________________
ચિંતામણિ પ્રાર્થનાથની મૂતિ કુવામાં છે ત્યાંથી મૂર્તિને બહાર કાઢી એક દેરાસર બંધાવી તેમાં પધરાવે. આ શ્રાવકે પિતાનાં સ્વપ્નની વાત તે વખતે સુરતમાં જે યતિજી હતા તેમને કરી, અને સાથે જણાવ્યું કે મારી પાસે કાંઈ મૂડી નથી. માત્ર એક રૂપીયો અને એક કેડી . યતિજીએ ગમે તે બળે પણ શ્રાવકને કહ્યું કે આ કોથળીમાંથી તને જોઈએ તેટલા રૂપિયા મળશે, તું દેરાસર બંધાવ પણ એક શરત કે આ કોથળી કદી ઠાલવીસ નહિં. પછી કુવામાં તપાસ કરતાં મૂતિ મળી આવી અને આ દેરાસર બંધાવ્યું. આજે એ કુવો આજ દેરાસરમાં મોજુદ છે. પેલી કથળી અને કેડી પણ મૌજુદ છે. એ પ્રાચીન દેરાસર સંબંધી પણ ઉલ્લેખ મળી આવે છે.” -ગુજરાત સર્વ સંગ્રહના કર્તા પાને ૫૩૧ મે જણાવે છે કે મેરઝા સામેની કબર ૧૫૪૦ માં ખુદાવીંદખાને બંધાવી છે. કબર પાસેની લાકડાની મસજીદ છે તે શાહપુર મહેલ્લામાં જૈનનું દેવલ હતું તે તેડીને તેમાંના સામાને બંધાવી.”
આ ઉપરથી સમજાય છે કે આ ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું દેરાસર પન્નરમાં સૈકામાં હોવું જોઈએ, તે સાથે જેનેની કેટકેટલી સ્મૃદ્ધિ, ઈતિહાસ અને સંસ્કૃતિ કાળને ભોગ થઈ પડી છે તે સ્પષ્ટ સમજાશે. ૩૨. શ્રી ચંદ્રપ્રભુજીનું દેરાસર.
નામ–શ્રી ચંદ્રપ્રભુજીનું દેરાસર. સ્થળ–સૈયદપુરા. મૂળનાયક—શ્રી ચંદ્રપ્રભુજી. વહીવટદાર–શેઠ ચુનીલાલ સુરચંદ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com