SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થમાલા અને ચૈત્યપરિવાડિયાને વાસ્તવિક ભેદ. યદ્યપિ તીર્થમાલા વા તીર્થમાલાસ્તવને અને ચૈત્યપરિવાડી વા ચૈત્યપરિવાડી સ્તવનમાં સામાન્ય રીતે ભેદ નથી ગણવામાં આવતે, તથાપિ તેનાં નામ અને લક્ષણે તપાસતાં તે બન્ને પ્રકારની કૃતિને વાસ્તવિક ભેદ ખુલ્લો જણાઈ આવે છે. તીર્થમાલા સ્તવનનું લક્ષણ એ હોય છે કે પોતે ભેટેલાં વા સાંભળેલાં કે શાસ્ત્રોમાં વર્ણવેલાં નામી નામી તીર્થોનાં ચૈત્ય વા પ્રતિમાઓનું વર્ણન, તેને સાચે વા કલ્પિત ઈતિહાસ, તેને મહિમા અને તે સંબંધી બીજી બાબતોનું વર્ણન કરવાં પૂર્વક તેની સ્તુતિ વા પ્રશંસા કરવી. આચરાંગનિયુકિત અને નિશીથચૂર્ણિમાં થયેલી તીર્થોની નોંધ તે આજકાલની તીર્થમાલાઓ અને તીર્થકલ્પોનું મૂલ બીજક સમજવું જોઈએ. સિદ્ધસનસૂરિનું સકલતીર્થ સ્તોત્ર, મહેન્દ્રસૂરિનું તીર્થમાલાસ્તવન, જિનપ્રભસૂરિની શાશ્વતાશાશ્વત–ચૈત્યમાલા, ૬. આ સંસ્કૃત સ્તોત્ર પાટણમાં સંઘવીની શેરીના તાડપત્રોના પુસ્તક ભંડારમાં છે. એના કર્તા સિદ્ધસેનસૂરિ કયારે થયા તેનો નિશ્ચય નથી, છતાં સંભવ પ્રમાણે તેરમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા સિદ્ધસેન જ એના કર્તા હોવા જોઈયે. ૭. આ પ્રાકૃત સ્તવન પણ તેરમી સદીમાં જ બનેલું સંભવે છે. મહેન્દ્રસૂરિ નામના બે આચાર્ય થયા છે–૧ લા પૂર્ણતલગચ્છીય પ્રસિદ્ધ આચાર્ય હેમચંદ્રજીના શિષ્ય જે ૧૨૧૪ માં વિદ્યમાન હતા. ૨ જા નાયકી ગચ્છીય જે સં. ૧૨૨૨ માં વિદ્યમાન હતા. આ સ્તવનના કર્તા આ બેમાંથી કયા તેને નિશ્ચય થતું નથી. . ૮. આ ચૈત્યમાલા અપભ્રંશ ભાષામાં છે, એના કર્તા જિનપ્રભસૂરિ જે ૧૪ મી સદીમાં થઈ ગયા છે, જેમણે અનેક ચરિત્રો અને રાસે અપભ્રંશમાં લખેલા છે. જેટલી અપભ્રંશની કવિતા પાટણના ભંડેરામાં એમની મળે છે, તેટલી બીજા કેઇ પણ કવિની નથી મળતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy