________________
તેમાં પ્રભુના ગુણોની સ્થાપના થાય છે. માળાના મણુકા એ શું છે ? અગર જો એ મણકામાં ગુણાપણ થઈ શકે તો મૂર્તિમાં કેમ નહિ? એકસો આઠ મણકાના સંબંધે જેને દર્શન એમ માને છે કે અરિહંતના બારગુણ, સિદ્ધ ભગવાનના આઠ ગુણ, આચાર્યના છત્રીસ ગુણ, વાચક વરના ( ઉપાધ્યાયના ) પચીસ ગુણને મુનિના ( સાધુના) સત્તાવીસ ગુણએ એકસો આઠ ગુણની સ્થાપના વડે ૧૦૮ મણકાની માળા છે. મૂર્તિને નહિ પૂજનાર જૈન બંધુઓએ અત્રે વિચારવું ઘટે છે કે ૧૦૮ ગુણ જો માળાના મણકામાં આરોપી શકાય તો મૂર્તિમાં કેમ નહિ? વલી કેઇ એમ કહે છે કે સર્વ—વ્યાપી પરમાત્માને મૂર્તિ માત્રમાં સ્થાપન કરવો એ ઠીક નથી પણ એમ કહેનારાઓ પણ અમુક “ઈશ્વર “God ઝાડ” “ખુદા' વિગેરેમાં સમાવે છે અને “ ૩%કારમાં સકેચાવે છે તે માત્ર મૂર્તિની સાથેજ વધે એ કેવળ વિરેાધવૃત્તિને આભારી છે.
જેઓ મૂત્તિને નથી માનતા તેઓ જુદા જુદા આકારને તે આશ્રય લે જ છે. પ્રાર્થનાનું મકાન, બંદગીનું દેવલ, અગર મસજીદ અગર સ્થાનક વિગેરે આકારને આશ્રય લીધા વિના તે કેઈનું ચાલતું જ નથી. અરે જે મૂર્તિ મતનું ખંડન કરનારા અક્ષર-પુસ્તકે એ પણ આકાર નહિ તે બીજું શું આકારના ખંડન માટે આશ્રય પણ આકારનેજ લેવાને તો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com