________________
“શ્રી સૂરત મધે દેડરા ૧૦ છે, દેરાસર (ઘરદેરાસર) ૨૩૫, ભૂથરાં ૩, પ્રતિમાં એકેકી ગણતા ૩૯૭૮, પંચતીરથીની ૫, વીસવટાની ૨૪, એકલમલ, પટ, પાટલી, સિદ્ધચક, મૈ મુખ સ થઈને ૧૦૦૪૧ ઈ.” (જૂઓ પૃ. ૧૫)
ઉપાધ્યાય વિનયવિજયજીએ “સૂર્યપુર ચૈત્ય પરિપાટી” સં. ૧૯૮૯માં બનાવી છે. ઉપાધ્યાયજીએ આ પરિપાટી એકંદર ૧૪ કડિયામાં પૂરી કરી છે. જેમાંની પ્રથમની અગીયાર કડીઓમાં સૂરતનાં અગિઆર દેરાસરોનાં નામે આપ્યાં છે. પ્રત્યેક કડીમાં દેરાસરમાં બિરાજમાન મુખ્ય ભગવાનનું નામ–જેના નામથી દેરાસર પ્રસિદ્ધ હોય તે ભગવાનનું નામ–આપી સ્તુતિ કરી છે. તે ઉપરાત મૂર્તિની સંખ્યા કે એવી બીજી બાબત કંઈ બતાવી નથી. બારમી અને તેરમી કડીમાં રાનેર, વલસાડ, ગણદેવી, નવસારી અને હાંસોટમાં બિરાજમાન પ્રભુની સ્તુતિ કરી ૧૪મી કડીમાં પિતાનો પરિચય આપ્યો છે. જેમાં વિજયસિંહસૂરીના શિષ્ય કીર્તિવિજય અને તેમના શિષ્ય વિનયવિજયે આ કૃતિ કર્યાનું જણાવ્યું છે. આ ઉપાધ્યાયજીએ સૂરતનાં જે ૧૧ દેરાસરનાં નામે ગણાવ્યાં છે તે અનુક્રમે આ છે—૧ કષભદેવનું, ૨ શાન્તિનાથનું, ૩ ધર્મનાથનું, પાર્શ્વનાથનું પ સંભવનાથનું, દ ધર્મનાથનું, ૭ અભિનંદનનું, ૮પાધનાથનું, કુંથુનાથનું ૧૦ અજિતનાથનું અને ૧૧ ચિંતામણિપાર્શ્વનાથનું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com