________________
દેરાસરને નીચે મુજબ શિલા લેખ છે.
શ્રી
* નમતુર્વિશતિ શ્રી જિનેન્દ્રભ્યઃ
શ્રી જખ્ખદિપ, દક્ષિણ ભરતક્ષેત્રે ગુર્જરદેશે સુરત બંદરે ગોપીપુરા મધ્યે શ્રી મહાવીરસ્વામિની પોળને વિષે વીશા પોરવાડ જ્ઞાતે ભાગ્યશાળી શાસન ઉદ્યોત શ્રાવક શેઠ કલાભાઈ શ્રીપતશ્રી તસ્પસૂત શેઠ વધે આતસ્યસૂત વૃજલાલ તસ્યસ્ત શેઠ અનુપશાજી તસ્યસ્ત શેઠ ગોરધનભાઈ મહાપ્રભાવિક નાથબુદ્ધિનિપુણ ધ્યાદાનાદિ ગુણેશોભિત શેઠ અનુપશા તસ ભારની બાઈ બીજાબાઈ તત કુક્ષે પ્રગટ શેઠ ગોરધનભાઈ અનુપાળ તરફથી નવો ઇનપ્રાસાદ શ્રી અષ્ટાપદજીનો બંધાવ્યો તેને વિષે ચોવીસે જિનેન્દ્ર સ્થાપિત કર્યો છે, તેની પ્રતિષ્ઠા વિક્રમસંવત્સરે ૧૯૪૩ના વાક સુદ ૬ શુક્રવાસને પુનનક્ષત્રે મિથુન રાશિસ્થિતે એ પ્રતિયોગે લગ્નને વિષે શુભ ગ્રહોગે શુભ મૂહુર્ત પૂર્વ દીપ્તી મત આદીનાથજીતનાથી સ્થાપિતૌ તે સર્વ ભગવાન જનજી ભક્તિ કરવાને અર્થે શ્રી વીરનિર્વાણથી ૨૪૧૩ વર્ષે અંગ્રેજી તારીખ ૨૫મી એપ્રીલ સને ૧૮૬૯ શુભંભવતુ. આ દેરાસરની સ્થિતિ સારી છે. અષ્ટાપદજી એ જેનાં પાંચ તીર્થોમાંનું એક છે. યતઃ
આબુ અષ્ટાપદ ગીરનાર, સમેતશીખર શત્રુંજય ગિરીસાર; * પંચેતીરથ ઉત્તમ ઠામ, સિદ્ધ ગયા તેને કરું પ્રણામ.
આ તીર્થ હાલ આચર્મચક્ષુથી દેખાતું નથી. આ તીર્થને આ દેરાસરછ ખ્યાલ આપે છે.
આ મંદિરમાં ચેડા વર્ષથી પરમ ઉપકારી શ્રી મોહનલાલજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com