________________
: : પ્રકરણ ૩ જું : : ચૈ” વિષે વિશેષ વિચાર (દેવવિચાર)
પ્રકરણ બીજાના પ્રારંભમાંજ જણાવવામાં આવ્યું છે કે ચૈત્ય શબ્દનો અર્થ “શ્રી જિનેશ્વર ભગવાનની પ્રતિમા” અથવા “જિનાલય " એટલે હવે એ વિષે વિચારીયે. ચૈત્ય એટલે શ્રી જિનેશ્વર ભગવાનની પ્રતિમા
સંબંધી વિચાર. પ્રતિમા યા મૂર્તિ કેની પૂજવી ? જેનો જે અથી હોય તેણે તેની મૂર્તિ પૂજવી એજ વાસ્તવિક ઉત્તર. મુમુક્ષુપ્રાણુઓ (મોક્ષને ઈચ્છનાર) પ્રાણુંઓ કેની મૂર્તિને માને? કેની મૂર્તિને પૂજે ? જેઓ મેક્ષે ગયા હોય તેમની જ. તે પરમાત્માની જ. તે શ્રી જિનેશ્વર દેવની જ. મોક્ષને અર્થજ બ્રમણથી–ભવભ્રમણથી-જન્મજરા મરણાદિ સંકટથી સદાને માટે છુટકારો. એવા મેક્ષને મેળવનારજ દેવ કહેવાય–બાકી દેવયોનિમાત્રથી કહેવાતા દેવે તે સંસારાટવીમાં રખડ્યાજ કરે. રખડનાર બીજાને તારી શકે નહિ. મેક્ષને મેળવનાર દેવને ફરી અવતરવાનું હોયજ નહિ. જેમણે કર્મરૂપી બીજને સદંતર બાળી નાંખી આત્માનું સાદિ અનંત સ્વરૂપ સંપ્રાપ્ત કર્યું છે તે પરમાત્માને ફરી અવતાર વિગેરેની લીલાનો સ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com