ઇતિહાસ—આ દેરાસરમાં નદીશ્વરદ્વીપની લાકડાના કાતર કામની રચના છે તથા અષ્ટપદ—મેરૂ પર્વત વિગેરેની પણ રચના છે તે બહુ જોવા લાયક છે. પ્રાચીન છે. ચિત્ર કામ ઘણું સુંદર છે. એને હાલમાં પુનરૂદ્ધાર કરવામાં આવ્યા છે. એ દેરાસરમાં ભોંયરૂ છે. તેમાં અલૌકિક મૂર્તિ છે. આ દેરાસર ઘણું પુરાણા વખતનુ' છે. એ દેરાસરની આસપાસના મહાલ્લામાં અગાઉ શ્રાવકાની વસ્તી ધણા મોટા પ્રમાણમાં હતી. પરંતુ હાલમાં ફક્ત બે ચાર શ્રાવકાનાં ધરા છે. પ્રથમ વસ્તી સારી હાવાને લીધે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #299 -------------------------------------------------------------------------- ________________ ઘણું લેકે પૂજા કરતા હતા. પરંતુ હાલમાં વસ્તી ઓછી હેવાને લીધે એકાદ ઘર સિવાય કઈ પૂજા કરતું નથી. આ દેરાસરને વહીવટ વડાચૌટા, ખબુતરખાનાના રહીશ શેઠ ચુનીલાલ શરચંદ કાપડીઆ કરે છે. તેઓ પોતે અસલ સૈયદપુરામાં રહેતા હતા એ દેરાસરને અંગે સાધારણ ખાતાનાં બે ચાર મકાન પણ છે ને તેની ભાડાની આવક આવે છે. પરંતુ તેમાંથી ખર્ચ પૂરે પડતું નથી. માટે દેરાસરના વિભાગને માટે તેમજ ઉપર જણાવેલી રચનાઓના પુનરેદ્ધારને માટે તેમજ દેરાસરના પુનરોદ્ધારને માટે હજી ઘણી રકમની જરૂર છે. આશા છે કે સખી દિલના ઉદાર ગૃહ એ બાબત ઉપર તાકીદે લક્ષ આપશે. આ દેરાસરમાં જ્ઞાનવિમલ સૂરિની પાદુકા છે. તે પણ ઘણું પ્રાભાવિક અને પ્રાચીન છે. તે પાદુકાની દેરીને પણ જીર્ણોદ્ધાર કરવાની ખાસ આવશ્યક્તા છે, જ્ઞાનવિમલસૂરિ ૧૭૭૫ ની આસપાસ થઈ ગયા. એમના વખતના લેખે આ લેખમાં ઉતારેલા છે. આ દેરાસરમાં સુરતના જૈને દરવર્ષે પર્યુષણમાં ભાદરવા સુદ ૪ ને દિવસે બારસાસુત્ર સાંભળ્યા પછી ચૈત્ય પરિપાટી યાને જુહાર કરવા સારૂ ધામધુમથી જાય છે. સુરતના પ્રાચીન દેરાસરોમાંનું આ એક પ્રાચીન દેરાસર છે. એનું અસલનું રંગીન કામ, ચિત્ર કામ, પટો વિગેરે ખાસ જોવા જેવાં છે. જૈન ધર્મના જુદા જુદા સિદ્ધાંત તથા જુદી જુદી કથાઓ ઉપરના ચિત્રો તેમાં મળી આવે છે.] ૧૬. સંવત ૧૫૪ર વર્ષે વૈ. સુદિ ૧૦ ગઉ શ્રી શ્રીમાલ જ્ઞાતીય સં. ગંધરાજ ભા. ગુફીસુ શાંદાદા કેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #300 -------------------------------------------------------------------------- ________________ સારૂ સુ. નગરાજ યુતેજ શી &ભવાય બિંબ કારાપિત તપાપક્ષ શ્રી ઉદયસાગરસૂરિભિઃ પ્રતિષ્ઠિત ગધાર વાસ્તવ્ય કલથાણું ભૂપત્. ૧૬૭. સં૧૫૫૫ વર્ષે વૈશાખ સુ. ૩ નૈ શ્રી ગંધારાવારતવ્ય શ્રી હુંબડજ્ઞાતીય સં. નાકર, ભા. સં. ડાહી સુત સં. સી. પાન ભગીની પ્ર. રત્ન શ્રી ગણિ શ્રેયાર્થ શ્રી કી શ્રેયાંસનાથ બિલ્બ કારિત શ્રી વૃદ્ધ તપા પક્ષે ભ. શ્રી ધર્મરત્નસૂરિભિઃ પ્રતિષ્ઠિતું. ૧૬૮. સંવત ૧૬૧૫ વર્ષે પિષ વદિ ૬ શુકરે શ્રી ગધારવાસ્તવ્ય શ્રી શ્રીમાળી જ્ઞાતીય શા પાસ વીર ભાર્યા પૂતલિ સુત સા વર્ધમાન ભા બાઈ અમરાહે નાસ્ના સુશ્રેયાર્થે શ્રી શાંતીનાથ બિંબ કારાપિત શ્રી તપાગચ્છ, શ્રી વિજયદાનસૂરિસિક પ્રતિષ્ઠિત શુમં ભવતુ: ૧૬ સં. ૧૫૩૮. શુ. ૩ સે. પ્રા. 9. વ્ય. સાલિગ ભા. સુહાસિનિ પુ. બ. માસાદ્ધિ ભા. દુબી પુ. થાવર. ભા. નાગિણી ધાવરણ માતૃપિતૃ શ્રેષાર્થ શ્રી અજિતનાથ બિલ્બ કારિત પ્ર. અરિભિ શ્રી અહમ્મદાવાદે. ૧૭૦. સંવત ૧૫૬૫ વર્ષ વૈશાખ વદિ ૩ રે હુબડજ્ઞાતીય વૃદ્ધ શાખાયા ગાંધી સુરા ભા. રંગાઈ સુ ગાં. કાઉઆ શ્રીવય ભા લસમારે ભા રત્નાદે પ્રમુખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #301 -------------------------------------------------------------------------- ________________ સમસ્ત કુટુંબ શ્રેયાર્થે શ્રી શ્રેષાંસનાથ ર્બિ કારિત પ્ર. શ્રી વૃદ્ધ તપાપક્ષે પૂજય શ્રી ધર્મરત્નસૂરિભિઃ પ્રતિષ્ઠિતં શ્રી શ્રી. ૧૭. સંવત ૧૫૩૧ વર્ષે વૈ. સુદિ પ સામે શ્રી શ્રીમાલ જ્ઞા, મં ભા. માતા પહુ સુલ નાસાકેન ભા કબી સુ. સુરાદિ કુટુંબમૃતેન શ્રી શ્રેયાંસાદિ પંચતીથી આગમ છે શ્રી અમરત્નસૂરિ ગુરૂ ઉપદેશેન કારિતા પ્રતિષ્ઠિતા ચ. વિધિન લગામ વાસ્તવ્ય: ૧૭૨. સંવત ૧૫૧૬ વર્ષ પોષ વદિ ૬ શુક્ર શ્રી ગંધારવાસ્તવ્ય શ્રી શ્રીમાલ જ્ઞાતી સા દ્વિપા ભાર્યા રૂદિ સુત. શા. પાસવીર ભાવ પ્રભિ સુત શા વર્તમાન જા મા પરિવારેન યુનેન સ્વ શ્રેયાર્થે શ્રી આદિનાથ ચર્તુવિંશતિ પટ્ટ કારિત: શ્રી તપાગ છે શ્રી વિજયદાનસૂરિભિઃ પ્ર. તિષ્ઠત: શુભ-ભવતુ. ૧૭૩. સંવત ૧૫૪૭ વર્ષ વૈશાખ સુદિ ૩ સામે કપલ. જ્ઞા. છે. સરવણ ભા. આસુ સુત સં. બાબા ભા. સં. કઉતિગદે નામના નિજ શ્રેયસે શ્રી સંભવનાથ બિંબ કા. પ્રતિ. શ્રી લક્ષ્મીસાગરસૂરિ પદે શ્રી સુમતિસાધુ સૃષિભિઃ શ્રી: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #302 -------------------------------------------------------------------------- ________________ યુ ૧૭૪. સવત ૧૫૧૩ વર્ષ ફાગણ સુદ ૧ શુકરે શ્રી શ્રીમાલ જ્ઞાતીય. ઢો ધનપાલ. શેઠ નાઈ પુત્ર~સા. વાધાચ નાવાધા ભા. ધિ ધૃ સુતા દ્રા વાગા ક્ષુદ્દા બદા સદા ઢ વાંછા ભા. લક્ષ્મી તયા આત્મ શ્રેયસે શ્રી શાંતિનાથ મિત્ર” કારાપિત શ્રી આગમગથ્થુ શ્રીહેમરત્નસૂરિભિ પ્રતિષ્ઠિત . ૧૭૫, સંવત ૧૫૮૭ વૈ. વ. ૭ સામ. લા. સા પુત્ર સા. પુ. સવરાજ વીરપાલ. વિદ્યાધર ભા. રંગૂ નામ્નયા શ્રી પાનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત તપાગચ્છે શ્રી સૈાભાગ્યહ સૂરિશિઃ - ૧૭૬. સવત ૧૭૭૩ વર્ષ ૫. વૈ. સુ. ૧૧ સુધે સુરતિષ્ઠા શ્રીમા જ્ઞા. વૃદ્ધ સા સામાનિક જી ભા. કલ્યાણના કેત મુનિસુવ્રત પ્રતિમા ભા. શ્રી જ્ઞાનવિમલસૂશિભ: ૧૭૭. સવત ૧૬૮૭ ફા. સુ. ૫ પાર્શ્વનાથ ત્રિખ કા. પ્ર. ભ. શ્રી વિજયદેવસૂભિ તપાગચ્છે. ૧૭૮. સંવત ૧૪૭૬ વર્ષ ચૈત્રર વિદ ૧ શનૈ શ્રી શ્રીમાલ જ્ઞાતીય મહે પત્રામલ ભા. (પ્રતિમા ખંડીત છે તેથી ઉકલતું નથી.) પૂત્ર સહેમાતરા કેન શ્રી સુમતિનાથ ત્રિંબ કારિત શ્રી વૃદ્ધ થરાદ્રાગણે શ્રી પૂર્ણ ચંદ્રસૂરિભિઃ પ્રતિષ્ઠિત સર્વ સૂિિભઃ શુભ ભવતુ કલ્યાગ્ ભવતુ । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #303 -------------------------------------------------------------------------- ________________ આ દેરાસરમાં જુનામાં જુની પ્રતિમા છે.) ૧૭. સં. ૧૮૩૩ માઘ સુદિ ૫ બુધે વૃદ્ધ શાખાયાં શ્રીમાલ જ્ઞાતા બાઈ નંદકુમાર કયા પૂણ્યાર્થ. ૧૮૦. સંવત્ ૧૭૪૧ વર્ષ વૈશાખ સુદિ ૩ રવો શ્રી વાસુપુજ્ય બિબ કૃત શ્રી સઘન પ્રતિષ્ઠિત આણંદબાઈ. ૧૮૧. સં. ૧૭૬૧ વ. વૈશાખ સુદિ ૭ ગુરૌ સૂવતિ વા- શ્રી શ્રીમાળી જ્ઞા. વૃદ્ધ શાખામાં રૂ૫છક સુ. ભા. બાઈ રાધાક્યા રવ. પુત્ર નાનચંદ શ્રેયાર્થ* શ્રી સંભવ બિંબ કારિત પં શ્રી જિન વિજયગાણિભિઃ ૧૮૨ સ. ૧૮૩૩ વર્ષ માઘ સુદિ પ બુધે શ્રી વિજય ધર્મસૂરિ ઉપદેશાત્ સા ગણેશ ભાર્યા....નાગ્ના શ્રી સુપાવનાથ બિંબ કારાપિત. ૧૮૩. સંવત ૧૭૪૪ વર્ષ અષાડ સુદિ ૪ ગુ. દિન સુમતિનાથ બિંગ કારાપિત સુવિધ્ય) સાધુ પ્રતિષ્ઠિત (). બરાબર ઉકલતું નથી. ૧૮૪ શ્રી શાંતિનાથ બિંબ (બપીની કારા)બરાબર ઉકલતું નથી. ૧૮૫. સંવત્ ૧૮૧૭ વર્ષ માઘ સુદિ ૨ શુકે શ્રાવિકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #304 -------------------------------------------------------------------------- ________________ પાપડીબાઈ શ્રી ચંદ્રપ્રભ; બિંબ કારાપિત પ્રતિષ્ઠિત શ્રીઉદયસાગરસરિભિઃ ૧૮૬. સંવત ૧૭૭૬ માઘ સુદિ ૧૧ બુધે સુરતિબંદરવાળા કલાણ શ્રી શાંતિનાથ બિંબ શ્રી જ્ઞાનવિમલ સૂરિભિઃ ૧૮૭. સંવત્ ૧૭૮૦ સુદ ૯ સેમ-આદિનાથ બિંબ કા. પ્રતિષ્ઠિત શ્રી જ્ઞાનવિમલ સરિભિઃ (આ પ્રતિમામાં બે પ્રતિમાં છે. મેટી પ્રતિમાનાં પોલા પલાઠીમાં એક નાની પ્રતિમા છે.) ૧૮૮. સંવત્ ૧૮૧૫ વર્ષ. ફ. સુ. ૭ સેમ વૃદ્ધ શ્રીમાળી જ્ઞાતપુન ઇંદુરકેન અભિનંદન બિંબ કારિત. ૧૮૯ સંવત ૧૮૧૫ વ. ફ. સુ. ૭ સામે વૃદ્ધ શ્રીમાળ જ્ઞાતિય સા લખમીચંદ ભા. વિજયકુવર તથા સુવિધિનાથ બિંબ કા. પ્રતિષ્ઠિત. ૧૯૦ સંવત ૧૮૧૫ વ. ફા. સુ. ૭ સોમે વૃદ્ધ શ્રીમાલી વંશે શા. દેવચંદ ભા. છવિ તયા શાંતિબિબ કારા પિત પ્ર અંચલગ છે. ૧૧. સંવત ૧૮૧૫ વર્ષ ફા. સુ. ૭ સામે શ્રીમાળી જ્ઞાતીય શાંતિદાસેન આદિશ્વર બિબ સ. લા. શ્રી ઉદયસાગરસૂરિશિ: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #305 -------------------------------------------------------------------------- ________________ 龍 ૧૯૨. સવંત ૧૮૧૫ વર્ષ. ફ્રા. સુ. ૭ સામે શ્રી શ્રીમાલી વંશીય ચંપુલ તથા ચંદ્રપ્રભુમિમા પ્ર. . શ્રી ઉદયસાગરસૂરિભિઃ શ્રી રતિવિમ ૧૯૩. જા. જીવાજી ગુ. પ્રતી.......... સર્ફિલ: ૧૯૪. મા. હાંસલદે પ્ર. શાંતિનાથ ખિખ શ્રી વિજ યદાનસૂરિ ૧૯૫. સ. ૧૮૩૦ મહા સુદી ૫ સેામે શ્રી ત્રાણુ દ પાર્શ્વનાથ બિમ ૧૬. સ’. ૧૮૧૫ રા. ફ઼ા. સુ. ૭ સામે શ્રીમાલી જ્ઞાતી વદાઈ મેતા નામના શ્રી વાસુપુજ્ય મંત્ર ભરાવ્યા શ્રી ગુણમ • ૧૯૭. શ્રી સંભવનાથ ત્રીજા. ૧૯૮. ગજપાલ, શ્રી રા’ભવનાથ બિંબ વિજયદાનસૂરિ ૧૯૯. શ્રી મહાવીર ગા. નમઃ સનાઆ (બરાબર વંચાતું નથી ). ૨૦. સ’. ૧૯૧૫ વર્ષે ફ્ા. સુ. ૭ સામે શ્રી શ્રીમાલી વશે સા. ઇદ્રત સા....ભાŕપી શ્રી ચંદ્રપ્રભુમિત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #306 -------------------------------------------------------------------------- ________________ - ૨૦૧. સ. ૧૮૧૫ વ. ફા. સુ. ૭ સેમે--માતાચંદનબિંબ કારિત પ્રતિષ્ઠિત, વિધિપક્ષે. ૨૦૨. શ્રી અભિનંદન સ્વામીજ. - ૨૦૩. શ્રી પદ્મપ્રભ: સ્વામી. ૨૦૪. સં. ૧૮૩૦ મહા સુદી ૫ સેમે બાઈ દેવતા શ્રી આદિશ્વર બિબ કારાપિત તપાગચછે. ૨૦૫. સં. ૧૬૬૪ મા. સુદી. ૧૦ શ્રી-કાદિ નામના શ્રી વાસુપુજ્ય બિંબ કા. પ્ર. તપાગચ્છ શ્રો વિજયસેનસૂરિ. ર૦૬. સં. ૧૭૭૩ ૧. સુ. ૧૧ શ્રી સુરતી વેજબાઈ કયા શીતલનાથ બિંબ કા. પ્રતિ. શ્રી જ્ઞાનવિમલસૂરિ ૨૭. સં. ૧૭૧૫ ફા. સ. ૫ ગુર મા કલ્યાણકારી (વંચાતું નથી) શ્રી ચંદ્રપ્રભ: બ. નાથબાઈ. ૨૦૮. શ્રી સુમતિનાથ બિબ પ. ર૦૯ સં. ૧૭૭૬ વિ. ૧૧ બુધે સુરતિબંદર વાસી શ્રી શાંતિનાથબિંબ પ્રતિષ્ઠિતું. શ્રી જ્ઞાનવિમલ. સૂરિભિઃ ૨૧૦. સં. ૧૮૧૫ વ. ફા. સુદ ૧ સેમ શ્રીમાલી વશે ૧ શા કબિર (વંચાતું નથી). ૨૧૧. સં. ૧૮૧૫ વ. ફ. સુ ૭ સોમે શ્રીમાલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #307 -------------------------------------------------------------------------- ________________ ચા સા ઈંદ્ર તસ્ય ભાર્યો જીવી. શ્રોમલ્લીનાથ ખિમ ૨૧૨. વાલીબાઈ શ્રી કુંથુનાથમ્બિંગ વિજયદાનસૂરિ ૨૧૩. સ. ૧૮૧૫ ૧. ફા. ૭ સામે શ્રી શ્રીમાલી વશે સા. ઈંદ્ર તા. ભાપે જીતી ધર્મનાથ ત્રિમ ભ. શ્રી ઉદયસાગર: ૨૧૪. સ. ૧૮૩૩ માત્ર સુદી ! દીને સા. વેણીદાસેન શ્રી અજિતનાથ મિત્ર ભરા. ૨૫. સ. ૧૮૧૭ વર્ષે માધ સુદ ૨ શુકરે વૃદ્ધ શ્રીમાલી જ્ઞાતીય-આઈ કેન શ્રી સુમતીનાથ જિંત્ર કા. પ્ર. ભ. શ્રી ઉદયસૂિિભઃ ૨૧૬. શ્રી શીતલનાથ બિ. શ્રી વિજયદાનસૂરિ ૨૧૭, શ્રી અજિતનાથ મિ પ્ર. જ્ઞાનવિમલસૂરિિ ૨૧૮. દાસ શ્રી વાસુપૂત બિંબ વિજયદાનસૂરિ ૨૧. સ. ૧૮૧૫ વ. ફા. સુ. ૭ સેા, શ્રી-ચંદ્ર પ્રભ ત્રિમ. કા. એ. ના. ગઝુધર ગઉત્તમ સ્વામીને નમ: ૨૨૦ સવત્ ૧૯૭૩ વર્ષ શ્રી પાનડી ખાઈના પ્રતિડાષિત એ. ના, શ્રી વિમલેધરાય નમ: ઓ. એ. ૯. રો સિધાઇંકાયૈ નમ: ( આરસના મેટા સિદ્ધ ચક્ર છે, તેમાં તેમાં આચા ઉપ!પાય અને સાધુ એ ત્રણુની મૂર્તિ સાધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #308 -------------------------------------------------------------------------- ________________ રૂપે કાતરેલી છે તે સાધુની મૂર્તિ ઉભા આકારની છે. હાથ જોડી ઉભેલી છે. ) ૨૨૧. ( નાની પાટલી) સવંત ૧૫૮૭ વર્ષ શ્રી પાર્શ્વનાથાય નમઃ ૨૨૨. (એક સિદ્ધ ચક્રના ઘાટનું પણ સિધ્ધ ચક્ર નથી શ્રી સુવ્રતસ્ય ખિખં દ્રશ્ય નામના સૂર્ણાંક સંભવ પ્રસન્નામ ભવ શાંતિ....વૃદ્ધિ જયમ વાજયમ સભાગ્ય કુરૂ ૨ સ્વાહા. (સૂર્ય'નુ' મંત્ર જેવું છે) (સૂર્યનું વચમાં મેલુ છે. અને આસપાસ આઠ દેવ જેવા આકાર છે. ) ૨૨૩. ઘંટાકરણની એક નાની સરખી પાટલી છે. એ સિવાય ત્રીજી પણ પાટલીઓ છે તથા એક પીતળની રકાબી છે. તેમાં પણ અમુક મંત્રા કાતરેલા લખેલા છે. ) (દેરાના ઉપલા ભાગમાં પટ. ) ૨૨૪, 'વત્ ૧૮૩૩ મા વર્ષ મહા સુદિ ૫ વાર મુદ્દે શ્રી બૃહત્ ખરતર ગચ્છે શ્રી અષ્ટાપદ તીર્થ પટ ભરા પિત શ્રી મોતીચંઢ સા જીત સા ભાર્યો અમૃત કુંવર પટ ભરાતિ. (આ પટનાં વચલા ભાગમાં પાંચ પાંચ ભગવાન વાલી હારનાં એવી ચાર હાર મળી ૨૦) વિહરમાન ખિમ છે. ખાજીમાં એ સિદ્ધ ચક્રના આકાશ છે સિદ્ધ ચક્રો છે) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #309 -------------------------------------------------------------------------- ________________ પ ઉપર ચામુખજી આબુનું ચિત્ર છે તથા સમેતશિખરનુ ચિત્ર છે. ડાખી ખાજીએ અષ્ટાપદનુ ચિત્ર છે, તથા નીચે સિદ્ધગીરી અને ગીરનારનાં ચિત્રો છે) એમ કરી પાંચ તીર્થોનાં ચિત્રો છે આ પટ પંચધાતુને છે. ( આ પને મળતા પટ સુરતમાં પડાળની પાળના દેરાસરમાં પણ છે. ) (ભેાંયરામાં પટ.) ૨૨૫. વત્ ૧૭૮૪ વર્ષ મહા સુદી ૧૦ પુષે શ્રી શ્રીમાલી જ્ઞાતીય શ્રી સુરતિ વાસ્તવ્ય મા. ઇંદ્રાણીના સ્થા સ્વ. શ્રેયા ચતુવિસતિ જિનપદ્મકારાપિત પ્રતિષ્ઠિત : શ્રી વૃદ્ધ તપાગચ્છાધિરાજ. ભ. શ્રી વૃદ્ધ સાગરસૂરિ રાજ્યે એ શ્રી જીનચંદ્ર–લિ. શુભ મસ્તુ ( મથાળે ૨૪તીર્થંકરનાં મિત્ર કાતરેલાં છે. વચમાં સમેાસરણના ઘાટ છે સઉથી નીચે સિદ્ધચક્રને આકાર કાતરેલા છે જમણી ખાજીના પાસા પર વીસ પગલા કાતરેલાં છે (ચાર ચારની હારમાં) પગલાની નીચેનાં ભાગમાં એક હાથી કોતરેલા છે અને તેની માઝુમાં પગલાં છે. ) (ભાંયરામાં પાદુકા,) ૨૨૬. સવત્ ૧૮૩૩ વર્ષ માઘ સુદિ ૫ દિને બુધવાર સહુ સકલ પર તપસ ધન સ્થિતિ વસત પા વિનીતવિજયગણિ તપચરગુારવિંદ મધુકર પ. દેત્ર વિજયણ પાદુકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #310 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠિતા. ચ. પં. ઉતમવિજય ગણિના શ્રી સુરતિબંદીરે એક પાદુકામાં એ પાદુકા છે. ૨૨૭. સ’વત ૧૮૩૩ મહા સુદિપ બુધે શ્રી વિનય વિજય ગણિના પાદુકા પ્રતિષ્ઠિતા શ્રી સુરતી બંદીરે પુનઃ નવીકૃતા. ૨૮. મહાપાધ્યાય શ્રીસુમતિ વિજય ગણિનાં પાદુકા પ્રતિ. પ. ઉતમવિજય, આરસની પ્રતિમા. (ભેાંયરામાં આરનાથ ભગવાનની પાત્રાણુની આરસની-પ્રતિમા) સંવત ૧૮૨૨ વર્ષ વૈશાખ સુદિ ૧૩ ગુરો એસવાલ જ્ઞાતીય વૃદ્ધે શાખામાં શા.—સુત શા. મેાતીચંદ્ર કેન ૧૮ શ્રી અરનાથભિખ કારાપિત પ્રતિષ્ઠાપિત. ચ. શ્રી સાગર ગચ્છે શ્રી પૂન્ય સાગરસુરભિઃ શ્રેયસેતુ શુભ પાદુકા ૨૩૦. સંવત ૧૭૮૨ વર્ષ શાકે ૧૬૪૭ શ્રી ભટ્ટારક શ્રી શ્રી વિજયપ્રભસૂરિશ્વર પટ્ટ પ્રભાકર ભટ્ટારક શ્રી પં શ્રી શ્રી જ્ઞાનવિમલ સુરિશ્વર પાદુકૈન્યે નમઃ પ્રતિષ્ઠિત ભ, શ્રી. ૫ શ્રી સાભાગ્યસાગર સૂરિભિઃ શ્રી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #311 -------------------------------------------------------------------------- ________________ ૭ ( જ્ઞાનિવમલ સરની પાદુકા તથા દેરી-શુભ પ. દેરાસરના બહારના ભાગમાં આરડીમાં છે. ) આ દેરાના તાકીદે જીર્ણોદ્ધાર કરવાની જરૂર છે. આ પાદુકા ઉપરથી એમ લાગે છે કે જ્ઞાનવિમલસૂરિ ૧૭૮૨ માં કાલ કરી ગયા હાવા જોઇએ. તેમના ગુરૂ વિજ યપ્રભસૂરિ થઇ ગયા. અને તેમના શિષ્યમાં અથવા અનુચાયીમાં સૌભાગ્યસાગર સૂરિ થઈ ગયા. આ દેરાસરમાં સ. ૧૮૧૫ ની ઘણી પ્રતિમાઓ જોવામાં આવે છે તેમજ જ્ઞાનવિમલસૂરિના વખતની તથા વિજ્યદાન સિરના વખતની તથા ઉદયસાગરના વખતની પ્રતિમાઓ પણ ઘણી છે. એ ઉપરાંત આ દેરાસરમાં નંદીશ્વરદ્વીપની રચના છે તેને સારૂ ચામુખે-ચાર પ્રતિમા એકી રાાથે બેડેલી લગભગ બે ડઝન છે તથા ગેર્ પતિ અથવા ખીજી પત ઉપર પ્રતિમાએ ચાચુખા છે-એવી ચાર પ્રતિમાઓ છે તથા હાડી આકારની ધાતુની ચીપે જેના વચલા ભાગમાં પ્રતિમા છે એવી પશુ પ્રતિમાઓ છે. ૨૩૧. (સુરત જીલ્લાના ગામ એરપાર્ડનુ શાંતિનાથ જીનું દેરાસર) સંવત્ ૧૫૭૧ વર્ષે આસવસ શ્રી આ ગાત્ર સ. સૂરા પુત્ર શાહ સાર ંગ ભાગે સારંગદે પુત્ર રાિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #312 -------------------------------------------------------------------------- ________________ સા, સહજપાલ ભાતુ સા. પારસ શાહ સહજપાલ ભાય ધનાઈ સકુટુંબ યુનેન શ્રી આદીનાથ બિલ્બ કારિત ઉકેશગછે શ્રી સિદ્ધસૂરિ પ્રતિષ્ઠિત શ્રી રસ્તુ -- - પ્રતિમાલેખો. [ સુરત-કલ્યાણ પાર્શ્વનાથનું દેરાસર, વડાચૌટા.] ર૩૨. સં. ૧૫૦૯ વર્ષે અષાડ સુ. ૧ શુકે શ્રી શ્રીમાલ જ્ઞાતીય સં. વીરમ ભાર્યા મેથી તમે સુતેના સં. ચંદ્ર નાખ્યા ભા. સૂવદે સુતાં પ્રથમ મં. નારાણાદિ કુટુંબયુતન નિજ શ્રેયસે શ્રી શાન્તિનાથ બિલ્બ કારીત નાગેશ્રગ છે શ્રી ગુણસમુદ્રસૂરિભિ પ્રતિષ્ઠિત શુભ ભવતું ૨૩૩. સંવત્ ૧૫૬૫ વર્ષે માઘ સુદિ પ ગુરો ઉકેશવશે છે. પના ભાર્યા જબાઈ પુત્ર પુણ્યપાલ ભાર્યા ફ૬ ના સુતા પાર્વતી પૌત્રયુતયા શ્રી શીતલનાથ બિલ્બ કારોપિર્ત પ્રતિષ્ઠિત શ્રી તપગચ્છ શ્રી ઈદનદિસૂરિભિ શ્રી રતું. શ્રી: શ્રી અહમૂદાવાદ દોહિત્ર ચાંપસી શા. હાલુભા. ઘેટી સુતયા ફદુ નાના કારિતં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #313 -------------------------------------------------------------------------- ________________ ૬૯ ૨૩૪. સંવત્ ૧૫૩૪ મા જ્ઞાતીય છે. જેસા ભા. ગર્દૂ સુત પિત સુત હામા જૂડાંભ્યાં પિતુ શ્રેષસે શ્રી કારિત. શ્રી પૂર્ણિમા પક્ષીય શ્રી ઉપદેશેન પ્ર. વિધિના: પ શુક્રૂ શ્રી શ્રીમાલ ખચા મારૂ નાઈ અરનાથ બિસ્મ સાસુ દરસૂરિનાં ૨૩૫. સંવત્ ૧૬૫૪ વર્ષ વૈશાક સુદિ પંચમી સામે એશવલ જ્ઞાતિય આઇંાિ ગાત્રે સાંકુ સાયં સા॰ શ્રીપાલ ભાયે સીતાદે પુત્ર શા. ચાંપસી ભાર્યો ચાંપલદે સુત સા॰ ગાવા ભાર્યા મુહદે સુત સા. શીવ-ત્ત ભાર્યો સંદેશ યુતૅન શ્રી આદિનાથ બિમ્બ' કારિત શ્રી ખરતરગચ્છે શ્રી જિનસિંહસૂરી પટ્ટે શ્રી જિનચ ંદ્રસૂરિભિઃ પ્રતિષ્ઠિત · સિદ્રિ’ અલાઇ ૪ર પાતિશાહ શ્રી અકબર જલાલ દિ(ન ) રાજ્યે ૨૩૬. સંવત્ ૧૫૩૧ વર્ષ મા વિદે આઝમ સેમે શ્રી શ્રીમાલ જ્ઞાતિય મ. વાચ્યા સુત મ, પૂજા ભાર્યા લીલુ સુત મ. હીરા ભાર્યા કૃતયા સુશ્ચેષસે શ્રી અજીતનાાિદ પતિથી આગમ ગચ્છેશ શ્રી દેવરત્નસૂરિ ગુરુપદેશૅન કારિતા પ્રતિષ્ઠાપિતા. ૨૭. સંવત્ ૧૫૮૬ શ્રી શાન્તિનાથ સેવિક ભા. લીલુ સુત છાંછા કંસારી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮. સંવત્ ૧૫૫૬ વર્ષે વૈશાક સુદિ ૩ શ્રી પ્રાગ વાટ જ્ઞા. વા. વિલા ભાર્યા મનસુત વા. (વ્ય) હેમા સંઘા હેમા ભાર્યા હેમાદે પુત્ર દેવદાસ યુનેન સ્વ શ્રેયસે શ્રી આદિનાથ બિલ્બ કા. પ્ર. તપાગચ્છ નાયક ભ. શ્રી હેમવિમલ સરિભિઃ શ્રી. ૨૩. સંવત ૧૬૬૪ વર્ષે જેષ્ઠ સુદિ " સેમ વૃદ્ધ શ્રી શ્રીમાળી જ્ઞાતિય સા. રામજી સુત માતા ચંડ સુન સા મલજી ના સ્વ શ્રેયસે શ્રી પાર્શ્વનાથ બિલ્બ કા. પ્ર. તપાગચ્છ ભટ્ટારક શ્રી વિજયસેન સૂરિભિઃ ૨૪૦. સંવત ૧૮૮૧ શાકે ૧૭૪૭ (પ્રવર્તમાને) શ્રી અંચલ ગણે શ્રીમાલા જ્ઞાતિય લીલ ખમીબાઈ શાનિતનાથ બિ કારાપિત પ્રતિષ્ઠિત ભ. આણંદમ સૂરિસિ: ૨૪૧. સંવત્ ૧૫૧૬ વર્ષે ફા. શું. ૩ શકે શ્રી શ્રીમાલ જ્ઞા. મે. જા. ભાર્યા ગમતી પુ... ચાંપાકેન કુટુંબ ગુએન સ્વ શ્રેયસે શ્રી મુનિસુવ્રત સ્વામિ બિઓ કા. શ્રી સાધુ પૂર્ણિમા પક્ષે શ્રી પુણ્યચંદ્ર સૂરિણા મુ. પ્રતિ શ્રી વિજયચંદ્રસુરિણ વિધિના માતર વાસ્તવ્ય. ૨૪૨. સંવત્ ૧૪૭૦ (અક્ષરે ઘણું ઝાંખા છે. ઉકલતા નથી માટે લખ્યા નથી.) શ્રી આદિનાથ બિએ શ્રી ગુણસાગર સરિણું પ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #315 -------------------------------------------------------------------------- ________________ * ર૪૩. સંવત્ ૧૫૬૪ ચૈત્ર સુદિ ૫ શુકરે શ્રી શ્રીમાલ જ્ઞા. મ. ડાહિયા સુત્ર સારંગ ભાવ અજા સુટ ડામર રંગાભ્યાં પિતૃમાતૃ શ્રેષાર્થમ શ્રી પડાપ્રભસ્વામિ બિલ્બ કારપિત પ્ર. શ્રી ભ શ્રી વિદ્યાશેખર સૂરિભિ પ્રતિછિત નાદિડા વાસ્તવ્ય. ૨૪૪. સંવત ૧૫૨૭ માઘ વદિપ પ્રાગવાટ સં. મેઘા ભાઇ સાપુ સુત સત્ર શિવા ભાવ શિસાદે સુત જીણદત્ત ભાવ રંગાઈ સુત પુજાકેન પિતામહ શ્રેયસી શ્રી સંભવ બિલ્બ કા. પ્ર. તપા શ્રી લર્મિસાગર સૂરિભિ ચંપકનગર વાસ્તવ્ય: ૨૪૫. સ્વસ્તિ શ્રી સંવત્ ૧૫૧૩ વર્ષે વૈશાક સુદિ ૨ સેમ શ્રી પ્રાગવાટ જ્ઞાતિય મં. વરસીંગ ભાર્યા બાઈ મનુ પુત્રાદા પુત્રેણ દે. ઠાયીયા નાગ્ના ભાર્યા શ્રી હરસુત દે. અદાસદા માણીક શ્રીપતિ પ્રમુખ સ્વ કુટુમ્બ યુએન શ્રી આદિનાથ બિલ્બ શ્રી વૃહત તપાગછે. ભ. શ્રી વિજચધર્મ સૂરિપદે શ્રી વિજયસેનસૂરિભિઃ પ્રતિષ્ઠિત. ૨૪૬. શ્રી સુરત સંવત ૧૯૫૪ ના શ્રાવણ વદિ ૪ વાર શુકરે શા. કસ્તુરચંદ હરખચંદની વતી ભાર્યા બાઈ જડાવે આદિનાથ બિમ્બ ભરાવી. ૨૪૭. સંવત્ ૧૬૯૭ વર્ષે ફા. સુ. ૫ સાનમાં છ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #316 -------------------------------------------------------------------------- ________________ નાગ્ના શ્રી આદિનાથ બિલ્બ કા પ્રતિષ્ઠિત. વિજયસેન સૂરિભિશ્રીમાલ. - ૨૪૮. થાવર શ્રી શાન્તિનાથ શ્રી વિજયદાનસૂરિભિઃ ૨૪૯ સંવત ૧૮૫૭ જે સુદિ ૧૦ રવિ શ્રી. શા... શ્રી રામકુંવરના શ્રેયસે સુવિધિ બિલ્બ કારાપિર્ત પ્રતિષ્ઠિત શ્રી વિજયલક્ષ્મિ સૂરિભિઃ ૨૫૦. શાહ શિવચંદ મેઘુભાઈની વહુ બેનકેરના નામની સંવત્ ૧૯૫૧ પોષ સુદિ ૧૩ વાર બુધે. ૨૫૧. સંવત ૧૮૬૬ વર્ષે વૈશાક સુદિ છઠ પિરવાડ જ્ઞાતિ વાદિદેવ. ૨૫. સંવત્ ૧૬૯૭ વર્ષે ફાગણ સુદ ૫ સા. ધનજી ભા. ફલાં નાખ્યા શ્રી પાર્શ્વનાથ બિલ્બ કા. પ્ર. શ્રી વિજયસેન સૂરિભિઃ શ્રીમાલ. ૨૫૩. સંવત ૧૮૮૧ ચૈત્ર સુદ ૨ દેવસૂર છે કેવલબાજી કરાતં ભ. આણંદમ સૂરિભિઃ પ્રતિષ્ઠિત. ૨૫૪. સંવત ૧૮૨૨ વર્ષે સા ક...સા. હિતેન... પદ્મપ્રભ બિલ્બ પ્ર. શ્રા પશાલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #317 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ૨૫૫. સંવત ૧૮૮૧ શાહ તિલકચંદકપુર કરાપિત આણંદમ. ૨પ૬. શા. શીવચંદ મચ્છુભાઈ સં. ૧૯૫૧ ના માગશર શુદિ ૩. ૨૫૭. સંવત ૧૮૮૫ શુદિ. ૨૫૮. શ્રી શ્રીમાલી વિશા જ્ઞાતિય સુરત પિતાની ભાયો બાઈ કશનાએ ભરાવી અનંતનાથ ૧૯૫૦ શાક સુદિ સાતમ શુકરે શુભમ. ૨૯. ભરૂચ બાઈ ખીમકોર શા. કલ્યાણચંદના ધણીયાણું. ૨૬૦. બાઈ ડાહી સંવત ૧૯૫૫ ના ફાગણ સુદિ બીજ ઉ. શાહ કીકાભાઈ ર૬૧. સંવત ૧૯૫૧ ના શ્રાવણ સુદ ૧૦ બુધે ચંદનપ્રભુજીની પ્રતિષ્ઠિા કરાવી શાડુ નવલચંદ લખમીચંદ શ્રીમાલી જ્ઞાતિય. ૨૬૨ દીપચંદ ગુલાબચંદ (પાર્શ્વનાથ) ૨૬૩ વખતચ દ્રણ અજીતનાથ ૨૬૪ વખતચંદ્રણ સંભવનાથ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #318 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ૨૬૫ સવત ૧૮૫૭ જેષ્ઠસુદિ ૧૦ રવૌ શ્રામાલી જ્ઞાતીય.... પ્રતિષ્ઠિત' શ્રી વિજયલક્ષ્મિ સૂરિલ: ચદ્રપ્રભ ખિમ્મ કારાપિત. ૨૬૬, સંવત્ ૧૮૮૧ વૅ. શુ, ૬ દેવસુર ગચ્છે શાહ પ્રેમચંદ કપુરચંદ કરા॰ આણુંદ સેમ સૂરિભિઃ પ્રતિષ્ઠિત (શ્રી વિમલ ભાષ્ય.) ૨૬૭. સંવત્ ૧૪૨ વૈશાક દે ખીજ દિ વૃદ્ધો કે જ્ઞા॰ સ. ડાયકરણ ભાર્યા ખાઈ હસુ નામ્ના શ્રી કુંથુ નાથ બિમ્બ” કા.પ્ર. તપાગચ્છેશ્રીવિજયસેનસૂશિક્ષ ૨૬૮. સંવત્ ૧૬૬૪ વર્ષ જેષ્ઠ સુદિ પ વૃદ્ધ ઉકેશ જ્ઞાતિય માઇ માનેખાઈ નાસ્તા શ્રી પાર્શ્વનાથ સ્ત્રિ કા. પ્ર. તપાગચ્છે વિજ્રચસેનસૂરિભિઃ ૨૬૯ સંવત્ ૧૬૬૧ વર્ષે વસીતય સેમ ખલાશર વાસ્તવ્ય પ્રાગવાટ જ્ઞાતિય વૃ॰ નાનજીડેન શ્રી પાર્શ્વનાથ મિસ્ત્ર કા પ્ર. તપાંગચ્છે ભ. વિજયસેન સૂરિિ ૨૭૦. સ’વત્ ૧૮૫૭ જેષ્ડ સુદિ દ્રશમ એન કુવરના પ્રતિષ્ઠત ભ. શ્રી ત્રિજયલક્ષ્મિ રિલિ: સુમતિ જિન બિમ્બ કારાપિત ૨૧. વિનવિજય લા. માકજીનામ ખારું ૧૭૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #319 -------------------------------------------------------------------------- ________________ ઉમ કારિત શાન્ત બિ પ્રતિષ્ઠિત ચ તપગચ્છે. ર૭૨. સંવત ૧૮૨૨ માહ વદિ ૫ શ્રી વિજય ઉદયસૂરિભિઃ પ્રતિષ્ઠિત શા. અશાજી વિરાડા ભરાપિત પાર્શ્વનાથમૂ ૨૭૩. સંભવનાથ બિસ્મ કા પ્રતિષ્ઠિત તપાગછે. વિનયવિજય. ર૭૪. બાઈ જત સિદ્ધચક્ર કારાપિતું. ભ. શ્રી વિજય લર્મિસૂરિભિ પ્રતિષ્ઠિતમ. ૨૭૫. સંવત ૧૭૩૭ વર્ષે પિષ સુદિ ૧ દિને પુષ્પાકે શ્રી નાયબાઈ પુત્રિયા શ્રી ફૂલબાઈ નાગ્ના શ્રી સિદ્ધચક્ર મંત્ર કારિત પ્રતિષ્ઠિત શ્રી મહોપાધ્યાય શ્રી યશે વિજય. ગણુિભિઃ શ્રી વિજયદેવસૂરિગછે. ૨૭૬, ૧૮૨૫ વર્ષે આશડ સુદિ ૧૫ માકશન સુત બોધલશાહ ભાર્યા ગુલાબ વહુક્યા શ્રી સિદ્ધચકં કારાપિત. ર૦૭. બાઈશ્રી માણક શ્રી સિદ્ધચક્ર ભરાપિd. ૨૭૮. સંવત ૧૯૩૧ના વર્ષે વૈશાક સુદિ ૧૩ મે ગુલાબબાઈના કહ્યા થકી પાનાચંદે કરાપિત. ૨૭૯. સંવત ૧૯૩૧ના વર્ષે વૈશાક સુદિ ૫ ચંદ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #320 -------------------------------------------------------------------------- ________________ g માટીમા ખાઈ નાથી ચંચલના કહ્યા થકી પાનાચંદ કુશલચંદ કરાયા છે. ૨૮૦. ખાઈ નાથખાઈ પુત્રી કુલખાઈ. (ભગવાનના નાના ચાંદીના પતરાં ન ર છે.) ૨૮૧, "" 27 શ્રી પડાવી પેળ. નેમિનાથનું દેરાસરજી, ૨૮૨. સંવત્ ૧૫૨૧ વર્ષે અન્નાડ વદી ૬ દિને પ્રાગ્ગાટ શ્રેષ્ઠી સારજણ–ભાર્યા-પાંચી-પુત્ર મણેાર–સીકેન ભાષ ગામતી સુત માણીક પ્રમુખ કુટુમ્બ યુતેન શ્રી વાસુપૂજય બિમ્બ કારિત – પ્રતિષ્ઠિત તપાગચ્છે શ્રી-શ્રી-શ્રી. લિમ સાગર સૂમિ ૨૮૩. સવંત ૧૪૭૯ વર્ષ મધ શુદિ ૪ દીને શ્રી કેશ શેવ કડ્ડયા પુત્ર દાદા પુત્ર રણમલ્લ શ્રાવકેણુ ભાતૃક ગગુ યુતેન પુત્ર દાદા પુત્ર મહીરાજ સક્રિતેન સ્ત્રપુન્યા શ્રી આદિનાથ બિમ્બ કારિતમ્ પ્રતિષ્ઠિતમ્ શ્રી ખાંતર ગચ્છે શ્રી જિનરાજ સૂફી પદે શ્રી જિનભદ્રસૂરિભિઃ ૨૮૪. સુરજવડું નાના શ્રી ( આસુદ્દીના ? ) બિમ્બ કારિત ૧૭૯૯ વર્ષ પેાષ સુદિ ૬ રવા ભક્તિસાગર સૂરિભિઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #321 -------------------------------------------------------------------------- ________________ وی ૨૮૫ સંવત ૮૦૨ માગસર સુદ ૧૩ ભાવદત્તા યાનમલ્લુ ખાઈ શ્રી સ’ભવનાથ કારા.... ૨૮૬. ૧ વિહાન પંદર ઈશ્વર સ્વામિ ૧૯૬૦ ૨૮૭, ,, "" "" "" ૨૮૮. સંવત ૧૮૧૫ ફાગણ સુદિ ૭ સામ શ્રી ગાતમ સ્વામિ. ૨૮૯. ઈંદ્રાણી શ્રી પાર્શ્વનાથ મિ» શ્રીવિજયદાન સૂરિભિઃ શ્રી શ્રી ૨૯૦ સંવત ૧૭૮૦ વર્ષે વૈશાક સુદિ ૯ સે!મ સુરતી વાસ્તવ્ય; પ્રેમજી સવજી ભાર્યો નવિખાઈ કેન ઞાદિનાથ ખિખ્ખુ કારાપિત પ્રતિષ્ઠિત તપગચ્છ શ્ર જ્ઞાનવિમલ સૃદ્ધિભિઃ ૨૯. મા૦ શ્રી મુલાકશ્રુ શુભ ભવતુ શ્રી ૨૯૨ સંવત ૧૯૮૦ વર્ષે વૈશાક સુદિ ટુ સેમ પિર સુરાપુ ગગડાણ પુત્રન ુઇ કે.........શ્રી ચન્દ્રપ્રભસૂતિ કારાષિત પ્રતિતિ તપાગચ્છે શ્રી વિજયપ્રસસુરભિ ? દે લ॰ શ્રી જ્ઞવિમલ રિભિઃ શ્રી પૂજ ૧૨.... . ૨૩ સંવત ૧૯૭૩ વૈશાક સુદિ ૧૧ બુધે શ્રમાળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #322 -------------------------------------------------------------------------- ________________ ૭૮ જ્ઞાતીય........ પદ્મપ્રભ બિસ્ત્ર . ૫. શ્રી જ્ઞાનવિમલ સ્મ્રુભિઃ ૨૯૪. સંવત ૧૫૨૫ વર્ષે જેષ્ઠ સુદ ૧૩ભે!મૌ ઉપકેશ જ્ઞાતિય ચામડાગેાત્ર શાજા પુન્સા ભાર્યા દાતુ સુત પદ્મમસી ભાર્યો ભુપાઈ હિતેન આત્મ શ્રેયાર્થે શ્રી સંભવનાથ આમ શ્રી...ગચ્છે પ્રતિષ્ઠિત શ્રી ધનેશ્વર સૂરિભ: ૨૫. સવત ૧૯૬૪ વર્ષે પોષ સુદ ૧૦ શનૌ વૃદ્ધ શાખાયા શ્રી શ્રોમાલી જ્ઞાતિય ગંધાર વાસ્તવ્ય ગામ૦ વર્ષમાન ભા. ચિરાદે સુતગામ વયા કેન શ્રી શિતલનાથ બિમ્બ કારિત પ્રતિષ્ઠિત તપાગચ્છે શ્રી વિજયસેન સૂરિભિ: ૨૬. સંવત ૧૫૭૩ વર્ષે મહાવિદ પીજ રો આશવલ જ્ઞાતિય લઘુશાખીય મ॰ સહા ભાય. પુનલી પુત્ર મહીરાજે ભાર્યા માલણુ દેવી યુતેન ત્ર શ્રેયસે શ્રી સુમતિનાથ ત્રિમ્બ' કારિત પ્રતિષ્ઠિત શ્રા કાર'ત ગચ્છે શ્રી સામદેવસૂરિપદે શ્રી જિનસૂરિશિઃ નાદકલીગ્રામે ( નાદકલી ખરાખર વંચાતું નથી.) ૨૭ શ્રી પાબઞ પ્ર. ત. ૫. શ્રી વિજયસેન ભિ: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮.સંવત ૧૭૭૩ વર્ષે વૈશાક સુદિ ૧૧ બુધે શ્રી સુરતિ બંદરે વા. લા. કેશવ સુત કપુર ભાર્થી કુલકેન શ્રી વાસુપૂજય બિલ્બ કા. પ્ર. તપગ શ્રી જ્ઞાનવિમલ સૂરિભિઃ ર૯ બાઈ લાડુકેન શ્રી શાન્તિનાથ ૩૦૦ સંવત ૧૮૦૨ માગશર સુદિ ૧૩ ભ્રગુશા જે ચંદ પુત્ર શા ઝવેરકેન ચંદ્રપ્રભ બિસ્ને ૩૦૧ સંવત ૧૮૦૨ માગશર સુદિ ૧૩ ભૃગુવા શા હેમચંદ ભાર્યા...ને મનાથ. ૩૦૨ સંવત ૧૯૦૨ માગશર સુદિ ૧૩ ભેગુ...ચંદ તનુ બાઈ રેવા ઝવેર શ્રી શાંતિનાથ. ૩૦૩. સંવત ૧૭૮૫ વષે વૈશાક સુદિ ૧૦ રવો સુરતવાલા શ્રીમાલી જ્ઞાતિય વૃદ્ધ શાખા શાહ માણેકચંદ ........પુત્ર શિતલનાથબિલ્બ કારિત પ્રતિષ્ઠિત તપાગ છે ......સૂરિભ ! ૩૦૪ સંવત ૧૮૧૫ વર્ષે ફાગણ સુદિ ૭ સેમે વછર..... અભિનંદન કારાપિત શ્રી અંચલગ છે ૩૦૫. સંવત ૧૮૨૫ વૈશાક સુદિ ૧૨ ગુ. કા. પુનમીયા છે......અચરતબાઈ સહસ્ત્રફણા શ્રી પાર્શ્વનાથ બિલ્બ કારિવં પ્રતિષ્ઠિવ શ્રી જિનવાસ સૂરિભિ (નામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #324 -------------------------------------------------------------------------- ________________ બરાબર ઉકલતું નથી) (જિનસેમ સૂરિભિઃ) આ પ્રતિમા પાષાણની પ્રતિમા જેટલી મોટી છે અને તેની ફેણ તથા બાહુ વિટ ભાગો છુટા છે. 306. સંવત 1773 વર્ષે શ્રીમાલી વૃદ્ધ શાખા કીનજી વર્ધમાન ગદીતા પાબિલ્બ કારાપિત પ્રતિષ્ઠિત શ્રી જ્ઞાનવિમલ સૂરિભિઃ 307 સ્વસ્તિ શ્રી સંવત 1508 વર્ષે વૈશાક વદિ 11 ર ઉમડ જ્ઞાતિય ઠ૦ ચાગ્યા સુત ઠ૦ શા. ઈયાતડ સાયરના ભાર્યા ગાઈ રહી સહિતેન કુસુઓ શ્રેષા શ્રી ચંદ્રપ્રભ સ્વામિ બિ કારિત પ્રતિષ્ઠિત શ્રી વૃદ્ધ તપાગચ્છ ભટ્ટકારક શ્રી વિજયતિલકસૂરિ પટે શ્રી વિજયધર્મ સૂરિભિઃ 308. સંવત ૧૫૧ર વર્ષે પ્રા . દેવા ભાવ કરમા પુત્ર ભા. રામાકન ભાસ કપુરી , પોપટ ભાર્યા, વ્હાલી વ્યનિશલ વિણ દાદિ કુટુમ્બ યુનેન શ્રી કહ્યું બિલ્બ કારિતં પ્રતિષ્ઠિત તપાગછે શ્રી રતનશેખર સૂરિભિઃ વડગામ.......વાસિની. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com