________________
હું નિમિત્ત થયો છું તથા આવા ન્યાયી વીર ક્ષત્રિયે એ મારા શૂરા દાના દુશ્મને આ ફાની જહાંનમાંથી અલગ થયા છે, ત્યારે તે ભારતવર્ષના સમ્રાટ ઘણેજ પસ્તાય એટલું જ નહિ પણ લાયકને લાયક માન આપવા તેમજ જગતને બોધપાઠ આપવા શાહાનાશાહ એ દાના અકબર પાદશાહે એ ઉભય વિરક્ષત્રિની પ્રતિમા–મૂર્તિઓ કરી પ્રજા સમક્ષ પિતે તેનું પૂજન કરી જગતને “વીર–પૂજન અને પાઠ વીરની પ્રતિમા પૂજનથી શીખવ્યું. - જે લૈકિક વીર પુરૂષની પ્રતિમાનું આ રીતે પૂજન થાય તો પછી લોકેત્તર વીર પુરૂષોની પ્રતિમા પૂજનમાં શંકાને સ્થાન જ કયાં છે? આ તે માત્ર સાંસારિક દ્રષ્ટિએ વિર, પણ પ્રભુ કે જે મહાવીર-વીરોના વીર–કર્મને સર્વથા ક્ષય કરનાર, જેમના ચરણમાં ત્રણે જગત નમે, ચક્રીઓ અને ઇંદ્રો આળેટે તેની પ્રતિમાના પૂજનમાં વાંધાજ કેમ હોય?
- એક વખત પ્રસન્ન થયે સતે ગુરૂ દ્રોણાચાર્યે પરમવિનીત વીર અર્જુનને વચન આપ્યું હતું કે ધનુર્વિદ્યા સંપૂર્ણતયા તારા સિવાય કોઈને પણ હું શીખવીશ નહિ. કેટલાક સમય બાદ એ બાણાવળી વીર અર્જુન કોઈ એક વનમાં જાય છે. ત્યાં કેટલાક ઝાડે પર નજર કરતાં પાંદડે પાંદડું કેઈની અપૂર્વ ધનુર્વિદ્યાની સાક્ષી પૂરે છે. એ ધનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com