________________
તેમ ન વાપરવામાં આવે તે ત્યાં પણ એક પ્રકારને વ્યામેહ છે એમ કહેવું જ પડશે. અમારું દેરાસર આ મારાપ્રભુ એવી મારા તારાની ભાવનાને અત્ર સ્થાન જ ન હૈ શકે. કેટલાક ચૈત્યમાં કામ ચાલુ જ છે અને તેની સુંદરમાં સુંદર શેભામાં કાયમ વધારે કરવામાં આવે છે. જરૂર તે ભક્તિ જ છે. ચૈત્યની શોભાની સ્વર્ગ સૃષ્ટિ સાથેજ હરિફાઈ થવી જોઈએ પણ તેની સાથે સાથે જ બીજા અનેક ચૈત્યે કઢંગી હાલતમાં રહે છે તેટલું જ શરમાવનારું ગણાય માટે વિવેકી કાર્યવાહકોએ વિવેકપૂર્વક દ્રવ્ય વ્યયની વ્યસ્થાની વહેંચણી કરવી જોઈયે. વધારે શું કહેવું. આજ તે એક દેરાસરને બીજા દેરાસરમાંથી મૂર્તિ જોઈએ તો પણ દ્રવ્ય લેવાય છે જેને માટે “નકરે” શબ્દ વપરાય છે. નકરે કહે કે વેચાણ કહો આ પ્રશ્ન જરૂર વિચારણીય છે. કોણ કેની પાસે દ્રવ્ય લે છે. આ પ્રશ્નનો ઉત્તર વિચારાય તો એ સ્થિતિ ટકી શકે જ નહિ, ભગવાન સિાના છે. મંદિર સિ માટે સરખું છે. જિનાલયનું મહત્વ સર્વનું સરખું છે તે પછી ત્યાં મારા તારાની ભાવના ટકે એ અયોગ્ય જ ગણાય.
દેવદ્રવ્યના વહીવટમાં પણ રૂપીયાની ધીરધાર, ભાડું વિગેરેની વ્યવસ્થા પૂર્ણ સંભાળથી અને શાસ્ત્રાજ્ઞાપૂર્વક થવી જોઈએ. શાસ્ત્રાજ્ઞાના ઉલ્લંઘનથી દેવદ્રવ્યની વૃદ્ધિ કે વહીવટ થાય એ લેશ પણ ઈષ્ટ નથી. સલામતી અગર રક્ષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com