________________
એજ દેશકાળમાં અન્ય લેક કેવા રહે છે? રાગદ્વેષાદિથી ભરેલાં ચરિત્રોવાળા દેવામાં એમની શ્રદ્ધા, જ્યાં મલીનતા રહેલી હોય તેવા મંદિરમાં એમની શ્રદ્ધા, અને તમને વીત રાગ અને એનાં મંદિરો કે જ્યાં કેવળ વૈરાગ્યભાવના આત્મકલ્યાણ અને ત્યાગની છોળો ઉછળે છે તેમાં શ્રદ્ધા નહિ. એ લોકે રંગરોગ અને તમાસામાં ધન ખરચીને સફળતા માને અને તમે આત્મકલ્યાણને અંગે, ત્યાગને અંગે, વીતરાગભાવને અંગે ખર્ચવામાં ધુમાડે અને પાણું માને. બીજાઓ પિતાના દારૂ માંસ વાપરનારા અને કંચનકામીની રાખનારા ગુરૂઓને ગુરૂ તરીકે માને અને તમે તમારા નિગ્રંથ ત્યાગી ગુરૂઓને પણ ન માને. એક પાદરીના ખુનથી ખ્રીસ્તીઓએ આખા ચીનદેશની ખરાબી કરી અને તમે તે ચાહીને તમારા ગુરૂઓનું અપમાન કરે અને કરાવે. તમારે જ્યારે દેશકાળ જેવા છે ત્યારે તે શાસ્ત્રકારોએ કહેલા જેશે કે તમે માની લીધેલા જોશે? કેવળ જ્ઞાનાદિમાં, પંચમહાત્રતાદિમાં, ધર્મના મૂળ સિદ્ધાંતમાં દેશકાળ નહિ ચાલે. દિગંઅર લેકે ભગવાનના વચનને વિચ્છેદ થયેલું માને છે અને શાસ્ત્ર જે છે તે આચાર્યોએ નવું કરેલું માને છે. ભગવાનની મૂર્તિને યુક્તિ વિરૂદ્ધ ચક્ષુ વિકલ અને ગુદા ભાગને પ્રગટ દેખાડતી માને છે છતાં તેની શ્રદ્ધા એટલી બધી કે તેમનામાં ઘણાએ શિક્ષિત અને બારીસ્ટર થયા છતાં એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com