SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પા છે. જે તેવી થશે તે નકામા ગેરવ્યાજબી ખર્ચ અટકશે ને કામ સારું થશે. એક સારે પગારદાર એજીનીયર રાખવો અને તે સંબંધીના ખબર હિંદુસ્તાનના સકળ સંઘોને આપી દેવા. જે કેઈને જીર્ણોદ્ધાર કરાવવા હોય અથવા નવું દેરાસર બંધાવવું હોય તેમણે સંસ્થાને ખબર આપવી. તે પછી જેના જેના તરફથી તેવી ખબર મળે ત્યાં ત્યાં પ્રથમ એજીનીયરને મોકલે. તે દેરાસરની સ્થિતિ જોઈ તેમાં શું શું કામ, કેટલું અને કેવી રીતે કરાવવા જરૂર, તેના નકશા તથા ખર્ચના અડસટા કરે અને તે કરાવનારની આર્થિક સ્થિતિ કેવી છે અને તેટલામાં કામ માટે કેવી રીતે પહોંચી શકાય. તે ઉપરથી નવું કામ કરવાની સ્કીમ નકકી કરી સદર સંસ્થાને મેકલી તેમની સલાહ મંગાવી છેવટ નિર્ણય કરી તે અનુસાર કામ કરાવવા. કારીગશે વિગેરે બંદોબસ્ત કરાવી આપી અથવા કેન્ટ્રાકટ અપાવી પાછા પોતાની ઓફીસે આવે અને કામ તે પ્રમાણે છે કે નહિ તેની વખતોવખત ખબર લીધા કરે અને છેવટે કામ પુરૂં થયાથી તપાસ કરી મંજુર કરી પૈસા વિગેરે ચુકાવી આપી રીપોર્ટ ઓફીસે લાવે, આમ કરવામાં એજીનીયરનું ખર્ચ જે સંસ્થા ઉપાડી શકે તે ઠીક, નહિતે કરાવનારના ખર્ચે તેમને તેટલી ગોઠવણ -સગવડ કરી આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy