________________
કે જેમાં તીર્થયાત્રા અને પ્રતિમાપૂજાને રિવાજ ઘણો જ જૂને પુરાણો છે, તીર્થ તરીકે પ્રસિદ્ધ થયેલ સ્થાનમાં ભાવિક જેને ઘણા દૂર દૂરના દેશો થકી સંઘે લેઈ જતા અને તીર્થાટન કરી પિતાની ધાર્મિક શ્રદ્ધાને સફલ કરતા. પિતાના ગામ નગરોનાં ચૈત્યોને તે હમેશાં ભેટતા, ચૈત્ય અધિક વા સમય આછો મલતાં નગરનાં સર્વ ચૈત્યોની યાત્રા નિત્ય ન થતી તે છેવટે આઠમ ચઉદશ જેવા ખાસ ધાર્મિક દિવસોમાં તે પૂર્વોક્ત યાત્રા અવશ્ય કરતા જ. કાલાન્તરે આ પ્રવૃત્તિમાં પણ મંદતા ન પસી જાય એટલા માટે મૃતધર પૂજ્ય આચાર્યોએ નિયમ ઘડ્યો કે આઠમ ચઉદશે તે ચૈત્યેની વંદના કરવીજ, અને જે સાધુ કે વ્રતી ગૃહસ્થ આ નિયમ પ્રમાણે ન વર્તશે. તે તે દંડને ભાગી થશે. આ પ્રમાણે નગર વા ગામનાં સર્વ ચેત્યોની યાત્રા તે “ચેઈઅપરિવાડેજત્તા (ચૈત્યપરિપાટિયાત્રા) કહેવાતી. અને એ પ્રવૃત્તિ વિશેષ પ્રચલિત થતાં ઉતાવલને લીધે “યાત્રા” શબ્દ નિકલી જઈને “ચત્યપરિપાટિ’ શબ્દ જ પ્રાથમિક મૂલ અર્થને જણાવવામાં દ્ધ થઈ ગયા. વખત જતાં ચૈત્યપરિપાટી-ચૈત્યપરિવાડી-ચૈત્યપ્રવાડી. ચૈત્રપ્રવાડી ઈત્યાદિ અનેક પ્રકારના ચેઈઅપરિવાડી જત્તાના સ્થાને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ શબ્દો રૂઢ થયા, જે આજ પર્યત તે અર્થને જણાવી રહ્યા છે.
ઉપરના વિવેચનથી એ વાત સ્પષ્ટ થઈ કે “ચૈત્યપરિવાડી એ. નામ એક પ્રકારની યાત્રાનું છે, અને ઉપચારથી તેવી યાત્રાનું વર્ણન કે વિવેચન કરનાર પ્રબન્ધ વા સ્તવનો પણ “ચેત્યપરિવાડી'ના નામથી
લખાવા લાગ્યાં કે જે બનાવ સાહિત્યમાર્ગમાં એક સ્વાભાવિક ઘટના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com