________________
૫
જ્યારે જ્યારે અનુકુલતા હૈાય ત્યારે ત્યારે જુદા જુદા તીર્થોની તી યાત્રા કરવી એ આવશ્યક છે. તેથી ઘણા લાભ છે. તે તે તીર્થની યાત્રા-ભક્તિથી કર્મની નિર્જરા ઉપરાંત તે તે તીર્થ સબંધમાં જે જે આવશ્યક કર્ત્ત વ્ય હાય. તેમાં પણ યથાચિત પ્રવૃત્તિ કરી શકાય. તીર્થયાત્રાને હેતુ અતિ ઉન્નત છે જ્યારે આજની પરિસ્થિતિ ઘણા ભાગે હેતુ ભુલાઇ ગયા જેવી જણાય છે. તીર્થ યાત્રામાં પણ નિવૃત્તિનું નામ નીશાન દેખાતુ નથી. ધમાલ ધમાલ ને ધમાલ ત્યાં પછી તીર્થ રક્ષાદિ તત્સંબંધે વિચારો કે પ્રવૃત્તિની આશાજ ક્યાંથી ? ખાવું પીવું ને મેાજશાખમાંજ તીર્થ યાત્રામાં વિશેષ સમય વ્યતિત કરવા ઉચિત નથી. ત્યાંતા આપણે પ્રવૃત્તિથી નિવૃત થઈ ભતિમાં લયલીન થવા જઇએ છીએ. ત્યાં એ જો પ્રવૃત્તિ-ધમાલ ચાલુ રહે તે પરિણામે પૂર્ણ ફળ મેળવી શકાય નહિ. તીર્થ ક્ષેત્રે પાપ છોડવા જઇએ છીએ એ ખાસ લક્ષ્ય રાખવું. ત્યાં જઇને પણ જો બેદરકારીથી કે ઇરાદાપૂર્વક પાપ થાય તે તે પાપ લેપ જેવુ થાય છે.
यतः - अन्यक्षेत्रे कृतं पापं तीर्थक्षेत्रे विनश्यति ।
तीर्थक्षेत्रे कृतं पापं वज्रलेपो भविष्यति ॥ અ—અન્ય ક્ષેત્રમાં કરેલું પાપ, તીર્થક્ષેત્રે વિનાશ પામે છે (તીર્થારાધનથી નાશ પામે છે.) પણ તીથ ક્ષેત્રમાં કરેલ પાપ વજ્રલેપ જેવું થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com