________________
તીર્થકર દે–જિનેશ્વર દેવાની જ સ્તુતિ થાય છે, અથવા તો જેઓ જે દેવને માનતા હોય તેની તેની પ્રાર્થનાઓ અગર
સ્તુતિઓ થાય છે, એટલે એ સિદ્ધ થાય છે કે વાસ્તવિક રીત્યા પરમાત્મ પૂજા થાય છે અને એ પરમાત્મપૂજાનું મૂર્તિપૂજા એ અસાધારણ સાધન છે. જેઓ વ્યાકરણ વિચાર સૃષ્ટિમાં વિચારી શકે તેઓજ તત્ત્વ-નિર્ણયાનંદ ક્ષેત્રમાં વિહરી શકે છે. અએવ મૂર્તિપૂજાથીજ પ્રભુની પૂજા, ધ્યાન, લય, વિગેરે થઈ શકે છે. એમ શંકા કરવામાં આવે છે કે અમૂત્તિમાન અશરીરી-નિરાકાર પ્રભુનું ધ્યાન સાકાર મૂર્તિથી કેમ થઈ શકે ? તેઓનેજ એ પ્રશ્ન કરવામાં આવે કે ત્યારે ભલા બતાવે તો ખરા કે એ નિરાકાર પરમાત્માનું ધ્યાનસ્તુતિ વિગેરે કેમ-કેવી રીતે કરો છો ?
“હે પ્રભુ ! તું નિરાકાર છે, નિરંજન છે, અચિંત્ય છે, અનંત દયાળુ છે, ” વિગેરે. આ શબ્દ એ શું છે ? નિરાકાર પરમાત્મા સાકાર શબ્દથી પામવામાં વાંધો ન હોય તે મૂર્તિમાંજ વાંધો કેમ ? હૃદયમાં ધ્યાન ધરો ત્યાં પણ જરૂર કોઈ પણ પ્રકારનો આકાર તે ખડે થવાનો જ. આકાર માન્યા વિના છુટકે જ નથી. “ ડેક્કાર ” નું ધ્યાન ધરાય અને તેમાંએ પરમાત્મત્વની ભાવના રહે તો “હષ્કાર ” એ શું છે ? અક્ષરમૂર્તિ કે કોઈ બીજું ? સાકાર કે નિરાકાર? જડ કે ચેતન ? પ્રભુના નામની માળા ફેરવવામાં આવે છે ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com