SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યપરિવાડીએના ઉત્પત્તિકાલત્યપત્રિાડીએ ક્યાથી રચાવા માંડી તેને નિશ્ચિત નિર્ણય આપી શકાય તેમ નથી. ચૈત્યપરિવાડીઓ, તીર્થમાલાઓ અથવા એવા જ અર્થને જણાવનારા રાસાઓ ઘણા જુના વખતથી લખાતા આવ્યા છે એમાં શક નથી, પણ એવા ભાષાસાહિત્યની ઉત્પત્તિના પ્રારંભકાલનો નિર્ણય હજી અંધારામાં છે, કારણ કે આ વિષયમાં આજ પર્યત કોઈ પણ વિદ્યાને ઉહાપોહ તક કર્યો નથી, છતાં જૈન સાહિત્યના અવલોકનથી એટલે તે નિશ્ચિત કહી શકાય કે જૈનોમાં ચિત્ય વા તીર્થયાત્રાઓ કરવાને અને તેનાં વર્ણન લખવાનો રીવાજ ઘણે જ પ્રાચીન છે. તીર્થયાત્રા કરવાને રિવાજ વિક્રમની પૂર્વે ચોથી સદીમાં પ્રચલિત હતા એમ ઈતિહાસ જણાવે છે, જ્યારે તેનાં વર્ણને લખવાની શરૂઆત પણ વિક્રમની પહેલી વા બીજી સદી પછીની તો ન જ હોઈ શકે; એ વિષયને વિશેષ ખુલાસો નીચેના વિવેચનથી થઈ શકશે– જૈન સાહિત્યમાં સર્વથી પ્રાચીન સૂત્ર આચારાંગની નિર્યુક્તિમાં તાત્કાલિક કેટલાંક જૈન તીર્થોની નોંધ અને તેને નમસ્કાર કરવામાં આવ્યો છે. નિશીથચૂણિમાં ધર્મચક્ર, દેવનિર્મિત સ્તૂપ, છવિતસ્વામિ પ્રતિમા, કલ્યાણભૂમિ આદિ તીર્થોની નેંધ કરવામાં આવી છે. १. "अट्ठावय उजिते गयग्गपए य धम्मचके य। पासरहावत्तनगं चमरुप्पायं च वन्दामि ॥" ---" गजाग्रपदे-दशार्णकूटवार्तनि । तथा तक्षशिलायां धर्मचक्रे तथा अहिच्छत्रायां पार्श्वनाथस्य धरणेन्द्रमहिमास्थाने।" -વાપાનિાિ પન્ન ક૨૮ २. " उत्तरावहे धम्मचकं, मधुराए देवणिम्मिओ थूभो, कोसलाए जियंतसामिपडिमा, तिथंकराण बा जम्मभूमिओ। -निशीथार्ण पत्र २४३-२। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy