________________
પછી મૂર્તિ માનવામાં વાંધે ? વિશ્વને વ્યવહાર માત્ર આકારથી જ ચાલે છે. મૂર્તિને નહિ માનનારાઓ પણ તેમના ઉપદેશકના ફેટા તે રાખેજ છે. એ ફેટા (છબી ) ને આદરસત્કાર પણ કરે છે. એ ફેટાના અપમાનમાં અપમાન પણ મનાય છે તે ફેટે એ ચિત્ર મૂર્તિ છે. ત્યારે આ મૂર્તિને માનવામાં શું વાંધે ?
અરે સારા આગેવાન પુરૂષનાં અમલદારનાં, રાજકીય કટુંબીકેના, રાજા વિગેરેના તથા રાષ્ટ્રીય પુરૂષનાં, તેમના સ્મરણાર્થે બાવલાં ખુલ્લા મુકાય છે એ મૂર્તિ પૂજા નહિ તે બીજું શું ? એ ફેટા, એ મૂત્તિ તેમના જીવનનું સ્મરણ કરાવે છે તો પછી પ્રભુની મૂત્તિથી પ્રભુના ગુણનું સ્મરણ ન થાય એમ માનવામાં કદાગ્રહની પરાકાષ્ઠા કે બીજું કાંઈ !
એ બાવલાઓનું યથાવિધ રક્ષણ થાય છે, બાવલાંઓને અગાડનાર ગુન્હેગાર ગણાય એ બધું તટસ્થ બુદ્ધિથી વિચારાય તે મૂર્તિપૂજા વિના સિદ્ધિજ નથી એમ પૂરવાર કરે છે.
ઈતિહાસ ભણનારને પૂછે તે જણાવશે કે તે રાજાઓના ચિત્રોથી ભરેલાજ હોય છે અને તે ચિત્રોજ ગુણદોષ તથા તે તે સમયના રીતરિવાજોનું ભાન કરાવે છે. તે તે રાજાના વખતના પહેરવેશ, રહેણી કહેણી વિગેરે તે ચિત્રોજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com