________________
૪૦. શ્રી શીતલનાથ ભગવાનનું દેરાસર નામ–શ્રી શીતલનાથ ભગવાનનું દેરાસર.
સ્થળ–શ્રી હરીપુરા. મૂળનાયક-શ્રી શીતલનાથજી ભગવાન. વહીવટદાર–ચંદુલાલ નગીનદાસ તથા નગીનદાસ કીકાભાઈ પહેલી પ્રતિષ્ઠા સંવત ૧૯૬૪ માં થઈ છે.
૧૯૪૫ માં મેટી આગમાં દેરાસર બળી ગયેલું તે ફરી ૧૯૪૮ માં બંધાયું.
બંધાવનાર–શ્રી સંધ.
આ દેરાસરજીની પ્રતિષ્ઠા શ્રી રતનસાગરજી મહારાજે કરાવી છે, આ દેરાસરની સ્થિતિ સારી છે, ઘણું રમણીય છે અને લાડવા શ્રીમાળીના દેરાસર તરીકે ઓળખાય છે. લાડવા શ્રીમાળી ભાઈઓએ ચૈત્યપૂજામાં આપેલા ફાળાનું આ સ્મરણ ચિન્હ છે. ૪૧, શ્રી દાદા સાહેબનું દેરાસર (શ્રી જિનદત્તસૂરિની પાદુકા)
નામ-શ્રી દાદા સાહેબનું દેરાસર સ્થળ–શ્રી હરિપુરા વહીવટદાર-શેઠ પાનાચંદ ભગુભાઈ તથા કૃષ્ણાજી જોધાજી
આ દેરાસર ખરતરગચ્છના દેરાસર તરીકે ઓળખાય છે. એના જીર્ણોદ્ધારને લેખ નીચે મુજબ છે.
“શ્રી શ્રી શ્રી શ્રી જૈન વેતાંબર મુનિ મહારાજ શ્રી શ્રી શ્રી મોહનલાલજી મહારાજના ઉપદેશથી આ દાદા સાહેબનું દેરાસર ખરતર ગચ્છના સંધનું તે સર્વેએ મળીને જીર્ણોદ્ધાર કર્યો છે. સંવત ૧૯૬૩ ની સાલમાં”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com