________________
૩૬
એસ ખતાવે છે કે તે અધુરા છે, અગર કાઇથી ભયભીત ૐ અગર વિલાસ અને સહારાદિ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત છે. વિથયામાં આસક્ત છે જ્યારે શ્રી જિનેશ્વર દેવાની પ્રતિમા તે કેવળ શાંતરસના સામ્રાજ્યનેજ છાઈ દે છે, અને હાયજ કારણ કે તેઓનું જીવનજ શાંત-વિશુદ્ધ કેવળ વિશુદ્ધ. વિશુદ્ધ આત્મસ્વરૂપ-દર્શન માટે શ્રી જિનેશ્વરદેવની પ્રતિમાજ અસાધારણુ સાધન છે.
??
કાઈ એક વખતે એક ધર્મદ્વેષી અને વિઘ્નસ તાષી બ્રાહ્મણે આવી ભેાજરાજાને જણાવ્યું કે “ મહારાજા ! પુરાહિત ધનપાલ તા જરૂર જૈન થઈ ગયેલ છે અને તે શ્રી જિનદેવ સિવાય બીજા કાઈને નમતા પણ નથી. આ વાતની પરિક્ષા કરવા એક વખત ભાજરાજાએ પૂજાની તમામ સામગ્રી આપી ધનપાલને દેવપૂજા કરી આવવા ક્રમાવ્યું અને તેની પાછળ ગુપ્તચરા રાખ્યા કે જેઓ છુપી રીતે તપાસ રાખે અને આવીને સત્ય હકીકત જણાવે. પ્રથમ ધનપાલ કાઇ દેવીના મંદિરમાં ગયા, ત્યાંથી ભયભીત થઈ બહાર નીકળી શિવાલયમાં ગયા ત્યાં પણ આસપાસ ફ્રી વિષ્ણુમંદિરે ગયા ત્યાં ઉત્તરીયવસ્ત્રથી દેવનુ રૂપ ઢાંકી ત્યાંથી આગળ ચાલ્યા પછી મરૂદેવાનંદન પ્રથમ જિનેશ્વર શ્રી ઋષભદેવ સ્વામિના માંદેરમાં જઈ ત્યાં પૂજા કરી. રાજાના ગુપ્તચરાએ આ સર્વ વ્રત્તાંત રાજાને અગાઉથી જઇ પહોંચી સારી રીતે જાણ્યેા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com