SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાંથી બહાર કાઢી દેરાસર બંધાવી તેમાં પધરાવે તેણે સુરતમાં વિદ્યામાન યતિજીને તે વાત કરી. જરૂર યતિજી પણ ચમકારાદિ વિદ્યાસંપન્ન જ હોવા જોઈએ. તેમણે તે શ્રાવકને એક કોથળી આપી કહ્યું કે “તારે જોઇતા તમામ રૂપીયા આમાંથી મળશે, દેરાસર અિંધાવ, પણ કદી કોથળી ઉંધી વાળીશ નહિ.” તરતજ કુવામાં તપાસ કરી, મૂર્તિ મળી. દેરાસર બંધાવ્યું. આજે એ કુ દેરાસરજીમાં મૌજુદ છે. કહે છે કે પેલી કોથળી અને કેડી કે જે વાણીયા પાસે પ્રથમ ધનમાં હતું તે પણ ત્યાં મૌજુદ છે. ગુજરાત સર્વ સંગ્રહના લેખક પાના પ૩૧માં લખે છે કે-. મેરઝા સામેની મસજીદની કબર ૧૪૫૦ માં ખુદાવિંદખાને અંધાવી છે. કબરની પાસેની લાકડાની મસજીદ છે, તે શાહપુર મેહલ્લામાં જૈનનું દેવળ હતું. તે તેડીને તેમાંના સામાને બંધાવી.' - આ ઉપરથી સાબીત થાય છે કે આ દહેરાસર પન્નરમા સૈકાનું તો જરૂર હોયજ. . 1 સુરતના લતાના નામ અને તેને ઇતિહાસ પણ પ્રાચીન સ્મૃદ્ધિને સિદ્ધ કરે છે. નાણાવટીઓ કે જેઓ મોટા ભાગે જેનો જ હતા, તેઓ જયાં વસતા તે નાણાવટ. સુરતના ગોપીપુરા અને નાણુંવટ નામના ભિવાન્વિત લતાઓના અસ્તિત્વ વિગેરે સંબંધમાં ગુજરાત સર્વ સંગ્રહના કર્તા પાના ૨૭૭–૭૮ માં દર્શાવે છે કે “નાગર જમીનદારની વિધવા પિતાની નાની વયના દિકરા ગેપીને લઈને માછલીપીઠની આસપાસ રહી હતી, તેવામાં કંચની. સુરજ દરના નવાયતાની ઇતરાજથી હજ કરવાના વિચારથી ઝાઝ ઉપડતાં સુધી ત્યાં રહી હતી. કંચની સુરજ જતી વખતે લાખેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy