________________
ઝવાહીર ગોપીની માને સોંપી ગઈ હતી. કંચનીપાછી આવ્યા બાદ ગોપીની માએ તે જવાહર પાછુ સેપ્યું પણ તેણે તે લીધું નહિ. સુરજે મરતી વખતે પિતાની તમામ મીલકત ગોપીની માને બક્ષીસ કીધી અને કહ્યું જે “મારી નામદારી વધે તેવું કંઈકરજે' ગોપીના ઘરની આસપાસની વસ્તીનું નામ ગોપીપુ પડયું અને નાણાવટી વસ્યા તે નાણાવટ.’
ઉપરના ઉલ્લેખને દઢીભૂત કરતી એવી પણ કથા ઉપલબ્ધ થાય છે કે–ગોપીએ સૂર્યપુરના તે સમયના બાદશાહને સુરજનું નામ કાયમ રાખવા વિનવવાથી બાદશાહે તે કબુલ્યું. સૂર્યપુરનું યું સુરજ, જે અપભ્રંશ થતાં છેવટે થયું સુરત. અસ્તુ. પ્રાચીન સમયથી જ સુરત મ્યુદ્ધિમાન છે, દિનપ્રતિદિન તેનો વૈભવ વધતો જતો છે, સાથે સાથે સુરતને પરમાર્થ પણ તેજ છે.
- સૈદ–રૂ૫, લાવણ્ય અને સૃષ્ટિ સૌંદર્ય માટે સારાય ભારતવર્ષમાં કાશ્મીર વખણાય છે-નંદનવન ગણાય છે અને ગુજરાતગુજરાત તો એથીએ વધે. ઉપરના બાહ્ય સાદ સાથે આંતર–સૌંદર્ય સંયુક્ત સુવર્ણ—સુગંધ–સંાગવાળા ગુજરાતના ગૌરવની શી વાત ! . એક કવિ ગુજરાતના ગૌરવને નીચે મુજબ ગાઈ કૃતાર્થ થાય છે–
છે કલ્પતરૂ દુનિયાતણું ને કામદુર્ગા દેશની, . ગુજરાત બીજી જાણજે અમરાપુરી છે દેવની.
' તથા દેવતરૂ ગુજરાત જગતનું, ભાન કરાવે બ્રહ્મ કમનું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com