________________
ચૈત્યપરિપાટીની વિચારણા.
સ્વભાવથી જ ભારતવર્ષના પ્રાંચીન વિદ્વાનાએ ઇતિહાસ લખવા તરફ ચેાડું લક્ષ આપેલું છે. અને જે કંઇ લખાયું હતું તેના પણ ધણાખરા ભાગ રાજ્યવિપ્લવાના દુઃસમયમાં નાશ પામી ગયે છે. માત્ર વ્યાખ્યાનિક સાહિત્યમાં ઉપચાગી ચા કેટલાક જૈન ઇતિહાસિક સાહિત્યનેા અશ વ્યાખ્યાનરસિક જૈન સાધુઓના પ્રતાપે બચવા પામ્યા છે; પણ તેમાં ઈતિહાસ કરતાં ઉપદેશતત્ત્વને મુખ્ય સ્થાન આપેલું હાવાથી તેવા ચિત્ર પ્રબન્ધાદિ ગ્ર પૈકીના ઘણા ભાગ ઔપદેશિક સાહિત્યજ ગણી શકાય. માત્ર કેટલાક રાસાએ અને પ્રબન્ધ ઉપરાંત શિલાલેખા, પ્રશસ્તિ, ચૈત્યપરિવાડી તથા તીર્થમાલાએ જ આધુનિક દષ્ટિએ પ્રાચીન ઐતિહાસિક સાહિત્યમાં ગણવા ચેાગ્ય છે.
ઐતિહાસિક સાહિત્યમાં ચૈત્યપરિવાડીઓનું સ્થાન.
જોકે ચૈત્યપરિવાડી વા તીમાલા તરફ ઘણા થાડા વિદ્યાનાનું લક્ષ્ય ગયું છે અને ઐતિહાસિક દૃષ્ટિએ તેની ખરી કીંમત આંકનારા સાક્ષરા તા તેથી ચે થાડી સંખ્યામાં નીકલશે; એટલું છતાં પણ ઈતિહાસની દૃષ્ટિએ ચૈત્યપરિવાડી એ ધણું કીમતી સાહિત્ય છે. એના ઉંડાણમાં રહેલા તાત્કાલિક ધાર્મિક ઇતિહાસના પ્રકાશ, ધર્મની રૂચિ તથા પ્રવૃત્તિનું દૃશન અને ગૃહસ્થાની સમૃદ્ધ દશાનું ચિત્ર ઈત્યાદિ અનેક ઈતિહાસના કીમતી અંશે ચૈત્યપરિપાટિઓના ગર્ભમાંથી જન્મે છે, કે જેની કીંમત થાય તેમ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com