________________
શાંતચિત્તે પૂજન કર્યા બાદ ધનપાલ જ્યારે રાજદ્વારે આવ્યો ત્યારે રાજાજે તેને પૂછયું કેમ ધનપાલ, તમે દેવપૂજા કરી?” ધનપાલે જણાવ્યું “સ્વામી! મેં પરમ આહલાદથી દેવપૂજા કરી.” પછી રાજાએ પૂછયું, તમે દેવીના મંદિરમાંથી ભયભીત થઈને કેમ નાઠા? ધનપાલે ઉત્તર આપે “સ્વામી! તે ભવાનીના હાથમાં ત્રિશૂળ ધારણ કરેલ હતું, લલાટ પ્રદેશે ભ્રકુટી ચડાવેલી હતી અને વળી પાડાનું મર્દન કરતી હતી. તેથી આ દેખાવથી જ હું ભય પામી ગયો. મેં વિચાર કર્યો કે અત્યારે દેવીને યુદ્ધાવસર છે. પૂજાને સમય નથી. ફરી રાજાએ પૂછ્યું કે વારૂ! તમે શ્રી વિષ્ણુદેવની પૂજા કેમ ન કરી? કવિશ્વર ધનપાલે જણાવ્યું, “રાજે ! વિષ્ણુ પિતાની સ્ત્રીને સાથે રાખી રહેલા હતા તેથી મેં વિચાર કર્યો કે આ વખતે વિષ્ણુજી અંત:પુરમાં એકાંત છે માટે હમણા પૂજાના વખત નથી.” આમ વિચારી પાછા ફર્યો અને તેમની એ એકાંત બીજાઓ જોઈ ન જાય તે માટે મેં તેમનું રૂપ (તે અવસ્થા) ઉત્તરીયવસ્ત્રથી ઢાંક્યું. ફરી રાજાએ પૂછ્યું કે “ત્યારે પાર્વતિપતિ ભેળાનાથ શ્રી શંકર દેવની પૂજા કેમ ન કરી?” ધનપાલે તરતજ ઉત્તર આપે કે –
अकंठस्य कंठे कथं पुष्पमाला, विना नासिकायाः कथं धूपगंधः
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com