________________
: : પ્રકરણ ૪ શું : :
ચિત્યના અર્થનું સમર્થન. હવે ચિત્ય એટલે શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા-શ્રી જિનાલય-એ અર્થના સમર્થનમાં થોડુંક વિચારવું આવશ્યક છે. જેઓ ચૈત્ય શબ્દને ફાવતા અર્થમાં ફેરવે છે તેમને માટે જરૂર કાંઈક પ્રયાસ હિતાવહ છે. આજ્ઞામાં ધર્મ છે, બાકી. કુતર્કો વડે ઉન્માર્ગ ગમનમાં ધર્મ નથીજ. સારું તે મારૂં” એ સૂત્ર ઉપાદેય હોવું જોઈએ. મારું એજ સારૂં” એ તો કદાગ્રહ. કદાગ્રહમાં ધર્મ ન હોઈ શકે.
શ્રી સમવાયાંગ નામના ચેથા અંગસૂત્રમાં સમવસરણનું વર્ણન કરતાં લખે છે કે –
જપરા નોકર ને ઘઉં.” टीका-"कल्पभाष्य क्रमेण समवसरणवक्तव्यताज्ञेया."
સમવસરણની વક્તવ્યતા (સ્વરૂપ) શ્રી બૃહત્ કલ્પભાષ્યમાં કહેલ કમથી જાણવી. જ્યારે શ્રી સૂત્રકાર પોતે જ શ્રી બૃહત્ કલ્પભાષ્યની ભલામણ કરે એટલે શ્રી બૃહત કલ્પભાષ્યને માન્યા વિના ટકોજ નથી અને તેમાં નીચે મુજbe જણાવે છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com