________________
વિદાધરની તપાસ કરતાં તે એક ભીલ્લા નીકળે છે. અર્જુન ખેદ પામે છે. વિનીત એવો અર્જુન પણ ગુરૂના વચનમાં શંકા ધરવાની ઉતાવલ કરી ખેદ પામે છે. એનું કારણું આગ્રહથી ગુરૂ દ્રોણાચાર્ય પૂછે છે. વિનીત વીર અર્જુન સવિનય ઉપરની વાત રજુ કરે છે. ગુરૂ પણ આશ્ચર્ય પામે છે. ગુરૂ અજુનને ખાત્રી આપે છે કે હે કોઈને વિદ્યા શીખવી જ નથી તેમજ એ ભીલને હું જાણતો પણ નથી અરે મેં તેને જોયો પણ નથી. ફરી દ્રોણાચાર્ય ગુરૂ તથા વિનીત શિષ્ય વીર અર્જુન ઉભય ત્યાં જાય છે. વિશેષતઃ તપાસ કરતાં જણાય છે કે તે ભલે ગુરૂ દ્રોણાચાર્યની માટીની મૂર્તિ બનાવી હતી અને તેની ગુરૂભાવે અપ્રતિમપણે તે પૂજા કરતો હતો અને એ જ કારણે તે ભીલ વિના શિક્ષકે તે વિદ્યા સોપાંગ મેળવી શકો હતો. અરે અર્જુન પણું વિસ્મય પામે તેવી રીતે એ વિદ્યાને તે કેળવી શક હતો. રીતસરની તાલીમ આપનાર કઈ હતું નહિ. માત્ર વિદ્યાને જ પ્રધાન હેતુ છતાં ગુરૂ મૂર્તિ પ્રતિ તેને ભક્તિભાવ અનન્યજ હતો. મૂર્તિજ સાધન બને છે, તો પછી વીતરાગત્વ મેળવવા પૂજ્ય વીતરાગદેવની પ્રતિમાનું પૂજન એજ પ્રબળ સાધન હોય એમાં આશ્ચર્ય શું?
શ્રી દશવૈકાલિક સૂત્રમાં જણાવે છે કે સ્ત્રીના ચિત્રામણ સામે જોવાથી પણ કામ વિકાર ઉપજે છે અને માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com