SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ આ દેરાસરજીમાં સમેતશીખરજીના પહાડની રચના આબેહુબ કરવામાં આવી છે. જે પહાડ હિંદુસ્તાનની ઉત્તમ કારીગીરીને નમુને છે. જો કે આ રચના છે ઈટચુનાની તથાપિ સુંદર છે, અવશ્યમેવ જોવાલાયક છે. પહાડપર પણ દેરીઓ અને મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. જુના વખતના કેટલાક પુતળાં, ચિત્રો અને શેઠા ના ફોટા જોવાલાયક છે. ૧૫. શ્રી શાંતિનાથજીનું દેરાસર. નામ–શ્રી શાંતિનાથજીનું દેરાસર. સ્થળગોપીપુરા–માળીફળીયું. આ દેરાસર બંધાવનાર શ્રીસંઘ છે. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન છે જેની પ્રતિષ્ઠા સંવત ૧૯૨૩ માં થઈ. વહીવટદારે–શેઠ હીરાચંદ ખુબચંદ તથા શેઠ ઉત્તમચંદ માનચંદ વિગેરે ત્રસ્ટીમંડળ. આ દેરસર સાગરગચ્છના દેરાસર તરીકે ઓળખાય છે. આચાર્યની પ્રતિમાને લેખ– ૧૮૩૦ વર્ષે સિદ્ધસેનસૂરિ મૂર્તિ કારિત. પાદુકાઓના લેખ– (૧) સંવત ૧૯૨૪ મહા સુદી ૫ ગુરૂવારે શ્રીમદ તપાગચ્છે ચંદ્રશાખા કેબલચંદ્રજી પાદુકાને બાઈ જીવર સ્થાપિત. (૨) સંવત ૧૭રર વર્ષે પિશ શુદ ૧૩ સોમ શ્રી સર્વપુરવાસી વૃદ્ધે શાખીય શ્રી પ્રજ્ઞાજ્ઞાતીય શ્રી સાગરસૂરિ ભટ્ટારક પ્રતિષ્ઠા કરનાર. વિજયસેનસૂરિ પાદુકો. પહેલે માળે કુલચંદ કલ્યાણચંદનું દેરાસર છે. આ દેરાસરજીને અંગે કવિ લાધાશા નીચે મુજબ લખે છે. બીજે શ્રી શાંતિનાથને દહેરે શ્રી જગદીશરે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy