________________
દેરાસરના ઉદ્ધાર કરનારાઓને સૂચના ( લેખક-મણીલાલ ખુશાલચ મુ. પાલણપુર) જીર્ણ દહેરાસરને ઉદ્ધાર કરે એટલે જે જગ્યાએ ભાગ્યું તૂટયું હોય વિગેરે દુરસ્ત કરાવવું એવો અર્થ છે તેને બદલે આજકાલ ઘણા ભાઈઓ દહેરાસરનું જુનું કામ મજબુત હોવા છતાં ભપકાદાર દેખાવ, હરીફાઈ અથવા સફાઈને માટે જીર્ણોદ્ધારને નામે મેટા ખર્ચા કરી મૂળથી નવા બનાવે છે તેમાં પણ જે ભાઈઓ જાણકાર તથા વગવાળા હોય છે તે તે ગમે તેમ કરી તેને પહોંચી વળે છે પણ ઘણું ભાઈઓને તો તે કામને અનુભવ ન હોવાથી વિચાર કર્યા વગર અથવા જાણીતાની સલાહ લીધા વિના ફકત સલાટેની સલાહ મુજબ જ કામ શરૂ કરે છે ને પછી ધાર્યા કરતાં વધુ ખર્ચો થઈ જાય છે અને પૈસા પોતાની પાસે ન હોવાથી ટીપ કરવા છતાં પુરા પૈસા ન થવાથી ઘણું ઠેકાણે અધુરા રહી ગયેલ કામ બગડતાં જવાય છે, સંભળાય છે.
ઘણાં પ્રકારના માંગણું વધવાથી ટી ભરવા તરફ લોકની શ્રદ્ધા ન રહેવાથી ટીપે ઘણી જ મુશીબત અને મહેનત વેઠવા છતાં પણ પુરી થતી નથી.
તે અંગે નીચે મુજબ સુધારા થવાની ખાસ જરૂરત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com