________________
૪૮
મહ ગણાય માટે વહીવટ કરનારાઓએ વિવેકપૂર્વક એ દ્રવ્યને તથા પ્રકારે વ્યય કરી જીર્ણ જિનાલયને ઉદ્ધાર કરે જોઈએ.
જે જે ગામમાં જ જિનાલ્ય હોય ત્યાંના જેને પાસે પૈસાની પૂરતી સગવડ હોય ને તેના ઉદ્ધારનું કામ ઉપાડાય તથા ગમે તેટલો ખર્ચ કરી જિનાલયની શોભા વધારાય તેમાં વાધો નથી પણ કેટલીક વખત એવું પણ બને છે કે કામ ઉપાડનાર પાસે પૈસાની સગવડ ન હોય. કામને અનુભવ ન હોય. બહાર ગામની ટીપ ઉપર આધાર હેય. પૂરી લાગવગ ન હોય તે પ્રસંગે આદરેલ ઉદ્ધારનું કામ અધવચ રહે છે. તેવી પરિસ્થિતિ ધરાવનારાઓએ જીર્ણોદ્ધારને અર્થ સમજવું જોઈએ. જરૂર સામર્થ્ય હોય તે જિનાલયને દેવ વિમાન બનાવે પણ એના અભાવે શક્તિના પ્રમાણમાં જ કામ ઉપાડી જીર્ણ પુરતું જ કામ કરવું.
તા ર૭–૧૯૨૮ના વીરશાસન પત્રમાં મણીલાલ ખુશાલચંદ પાલણપુરવાળાને નીચેનો લેખ ઉપયોગી ધારી અક્ષરશઃ નીચે મૂકવામાં આવેલ છે. વાંચો અને વિચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com